સિગ્નેચર પોયમ્સ/વૈષ્ણવજન – નરસિંહ મહેતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(+1)
 
(No difference)

Latest revision as of 15:43, 17 April 2024

વૈષ્ણવજન

નરસિંહ મહેતા

વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે;
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે;
વાચ, કાજ, મન નિશ્ચળ રાખે, ધન્ય ધન્ય જનની તેની રે.
સમદૃષ્ટિ અને તૃષ્ણાત્યાગી, પરસ્ત્રી જેને માત રે;
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.
મોહ માયા વ્યાપે નહિ તેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે;
રામનામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે.
વણલોભી ને કપટરહિત છે, કામ-ક્રોધ નિવાર્યા રે;
ભણે નરસૈયો તેનું દરશન કરતાં, કુળ ઇકોતેર તાર્યાં રે.