સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/પાપમુકિતનો માર્ગ

Revision as of 06:26, 28 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પાપ કરીને પ્રાયશ્ચિત્ત કર્યાથી પાપમુક્ત થવાય છે. સંસારમાં રચ્યાપચ્યા રહેવા છતાં, “આ બધી માયા છે, પણ કાંઈ છોડી શકાય છે!” એમ કહેવાથી મોક્ષાધિકારી થવાય છે. આ જ નિયમથી, “આપણા દેશમાં યુવાનોમાં માત્ર ક્ષણિક ઊભરો જ હોય છે; સતત કાર્ય કરવાની, દુ:ખ સહન કરવાની શકિત જ હોતી નથી,” એમ વારંવાર કહ્યા કરવાથી, પોતે એ સર્વ અપૂર્ણતાથી મુક્ત થઈ જવાય છે; એમ વારંવાર કહ્યા કરો તો પછી પોતાના સ્વાર્થનો ગમે તે ધંધો ચલાવતાં અને દેશનું કાંઈ પણ કામ ન કરતાં છતાં તમે દેશનેતા કે દેશભક્ત થઈ શકો! [‘સ્વૈરવિહાર’ (ભાગ ૧) પુસ્તક: ૧૯૩૧]