સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/ખુશમિજાજ!

          “તમને કશો રોગ નથી. ચિંતા કર્યા કરવાની આદત પડી લાગે છે! ફિકરની ફાકી કરી જાઓ, એ જ દવા. જરીક મોલિયેરનાં નાટક જોતા રહો, એટલે ખડખડાટ હસીને તમે ખુશમિજાજ થઈ જશો.” “દાક્તર સાહેબ, પણ હું મોલિયેર પંડે જ છું!”