સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રાજેન્દ્ર પ્રસાદ/ચંપારણમાં ચિનગારી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા પછી હિંદુસ્તાનનાં મુખ્ય મુખ્ય સ્થળોની મુલાકાત લેતા લેતા કલકત્તા આવ્યા હતા. તેમના સ્વાગત માટે ત્યાં સભા રાખવામાં આવી હતી. એ વખતે લોકો તેમને ‘કર્મવીર ગાંધી’ કહેતા. તે કસવાળું સફેદ અંગરખું અને ધોતિયું પહેરતા, માથે સફેદ ફેંટો બાંધતા, ખભે ખેસ રાખતા, પણ પગરખાં નહોતા પહેરતા. તેમના દક્ષિણ આફ્રિકાના કાર્ય વિશે મેં છાપામાં વાંચેલું, એટલે એમની સ્વાગત-સભામાં હું ગયેલો. આ ૧૯૧૫ની વાત છે. ગોખલેએ ગાંધીજી પાસેથી વચન લીધેલું કે પોતે હિંદુસ્તાનમાં ફરીને દેશની સ્થિતિ જાતે નિહાળશે, પણ એક વરસ સુધી કોઈ પણ પ્રકારની ચળવળમાં ભાગ નહીં લે-અને ભાષણ પણ નહીં કરે. આ સમારંભ એ એક વરસ દરમિયાન થયેલો એટલે, ઘણું કરીને, તેઓ તેમાં કાંઈ બોલ્યા નહોતા.
ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા પછી હિંદુસ્તાનનાં મુખ્ય મુખ્ય સ્થળોની મુલાકાત લેતા લેતા કલકત્તા આવ્યા હતા. તેમના સ્વાગત માટે ત્યાં સભા રાખવામાં આવી હતી. એ વખતે લોકો તેમને ‘કર્મવીર ગાંધી’ કહેતા. તે કસવાળું સફેદ અંગરખું અને ધોતિયું પહેરતા, માથે સફેદ ફેંટો બાંધતા, ખભે ખેસ રાખતા, પણ પગરખાં નહોતા પહેરતા. તેમના દક્ષિણ આફ્રિકાના કાર્ય વિશે મેં છાપામાં વાંચેલું, એટલે એમની સ્વાગત-સભામાં હું ગયેલો. આ ૧૯૧૫ની વાત છે. ગોખલેએ ગાંધીજી પાસેથી વચન લીધેલું કે પોતે હિંદુસ્તાનમાં ફરીને દેશની સ્થિતિ જાતે નિહાળશે, પણ એક વરસ સુધી કોઈ પણ પ્રકારની ચળવળમાં ભાગ નહીં લે-અને ભાષણ પણ નહીં કરે. આ સમારંભ એ એક વરસ દરમિયાન થયેલો એટલે, ઘણું કરીને, તેઓ તેમાં કાંઈ બોલ્યા નહોતા.
૧૯૧૬ના ડિસેમ્બરમાં કોંગ્રેસનું અધિવેશન લખનૌમાં ભરાયું, ત્યાં ગાંધીજી આવ્યા હતા. બિહારના ચંપારણ વિસ્તારના રાજકુમાર શુક્લ વગેરે ખેડૂત આગેવાનો કોંગ્રેસ આગળ પોતાનું દુખ રડવા આવ્યા હતા. તેઓ ગાંધીજીને પણ મળ્યા અને ચંપારણના ખેડૂતોની વિટંબણાની વાત કરી.
૧૯૧૬ના ડિસેમ્બરમાં કોંગ્રેસનું અધિવેશન લખનૌમાં ભરાયું, ત્યાં ગાંધીજી આવ્યા હતા. બિહારના ચંપારણ વિસ્તારના રાજકુમાર શુક્લ વગેરે ખેડૂત આગેવાનો કોંગ્રેસ આગળ પોતાનું દુખ રડવા આવ્યા હતા. તેઓ ગાંધીજીને પણ મળ્યા અને ચંપારણના ખેડૂતોની વિટંબણાની વાત કરી.
Line 90: Line 92:
દક્ષિણ આફ્રિકામાં તો ગાંધીજી પાયખાનાં પણ જાતે સાફ કરતા. પરંતુ ચંપારણમાં તેમણે સ્વાવલંબનનો સંપૂર્ણ કાર્યક્રમ અમારી સમક્ષ મૂક્યો નહોતો. તેઓ જાણતા હતા કે કુમળી ડાળ આસ્તે આસ્તે જ વાળી શકાય; વધારે પડતું જોર કરવા જતાં કદાચ એ બટકી જાય.
દક્ષિણ આફ્રિકામાં તો ગાંધીજી પાયખાનાં પણ જાતે સાફ કરતા. પરંતુ ચંપારણમાં તેમણે સ્વાવલંબનનો સંપૂર્ણ કાર્યક્રમ અમારી સમક્ષ મૂક્યો નહોતો. તેઓ જાણતા હતા કે કુમળી ડાળ આસ્તે આસ્તે જ વાળી શકાય; વધારે પડતું જોર કરવા જતાં કદાચ એ બટકી જાય.
{{Right|(અનુ. કરીમભાઈ વોરા) : મો. ક. ગાંધી}}
{{Right|(અનુ. કરીમભાઈ વોરા) : મો. ક. ગાંધી}}
<br>
{{Right|[‘બાપુને પગલે પગલે’ અને ‘સત્યના પ્રયોગો’ પુસ્તકો]}}
{{Right|[‘બાપુને પગલે પગલે’ અને ‘સત્યના પ્રયોગો’ પુસ્તકો]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits