સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/તેજસ્વિતા પહેલી

Revision as of 08:34, 27 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} હિંમત ન હોય અને નમ્રતા હોય તે કામની નથી. હિંમત વધે પછી નમ્ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          હિંમત ન હોય અને નમ્રતા હોય તે કામની નથી. હિંમત વધે પછી નમ્રતા આવે તે શોભે. માટે આપણે જે વિદ્યા આપીએ તે પહેલાં તેજસ્વી હશે, પછી બીજી બધી સંસ્કારિતા. તેજસ્વિતાને ભોગે આવતી સંસ્કારિતા નથી જોઈતી. તેજસ્વિતા સાથે જેટલી નમ્રતા આવે તે ઉત્તમ.