સોરઠી બહારવટિયા ભાગ-1/નિવેદન: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|નિવેદન|<br>ભાગ 1| <center>'''આવૃત્તિ પહેલી'''</center> {{Poem2Open}} પાંચ જ બહારવટિ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|નિવેદન|<br>ભાગ 1|
{{Heading|નિવેદન|<br>ભાગ 1|}}




Line 14: Line 14:
{{Poem2Close}}
{{Poem2Close}}
સૌરાષ્ટ્ર સાહિત્ય મંદિર : 18-11-’27 {{Right|ઝવેરચંદ મેઘાણી|}}
સૌરાષ્ટ્ર સાહિત્ય મંદિર : 18-11-’27 {{Right|ઝવેરચંદ મેઘાણી|}}
<center>[આવૃત્તિ બીજી]</center>
{{Poem2Open}}
‘બહારવટિયા’નાં વૃત્તાંતો પર તરેહ તરેહના તર્કો થઈ રહેલા છે. મને પૂછવામાં આવે છે કે શું લોકોને બહારવટે ચડાવવા છે? પુસ્તકની સચોટ અસર વિશે પણ ભાતભાતનાં કારણો કલ્પાય છે, કોઈ કહે છે કે એના વાચન દ્વારા કતલ અને બદલો લેવાની બાલવાસનાઓ તૃપ્ત થાય છે, તેથી જ યુવકો એના પર આફરીન છે! કોઈ કહે છે કે અંગ્રેજ અધિકારીઓની દુર્દશાનાં જે ચિત્રો આવે છે તે નિહાળવામાં પ્રજાનો અંગ્રેજી રાજ પ્રતિનો સ્વાભાવિક અણગમો સંતોષાય છે તે માટે પ્રજા પ્રેમથી વાંચે છે! વગેરે વગેરે. આવી કોઈ કલ્પનાના ઘોડા છૂટા ન મૂકવા સહુને મારી વિનંતી છે. કેમ કે હજુ તો અઢી-ત્રણ ગણો ઇતિહાસ બાકી છે અને મારો સવિસ્તર પ્રવેશક હજુ પાછળ છે. મારો હેતુ રાજદ્વારી નથી, સાહિત્યકીય છે; હું તો રાજસત્તા જેને કેવળ ‘હરામખોરો’ શબ્દથી પતાવે છે અને બીજી બાજુથી અમુક વર્ગ જેને દેવતુલ્ય બતાવે છે, એવા કાઠિયાવાડી બહારવટિયા વિશેનો વિવેકપૂર્વકનો વિચાર કરવાની સામગ્રી પૂરી પાડી રહ્યો છું. હું તો બહારવટિયાની વીરતા સામે અંગ્રેજોની જવાંમર્દી પણ આલેખી રહ્યો છું. પરંતુ કિનકેઈડ સાહેબ જેવા અનુભવી અને ઇતિહાસ-રસિક ‘સિવિલિયને’ પણ પોતાના અમલદારી દૃષ્ટિબિંદુને વશ બની જઈ ‘આઉટલૉઝ ઑફ કાઠિયાવાડ’ નામના પુસ્તકમાં કાઠિયાવાડી બહારવટિયાનું ઉપરછલ્લું અને પામર ચિત્ર આંક્યું છે, તે તથા તેના જેવાં અન્ય એકપક્ષી ચિત્રોની પ્રામાણિકતા જૂઠી પડવાની પણ હું જરૂર સમજું છું. વળી, મારો આશય માત્ર બહારવટિયાનો જ નહિ, પણ એ પ્રત્યેકની આસપાસ જિવાયેલા લોકજીવનનો ઇતિહાસ પણ અજવાળે આણવાનો છે. વિશેષ તો મારો ભવિષ્યનો પ્રવેશક બોલશે. અને હજુ તો જોગીદાસ, જેસો-વેજો, રામ વાળો, જોધો માણેક વગેરે બહારવટિયા બાકી છે.
પ્રથમાવૃત્તિમાં અધૂરી રહી ગયેલી એક ફરજ બજાવી લઉં. આ વાતોના સંશોધનમાં ભીમા જતના કુટુંબી ભાઈશ્રી રાણા આલા મલેકે મને સારી મદદ કરી છે. એ બહાદુર ભાઈએ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં બહારવટિયાનો પીછો લેનાર બાહોશ અધિકારી તરીકેની ઊંચી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. અત્યારે એ ભાઈ જામનગર રાજ્યના ફોજદાર છે. જૂના કાળની મર્દાનગીનો, પડછંદ દેખાવડી શારીરિક સંપત્તિનો અને નેકીનો એ જોવા જેવો નમૂનો છે. એમનો હું આભારી છું. બીજા મદદગાર તે અકાળા ગામના રહેવાસી શ્રી વાલજી ઠક્કર છે. ઝીણી દૃષ્ટિ અને ઠાવકી વાણીમાં વિવેકભર્યું આબાદ વર્ણન કરવાની એમની શૈલી મને ઘણી ગમી છે. તે ઉપરાંત ભાઈશ્રી ગગુભાઈની હેતભરી અને કીમતી સહાય તો અવારનવાર મળતી જ રહે છે.
{{Poem2Close}}
24-1-’28 {{Right|ઝવેરચંદ મેઘાણી|}}
<center>[આવૃત્તિ છઠ્ઠી]</center>
{{Poem2Open}}
આ પુસ્તકની ચોથી ને પાંચમી આવૃત્તિઓ આંહીં ખાતે મારી ગેરહાજરીમાં (મારા મુંબઈવાસ દરમિયાન) થઈ ગઈ હોવાથી તેમાં જરૂરી સુધારા કરવા પામ્યો નહોતો.
આ વખતે ‘બાવા વાળા’ના વૃત્તાંતમાં ઇતિહાસમાં અજવાળું પાડે તેવાં ત્રણેક ચારણી બિરદ-ગીતો પહેલી જ વાર ઉમેરાય છે. મારા સંશોધનમાં એ હાથ લાગેલાં, પણ નોટબુકમાં જ રહી ગયેલાં.
વાચકોએ આ પુસ્તકની બાર હજાર પ્રતો આજ દિન સુધીમાં ઉઠાવી છે, તે ગુજરાતી વાચકવર્ગ વિસ્તરવા લાગ્યો છે તેની પણ એક એંધાણી છે.
{{Poem2Close}}
રાણપુર : 25-9-’41  {{Right|ઝ. મે.|}}
26,604

edits