સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનુભાઈ પંચોળી/સતયુગ અને કલિયુગ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          અસત્ય, હિંસા સતયુગમાં હોતાં નથી તેવું નથી; પણ સતયુગમાં તેની પ્રતિષ્ઠા હોતી નથી અને તે સર્વોપરી ગણાતાં નથી. કલિયુગમાં સત્ય, પ્રેમ, દયા હોતાં નથી તેમ નહીં; પણ તેમની ઠેકડી ઉડાડાતી હોય છે. કલિયુગનો અર્થ એ કે શરીરસુખને જ સર્વ કાંઈ ગણવું, અને તેને ટકાવવાના સાધનરૂપે બળ ઉપર જ બધો આધાર રાખવો.