સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લોકગીત/વલોણાવાર

From Ekatra Wiki
Revision as of 09:22, 28 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



આજ મારે વલોણાવાર છે રે લોલ.
સાત સમદરની ગોળી રે કીધી,
મેરુનો કીધો રવાયો રે લોલ;
નવકુળ નાગનાં નેતરાં રે કીધાં,
ગંગા-જમનાનું વલોણું રે લોલ.
માત જશોદા, તમ્મારા કાનને
મહીડાં વલોવવાને મેલો રે લોલ!
[ઝવેરચંદ મેઘાણી સંપાદિત લોકગીત: ‘રઢિયાળી રાત’ પુસ્તક]