સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/સતપંથી


અમદાવાદ નજીકના પીરાણા ગામમાં લગભગ છસો વરસ પહેલાં આવીને વસેલા ઇમામ શાહે હિંદુ અને મુસ્લિમ બંને કોમને ‘સતપંથ’ પર ચાલવાનો ઉપદેશ આપીને તેમની શ્રદ્ધા જીતી લીધેલી. એ પીરાણાની દરગાહના ગાદીપતિ હિંદુ છે. ‘સતપંથ’ના અનુયાયીઓ ઈદ, દિવાળી વગેરે બેય કોમના તહેવારો ઊજવે છે અને પીરાણામાં ઇમામશાહનો મેળો ભરાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સતપંથીઓ મોટી સંખ્યામાં વસે છે.