સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/“પારકી થાપણ”

From Ekatra Wiki
Revision as of 10:31, 27 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સત્યાગ્રહની લડતમાં એક મુસલમાન જુવાનની ધરપકડ થઈ. લોકો એની ઘરડી મા પાસે ગયા અને ખબર આપી કે, સરકાર તમારા દીકરાને જેલમાં લઈ ગઈ. ડોશી તો ખુશ થતાં બોલ્યાં: “અરે ભલા માણસ! એ ક્યાં મારો દીકરો હતો? એ તો ખુદાની અનામત હતી. વખત આવ્યે ખપ લાગે, એ માટે તેણે મારે ત્યાં મૂકી રાખી હતી. હવે ખુદાને એની જરૂર પડી એટલે લઈ ગયા. એને મારા ઘરમાં રાખી મૂકું, તો તો પારકી થાપણ ઓળવી કહેવાય!” [‘મહારાજની વાતો’ પુસ્તક: ૧૯૭૨]