સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રતુભાઈ અદાણી/વજુભાઈનાં આંસુ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} અરધીસદીનાશ્રીવજુભાઈસાથેનાંસંભારણાંમાંમાત્રએકવખતમેં...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
અરધીસદીનાશ્રીવજુભાઈસાથેનાંસંભારણાંમાંમાત્રએકવખતમેંએમનેરડતાજોયાહતા. ૧૯૩૦માંમેઘાણીભાઈનેબેવરસનીકેદનીસજાન્યાયાધીશેકરીઅનેધંધુકાનીકોર્ટમાં—
હજારોવર્ષનીજૂનીઅમારીવેદનાઓ,
કલેજાંચીરતીકંપાવતીઅમભયકથાઓ...
એગીતમેઘાણીભાઈએજ્યારેગાયું, ત્યારેવજુભાઈભરઅદાલતમાંધ્રુસકેધ્રુસકેરડીપડ્યાહતા. તેપછીજાહેરઅનેઅંગતજીવનનીઅનેકતડકી-છાંયડીવચ્ચેપણવજુભાઈનીઆંખમાંમેંકદીઆંસુજોયાંનહોતાં.
પરંતુ૧૯૮૩નાઆરંભમાંએમનુંઅવસાનથયુંતેપહેલાંથોડાદિવસેઅમદાવાદમાંહુંએમનેમળવાગયો, ત્યારેબીજીવખતમેંએમનીઆંખમાંઆંસુજોયાં. દમનાલાંબાવ્યાધિમાંએમનુંશરીરક્ષીણથઈગયુંહતું. મનેઆવેલોજોઈનેએસૂતાહતાતેબેઠાથવાગયા. મનેલાગ્યુંકેહવેતેઓકદીબેઠાથાયતેમનથી. ત્યારેએમનીઆંખમાંમેંઆંસુજોયાં. વજુભાઈએટલુંબોલ્યાકે—
“આશરીરનેમેંઘણુંકષ્ટઆપ્યુંછે. પણમનેકોઈવેદનાકેચિંતાનથી. મંગલજીવનજીવુંછું. ગાંધી-મૂલ્યોનોહ્રાસકેટલાકવખતથીથઈરહ્યોછે, નૈતિકનેસામાજિકમૂલ્યોનષ્ટથઈરહ્યાંછે. તેનીસામેપડકારફેંકવાનુંકામઆપણામાંથીતેંઉપાડ્યુંછે. ગાંધી-મૂલ્યોનાજતનમાટેઆહ્લેકજગાડવાનુંકામતેંશરૂકર્યુંછે, તેનાઉલ્લાસમાંઆજેમારીઆંખમાંથીઆંસુસરેછે.”


અરધી સદીના શ્રી વજુભાઈ સાથેનાં સંભારણાંમાં માત્ર એક વખત મેં એમને રડતા જોયા હતા. ૧૯૩૦માં મેઘાણીભાઈને બે વરસની કેદની સજા ન્યાયાધીશે કરી અને ધંધુકાની કોર્ટમાં—
હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ,
કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ...
એ ગીત મેઘાણીભાઈએ જ્યારે ગાયું, ત્યારે વજુભાઈ ભર અદાલતમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. તે પછી જાહેર અને અંગત જીવનની અનેક તડકી-છાંયડી વચ્ચે પણ વજુભાઈની આંખમાં મેં કદી આંસુ જોયાં નહોતાં.
પરંતુ ૧૯૮૩ના આરંભમાં એમનું અવસાન થયું તે પહેલાં થોડા દિવસે અમદાવાદમાં હું એમને મળવા ગયો, ત્યારે બીજી વખત મેં એમની આંખમાં આંસુ જોયાં. દમના લાંબા વ્યાધિમાં એમનું શરીર ક્ષીણ થઈ ગયું હતું. મને આવેલો જોઈને એ સૂતા હતા તે બેઠા થવા ગયા. મને લાગ્યું કે હવે તેઓ કદી બેઠા થાય તેમ નથી. ત્યારે એમની આંખમાં મેં આંસુ જોયાં. વજુભાઈ એટલું બોલ્યા કે—
“આ શરીરને મેં ઘણું કષ્ટ આપ્યું છે. પણ મને કોઈ વેદના કે ચિંતા નથી. મંગલ જીવન જીવું છું. ગાંધી-મૂલ્યોનો હ્રાસ કેટલાક વખતથી થઈ રહ્યો છે, નૈતિક ને સામાજિક મૂલ્યો નષ્ટ થઈ રહ્યાં છે. તેની સામે પડકાર ફેંકવાનું કામ આપણામાંથી તેં ઉપાડ્યું છે. ગાંધી-મૂલ્યોના જતન માટે આહ્લેક જગાડવાનું કામ તેં શરૂ કર્યું છે, તેના ઉલ્લાસમાં આજે મારી આંખમાંથી આંસુ સરે છે.”
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 07:55, 27 September 2022


અરધી સદીના શ્રી વજુભાઈ સાથેનાં સંભારણાંમાં માત્ર એક વખત મેં એમને રડતા જોયા હતા. ૧૯૩૦માં મેઘાણીભાઈને બે વરસની કેદની સજા ન્યાયાધીશે કરી અને ધંધુકાની કોર્ટમાં— હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ... એ ગીત મેઘાણીભાઈએ જ્યારે ગાયું, ત્યારે વજુભાઈ ભર અદાલતમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. તે પછી જાહેર અને અંગત જીવનની અનેક તડકી-છાંયડી વચ્ચે પણ વજુભાઈની આંખમાં મેં કદી આંસુ જોયાં નહોતાં. પરંતુ ૧૯૮૩ના આરંભમાં એમનું અવસાન થયું તે પહેલાં થોડા દિવસે અમદાવાદમાં હું એમને મળવા ગયો, ત્યારે બીજી વખત મેં એમની આંખમાં આંસુ જોયાં. દમના લાંબા વ્યાધિમાં એમનું શરીર ક્ષીણ થઈ ગયું હતું. મને આવેલો જોઈને એ સૂતા હતા તે બેઠા થવા ગયા. મને લાગ્યું કે હવે તેઓ કદી બેઠા થાય તેમ નથી. ત્યારે એમની આંખમાં મેં આંસુ જોયાં. વજુભાઈ એટલું બોલ્યા કે— “આ શરીરને મેં ઘણું કષ્ટ આપ્યું છે. પણ મને કોઈ વેદના કે ચિંતા નથી. મંગલ જીવન જીવું છું. ગાંધી-મૂલ્યોનો હ્રાસ કેટલાક વખતથી થઈ રહ્યો છે, નૈતિક ને સામાજિક મૂલ્યો નષ્ટ થઈ રહ્યાં છે. તેની સામે પડકાર ફેંકવાનું કામ આપણામાંથી તેં ઉપાડ્યું છે. ગાંધી-મૂલ્યોના જતન માટે આહ્લેક જગાડવાનું કામ તેં શરૂ કર્યું છે, તેના ઉલ્લાસમાં આજે મારી આંખમાંથી આંસુ સરે છે.”