સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/નવ કહેજો!

From Ekatra Wiki
Revision as of 08:00, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> વનવનમાં વદન હસવતી કો સરિતા ચાલી જાય, દુર્ગંધ જગતની વહતી સાગરમાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

વનવનમાં વદન હસવતી
કો સરિતા ચાલી જાય,
દુર્ગંધ જગતની વહતી
સાગરમાં શાંત સમાય:
સાચા જનસેવકનું જીવન ત્યમ પામે મૌનવિરામ—
એ સુભટ કાજ કો નવ કહેજો: ‘પ્રભુ, દે એને વિશ્રામ!’