સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનુ પંડિત/એવા ગુરુજનો

Revision as of 10:40, 5 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} આપણને આપણા કરતાં પણ વધારે ઓળખી શકનારા ગુરુજનો કોઈ વાર મળી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          આપણને આપણા કરતાં પણ વધારે ઓળખી શકનારા ગુરુજનો કોઈ વાર મળી આવે છે. તેઓ આપણને આંતરબાહ્ય રીતે જાણીને આપણા પર પ્રેમ કરે છે. આવા ગુરુજનો મળે પછી પોતાની જાત એમને ચરણે ધરી દેવી રહે. એવા મને મળ્યા જુગતરામ દવે, મુનિ સંતબાલજી અને આશાદેવી તથા આર્યનાયકમજી. [‘જીવનસ્મૃતિ’ માસિક : ૨૦૦૬]