સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કિશોરલાલ મશરૂવાળા/કોશમાંથી જડી આવે તેમ

          બાલશિક્ષણ, સ્ત્રીશિક્ષણ, પ્રજાસમૂહનું શિક્ષણ, અક્ષરજ્ઞાન, ધંધાજ્ઞાન તથા કળાજ્ઞાન વગેરે શિક્ષણના કોઈ પણ વિષય ઉપર આપણે કાકાસાહેબને પ્રશ્ન પૂછીએ, તો જેમ શબ્દકોશમાંથી શબ્દનો અર્થ જડી આવે તેમ તેમના મગજમાંથી નિશ્ચયપૂર્વક વિચારો જડી આવે છે.