સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/એટલે વીસમી વખત

          “છોકરાંઓને એકની એક વાત વીસ વીસ વખત કહેતાં તમને કંટાળો નથી આવતો?” એવો સવાલ એક શિક્ષકને કોઈએ કર્યો. તેણે જવાબ આપ્યો : “ઓગણીસ વખત કહેલું નકામું ન જાય, એટલા માટે વીસમી વખત કહું છું.” કેળવણી એક લડત છે. શિક્ષકોનો પક્ષ હારી બેસશે, તો જગતની શક્તિ નામશેષ થઈ જશે. એક જ રસ્તો છે : ફરી ફરી સમજાવો, ફરી ફરી જાગૃત કરો, અકથ્ય ધીરજ ધરો.