સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/ફલશ્રુતિ

          સાહિત્ય અને કેળવણીના ક્ષેત્રાની કામગીરીની છેવટની ફલશ્રુતિ તે જીવનને સમૃદ્ધ કરવું, લોકશાહીને સાંસ્કૃતિક રીતે પગભર બનાવવી, એ નથી શું? દેશની વસ્તીના ૨૦ ટકા લોકો હરિજનો અને આદિવાસીઓ છે. તેમાં પછાત જાતિના લોકોને ઉમેરીએ તો કુલ ૭૦ ટકા વસ્તી થાય. ૭૦ ટકા લોકો ન-ઇચ્છવા-જેવી સ્થિતિમાં જીવન ગુજારતા હોય, તે સંજોગોમાં કોઈ લોકશાહી સાંસ્કૃતિક, આર્થિક કે સામાજિક રીતે પગભર થઈ શકે નહિ.