સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નવલભાઈ શાહ/જેવું ઘડતર

          લોખંડનો એક ટુકડો વેચો તો તેનો એક રૂપિયો ઊપજે. તેમાંથી ઘોડાની નાળ બનાવીને વેચો તો અઢી રૂપિયા ઊપજે. તેમાંથી બધી સોય બનાવી નાખો તો ૬૦૦ રૂ. ઊપજે. અને નાળ કે સોયને બદલે ઘડિયાળની ઝીણી ઝીણી કમાન બનાવી નાખો તો ૫૦,૦૦૦ રૂ. ઊપજે. લોખંડ તો એનું એ અને એટલું જ છે. પણ તેનું ઘડતર કરો તેવું તેનું મૂલ્ય. માણસ વિશે પણ એવું જ છે.