સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/કાવ્યનું ફલ


કાવ્યાનુભવ લઈ લીધા પછી ભાવક પાછો પોતાના વ્યવહારજગતમાં આવે છે ત્યારે, કાવ્યનો અનુભવ સાથે લઈને આવે છે. તેના પૂર્વના અનુભવમાં કાવ્યનો અનુભવ ઉમેરાય છે, તેની સાથે એકરસ થઈ જાય છે અને હવે ભાવક વ્યવહારજગતનો અનુભવ પણ કંઈક વધારે રહસ્યપૂર્વક કરતાં શીખે છે. જગતને સમજવાની તેની શકિત વધેલી છે. કાવ્યથી તે વધારે સંસ્કારી થયો છે. કાવ્યનું આ આનુષંગિક ફલ છે. [‘સાહિત્યવિમર્શ’ પુસ્તક: ૧૯૩૯]