સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/નીરવ પગલે ક્રાંતિ

From Ekatra Wiki
Revision as of 06:13, 28 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


દાંપત્યપ્રેમની ભાવનામાં આપણા જમાનામાં ફરક પડ્યો છે તેનું પહેલું લક્ષણ એ કે દાંપત્યભાવનામાંથી બહુપત્નીત્વ નીકળી ગયું. નહીંતર હજુ હિન્દુ મુસલમાન બંનેમાં બહુપત્ની કરવાની રૂઢિ કાયદેસર છે. આ વસ્તુ એવી નીરવ પગલે નીકળી ગઈ છે કે તે નીકળી ગઈ છે તેની કોઈને ખબર પણ પડી નથી. અત્યારના આપણા રસિક જીવનમાં બહુપત્નીત્વને સ્થાન જ નથી. આપણા સમાજે બહુ જ શાંતિથી કરેલી આ મોટામાં મોટી વિચારક્રાંતિ છે.