સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/શુદ્ધ કાંચન


આનંદશંકરભાઈએ ‘હિંદુ ધર્મની બાળપોથી’ લખેલી છે, પણ એ વૃદ્ધ પુરુષો પણ રસપૂર્વક વાંચી શકે અને જ્ઞાન મેળવી શકે એવી છે. મને તો એ અલૌકિક ગ્રંથ લાગે છે. એમાંથી હું તો રસના ઘૂંટડા પી રહ્યો છું. આનંદશંકરભાઈના બહોળા વાચન-મનનું આ પુસ્તક દોહનરૂપ છે. આનંદશંકર ધ્રુવના ધર્મ ઉપરના સુંદર નિબંધોનો સંગ્રહ [‘આપણો ધર્મ’] શુદ્ધ કાંચન છે. આ નિબંધોથી મને ભારે સુખ મળ્યું છે.