સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રતિલાલ ‘અનિલ’/એકધારા મુશાયરા


‘શયદા’એ ગઝલને લોકપ્રિય કરી, તો ઈબ્રાહીમ દાદાભાઈ ‘બેકારે’ એકધારા મુશાયરા યોજીને ગુજરાતભરમાં ખૂણે ખૂણે અને આફ્રિકા, ઇંગ્લૅન્ડ, કરાંચી, બર્માના ગુજરાતી સમાજ સુધી એને પહોંચાડી. અનેક વાંકવળાંકવાળા શાયરોને એમના નિખાલસ સ્વભાવે એક સળંગ સાંકળરૂપે સાથે રાખ્યા.