સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનુભાઈ પંચોળી/વીસર્યા નહોતા

          આ દેશમાં લોકોને કેન્દ્રમાં રાખનાર જે મહાપુરુષો થઈ ગયા તેમાં શ્રી કૃષ્ણ સૌથી મહાન હતા. સોનાની દ્વારીકામાં રહ્યા છતાં પણ તેઓ વ્રજવાસી ગોવાળિયાને વીસર્યા નહોતા, પોતાની ગાયોને વીસર્યા નહોતા. તેમને સામાન્યજનો તરફથી જે પ્રેમ મળ્યો તે તેમને મહેલાતોમાંથી નથી મળ્યો. [‘કોડિયું’ માસિક : ૨૦૦૬]