સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુખબીર/લગન


જર્મન સંગીતકાર જોહાન્નીસ બ્રાહ્મ (૧૮૩૩-૧૮૯૭) એકવાર હંગેરી દેશમાં સંગીતના કાર્યક્રમો આપવા નીકળેલા. એક દિવસ કાર્યક્રમ શરૂ થવાને થોડી જ વાર હતી ત્યાં મૅનેજરે આવીને તેમને જણાવ્યું કે, “આખા રંગભવનમાં માત્રા એક શ્રોતા બેઠેલો છે. તેને ટિકિટના પૈસા પાછા આપીને આજનો કાર્યક્રમ રદ કરીએ તો સારું.” “નહીં, નહીં,” બ્રાહ્મે ભાર દઈને કહ્યું, “એ તો પેલા માણસનું અપમાન કહેવાય. સંગીત સાંભળવા માટે તો એ આવ્યો છે. એની ઇચ્છા પૂરી થવી જ જોઈએ.” નિયત સમયે પડદો ખૂલ્યો અને મંચ પરથી બ્રાહ્મે એવી લગન સાથે સંગીત રજૂ કર્યું કે જાણે રંગભવન આખું ખીચોખીચ ભરેલું હોય! [‘નવનીત’ માસિક : ૧૯૭૮]