સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/૧૮૪૮માં!

          શ્રી ગોપાળ હરિ દેશમુખ મોટા સરકારી અમલદાર, પણ અંદરથી પૂરા દેશપ્રેમી. ‘લોકહિતવાદી’ નામે એ છાપામાં લખતા. એ ઉપનામે લખેલા સો પત્રો ‘શતપત્રો’ પ્રગટ થયેલા છે. એમાં જોવા મળે છે કે ૧૮૪૮ જેટલા જૂના સમયમાં એમણે પ્રજાને બે બાબતો અંગે હાકલ કરેલી : એક તો, પરદેશીઓને કાચો માલ આપવો નહીં; અને બીજું, પરદેશીઓ પોતાનો માલ અહીં ખપાવવા માગે છે તે ખરીદવો નહીં. '[ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (ગુજરાત વિદ્યાસભા)ના ઓનરરી સેક્રેટરી તરીકે ગોપાળરાવ હરિ દેશમુખ ચૂંટાયા હતા.]