સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ/સુન્દરમ્ : જીવનક્રમિકા

સુન્દરમ્ : જીવનક્રમિકા
૧૯૦૮ : ૨૨મી માર્ચ જન્મ, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયાં-માતર ગામે.
જન્મનામ : ત્રિભુવનદાસ.
પિતાનું નામ : પુરુષોત્તમદાસ લુહાર. માતાનું નામ ઊજમબહેન.
૧૯૧૭ : લગ્ન મંગળાબહેન સાથે.
અભ્યાસ: મિયાં–માતરમાં ગુજરાતી સાત ધોરણ સુધી.
આમોદની શાળામાં અંગ્રેજી પાંચ ધોરણ સુધી, ભરૂચમાં
છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં એક વર્ષ.
૧૯૨૫–૨૭ : ભરૂચમાંથી ‘વિનીત’ થઈ, અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં.
ત્યાંના માસિક ‘સાબરમતી'માંના ઉત્તમ લેખ માટે તારાગૌરી ચંદ્રક
૧૯૨૬ : ‘સાબરમતી'માં ‘મરીચિ' ઉપનામથી ‘એકાંશ દે' – એ પ્રથમ કાવ્યની પ્રસિદ્ધિ.
૧૯૨૮-૨૯ : ‘સાબરમતીમાં ‘બારડોલીને– એ કાવ્ય ‘સુન્દરમ્'ના નામથી પ્રસિદ્ધ
સાબરમતી'ના તંત્રી.
૧૯૨૯ : સંસ્કૃત-અંગ્રેજી સાથે બીજા વર્ગમાં ‘ભાષાવિશારદ'.
સોનગઢ ગુરુકુળમાં અધ્યાપક.
૧૯૩૦ : ઉમાશંકર સાથે મૈત્રી. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાયા.
એમની કાવ્યદીક્ષા જેવું કાવ્ય ‘બુદ્ધનાં ચક્ષુ'નું સર્જન.
૧૯૩૩ : પ્રથમ કાવ્યસંગ્રહ ‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં
ગીતો'નું પ્રકાશન. બીજા કાવ્યસંગ્રહ 'કાવ્યમંગલા'નું પ્રકાશન
૧૯૩૪ : જ્યોતિ સંઘમાં શિક્ષક. ‘કાવ્યમંગલા' માટે રણજિતરામ સુવર્ણચંદ્ર
વર્ષના અંતભાગમાં દક્ષિણ ભારતની યાત્રા.
૧૯૩૭ : ૩ એપ્રિલ, પુત્રી સુધાનો જન્મ.
૧૯૩૮ : ‘ત્રિશૂળ' ઉપનામથી પ્રસિદ્ધ થયેલી વાર્તાઓનો પ્રથમ સંગ્રહ
હીરાકણી અને બીજી વાતો'નું પ્રકાશન.
૧૯૩૯ : કાવ્યસંગ્રહ ‘રંગ રંગ વાદળિયાં' (બાળકાવ્યો)નું પ્રકાશન. બીજા વાર્તાસંગ્રહ ખોલી
અને નાગરિકા અને ચોથા કાવ્યસંગ્રહ 'વસુધા'નું પ્રકાશન.
૧૯૪૦ : ત્રીજા વાર્તાસંગ્રહ ‘પિયાસી'નું પ્રકાશન. પોંડિચેરીમાં શ્રી અરવિંદ દર્શન.
બોધાયનકૃત ‘ભગવદજજુકીયમ્'નો અનુવાદ પ્રકાશિત.
૧૯૪૧ : ‘દક્ષિણાયન’ પ્રવાસગ્રંથનું પ્રકાશન.
૧૯૪૩ : પોંડિચેરીમાં શ્રીઅરવિંદ દર્શન (બીજી વાર)
૧૯૪૪ : શુદ્રકકૃત ‘મૃચ્છકટિકમ’ના અનુવાદનું પ્રકાર...
૧૯૪૫ : ચોથા વાર્તાસંગ્રહ ‘ઉન્નયન'નું પ્રકાશન. ‘ખોલકી અને નાગરિકામાં
નવી પાંચ વાર્તાઓ સાથે સંવર્ધિત આવૃત્તિ રૂપે પ્રકાશન. બુધસભા,
મિજલસ, પ્રગતિશીલ સાહિત્ય મંડળ, લેખક મિલન જેવી સંસ્થાઓના
સંસ્થાપન – સંચાલનમાં સહાય,
શ્રીઅરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સપરિવાર નિવાસ.
૧૯૪૬ : પ્રથમ વિવેચનગ્રંથ ‘અર્વાચીન કવિતાનું પ્રકાશન.
અર્વાચીન કવિતાને મહીડા પારિતોષિક.
૧૯૪૭ : ૧૫મી ઓગસ્ટથી શરૂ થયેલ સૈમાસિક ‘દક્ષિણા'ના તંત્રી.
૧૯૫૦ : ‘શ્રીઅરવિંદ મહાયોગી’(જીવનચરિત્રોનું પ્રકાશન.
૧૯૫૧ : પાંચમા કાવ્યસંગ્રહ ‘યાત્રા'નું પ્રકાશન.
૧૯૪૮-૧૯૫૨ : આ ગાળાનો નર્મદ સુવર્ણચંદ્રક યાત્રાને.
૧૯૫૪ : ચિદમ્બરમ્ ખાતે પી.ઈ.એન. યોજિત ત્રીજી અખિલ ભારતીય
લેખક પરિષદમાં ભાગ લીધો.
૧૯પ૯ : ગુજરાતી સાહિત્ય પરિષદના અમદાવાદ ખાતેના વીસમા અધિવેશનમાં
સાહિત્ય વિભાગના પ્રમુખ.
૧૯૬૧ : જર્મન નાટ્યકાર, અનસ્ટ ટોલરના ‘ટ્રાન્સફિયુરેશન’ના ‘કાયાપલટ’
નામના અનુવાદનું પ્રકાશન.
૧૯૬૫ : ટોલરના ‘માસિઝ ઍન્ડ મૅન' નાટકના ‘જનતા અને જન' નામના
અનુવાદનું પ્રકાશન. બીજા વિવેચનગ્રંથ ‘અવલોકના'નું પ્રકાશન.
૧૯૬૭ : ‘ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા’માં મુંબઈ યુનિ.માં વ્યાખ્યાનો.
૧૯૬૮ : ‘ચિદંબરા’ લેખસંગ્રહનું પ્રકાશન.
૧૯૬૯ : ‘અવલોકનાન માટે સાહિત્ય અકાદમી – દિલ્હીનું પારિતોષિક.
બીજી સપ્ટેમ્બરે મંગળાબહેનનું અવસાન.
ડિસેમ્બરમાં જૂનાગઢ ખાતે યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના પચીસમા અધિવેશનના પ્રમુખ. ‘તપોવન' ગ્રંથનો અર્પણ-સમારંભ.
૧૯૭૪ : શ્રીઅરવિંદ તત્ત્વજ્ઞાન વ્યાખ્યાનમાળા, વલ્લભવિદ્યાનગર,
ઝામ્બિયા(આફ્રિકા)માં શ્રી અરવિંદ શિબિર.
‘ઐસી હૈ જિન્દગી'(અનુવાદ)નું પ્રકાશન.
૧૯૭૭ : ‘તારિણી’ અને ‘પાવકના પંથે વાર્તાસંગ્રહોનું પ્રકાશન.
વાસંતી પૂર્ણિમા નાટ્યસંગ્રહનું પ્રકાશન.
૧૯૭૮ : ‘સાહિત્ય ચિંતન (સાહિત્યલેખો), ‘સમર્ચના’ (ચારિત્ર્યપ્રધાન લેખો).
સા વિધા' (તત્ત્વચિંતનના લેખો)નું પ્રકાશન.
૧૯૭૯ : દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સૂરતમાં શ્રી અરવિંદ વિશે પાંચ વ્યાખ્યાનો.
૧૯૮૩ : પુરી નગરનું માતર પાસે વાત્રક-તટે ખાતમુહૂર્ત ૧૧-૧૧-૧૯૮૩.
૧૯૮૪ : અમૃત મહોત્સવની ઉજવણી અંબાજી તથા મિયાં-માતરમાં.
૧૯૮૫ : ‘પદ્મભૂષણ' ઍવૉર્ડ એનાયત (૧૬-૩-૧૯૮૫).
૧૯૮૭ : દિલ્હી સાહિત્ય અકાદમીના કાર્યમંડળમાં નિયુક્તિ.
પૅરિસમાં શ્રી અરવિંદ શિબિર
લંડનમાં શ્રી અરવિંદ હાઉસનું નિર્માણ (૨૩-૯-૧૯૮૭).
૧૯૮૯ : લંડનમાં શ્રી અરવિંદ હાઉસમાં શ્રીમાતાજી તથા શ્રી અરવિંદની છબીઓનું અનાવરણ.
સુન્દરમ્‌ની પ્રતિનિધિ વાર્તાઓ (સં. રમણલાલ જોશી)
૧૯૯૦ : ગુજરાત સરકાર તરફથી ‘શ્રી નરસિંહ મહેતા પુરસ્કાર’
(૨૫-૧-૧૯૯૦). ‘વરદા' કાવ્યસંગ્રહનું પ્રકાશન.
૧૯૯૧ : દેહોત્સર્ગ (૧૩-૧-૧૯૯૧). ‘મુદિતા’ કાવ્યસંગ્રહનું પ્રકાશન.
૧૯૯૨ : ‘ઉત્કંઠા’ કાવ્યસંગ્રહનું પ્રકાશન
૧૯૯૩ : ‘અનાગતા’ કાવ્યસંગ્રહનું પ્રકાશન.
૧૯૯૫ : ‘લોકલીલા' (આખ્યાનકાવ્ય), ‘ઈશ’ (કાવ્યસંગ્રહ), સાવિત્રીન,
કાવ્યખંડો'(કાવ્યાનુવાદ), ‘પલ્લવિતા’ (કાવ્યસંગ્રહ) અને
‘મહાનદી (કાવ્યસંગ્રહ)નું પ્રકાશન.
૧૯૯૭ : ‘પ્રભુપદ’, ‘અગમ નિગમ' અને ‘પ્રિયંકા' કાવ્યસંગ્રહોનું તેમ જ નિત્યનો (કાવ્યગ્રંથ)નું પ્રકાશન.
૧૯૯૮ : ‘નયા પૈસા’ તેમ જ ‘વરદા' કાવ્યસંગ્રહોનું પ્રકાશન.
(‘વરદા'ની બીજી આવૃત્તિમાં ‘વરદા', ‘મુદિતા', ‘ઉત્કંઠા અને ‘અનાગતા સમાવિષ્ટ છે.)
૧૯૯૯ : ‘ચક્રદૂત’ કાવ્યસંગ્રહનું પ્રકાશન.
૨૦૦૦ : ‘લોકલીલા’ કાવ્યસંગ્રહનું પ્રકાશન.
૨૦૦૨ : ‘દક્ષિણા-૧’ તથા ‘દક્ષિણા-૨'નું પ્રકાશન.
ચૂંટેલી કવિતા: સુન્દરમ્’ (ચયનકાર ચંદ્રકાન્ત શેઠ)
ચંદ્રકાન્ત શેઠ સંપાદિત ‘સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ'નું પ્રકાશન,
૨૦૦૩ : ‘મનની મર્મર', ‘ધ્રુવયાત્રા’
૨૦૦૪ : સુન્દરમ્-સુધા (સં. સુરેશ દલાલ)