સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/સૂચિ

From Ekatra Wiki
Revision as of 13:42, 28 November 2022 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search


લેખક-નામોની અકારાદિક્રમ સૂચિ

આ સૂચિમાં લેખકનામ પછીનો અંક પૃષ્ઠક્રમ નહીં પણ લેખકનું જન્મવર્ષ બતાવે છે. ઉદા. તરીકે ત્રિપાઠી બકુલ ૧૯૨૮. આ પદ્ધતિથી, સૂચિ જોતાં જ લેખકનું જન્મવર્ષ સુલભ બને છે. એ પછી, લેખકની વિશેષ વિગતો જોવા માટે ગ્રંથ(text)માં દાયકાવાર કરેલું વિભાજન અને એનું નેવિગેશન સહાયક બનશે. ઉ. ત. ૧૯૨૧-૧૯૩૦ એ દાયકો પસંદ કરીને ૧૯૨૮નું વર્ષ જોતાં સહેલાઈથી ત્રિપાઠી બકુલ ની વધુ વિગતો મેળવી શકાશે. ઉપનામ કે અન્યનામથી જ વધુ ઓળખાતા હોય એટલા લેખકોનો નિર્દેશ ‘ઉપનામ’γમૂળનામ જન્મવર્ષ – એ રીતે કર્યો છે. γની નિશાની પહેલાંનું નામ એ ઉપનામ છે, એ પછી અટક અને પછી મૂળ નામનો આદ્યાક્ષર.જેમકે, ઉશનસγ પંડ્યા ન. ૧૯૨૦.

વળી મૂળ નામ (અટક પ્રથમનામ) અને ઉપનામ એ બંને સામે જન્મવર્ષ નોંધ્યું છે જેથી સંદર્ભ તરત હાથવગો થાય. જેમકે

ઉશનસγ પંડ્યા ન. ૧૯૨૦ પંડ્યા નટવરલાલ ૧૯૨૦ કેટલાંક જન્મવર્ષો પછી * ની નિશાની કરેલી છે એ અનુમાનિત વર્ષ (‘–આસપાસ’)નો નિર્દેશ કરે છે. આચાર્ય, પંન્યાસ, મુનિ, સ્વામી – એવી વિશેષ ઓળખ નામપૂર્વે [–] ચોરસ કૌંસમાં દર્શાવી છે. પણ અકારાદિક્રમ નામ-અનુસારી રાખ્યો છે.



અનુક્રમ