સોરઠી બહારવટિયા ભાગ-1/બહારવટાંની મીમાંસા પ્રવેશક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 421: Line 421:
<center>'''સંતાવાનાં સ્થાન'''</center>
<center>'''સંતાવાનાં સ્થાન'''</center>


{{Poem2Open}}
 
આમાંનાં કોઈ બહારવટાં બાર-બાર વરસ સુધી ટક્યાં, તો કોઈનો એક જ વર્ષે અંત આવ્યો. બહારવટાં ટકવાની અનુકૂળતા પૂરી પાડનાર એક તો સૌરાષ્ટ્રની ભૌગોલિક સ્થિતિ છે : ગીરનાં ડુંગરા અને ઝાડી એટલાં વિશાળ તેમ જ વિકટ છે કે ‘ગીર તો માનું પેટ છે’ એવી કહેતી ચાલે છે. પોરબંદર ને જામનગર રાજ્યોમાં બરડો ને આભપરો ડુંગર પણ એવા જ વંકા છે. પાંચાળમાં ઠાંગાની ખીણો તેમ જ માંડવની ભયાનક ખોપો પડી છે. ઊંડી ઊંડી ભાદર, ઓઝત જેવી નદીઓનાં કોતરો પણ બહારવટિયાના અભેદ્ય કિલ્લા જેવાં બની રહેલાં. ઓખામંડળની કાંટ્ય પણ આજથી પચીસ વર્ષ પર ધોળે દિવસે ડરાવે તેવી કારમી હતી. એ બધી જગ્યાઓમાં દીપડા-ઝર, વેજલકોઠો, ભાણગાળો, સાણો ડુંગર, પોલોપાણો, બોરિયો ગાળો વગેરે નિવાસસ્થાનો તો કાવ્યમાં પણ ઊતરી ગયાં છે. જુઓ :
આમાંનાં કોઈ બહારવટાં બાર-બાર વરસ સુધી ટક્યાં, તો કોઈનો એક જ વર્ષે અંત આવ્યો. બહારવટાં ટકવાની અનુકૂળતા પૂરી પાડનાર એક તો સૌરાષ્ટ્રની ભૌગોલિક સ્થિતિ છે : ગીરનાં ડુંગરા અને ઝાડી એટલાં વિશાળ તેમ જ વિકટ છે કે ‘ગીર તો માનું પેટ છે’ એવી કહેતી ચાલે છે. પોરબંદર ને જામનગર રાજ્યોમાં બરડો ને આભપરો ડુંગર પણ એવા જ વંકા છે. પાંચાળમાં ઠાંગાની ખીણો તેમ જ માંડવની ભયાનક ખોપો પડી છે. ઊંડી ઊંડી ભાદર, ઓઝત જેવી નદીઓનાં કોતરો પણ બહારવટિયાના અભેદ્ય કિલ્લા જેવાં બની રહેલાં. ઓખામંડળની કાંટ્ય પણ આજથી પચીસ વર્ષ પર ધોળે દિવસે ડરાવે તેવી કારમી હતી. એ બધી જગ્યાઓમાં દીપડા-ઝર, વેજલકોઠો, ભાણગાળો, સાણો ડુંગર, પોલોપાણો, બોરિયો ગાળો વગેરે નિવાસસ્થાનો તો કાવ્યમાં પણ ઊતરી ગયાં છે. જુઓ :
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 819: Line 819:
સ્પેનનો ‘ગૂચો’ જાતનો લૂંટારો એનું સુરેખ દૃષ્ટાંત પૂરું પાડે છે. ‘પિકચરસ્ક બટ બેનફૂલ કેરીઅર’ : એ શબ્દો એને ભાટે સુયોગ્ય જ છે. પચરંગી, પીડનકારી જીવનને કારણે જ એ માનવ-ધૂમકેતુઓ મૃત્યુની વાટે નીકળી પડે છે. એ લૂંટારાપણું એની પ્રકૃતિ નથી. લૂંટો કરીને એ પોતાનું ઘર ભરતા નહિ. લૂંટ એની લાલસા નહોતી. એ એની પ્રકૃતિ પરના જાડાપાતળા ઢાંકણ નીચે હતું નેકીદાર હૃદય. એને ગમતા સંધ્યાના રંગો. એની વાટને અંતે અંધારી મધરાત આવે છે. ત્યાં પેસવાના એને કોડ હતા.  
સ્પેનનો ‘ગૂચો’ જાતનો લૂંટારો એનું સુરેખ દૃષ્ટાંત પૂરું પાડે છે. ‘પિકચરસ્ક બટ બેનફૂલ કેરીઅર’ : એ શબ્દો એને ભાટે સુયોગ્ય જ છે. પચરંગી, પીડનકારી જીવનને કારણે જ એ માનવ-ધૂમકેતુઓ મૃત્યુની વાટે નીકળી પડે છે. એ લૂંટારાપણું એની પ્રકૃતિ નથી. લૂંટો કરીને એ પોતાનું ઘર ભરતા નહિ. લૂંટ એની લાલસા નહોતી. એ એની પ્રકૃતિ પરના જાડાપાતળા ઢાંકણ નીચે હતું નેકીદાર હૃદય. એને ગમતા સંધ્યાના રંગો. એની વાટને અંતે અંધારી મધરાત આવે છે. ત્યાં પેસવાના એને કોડ હતા.  
{{Poem2Close}}
{{Poem2Close}}
<center>'''માનવહૃદયનો પ્રશ્ન'''</center>
{{Poem2Open}}
‘ચાઈના ઇન રિવોલ્ટ’ (બળવે ચડેલું ચીન) એ પુસ્તકનો બાહોશ લેખક બોલે છે કે “યુરોપી સંસ્કૃતિએ કુદરત પર વિજય મેળવેલ છે; કુદરત મનુષ્યની ઇચ્છાઓને ઉપયોગી થાય તે રીતે તેને કબજે કરી અંકુશમાં લીધી છે, અને તેમાં નિ:સંદેહ ફતેહ મેળવી છે. પરંતુ કુદરતની શક્તિઓ કરતાંયે વધુ ભયાનક તો મનુષ્યની ઊર્મિઓ છે, અને એ ઊર્મિઓનું જ્યાં સુધી ઉચિત નિયમન નહિ થાય, ત્યાં સુધી સંસ્કૃતિ સ્થપાઈ શકશે જ નહિ.” (“Modern European civilization has succeeded in the conquest of nature by subduing and controlling her so that she can be made to serve man’s desires, and this with unquestionable success. But more terrible than the objective forces of nature are the passions of man, and until these passions are properly regulated, there can be no civilization”.)
{{Poem2Close}}
<center>'''કિનકેઇડ ન સમજ્યો'''</center>
{{Poem2Open}}
બહારવટિયાની છણાવટમાં આ બોલ સહેજે સાંભરે છે. આ સૂત્ર આપણે સોરઠની લડાયક જાતિઓને લાગુ પાડવાની જરૂર રખે ચૂકી જઈએ. ભગવાનલાલ સંપતરામ સરખો શાણો અને ચોક્કસ ઇતિહાસકાર પોતાના સાચા અંત:કરણના નિરીક્ષણથી જે વાત સમજી શક્યો હતો તે કિનકેઇડ સાહેબ પરદેશી સત્તાધીશ હોવાને કારણે પૂરેપૂરી ન સમજી શક્યો. કિનકેઇડે વાઘેરો વિષે પોતાના ‘ધિ આઉટલૉઝ ઑફ કાઠિયાવાડ’માં લખ્યું કે૰—
Hindustani sepoys in the guise of mendicants penetrated every part of the province with strange tales of the massacre of the white garrison and of the lurid sunset of the British Empire. By none were these tales more greedily listened to, than by Jodha Manik of Okhamandal.
<center>* * *</center>
Unmolested there he again took heart, and on the early morning of the 8th October, 1860, performed the great feat of his life — the sack of Kodinar * * * and the rest of the day was spent by the Waghirs in the agreeable task of looting the Bania’s shops and houses. But Jodha Manik was no miser and when the Banias were fleeced to the bone, he spent the loot in feasting the neighbouring Brahmins, whose acknowledgment of his Kshatri descent he wished to obtain, and the low-castes whose support he desired.”
But Shortly after this exploit, and possibly as a result of his excesses on that occasion, he died of fever in the Gir.
બસ; “બાવાવેશધારી હિન્દુસ્તાની સિપાઈઓએ ’57ના બળવામાં ગોરાની કતલની ને બ્રિટિશ રાજના અસ્તની વાતો કરી. જોધો એ ગળી ગયો. કોડીનાર ભાંગ્યું. વાણિયાને નિચોવ્યા. ‘ક્ષત્રિ’નું પદ મેળવવા બ્રાહ્મણોને દાન કર્યું. બહુ ખાધું. મરી ગયો.” ફક્ત આટલા જ કટાક્ષયુક્ત શબ્દો વડે એ ઇતિહાસકારે આખી જીવનકથા પતાવી. અને મૂળુ માટે પણ આટલું જ લખ્યું :
“Mulu had escaped with a few followers, but he did not long survive his brother. He was surprised and shot the following day by the Porbander police.”
{{Poem2Close}}
<center>'''ત્રાજવાં સમતોલ નથી'''</center>
{{Poem2Open}}
આથી વિશેષ આ પરદેશીને ન દેખાયું. વાઘેરોના પૂર્વ-ઇતિહાસમાં અથવા વર્તમાન પ્રકૃતિમાં ઊતરવાનું એને મન થયું નથી. વાઘેરાને એ ‘રિબેલ્સ’ કહીને સંતોષ પામે છે. કોડીનારની લૂંટ માટે એ બે પાનાં રોકે છે. પણ શંખોદ્ધાર બેટ વાઘેરોના હાથમાંથી પડાવી અંગ્રેજ લશ્કરે સોનાના માયાવી લાટા કાઢવા મંદિરોની દીવાલો પર કેવા ગોળા ચલાવ્યા અને ટૉમીઓને દારૂ પિવાડી કેવાં ગામ લૂંટવા ત્રણ કલાકની કાયદેસર મંજૂરી આપી, ઓખામંડળ પર બલોચ લશ્કરના અત્યાચાર કેટલી હદ સુધી ચાલ્યા, મૂળુને કેવો ફસાવીને કેદ કર્યો, આભપરાના ડુંગર પર તોપોથી પણ શત્રુઓ મહાત ન થયા એટલે પાણી પીવાના તળાવમાં ઝેરી ગૅસના ગોળા ઝીંક્યા : વાલાની ટોળીને ગોર્ડન સાહેબે લાડવાની અંદર કેફી પદાર્થ ખવરાવીને મારી : એ બધી વાતો વિશે કિનકેઇડ એક ઇશારો પણ નથી કરતો.
{{Poem2Close}}
<center>'''જસ્ટીસ બીમનની વિવેકદૃષ્ટિ'''</center>
{{Poem2Open}}
એ જ કિનકેઇડના પૂર્વગામી ન્યાયમૂર્તિ સ્વ. બીમને શું લખ્યું? સૌરાષ્ટ્રના વરિષ્ઠ ન્યાયાધિકારીને પદેથી ઊતરી મુંબઈના વડા જડજ તરીકે વિખ્યાત થયેલા એ વૃદ્ધ અંગ્રેજ સૌરાષ્ટ્રના પરિચયનાં જૂનાં સ્મરણોના એક લેખ ‘રિકલેક્શન ઑફ ઑલ્ડ ડેઝ ઇન કાઠિયાવાડ’ (‘સાંજ વર્તમાન’ વાર્ષિક : 1910)માં છેલ્લી લખેલી પંક્તિઓ એક દિલસોજ, દીર્ઘદર્શી અને પ્રેમશૌર્ય પિછાનનારા આત્માની ફોરમ પ્રકટાવે છે :
આ જૂના બહારવટિયાની અંદર ઘણું ઘણું સુંદર ને સાચું પ્રેમશૌર્ય ભર્યું હતું. લગભગ એક પણ અપવાદ વિના એ બધા જુલમથી છેડાઈને જ બહારવટે નીકળનારા બહાદુરો હતા. અને તેઓના પ્રારંભિક દિવસોમાં તો ભાગ્યે જ તેઓમાંનો એક પણ બહારવટિયો સ્ત્રીઓને, બાળકોને, વૃદ્ધોને કે અશક્તોને જાણીબૂજીને પીડવાનો દોષિત બન્યો હશે. કદાચ જુમા ગંડ સિવાયનો તો એકેએક સાચો અસલી બહારવટિયો મેં કાઠિયાવાડ છોડ્યું તે પૂર્વે જ કાં તરવારથી, કાં ફાંસીથી અથવા તો કાળા પાણીની સજા વડે સાફ થઈ ચૂક્યો હતો. આમાંના અનેકની સાહસિક કારકિર્દીના આખરી તબક્કા સાથે મારે સારી પેઠે નિસ્બત હતી; અને જોકે મારે હમેશાં કાયદેસર તો કરવું જ પડતું, તે છતાં મને આ ગેરમાર્ગે ઊતરી ગયેલા ને બૂરો વર્તાવ પામેલા મરણિયા મર્દોને માટે સાચું માન થયા વિના રહેતું નહિ. મૉતને ભેટવાનું નોતરું સાંભળીને માત્ર એક બહારવટિયો થરથર્યો હતો : એ હતો રાયદે ચારણ. ખેર! આખા કાઠિયાવાડ ઉપર ત્રીસ વર્ષ પર આ બધી ઘટનાઓ રોજેરોજ બલકે કલાકે કલાકે બન્યા કરતી એ વાત અત્યારે લગભગ ન મનાય તેવી લાગે છે — નહિ? ત્યાંનું જીવન એ દિવસોમાં રસભરપૂર હતું — માત્ર બહારવટાનાં આવાં ખાસ લક્ષણો થકી જ નહિ, પણ બીજા સેંકડો રંગબેરંગી અનુભવો વડે, કે જે અનુભવો આજે છે તે કરતા વધુ સાચા લાગતા, અનેકવિધ રોમાંચક રંગભભકથી ધબકતા લાગતા. (There was a great deal of fine true chivalry in the old outlaws. They were almost without exception brave men driven into outlawry by oppression, and few of them, at least in early daya, were guilty of wanton cruelty to women and children, or the old and feeble. I believe I am right in saying that every one of the genuine old Kathiawar outlaws (with perhaps the exception of Juma Gande) was wiped out, either by sword or the gallows or transportation, before I left Kathiawar. I had much to do with the last scene in many of these adventurous careers and as a rule while I had to enforce the law I could feel a genuine respect for these misguided hardly treated desperate men, Only one ever shrivelled when called upon to face the music: Raide Charan. Well, it sounds almost incredible now, doesn’t it, that such should have been the almost hourly, daily happenings all over Kathiawar thirty years ago. Life there, in those teemed with interest not only in this special feature of outlawry but in a hundred other picturesque touches and exeperiences, which I could relate and, while rougher, seemed much more real and throbbing with variety of excitement and colour, than it commonly is today.
{{Poem2Close}}
<center>'''શ્રી ભગવાનલાલ સંપતરામની નજરે'''<center>
{{Poem2Open}}
હવે રાવસાહેબ ભગવાનલાલનું માનવતાભર્યું કથન લઈએ :
બેશક તેઓ થોડા છતાં મોટી ફોજ સામા આવી બાથ ભીડતા ને શાબાશી પડકારાથી સારા લડવૈયાનાં હાંજા નરમ કરી નાખતા હતા તેનું કારણ એ જ હતું કે તેઓ મરણિયા થયા હતાં. મરવું-મારવું એ જ નિશ્ચય કર્યો હતો. આમાંથી જીવતા રહી ઘેરે બેસશું એવી તેમને આશા જ નહોતી. તેઓ ઉપર ગાયકવાડે જુલમ કર્યો હતો અને તે જ કારણથી તેઓને પોતાનાં ઘરબાર અને બાપુકા વતન મૂકી ભાગવું પડેલું. તેઓનાં સારા સારા લોકો કપાઈ ગયા હતા. ભૂખતરસ ને ટાઢતડકા વેઠી તેઓનાં મગજ ફરી ગયાં હતાં. અને તાલુકદારોની તથા સરકારી ફોજ તેઓને એક જગે નિરાંતે બેસવા દેતી નહોતી. તેથી વેર લેવું ને મરવું એ વિચારે તેઓનાં મગજમાં મજબૂત ઘર કર્યું હતુ. વાઘેરો વિષે દેશના લોકોને પણ ઘણું તપતું હતું, તેઓ જાણતા હતા કે બિચારા ઉપર ગાયકવાડે જુલમ કર્યો છે. હવે મૂળુ એકલો રહ્યો. તે આ વખતથી નિરાશ થઈ ગયો. ઘણી ભૂખ, તરસ, થાક, ઉજાગરા, માણસો મૂઆનો અફસોસ, ભાઈ જેવા ભાઈનું મૉત, તે પણ વિયોગમાં થયું : તેથી શું એના મનને થોડું લાગતું હશે? કહે છે કે કેટલીક વાર તો મૂળુ લાંઘણો ખેંચતો હતો અને કેટલીક વાર તેને સાત-સાત દહાડા સુધી અનાજ મળ્યું નહોતું. બિચારો તે પણ ઘણા દહાડા આ રીતે રખડી છેવટ ઓચિંતો પોરબંદરની ગીસ્તને હાથે મરાયો. આહાહા! આ વખત તેના મનને શું થતું નહિ હોય? તેને આ વખતે શું જોધાભાઈની શિખામણો યાદ નહિ આવતી હોય? દ્વારકાની લડાઈ વખત જે દોઢ હજાર માણસનું ઉપરીપણું ભોગવતો હતો તે હવે ફક્ત અંગત પાંચ-સાત માણસથી રહ્યો. એટલું સારું કે તેની આ દુઃખદાયક જિંદગીનો થોડા વખતમાં જ અંત આવ્યો. બેશક એ હરામખોરનો ધંધો લઈ ફરતો. એટલે સામાન્ય રીતે જોતાં આવા મૃત્યુથી આપણે ખુશી માનવી જોઈએ, તોપણ તેને એમ કરવા ગાયકવાડ સરકારે જુલમથી ફરજ પાડેલી. જમાનાની રીત સમજવા તેનામાં પહોંચ નહિ, એટલે એ કેટલીક બદસલાહને તાબે થયેલો તોપણ તેના મહાન વિચાર, તેનું શૂરવીરપણું, ઉદારતા, અને તેના આવા પ્રકારના મરણથી તેના કુટુંબ પર ગુજરેલી અપદશા દેખી કઠણ દિલના માણસને પણ દયા આવ્યા વિના રહે જ નહિ. ખરે, દેવાનાં કામ તો ક્રૂર ને તિરસ્કારપાત્ર હતાં, પણ મૂળુનાં કામો એવાં ન હતાં કે તેને આપણે હલકી પંક્તિના બહારવટિયાની જોડે સરખાવીએ. મને બીજા કોઈ ઢેડ અને પીડાકારક વાઘેર મૂઆ તેનું કાંઈ તપતું નથી, પણ એક ઉચ્ચ, ખાનદાન આખી ટોળી માટે જ તપે છે. અરે! તે સર્વનો ઘાણ નીકળી ગયો. તેઓ સાવ અણસમજુ ન હતા, પણ તેઓને સોબતે ભૂલવ્યા, હલકા વાઘેરોએ તેઓનાં માથાં ફેરવી નાખ્યાં. અને વળી તેમાં ગાયકવાડી જુલમે વધારે અસર કરી. સિપાઈ તો ખરા જ. મરવાં-મારવાં તે તો હિસાબમાં નહિ. વાણિયા ન હતા કે ભાઈબાપ કહી, કીધેલાં અપમાન માફ કરે. વૈર લેવાના જોસમાં દૂરંદેશે ભૂંડું થશે તે સૂઝ્યું જ નહિ. જોધાના વિચાર તો આખરની ઘડી સુધી સારા હતા, પણ બીજાઓએ તેને પરાણે ફસાવ્યો. આ લોકો (વાઘેરો) ઘણા હિંમતવાન ને બહાદુર છે, અને ગમે તેવી આફત પડે તોપણ ડરે તેવા નથી. આ લોકો ટાઢતડકો, ભૂખ સહન કરી શકે છે. આ લોકો વળાવા તરીકે ઠીક ઉપયોગમાં આવે છે. કોઈ હરામખોર ગાડું લૂંટવા આવે તો જ્યાં સુધી પોતામાં જીવ હોય ત્યાં સુધી સામા થઈ બચાવ કરે છે. તેમ નહિ કરે તો પોતાની જાતમાં હીણપ દેખાય એવી તેમની સમજ છે. વળી આ લોકોનાં ગાડા તેમના માનની ખાતર બીજા કોઈ લૂંટતા નથી. અને કદાચ લૂંટે તો પોતાના જીવના જોખમે તેઓ બચાવ કરવા તૈયાર રહે છે.
{{Poem2Close}}
<center>'''રાજસત્તાનો દોષ'''</center>
{{Poem2Open}}
આ તો ઠર્યું ઐતિહાસિક સત્ય : રા. સા. ભગવાનલાલ સરકારી આદમી તરીકેનાં માનસિક દબાણો નીચે રહ્યા રહ્યા પણ આટલું સત્ય ઉચ્ચારી રહ્યા છે. જોધો ને મૂળુ આવા ખાનદાન વીરનરો હતા તો રાજસત્તાએ શા માટે એમના પૂર્વજોનું રાજ્ય પાછું ન સોંપ્યું? શા માટે તેઓના ઉપર ગોળા છોડવાને બદલે, અથવા આકરી તવાઈઓ મોકલવાને બદલે રાજકુલ તરીકે એમની સાથે વ્યવહાર ન આચર્યો? શા માટે જોધા-મૂળુને ઓખાના અને જોગા ખુમાણને કુંડલાની ચોરાશીના સૂબા ન નીમ્યા? જોગીદાસ આટલો નેકીદાર હોવા છતાં વજેસંગની વજીરાત એને કાં ન સોંપાઈ? ભાવનગર રાજ્યનો ઇતિહાસ આજે એના મૃત્યુ પછી એકસો વર્ષે પણ એને ગૌરવવંતું આસન આપે છે? વજેસંગજી ગોહિલ અથવા ખંડેરાવ ગાયકવાડ અકબરશાહ ન બની શક્યા. નહિ તો જોગીદાસ અને જોધા-મૂળુ જેવી માનવશક્તિઓ સોરઠ દેશમાં કાંઈ જુદી જ તવારીખ જન્માવત. એ તો ખેર, પણ એકપક્ષી ઇતિહાસે આવા નરશાર્દૂલોની જીવનકથાને પણ મારી મચરડી દૂષિત બનાવી દીધી છે. અને જનતા પણ આજે એવા ઇતિહાસની આપેલી વક્ર દૃષ્ટિ વાપરીને આવા વીરોને વગોવે છે.
{{Poem2Close}}
<center>'''મિયાણાની સમસ્યા'''</center>
{{Poem2Open}}
ઇતિહાસની દૃષ્ટિ કેટલી નિર્મળ ને વેધક હોવી જોઈએ! એ ઉપરછલ્લું જોઈને કેમ ચુકાદો આપી શકે? દાખલા તરીકે મિયાણા જેવી ચોર, તોફાની ને લબાડ તરીકે નામચીન કરવામાં આવેલી જાતિને તપાસીએ : એ લોકોને પોતાનાં આજ સુધીનાં પાપાચરણોના બચાવમાં ઘણું સપ્રમાણ રુદન સંભળાવવાનું છે. એ લોકોની બહાદુરી, નેકી અને ભોળપનો કેવો કેવો કુટિલ ઉપયોગ કઈ કઈ રાજસત્તાઓએ કર્યો છે, ગુનેગાર ગણાયાથી તેઓને કેટલી હલકાઈ પોતાની પ્રકૃતિમાં ધારણ કરવી પડી છે તે તો દૂર મૂકીએ, એના બોલ પર કદાચ વિશ્વાસ ન ધરીએ, પરંતુ વૉટસન જેવો વિરોધી અંગ્રેજ પોતાના ‘ગેઝેટીઅર’માં લખી ગયો છે તેની અવગણના કેવી રીતે કરીએ? એ લખે છે કે ‘તેઓ શૂરી, નીડર, પરોણાની ખાતરી કરનારી ને ઇમાની જાત છે, પણ વશ રહે તેવી નથી’. અનુભવીઓના અનુભવ બોલે છે કે તેઓ વિશ્વાસઘાત નથી કરતા, ઇમાની છે. અને આજ સરકારી-દરબારી સખત જાપતામાંથી થોડો વખત પણ બહાર નીકળી શકનાર મિયાણો કારખાનામાં પોતાની ઉદ્યમી પ્રકૃતિ અને કુશળતાનો ઠીક ઠીક પરિચય કરાવે છે. પણ એ કહે છે કે ‘ગુનેગાર કોમ’ તરીકેના કાનૂનોની ભીંસમાં પડવાથી એનું ખમીર નીચોવાઈ રહ્યું છે. ઘરઆંગણે ધરતી નિ:સત્ત્વ બની અનાજ આપવાની ના કહે છે, ને બહાર જવાની મના રાજસત્તા કરી રહી છે. એવી સંકડામણમાંથી જ ઘણાને ચોરીધાડનું શરણ લેવાની ફરજ પડે છે, વગેરે વગેરે.
આ કોમનાં ઊંડાં તત્ત્વો ઉકેલવા માટે કોઈ ઇતિહાસકાર, જાહેર સેવક કે સમાજશાસ્ત્રી ઊતર્યો નથી. રાજસત્તાની પાસે તો તાત્કાલિક જાહેર શાંતિને કાજે ‘દમન’ એ જ તરણોપાય હતો. અને એ ‘દમન’ એટલે શું? ‘કૉલ એ મેન થીફ ઍન્ડ હી વીલ સ્ટીલ’ — માતાના ઉદરમાંથી જ મિયાણો ચોર ઠરી ચૂક્યો. એનું બાળક જન્મે કે તરત જ કાયદો એને શકદાર ઠરાવી પરવાના-પત્રક પર ચડાવે છે, એટલે એ પણ પોતાને ચોર જ સરજાયેલ માનતું થાય છે.
પરંતુ વાઘેરો, મેરો કે મિયાણાઓને મન ચોરીલૂંટ અંતરાત્માનો અંશ નહોતો, ધર્મ નહોતો, ઈશ્વરદત્ત વ્યવસાય નહોતો; પણ સ્વાર્થી મનુષ્યોએ પડાવેલી ટેવ હતી. ‘મારતા મિયાંની તરવાર’વાળા યુગનો એ ચેપ હતો.
શિવાજીએ જેની સહાય થકી સામ્રાજ્યનું સ્વપ્ન ઉતાર્યું તે માવળાઓ કોણ હતા? એ કેવા હતા?
પ્રતાપ અને વનરાજે અરવલ્લી અને અણહિલપુરની અટવીઓમાંથી જેઓને એકઠા કરી ખોયેલાં રાજ પાછાં મેળવ્યાં, તે ધનુર્ધારી ભીલો કોણ હતા? કેવા હતા?
યુગનાં આંદોલનો અડકશે તો એ વાઘેર, મેર ને મિયાણાની ખાનદાની પણ મહેકી ઊઠશે. ઝેરી વાયરા જંપી ગયા છે. પ્રજાત્વના વાયુસંચાર ચાલ્યા છે. એના સ્પર્શે આ પતિત મનાયેલી જાતિઓમાંથી કદાચ સિપાહીગીરીની ને પ્રેમશૌર્યની ફોરમો છૂટશે.
પરંતુ એ પ્રેમશૌર્ય પ્રકટાવવા માટે સતત આકરા પ્રયત્નો જોઈશે.
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = નિવેદન
|next = પ્રકાશન-ઇતિહાસ
}}
<br>
26,604

edits