સોરઠી બહારવટિયા ભાગ-1/બહારવટાંની મીમાંસા પ્રવેશક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(26 intermediate revisions by the same user not shown)
Line 237: Line 237:
::::: I will thee hang with my hand.
::::: I will thee hang with my hand.
</poem>
</poem>
{{Poem2Open}}
'''[તું ફાટતું બોલે છે, પણ જોજે, હું મારે હાથે જ તને લટકાવીશ.]'''
આ વાત સાંભળતા બે ભેરુબંધ ઊભા હતા, તેઓએ મસલત કરી :
{{Poem2Close}}
<poem>
::Then spake good Adam Bell,
::::: To Clym of the Clough so free :
::Brother, so you mark the Justice well
::::: Lo, yonder you may him see.
</poem>
{{Poem2Open}}
'''[બેમાંથી વીર ઍડમ બેલે બહાદુર ક્લીમને કહ્યું : ‘ભાઈ, પેલા ન્યાયાધીશને જોયો? તું એને આંટજે હો કે? હું આંટું છું શેરીફને.’]'''
{{Poem2Close}}
<poem>
::And at the Sheriff shoot I will
::::: Strongly with an arrow keen;
::A better shot in merry Carlisle
::::: This seven year was not seen.
</poem>
{{Poem2Open}}
'''[બેઉ તીરંદાજોએ નિશાન તાક્યાં, તીર છોડ્યાં. બેઉ અમલદારોને વીંધી નાખ્યા. આખા કાર્લાઈલ શહેરમાં છેલ્લા સાત વર્ષમાં આ તીરંદાજોને ટપે તેવો કોઈ દેખાયો નહોતો.]'''
અમલદારો પડ્યા કે લોકો નાઠા. ત્યાં તો વિલિયમ ફરસી લઈને ઠેક્યો. એક અમલદારને ઢાળી દીધો. ત્રણેય ભેરુઓએ રણથળ મચાવ્યું :
{{Poem2Close}}
<poem>
::They fought to-gether as brethren true
::::: Like hardy men and bold,
::Many a man to the ground they threw,
::::: and many a heart made cold.
</poem>
{{Poem2Open}}
'''[સગા ભાઈઓ સરખા એ ત્રણેય જણા અડીખમ બહાદુરોની માફક ધીંગાણે ઘૂમ્યા. ઘણાઓને તેઓએ ધરતી પર ઢાળી દીધા અને કેટલાયનાં કલેજાં થિજાવી દીધાં. એવે ટાણે ગામનો મેયર (નગરશેઠ) આવ્યો. સાથે મોટી ફોજ લાવ્યો. બહારવટિયા ભારી લડ્યા, પછી જંગલમાં નાસી ગયા.]'''
{{Poem2Close}}
<poem>
::Thus be these good yeomen to the wood
::::: As lightly as leaf on bynde (tree);
::They laugh and be meery in their mood,
::::: Their enemies were far behind.
</poem>
{{Poem2Open}}
'''[આ રીતે આ ભલા તીરંદાજો ઝાડનાં પાંદડાં ઊડી જાય તેવાં તરવરિયાં હળવાં પગલાં ભરતાં જંગલમાં ચાલ્યા ગયા, હસવા અને મોજ ઉડાડવા લાગ્યા. એમના દુશ્મનો તો ક્યાંયે પાછળ રહી ગયા.]'''
{{Poem2Close}}
<poem>
::They set them down and made cheer
::::: And ate and drank full well.
</poem>
{{Poem2Open}}
'''[બેઠક જમાવીને લહેરમાં ચડ્યા. પેટ ભરીને ખાધુંપીધું. ત્યાં તો વિલિયમ રસ્તા પર ઍલિસને આવતી દેખી બોલી ઊઠ્યો.]'''
{{Poem2Close}}
<poem>
::Have here the best Alice, my wife!
::::: Said William of Cloudesless,
::Because you so boldly stood by me
::::: When I was slain full nigh.
</poem>
{{Poem2Open}}
'''[ઓ મારી વહાલી ઍલિસ! આ લે, આ મીઠામાં મીઠી મદિરાની પ્યાલી પી! કેમ કે હું જે વેળા લગભગ કપાઈ જતો હતો તે વેળા તું બહાદુરીથી પડખે ઊભી રહી હતી.]'''
{{Poem2Close}}
<poem>
::Then went they to supper,
::::: With such meat as they had,
::And thanked God their fortune,
::::: They were both merry and glad.
</poem>
{{Poem2Open}}
'''[પછી તો બધાં વાળુ કરવા બેઠાં. જે કાંઈ માંસ મળેલું હતું તે જમ્યાં. પોતાના સુભાગ્ય બદલ પ્રભુનો અહેસાન ગાયો અને લહેર કરવા લાગ્યા.]'''
રાજીખુશીથી તેઓ રાજાજીના દરબારમાં હાજર થવા લંડન ગયા.
{{Poem2Close}}
<poem>
::They proceed prestly into the hall,
::::: Of no man they dread,
::The porter came after and did them call,
::::: And with them began to chide.
</poem>
{{Poem2Open}}
'''[સડેડાટ તેઓ મહેલમાં ચડી ગયા. એમને કોઈનો ભય નહોતો. દરવાન બૂમો પાડીને વઢવા લાગ્યો.]'''
રાજાજીની પાસે ખડા થઈ તેઓએ હથિયાર છોડ્યાં; પગે પડી માફી માગી; રાજાને ઓળખાણ આપી.
રાજાજી રોષે ભરાયા. ત્રણેયને કેદ કર્યા. ફાંસીની સજા ફરમાવી. એ વાતની રાણીને જાણ થઈ. રાણીનું હૈયું બહારવટિયાની વીરતા પર ઢળી પડ્યું હતું. એણે રાજાજી પાસે જઈને વીનવ્યું :
{{Poem2Close}}
<poem>
::Then good my lord I you beseech :
::::: These yeomen grant ye me.
</poem>
{{Poem2Open}}
'''[ઓ મારા ભલા ખાવંદ! તમારી પાસે પાલવ પાથરીને માગું છું કે આ તીરંદાજો મને સુપરત કરી દો!]'''
રાજાએ ઉત્તર દીધો :
{{Poem2Close}}
<poem>
::Ye might have asked towers and towns
::::: Parks and forests plenty.
</poem>
{{Poem2Open}}
'''[ઓ રાણીજી! એથી તો તમારે કોટકાંગરા ને નગરો માગવા હતાં; મન માને તેટલા બાગબગીચા માગવા હતા.]'''
રાણી બોલ્યા :
{{Poem2Close}}
<poem>
::None so pleasant to my pay, she said,
::::: Nor none so lefe (dear) to me.
</poem>
{{Poem2Open}}
'''[હે ખાવિંદ! એમાનું કશુંયે મને આટલું મનગમતું નથી.]'''
પછી તો રાજાજીને બહારવટિયાની કારકિર્દીનો બધો અહેવાલ મળે છે. રાજા બહારવટિયા પાસે જાય છે, કહે છે કે ‘તમારી તીરંદાજીનું પારખું કરવું છે. તૈયાર થાઓ’.
રાજાએ મેદની ભરી. એની વચ્ચે બહારવટિયાને બોલાવ્યા ને પછી વિલિયમના વહાલા દીકરાને મેદાનમાં બેસારી તેના માથા પર રાજાએ જમરૂખ મુકાવ્યું. મુકાવીને કહ્યું કે ‘સાચો તીરંદાજ હો તો આ તારા દીકરાના માથા પરથી જમરૂખ ઉડાવી દે’.
‘ઉડાવી દઉં, નામદાર!’ કહીને વિલિયમ ઊભો થયો.
{{Poem2Close}}
<poem>
::And when he made him ready to shoot
::::: There was many a weeping eye.
</poem>
{{Poem2Open}}
'''[જ્યારે એણે તીર છોડવા પણછ તાણી, ત્યારે ઘણી ઘણી આંખો રડતી હતી.]'''
બહાદુર વિલિયમે તીર છોડ્યું. પહેલે જ ઘાએ જમરૂખ ઉડાવી દીધું. દીકરાને જરીકે ઈજા ન થઈ. રાજાજી આફરીન બન્યા. બહારવટિયાઓને સારી નોકરી આપી…
{{Poem2Close}}
<poem>
::Thus endeth the life these good yeomen,
::::: God send them eternal bliss,
::And all that with a hand-bow shooteth,
::::: That of heaven may never miss.
</poem>
{{Poem2Open}}
[આ રીતે આ ભલા તીરંદાજોના આયુષ્યનો સુખી અંત આવ્યો. ઈશ્વર તેઓને અખંડ શાંતિ આપજો! એમની તીરંદાજી સ્વર્ગનું પણ નિશાન અચૂકપણે આંટજો!]
પછી આપણે સ્કૉટકૃત ‘રૉબરોય’ નામની સ્કૉટિશ નવલમાં રૉબરોય નામના ઇતિહાસમાન્ય બહારવટિયાનો પરિચય પામીએ છીએ. એ લૂંટારાનો આખો વંશ, અન્ય એક શત્રુ-કુળ સાથેના ધીંગાણામાં, એક નિર્દોષ પાદરી-સંઘની કતલ કરીને ગુનેગાર ઠર્યો ને પછી બહારવટે નીકળ્યો. તેના વેરની, ઘાતકીપણાની, લુચ્ચાઈની, જોરાવરીની અને દિલાવરીની ઘટનાઓ એ નવલમાં ગૂંથી લેવાઈ છે.
<center>'''સ્વ. શ્રદ્ધાનંદજીનો વીરમૂર્તિ સંગ્રામસિંહ'''</center>
દેશી રાજસ્થાનો અને પહાડી પ્રદેશો હોય ત્યાં જ બહુધા બહારવટે ચડવાના સંજોગો હોય છે. તેમ છતાં આપણે સત્યવીર શ્રદ્ધાનંદની આત્મકથામાં બાળક મુનશીરામે આપેલું, સંગ્રામસિંહ નામના એક બહાદુર બહારવટિયાની સરકાર સામેની લડતનું નીચે મુજબનું રોમાંચક વર્ણન વાંચીએ છીએ :
કાશીથી મારા પિતાની બદલી બાંદા થતાં મારા બાલહૃદય ઉપર બે બીનાઓએ અજબ પ્રવાહ છાંટી દીધો. એક તો બહારવટિયા સંગ્રામસિંહનું દર્શન. બનારસ જિલ્લાના એક ગામડામાં સંગ્રામસિંહ ખેતી કરી પેટગુજારો ચલાવતો હતો. એક દિવસ એ ઘેર નહોતો તે વખતે પોલીસે આવીને એના ઘરની જડતી લીધી અને એની પત્નીનું શિયળ લોપવાની કોશિશ કરી. ઘેર આવતાં રજપૂતને આ વાતની જાણ થઈ અને એ પોલિસના મોટા અધિકારીની પાસે રાવે દોડ્યો, ત્યાં એની સાથે પણ પોલીસે પિચાશી આચરણ બતાવ્યું. સંગ્રામસિંહનુ રજપૂત રક્ત ઊકળી ઉઠ્યું. ઘરમાં છુપાઈને પડેલી કાટેલી જૂની તરવાર ઉઠાવી. પહેલા પ્રથમ પોતાની નિરપરાધી અર્ધાંગિનીને સદાને માટે બદનામીમાંથી બચાવવા સારુ ઠાર કરી; ને પછી પોતે પહાડી જંગલમાં નીકળી ગયો. સાથે હાથીસિંહ નામનો એક રજપૂત જઈ ભળ્યો. હાથીસિંહની બંદૂકનું નિશાન કદી ખાલી જતું નહોતું. વીસ-પચીસ બીજા સિપાઈઓ ભેગા કરી લીધા. એ રીતે સંગ્રામસિંહ એક નાનીસરખી સેનાનો સરદાર બની ગયો.
જોતજોતામાં તો અંગ્રેજી ઇતિહાસમાં અને નવલકથાઓમાં દેશભક્ત બહારવટિયાઓની જેવી વાતો આવે છે, તેવી વાતો સંગ્રામસિંહને નામે પણ લોકોમાં પ્રસરવા લાગી. સંગ્રામસિંહ તો અમીરોને લૂંટી લઈ ગરીબોને આપે છે : વનવગડામાં વારાંગનાઓને બોલાવી નાચગાનથી જંગલમાં મંગલ કરે છે : દાયરા ભરે છે : એવાં એનાં યશોગાન ગવાવા લાગ્યાં. જિલ્લાજિલ્લામાં એનાં રમખાણ બોલવા લાગ્યાં.
દોઢસો હથિયારબંધ સિપાહીઓને લઈ ગોરા પોલીસ-ઉપરીએ સંગ્રામસિંહના રહેઠાણને ઘેરી લીધું. સાહેબ પોતે બે અર્દલીઓને સાથે રાખી ધીમે પગલે આગળ વધ્યા જાય છે. ઘોર અંધારું છે. એકાએક બે આદમી આવી ચઢ્યા. છલંગ મારીને બે અર્દલીઓને બાથમાં ઝકડી લીધા. ત્રીજો નીકળ્યો તેણે સાહેબબહાદુરને ઘોડા ઉપરથી નીચે પટકી, છાતી પર ચડી બેસી તમંચો બતાવ્યો. પછી બોલ્યો કે ‘આટલી વાર છે, નહિ તો કાઢો પૈસા’.
સાહેબે પોતાનું સોનાનું ઘડિયાળ, અછોડો, નોટ રૂપિયા વગેરે બધો માલ બહારવટિયાને સુપરત કર્યો. બહારવટિયો ઊભો થયો. સાહેબને સલામ કરી અને કહ્યું : ‘સંગ્રામસિંહને પકડવા માટે આવી ગફલતથી હવે પછી ન આવજો, સાહેબબહાદુર!’
ઊઠીને ગોરા સાહેબે તો ઘોડાને એવો દોડાવી મૂક્યો કે વહેલો આવે પોતાનો બંગલો!
<center>'''ચંદ્રગ્રહણનું ગંગાસ્નાન'''</center>
પછી તો કાશીનગરી ઉપર બહારવટિયાના હુમલા થવા લાગ્યા. એમાં આલમસિંહ નામના રજપૂત કોટવાળે બડાઈ મારી કે ‘અરે ભાર શા છે સંગ્રામસિંહના! એક મહિનામાં તો એ બેટાને પકડીને માજિસ્ટ્રેટ પાસે હાજર કરીશ’. ચારપાંચ દિવસે આલમસિંહ પર જાસાચિઠી આવી પહોંચી. એમાં લખ્યું હતું કે ‘હવે અમારા ધામા કાશીનગરીમાં જ નખાઈ ગયા છે. અને ચંદ્રગ્રહણનું સ્નાન કરવા માટે પણ હું આવવાનો છું. જો ક્ષત્રીના પેટનો હો તો આવી જજે’.
ચંદ્રગ્રહણની રાત આવી પહોંચી. પહાડમાંથી પોતાની માતાને ગંગામૈયામાં સ્નાન કરાવવા માટે બે સાથીઓને લઈ સંગ્રામસિંહે મણિકર્ણિકા ઘાટનો માર્ગ લીધો. માતાને નવરાવી, બન્ને સાથીઓની સાથે રવાના કરાવી, સંગ્રામસિંહ એકલો ચાલ્યો. ક્યાં ચાલ્યો? એના ઓડા બાંધીને જ્યાં આલમસિંહ ફોજ સાથે વાટ જોતો હતો ત્યાં! ચોકીપહેરા ફોકટ ગયા. કોઈ એને ઓળખી શક્યું નહિ. ફક્ત એક કામળો જ ઓઢીને એ જવાંમર્દ સડસડાટ ફોજ વચ્ચેથી પસાર થયો. આલમસિંહની લગોલગ આવી પહોંચ્યો. મોં પરથી કામળી ઉઘાડી કરીને પડકાર્યું : ‘જોઈ લે, રજપૂત! સંગ્રામસિંહ સ્નાન કરીને જાય છે’.
આલમસિંહ ચમકી ઊઠ્યો. મોંમાંથી વેણ નીકળે ત્યાં તો સંગ્રામસિંહની કટાર, વીજળી-શી ઝબૂકી ઊઠી. આલમસિંહ દિગ્મૂઢ બનીને પાછો હટ્યો. સંગ્રામસિંહ અદૃશ્ય થયો. અને ‘દોડો દોડો! પકડો પકડો! ઓ જાય, ઓ જાય!’ એવા એવા હાકલા થવા લાગ્યા. પણ કોને પકડે? દાંતોમાં દઈને ગયો.
<center>'''સંગ્રામસિંહને ફાંસી'''</center>
આખરે પોલીસની આવજા માટેના તમામ રસ્તા ઉજ્જડ બન્યા એટલે ત્રણેય જિલ્લામાં નવી પોલીસની ભરતી થઈ. હજારો પોલીસોએ તમામ રસ્તા પર ઓડા બાંધી લીધા. મારા પિતા પણ એક સ્થળે મોટી સંખ્યા લઈને નાકું બાંધી ઊભા. પાંચ દિવસ સુધી નદીના પાણીની અંદર છુપાઈ રહ્યા પછી ખાવાને માટે સંગ્રામસિંહ પાંચ-છ સાથીઓની સાથે બહાર નીકળ્યો. એમાંથી એક આદમી પિતાજીના હાથમાં પકડાયો. એની પાસેથી પત્તો મેળવીને પોલીસ આગળ વધી. સંગ્રામસિંહ એક ચમારની ઝૂંપડીમાં પેસી ગયો. ઝૂંપડીને પોલીસે આગ લગાવી. બહાદુર રજપૂત બહાર નીકળ્યો, પણ પાણીમાં પડવાથી દારૂ નકામો થઈ ગયો હતો એટલે બંદૂક ન વછૂટી. તરવાર ખેંચવા જાય તો તરવાર મ્યાનમાંથી બહાર જ ન નીકળી. આ બાજુ પોલીસે ગોળીઓની ઝીંક બોલાવી. પાંચેય સંગાથી પટકાયા. સંગ્રામસિંહે બંદૂક ઊંધી ઝાલીને લાકડી તરીકે વીંઝી. જોતજોતામાં ત્રણ-ચાર સિપાઈને ઢાળી દીધા. પિતાજીના ઘોડાની ગરદન પર પણ એવી ચોટ લાગી કે ઘોડો પંદર કદમ પાછો હટી ગયો. પ્રથમ તો પિતાજીએ આ એકલા દુશ્મન પર ગોળી ચલાવવાની મના દીધી હતી પણ આખરે પોતે ક્ષત્રીવટ ચૂક્યા. ગોળીબારનો હુકમ દીધો. પચીસ ગોળીઓ ખાઈને સંગ્રામસિંહ પડ્યો, એને બાંધીને કાશીની ઇસ્પિતાલમાં લઈ આવ્યા. સિવિલ સર્જને જ્યારે એના શરીર પર પચીસ જખ્મો જોઈને કહ્યું, ‘કાં! પકડાઈ ગયો ને!’ ત્યારે એ વીર ક્ષત્રીએ જવાબ વાળ્યો કે ‘એમાં શી બહાદુરી કરી! એક વાર મારા હાથમાં તરવાર આપો ને પછી મારી સામે વીસ આદમી આવી જાય! જોઈ લઉં મને કોણ પકડે છે!’
સાંભળી સાહેબ તાજુબ થયા. સંગ્રામસિંહને ફાંસી મળી, પણ હિંદુસ્તાની પોલીસ અમલદારોને એ વીરના મૃત્યુથી બહુ જ દિલગીરી થઈ. ખાટલા પર સૂતેલા એ સંગ્રામસિંહનો દેખાવ મને હજુ યાદ છે. મારા જીવન પર એની ઊંડી છાપ છે.<ref>જુઓ આ લેખકનું પુસ્તક ‘બે દેશદીપક’</ref>
<center>'''દક્ષિણના દાત્યા-મોન્યા'''</center>
'''દક્ષિણ પ્રાંતોમાં ‘દાત્યા-મોન્યા’ નામના બે બહારવટિયા થઈ ગયા. તે એટલા બધા લોકપ્રિય હતા કે આજે પણ જે બે જણ વચ્ચે ગાઢ મૈત્રી હોય તેઓને કહે છે કે ‘તમે તો દાત્યા-મોન્યા છો’. એ ઉપરાંત વર્તમાનકાળના રાજકીય ક્ષેત્રમાં પંજાબના બબ્બર અકાલીઓ, યુ.પી. કાકોરી કેસના રામપ્રસાદ બિસ્મિલ વગેરે, અને બંગાળના રાજશાહી જિલ્લાના યુવકો જે સરકારી લશ્કરને હાથે સામી છાતીએ લડતા લડતા મરાયા, તે સહુ ‘બહારવટિયા’ નામ સાર્થક કરે છે. ભીલ બહારવટિયા ટંડ્રાની કારકિર્દી પણ મશહૂર છે. એને પકડવા માટે તો સરકારને ખાસ ટંડ્રા પોલીસની ફોજ રાખવી પડેલી. એવો જ રસિક અને રોમાંચક અહેવાલ પંજાબી કૂકાઓનો છે.'''
<center>'''સૌરાષ્ટ્રમાં બહારવટાનાં કારણો'''</center>
આઘે આઘે છેક રા’ માંડલિકના અમલ સુધી આ દેશનાં બહારવટાંના ઇતિહાસની આંખો પહોંચી શકે છે. મોટા રાજ્યનો માલેતુજાર સ્વામી કાં તો પોતાના પડોશના નાના ગરાસદારને એક સ્વતંત્ર પડોશી તરીકે જીવવા દેવામાં ભવિષ્યનું જોખમ સમજે, કાં તો પોતાના કોઈ ભાયાતને કે મૂળ ગરાસિયાને પોતાના કાયદા-કાનૂનોનો અનાદર આચરતો દેખે, અથવા તો એ રાજા પોતાની કોઈ મલિન મતલબને વશ બની પોતાના તાબાના ગરાસદાર પાસેથી કોઈ એની પ્રિય વસ્તુ કે વ્યક્તિની માગણી કરે, ત્યારે ત્યારે એ રાજા ને એ પ્રજાજન વચ્ચે વૈરની આગ ઝરે. એ એક સંજોગ. બીજો સંજોગ હતો પરદેશી સત્તાના આક્રમણનો : અમદાવાદની મુસ્લિમ સૂબાગીરીના જૂનાગઢ પર કિલ્લેબંદી : વડોદરાથી ગાયકવાડનો પગેપસારો : અને એ તમામ કરતાં અધિક ઉશ્કેરણીનું મનાયેલું તત્ત્વ એ અંગ્રેજી રાજસત્તાના દરમ્યાનગીર આગમનનું. સહુ રાજ્યોને પોતાની રિયાસતના સીમાડા પહોળા કરવા હતા. પરસ્પર એ સહુ જમીનોની ખેંચતાણ કરતા હતા, અને એ સહુને દળબળ પૂરાં પાડનારી ઇસ્ટ ઇન્ડિયા કંપની આવી પહોંચી હતી. એના પ્રતિનિધિઓની, મોટાં રાજ્યો પ્રતિની પક્ષકારનીતિ નાના ગરાસદારોના દિલમાં વધુ આક્રોશનું નિમિત્ત બનતી હતી.
<center>'''કિનકેઈડે કથેલાં કારણો'''</center>
'''શ્રી કિનકેઈડ આ મુદ્દાને વધુ સ્પષ્ટ બનાવે છે  : એ ખાસ તો કાઠી બહારવટિયા વિશે લખે છે : “At first mere robbers, they, after many struggles, established themselves at the breakup of the Mogul empire firmly in the centre of the province. They were, however, like Sikhs before the time of Ranjitsing, a loosely knit confederacy, and they were unable in the 18th century to make headway against the growingof Junagadh. Thus it was that many of the smaller landholders wrote over part of their lands to the surrounding administration in order to secure protection for the reminder. But this promised protection was not always obtained. It always happened that when the protecting state had acquired part of the Kathi’s land, it hungered for the remainder. It would then provoke quarrels, and on some pretext or other violate its agreement. It was useless for the Kathi to seek redress in the State’s own court; so, calling together his servants and relatives, and placing his wife and children in some friendly shelter, he would turn his back on the homestead where his family had lived for centuries, and making Gir his Sherwood forest proceed to rob and murder in every direction until death, treachery or redress closed his picturesque but baneful career.” <ref>The Outlaws of Kathiawar (1905)</ref>
એ સંજોગોમાંથી ત્રણ-ચાર પ્રકારના બહારવટિયા જન્મ્યા.'''
<center>'''પહેલો પ્રકાર : ગરાસદારો'''</center>
પોતાના ગરાસ ઉપર થયેલા અન્યાયી આક્રમણ સામે મરવા-મારવાનો નિરધાર કરીને ઊઠેલા : 1. જેસોજી-વેજોજી : જૂનાગઢ-અમદાવાદની મુગલ સૂબાગીરી સામે : ઇ.સ. 1472-94 : વીસ વર્ષ : બહારવટું પાર પડ્યું. 2. ભીમો જત : ગોંડલની સામે : ઇ.સ. 1800થી 1850 સુધીમાં : બાર વર્ષે ધીંગાણે કતલ થઈ ગયો. 3. હીપો ખુમાણ : પાલિતાણા સામે : 100 વર્ષની અંદર : મરાયો. (‘સૌરાષ્ટ્રની રસધાર’.) 4. જોગીદાસ ખુમાણ : ભાવનગર સામે : 1816થી 1829 સુધી : પાર પડ્યું. 5. બાવા વાળો : જેતપુર દરબાર દેવા વાળા સામે : ઇ.સ. 1829ની આસપાસ : ધીંગાણે કતલ થયો. 6. વરજાંગ ધાધલ : જેતપુર દરબાર દેવા વાળા સામે : 1800 પછી : ધીંગાણે મર્યો : પણ બહારવટું પાર પડ્યું. (‘સૌરાષ્ટ્રની રસધાર.) 7. જોધો માણેક ને મૂળુ માણેક : ગાયકવાડની સામે : ઇ.સ. 1859થી 1867 (વૉટસન પ્રમાણે 1860) : ધીંગાણે કામ આવી ગયા. 8. કાદુ મકરાણી : જૂનાગઢ રાજ સામે : ઇ.સ. 1884-87 : ફાંસી દેવાઈ. 9. રવોજી કલોજી : ગોંડળ રાજ સામે : પાર પાડ્યું. 10. રામ વાળો : ગાયકવાડ સરકાર સામે : ઇ.સ. 1816થી 1917 : ધીંગાણે ઠાર થયો.
તે સિવાય નાના નાના જેનો ઇતિહાસ જનસમુદાયમાં નીતર્યો નથી તેવા ઘણા હોવા જોઈએ.
<center>'''બીજો પ્રકાર : પરોપકારપ્રેરિત'''</center>
પરોપકાર કરવા જતાં, અન્યને ખાતર મારફાડ કરીને પછી બહારવટે નીકળેલા :
1. સંઘજી કાવેઠિયો : સાણંદ રાજ સામે : સફળ થયો. (‘સૌરાષ્ટ્રની રસધાર’). 2. અભો સોરઠિયો : ભાવનગર રાજ સામે : ઇ. સ. 1800 લગભગ : ધીંગાણે કતલ થયો. (‘સૌરાષ્ટ્રની રસધાર’.) 3. ચાંપરાજ વાળો : ગાયકવાડ તેમ જ એજન્સીની સામે : ઇ.સ. 1835 : કેદની શિક્ષા પામ્યો ને પછી છૂટ્યો. 4. નાથો મોઢવાડિયો મેર : જામનગર સામે : આશરે ઇ.સ. 1830 : કામ આવ્યો.
<center>'''ત્રીજો પ્રકાર : અંગત વેર'''</center>
અંગત વેરને કારણે બહાર નીકળી જઈ કાયદા વિરુદ્ધ પરંતુ બહારવટાના નિયમો મુજબ જીવન ગાળનારા : 1. ગીગો મહિયો : જૂનાગઢ સામે ઇ.સ. 1855-60 : કતલ થયો. 2. મિયાણો વાલો નામોરી : 1890 : કતલ થયો : 3. સાલોલીનો ચારણ નાગરવ ગિયડ. 4. રાયદે બુચડ ચારણ : જામનગર સામે : મરાયો.
<center>'''ચોથો પ્રકાર : ચોર-લૂંટારા'''</center>
કેવળ ચોરીલૂંટને જ માટે નીકળેલા : પણ બહારવટાના નિયમો પાળનારા : 1. મોવર સંધવાણી : માળિયાનો મિયાણો : ઇ.સ. 1880-86 : વર્ષ છ : બહારવટું પાર પડ્યું. 2. એકલિયો (પુનરવ) : મોવર સંધવાણીનો સમકાલીન. એનું વૃત્તાંત અપ્રકટ છે.
{{Poem2Close}}
{{Poem2Open}}
<center>'''સૌરાષ્ટ્રના રોબિન હૂડ'''</center>
પ્રથમ કોટિના બહારવટિયા વિશે કિનકેઈડ યથાર્થ લખે છે કે <ref>‘ધિ આઉટલૉઝ ઑફ કાઠિયાવાડ’.</ref>
“પહેલા વિભાગના બહારવટિયા વધુમાં વધુ રસભરપૂર છે, અને તેઓ ઇંગ્લન્ડના વહેલા કાળના બહારવટિયાને સારી પેઠે મળતા આવે છે. એ તો યાદ હશે કે જ્યારે હન્ટિંગ્ડનના અમીરની જાગીર રાજા જ્હોનના સગીર-કારોબારમાં ઝૂંટવી લેવામાં આવી, ત્યારે એ અમીર પોતાનાં માણસો એકઠાં કરીને શેરવૂડ વનમાં ચાલ્યો ગયો. અને આજ સુધી પણ ‘રોબિન હૂડ’ નામથી એ ઘરોઘર સુપ્રસિદ્ધ છે. એનો મુખ્ય હેતુ ગુના કરવાનો નહોતો, જોકે સાચોસાચ તો એણે એ જ કામ કર્યા કર્યું હતું. એની ઇચ્છા એ રાજ્યનું શાસન અટકાવી પાડવાની હતી. એ ફાવ્યો અને મધ્યસ્થ સત્તા પાસેથી પોતાની જાગીર તથા પદવી એણે પાછાં મેળવ્યાં.
સૌરાષ્ટ્રના ગરાસિયા બહારવટિયા પણ અચૂક એ જ ધોરણે વર્તન ચલાવતા. તેઓમાંના ઘણાખરા તો કાઠી જાગીરદારો જ હતા, કે જેનાં માલમિલકત વધુ બળિયા પડોશીઓએ ઝુંટવી લીધેલાં. (બધા જ કાઠી નહોતા, કેમ કે હજુ 1902માં જ જ્યુડિશિયલ આસિસ્ટંટે જૂનાગઢ ઉપર બહારવટે નીકળનાર એક મુસલમાન ટોળીને ગુનેગાર ઠરાવેલી).
આ રીતે રઝળી પડેલા કાઠીઓ પોતાના નોકરો ને સંબંધીઓને એકઠા કરી લૂંટફાટ તથા ખૂનખરાબી ચલાવતા કે જેથી છેવટે કાં તો તેઓ નાબૂદ થઈ જતા, અથવા તો અન્યાય કરનારને એમ સમજાતું કે પોતાના તાલુકાનું શાસન ચલાવવા ચાહે તે ભોગે સુલેહ કરવી એ જ એક માર્ગ છે, અને તેથી તે બહારવટિયાને એની જાગીર પાછી સુપરત કરતો. આ દ્વીપકલ્પમાં સંખ્યાબંધ જુદાં જુદાં રાજ્યો હતાં અને એ દરેક રાજ્ય હમેશાં પોતાના તાબાના જાગીરદારને ઓહિયાં કરી જવાનો ડર દેખાડતું હોવાને કારણે આ બહારવટિયાને ઘણી સગવડ પડતી. એને લીધે તમામ જાગીરદારો પોતાના પડોશીને એના ન્યાય મેળવવાના પ્રયાસમાં સહાયભૂત થવા વધુ આતુર રહેતા. ઉપરાંત, તેઓનાં કૃત્યો ગુનારૂપ તેમ જ ક્રૂર હોવા છતાં પણ તેઓની નેમ તો દેશની ચાલુ સ્થિતિ વચ્ચે પોતાના અન્યાય સામે વાજબી દાદ મેળવવાની જ બતી. એ વાતને લીધે પ્રજામત ઘણે ભાગે તેઓના પક્ષમાં ઢળતો અને પ્રજા એ લોકોની માગણી સંતોષાતી જોવા રાજી હતી.”
<center>'''સંતાવાનાં સ્થાન'''</center>
આમાંનાં કોઈ બહારવટાં બાર-બાર વરસ સુધી ટક્યાં, તો કોઈનો એક જ વર્ષે અંત આવ્યો. બહારવટાં ટકવાની અનુકૂળતા પૂરી પાડનાર એક તો સૌરાષ્ટ્રની ભૌગોલિક સ્થિતિ છે : ગીરનાં ડુંગરા અને ઝાડી એટલાં વિશાળ તેમ જ વિકટ છે કે ‘ગીર તો માનું પેટ છે’ એવી કહેતી ચાલે છે. પોરબંદર ને જામનગર રાજ્યોમાં બરડો ને આભપરો ડુંગર પણ એવા જ વંકા છે. પાંચાળમાં ઠાંગાની ખીણો તેમ જ માંડવની ભયાનક ખોપો પડી છે. ઊંડી ઊંડી ભાદર, ઓઝત જેવી નદીઓનાં કોતરો પણ બહારવટિયાના અભેદ્ય કિલ્લા જેવાં બની રહેલાં. ઓખામંડળની કાંટ્ય પણ આજથી પચીસ વર્ષ પર ધોળે દિવસે ડરાવે તેવી કારમી હતી. એ બધી જગ્યાઓમાં દીપડા-ઝર, વેજલકોઠો, ભાણગાળો, સાણો ડુંગર, પોલોપાણો, બોરિયો ગાળો વગેરે નિવાસસ્થાનો તો કાવ્યમાં પણ ઊતરી ગયાં છે. જુઓ :
{{Poem2Close}}
<poem>
રામ વાળાનાં લગન આવ્યાં;
લગનિયાંનો ઠાઠ ગોઝારો, બોરિયો ગાળો,
::: ક્યાં રોકાણો રામ વાળો!
</poem>
{{Poem2Open}}
બીજો આશરો નાનામોટા તાલુકદારોનો હતો. અનેક દ્રવ્યલાલચુઓ, અંગત અદાવતની તૃપ્તિ શોધનારાઓ, ને કેટલાક શુદ્ધ દિલે દિલસોજી ધરાવનારાઓ બહારવટિયાને સંઘરતા હતા.
{{Poem2Close}}
<center>'''ઇષ્ટદેવતાની પ્રતિષ્ઠા'''</center>
{{Poem2Open}}
બહારવટિયો એટલે — બેશક એની વિલક્ષણ રીતે — વ્રતધારી ને વહેમી : કોઈક દેવસ્થાનને આરાધે : લગભગ તમામ બહારવટિયા પોતાના ઇષ્ટદેવની પ્રતિષ્ઠા કરીને જ બહાર નીકળતા અને અમુક જાતની શારીરિક પવિત્રતાના લોપમાંથી એ ઇષ્ટદેવતાનો કોપ નીપજવાનું સમજતા. ભીમો જત રોજ સવાર-સાંજ જમિયલશા પીરની દરગાહ પર લોબાન પ્રગટાવી તસબી ફેરવી પોતાની તરવારને પણ ધૂપ દેતો. બાવો વાળો રોજ સૂર્યોદય અને સૂર્યાસ્ત વેળા, ઘીનો દીવો પેટાવીને સૂરજ સન્મુખ માળા ફેરવતો : ચાહે તેવે સ્થળે હોય, પાછળ શત્રુની ફોજ ચાલી આવતી હોય છતાં આ નિત્યનિયમ ન ચૂકે. કહેવાય છે કે એની પૂજાની જ્યોત આપોઆપ પ્રકટ થતી. પરંતુ આખરે જ્યારે એ બહારવટિયો પાપ ને અન્યાયમાં ડૂબી ગયો ત્યારે એનો કાળ આવ્યાની સાક્ષીરૂપે જિંદગીના છેલ્લા ત્રણ દિવસ સુધી એ ‘રેઢી જ્યોત’ પ્રગટ નહોતી થઈ. વાલો નામોરી પોતાની સાથે પીરનો કિનખાબી વાવટો ફેરવતો અને રામ વાળો કાઠીના પરમ તીર્થધામ સૂરજદેવનો પંજો રાખતો. વાઘેરો દ્વારિકાનાથના સેવકો હોઈ ‘જે રણછોડ!’ એ એમની રણહાક હતી; જોધા વાઘેરનો ભત્રીજો મૂળુ માણેક પણ એવો જ વહેમી અને વિચિત્ર પ્રકારનો પ્રભુભક્ત હતો. એણે તો માધવપુર લૂંટવાની મધરાતે જ, મંદિરના પૂજારીને પકડી મંગાવી, મંદિર ઉઘડાવી, માધવરાયની પ્રતિમાને બાઝી પડી ચોધાર આંસુડે રુદન કર્યું હતું. અને મોવર સંધવાણી સરખા ચોરને પણ ‘કોઠાવાળો પીર’ સ્વપ્ને આવી સંદેશા દેતો હોવાની માન્યતા હતી. પ્રાચીન બહારવટિયા જેસા-વેજા તો ઘોડાને બદલે દેવી માતાએ આપેલાં બે ધોળાં રોઝ પર સવારી કરી વિષમ નદીઓ ઠેકી જતા હોવાનું બોલાય છે. બહારવટિયા એટલે શુકન-અપશુકનના મોટા વહેમી : જૂના કાળમાં સંગાથે અક્કેક શુકનાવળી રાખે : ગધેડાનું ભૂંકણ, ભૈરવ પક્ષીની બોલી, સામે પવને ધજાનું ઊડવું વગેરે ચિહ્નોમાંથી આ શુકન જોનારા શુભાશુભ પરિણામ ઉકેલતા. ગામ ભાંગતાં પહેલાં કોઈ બહારવટિયો સીમાડે સૂઈને અમુક સ્ફુરણા અનુભવતો તેને ઇષ્ટદેવની અનુમતિ સમજી લેતો, તો કોઈ રામ વાળા જેવો પોતાની ટોળીની સંખ્યા-ગણતી કરીને નવ જણને બદલે દસ દેખાય તો ‘દસમો સૂરજ ભેરે છે’ એમ ગણી ચાલતો. સંખ્યા ન વધે તો પાછો વળી જતો. ઇષ્ટદેવની આરાધનામાં બેશક આત્મરક્ષાનો જ આશય ઊભો હતો.
{{Poem2Close}}
<center>'''દેહદમન'''</center>
{{Poem2Open}}
આવી રીતે દેવદેવીઓની સહાય મેળવવી એટલે પવિત્રતાનાં, દેહદમનનાં, એવાં બિરદોનું પણ પાલન કરવું. ઘણીવાર તો એ પાલન અજબ બની જતું. એક બાજુ મનુષ્યનો સંહાર, અને બીજી બાજુ નાનાં જંતુની પણ જીવનરક્ષા! જેસો-વેજો તો પોતાના અંગ પરની જૂ પણ ન નાખી દેતાં ડગલામાં જ સાચવી જિવાડતા. કહેવાય છે કે એ ડગલાઓમાં એટલી તો જૂઓ ખદબદતી કે પોતે બાન પકડેલા માણસ પાસેથી પૈસા કઢાવવા માટે તેઓ તેને એ ડગલા પહેરાવી જૂઓના ચટકાથી તોબાહ પોકારાવતા. છતાં એટલી બધી જૂઓ એ જોગી જેવા ભાઈઓ કાયમ પોતાના શરીર પર ધારણ કરી રહેતા, એટલું જ બસ નથી. એમના કાકા ગંગદાસને તો પીઠ પર પાઠું પડેલું : પાઠામાં કીડા ખદબદતા, એ પાઠામાં ગંગદાસજી લોટનો પિંડો ભરીને કીડાને એ ખવરાવી જિવાડતા. કીડા નીચે પડી જાય તો ઉપાડી પાછા પાઠામાં નાખતા.
{{Poem2Close}}
<center>'''યતિધર્મ'''</center>
{{Poem2Open}}
સારા બહારવટિયા તો ગૃહસ્થાશ્રમને પણ ત્યજી દેતા હતા. જોગીદાસનાં સ્ત્રી-બાળકો ભાવનગર ઠાકોરના દરબારગઢમાં અટકાયતે પડ્યાં હોવાથી એણે કંઈ કંઈ વર્ષો સુધી ગૃહસ્થાશ્રમનાં દર્શન પણ નહોતાં લીધાં. જેસોજી-વેજાજીનાં બાળબચ્ચાં પણ વિખૂટાં પડીને ગુપ્ત વેશે નટોના પંખા (ટોળા) સાથે ભમતાં હતાં. એથીયે વધુ રોમાંચકારી કથા તો છે ચાંપા ખુમાણ નામના જુવાન કાઠીની. પાલિતાણા રાજ્ય સામે બહારવટે નીકળનાર કાઠી હીપા ખુમાણનો એ નાનેરો દીકરો પિતાની આજ્ઞા થતાં એક રાત્રિએ પોતાને ગામ માતાને ખરચી આપવા જાય છે : મા રાત રહેવા વીનવે છે, પણ એને તો બહારવટું પાર પાડ્યા પહેલાં ઘરનું પાણી પીવુંયે હરામ છે : માતાએ માન્યું કે ઓરડામાં ઊભેલી એની સ્ત્રી સાથે ચાર આંખો એક થશે તો દીકરો રોકાઈ જશે. એટલે બહાનું બતાવીને અંદર મોકલ્યો : ચાંપો અંદર ચાલ્યો : આશાભરી કાઠિયાણીએ ઢોલિયો ઢાળ્યો : જુવાન ચાંપાની આંખ બદલી : બોલ્યો : ‘કાઠિયાણી છો? અટાણે ઢોલિયો! હું બહારવટે છું એટલીયે ખબર ન રહી?’ એમ કહી ચાંપો ગયો અને બીજી જ રાતે ગારિયાધારના દરબારગઢને ઉંબરે મેરજી સંધીની ગોળીથી વીંધાઈ મરણ પામ્યો.
બાકી, રંગીલી ભૂમિકાના મોવર સંધવાણી જેવા બહારવટિયા છૂપીચોરીથી પોતાને ઘેર જતા અને રાત્રિઓ ગાળી આવતા.
{{Poem2Close}}
<center>'''દયાદાન'''</center>
{{Poem2Open}}
વાલો ઠૂંઠિયો જે વેળા રણમાં ઊંટનું કૂંડાળું કરીને સામે આવતા શત્રુઓ સાથે યુદ્ધ કરી રહ્યો હતો ત્યારે કહેવાય છે કે શત્રુઓએ ગાયોનું ધણ આડું ઊભું રાખ્યું, અને વાલાએ પોતે મુસલમાન હોવા છતાં પણ ગાયો ઉપર ગોળીબાર ન કરવાની આજ્ઞા દઈ, કેવળ ગાયોને નસાડવા પૂરતા જ પગ તરફ ભડાકા કરી પોતાનો બચાવ કરેલો.
જોધા માણેકે કોડીનાર લૂંટીને ત્રણ દિવસ સુધી કોડીનાર પર રીતસર રાજ કરી, ન્યાય ચુકાવી, ગોંદરે ગાયોને કપાસિયા નીર્યા હતા અને બ્રાહ્મણોની ચોરાસી જમાડી હતી. બ્રાહ્મણો, બાવા, સાધુઓ વગેરે ખવરાવવાનો આગ્રહ તો લગભગ દરેક બહારવટિયાએ બતાવ્યો હતો. અલબત્ત, એમાં તો ધર્માદાની રૂઢિગત ભાવના જ હતી, પરંતુ બહારવટિયાના મનમાં એની ભાવના તો હતી જ. (શિવાજીએ પણ પોતાનું શરીર ભારોભારનું સુવર્ણ બ્રાહ્મણોને જ
વહેંચ્યું હતું.)
{{Poem2Close}}
<center>'''સ્ત્રીજાતિનું સન્માન'''</center>
{{Poem2Open}}
લોકસમૂહ તો સર્વથી ઊંચા — અતિ ઊંચા — એવા એક યતિધર્મ ઉપર ફિદા થાય છે : એ હતો સ્ત્રીજાતિ પ્રત્યેનો સન્માનનો બહારવટાધર્મ. જોગીદાસ ખુમાણે અને કાદુ મકરાણી પોતાના પર મુગ્ધ બની પરણવા આવનારી સુંદરીઓનો તિરસ્કાર કરેલો. જોગીદાસે તો પોતે સ્ત્રીજાતિ પ્રતિના સન્માનરૂપે જીવ્યો ત્યાં સુધી હમેશાં હાલચાલના રસ્તા તરફ પોતાની પીઠ દઈને જ બેસતો હતો. કોઈ દિવસ રસ્તા સન્મુખ મોં રાખીને તે નથી બેઠો. સ્ત્રીને દેખતાંની વાર જ એ પોતાના મોં પર પછેડીનો ઘૂમટો તાણી જતો. એટલું જ બસ નથી, એણે તો પોતાના માનમાં ભાવનગરની કચેરીની અંદર અધમ વારાંગનાને પણ નૃત્ય કરતી અટકાવીને ‘મારી મા-બેન્યું’ કહેલી. બહારવટિયાની એ સ્ત્રીસન્માનની ભાવનાએ બીજી સર્વ ભાવનાઓ કરતાં વધુ સચોટ અસર જનતા ઉપર છાંટેલી છે, અને તે કારણે જ ચારણોએ પણ સહુથી વધુ મૂલ્યવતી કવિતાનાં અર્ઘ્ય એ શિયળને જ ચડાવ્યાં છે. એના જ દુહાસોરઠા વધુ જોરદાર, વધુ પ્રચલિત ને વધુ વંકા છે :
{{Poem2Close}}
<poem>
::ઠણકો નાર થિયે, ચત ખૂમા! ચળિયું નહિ,
::ભાખર ભીલડીએ, જડધર મોયો જોગડા!
</poem>
{{Poem2Open}}
'''[ઓ ખુમાણ! નારીના પગનો ઠમકારો થવાથી તારું ચિત્ત કદી ન ચળ્યું : જ્યારે બીજી બાજુ તો, ઓ જોગીદાસ! મોટા જટાધારી શંકર પણ ક્ષુદ્ર એક ભીલડી ઉપર મોહી પડેલા!]'''
{{Poem2Close}}
<poem>
::પરનારી પેખી નહિ, મીટે માણારા!
::શીંગી રખ ચળિયા, જુવણ જોગીદાસિયા!
</poem>
{{Poem2Open}}
'''[ઓ માણા (કાઠી)ના પુત્ર! ઓ જુવાન જોગીદાસ! તેં તો પરનારી તરફ આંખની મીટ પણ નથી માંડી; જ્યારે પેલા શૃંગી ઋૃષિ જેવા પણ ચલાયમાન થઈ ગયા હતા.]'''
{{Poem2Close}}
<center>'''કાદુનો કિસ્સો'''</center>
{{Poem2Open}}
કાદુ મકરાણી પણ કાછનો એવો જ સાબૂત : ઘરની ઓરતને તો એણે મકરાણમાં મોકલી દીધેલી : બે ભાઈઓને લઈને ગામડાં ભાંગે છે. એક દિવસ મોડી રાતે લોઢવા ગામના એક કારડિયા રજપૂતના ઘરમાં પેસતાં એ ઘરની સૂતેલી સ્ત્રી અર્ધનગ્નાવસ્થામાં જ ઊઠીને નાઠી : કાદુ પીઠ દઈ ઊભો રહ્યો : કહ્યું કે બેન! તારાં કપડાં સંભાળી લે : પણ અબળા ધાકની મારી હલી-ચલી ન શકી : ‘બેન, તારી ખડકી દઈ દે!’ એટલું કહીને કાદુ નીકળી ગયો. એ ઘર ન લૂટ્યું.
લાલસાને ખાતર તો શું, ચોખ્ખી લૂંટને ખાતર પણ સ્ત્રીના શરીર પર હાથ નાખવાનું ઘણાખરા બહારવટિયાઓની નીતિમાં નામંજૂર હતું. વાઘેરો લૂંટતી વેળા દૂર ઊભા રહી સ્ત્રીઓને આટલું જ સંબોધન કરતા કે ‘ઘરેણાં ઉતારી દે, બેન! તારી ભોજાયુંને પહેરવા લૂગડાં નથી, ખબર છે ને?’ મોવર સંધવાણીએ પણ એ જ વર્તાવ રાખેલો.
{{Poem2Close}}
<center>'''અંગ્રેજ શત્રુ-પત્નીની અદબ'''</center>
{{Poem2Open}}
એથીયે અધિક સ્ત્રીસન્માન કાદુએ પોતાના જ કટ્ટા શત્રુ કર્નલ હંક્રીની ઓરત તરફ બતાવેલું હોવાની સાક્ષી સ્વ. જસ્ટીસ બીમને સુધ્ધાં આપેલ છે. અંતરિયાળ એ જૂનાગઢના નવા અંગ્રેજ પોલીસ ઉપરીની ઓરત અને બાળકનો ટપ્પો મળે છે. જો, એને ઝાલીને બાન તરીકે રાખે તોપણ એની આખી બાજી સુધરી જાય તેવા સંજોગો છે. પણ કાદરબક્ષે સાથીઓની એ વાત કબૂલ ન જ કરી. એના મોંમાં એક જ વેણ હતું કે ‘તો તો આપણી ઓરતો આપણા ઉપર થૂ થૂ કરશે’.
{{Poem2Close}}
<center>'''વાલિયાની પાકદિલી'''</center>
{{Poem2Open}}
મોવરે પણ ડીસા અને પાલનપુર વચ્ચે મુસાફરી કરતી એક મડમ પ્રત્યે, તેમજ બીજી અનેક સ્ત્રીઓ પ્રત્યે સંપૂર્ણ સન્માન સાચવ્યું હતું. છેલ્લા બહારવટિયા રામ વાળા એ ભરયૌવન છતાં અને સાથીઓ સહજમાં લપટી પડે તેવા હોવા છતાં સ્ત્રીજાતિ પ્રતિ જે સંપૂર્ણ અદબ જાળવી છે તેના સાચેસાચા પ્રસંગો એની કથામાં નોંધાયા છે. બહારવટિયા વાલાએ તો અમુક બાઈની સાથે પરણવાનું સાથીઓ તરફનું સૂચન થતાંની વાર તુરત જ કહેલું કે ‘એ બાઈની ઈચ્છા જાણ્યા વિના આવી વાત પણ ન કરો, કેમ કે કદાચ એ બાઈના મનમાં એમ હોય કે વાલો મારો ભાઈ છે, તો પછી હું દોષે ભરાઉં ને!’ તદ્દન ‘કન્વેન્શનલ’ (રૂઢિગત) સ્ત્રીસન્માન આટલી હદે ન ચડી શકે.
{{Poem2Close}}
<center>'''ભવિષ્યવાણી'''</center>
{{Poem2Open}}
ધૂમકેતુએ પોતાની ‘તારણહાર’ નામની ટૂંકી વાર્તામાં સામત ખાચર નામનો એક સોરઠી બહારવટિયો કલ્પેલો. એક ચારણ કન્યાના શરીર પર લાલસાથી હુમલો કરનાર પોતાના સગા દીકરાને એ બહારવટિયાએ તત્કાળ બંદૂકથી વીંધી નાખ્યો એવું સુંદર ચિત્ર એમણે આલેખ્યું છે. આ કલ્પનાને વાસ્તવિકતાનો આધાર બહારવટિયાની કથાઓમાંથી સાંપડે છે. વાલા નામોરીનો જ એક પ્રસંગ છે. કકલ બોદલા નામના એક સાથીએ મોરબી તાબાના ઝીકિયાળી ગામની કોઈ કણબણ પર નીચતા ગુજારી; એ વાતની જાણ થતાંની વાર જ વાલાએ કકલ બોદલા ઉપર બંદૂક છોડી; પરંતુ પાસે બેઠેલા કોઈ બીજા સાથીએ બંદૂકની નાળી લગાર જ ઊંચી કરી નાખી, ગોળી ગુનેગારના શિર પર થઈને ચાલી ગઈ; વાલાએ બીજો ઘા ન કર્યો, પણ ભવિષ્ય ભાખ્યું કે ‘બેલીઓ! આની નીચતા આપણને નહિ છોડે. આપણું બહારવટું ખતમ થયું! આજથી આઠમે દિવસે આપણને હડકવા હાલશે’.
બરાબર આઠમે દિવસે બહારવટિયાની આખી મંડળીને એજન્સી પોલીસ-ઉપરી ગોર્ડન સાહેબે પેથા પગી નામના, બહારવટિયાના કોળી આશ્રયદાતાની મારફત ફેફી લાડવા મોકલી ખવરાવ્યા અને બેશુદ્ધ બહારવટિયા મરાયા. લોકો માને છે કે વાલાની ઘોર ભવિષ્યવાણી સાચી પડી.
{{Poem2Close}}
<center>'''બહારવટિયાનાં જિગર'''</center>
{{Poem2Open}}
વિકટ ડુંગરાઓ ઉપર અને નદીઓનાં પૂરમાં પણ એ લોકો પોતાનાં જોરાવર ઘોડાંને દોટાવી જતા, એની સાક્ષી એમનાં સંતાવાનાં સ્થળો આપશે. પગપાળા, બંદૂકો તથા દારૂગોળો વગેરે ત્રણ ત્રણ મણનો બોજો શરીર પર લગાવી તેઓ રાતોરાત ત્રીસ ગાઉ નીકળી જતા. પોતાના સાથીઓનાં શબને ઉઠાવી લઈને નાસી જતા. પાણીમાં તરવું ને પૂર વીંધવા એ એમને સહજ હતું. અધરાતે, બી.બી.સી.આઈ.ની દોડતી ગાડીમાંથી પોલીસને મારી, હાથમાં હથિયાર ને પગમાં બેડીઓ સહિત નર્મદાના પુલ પરથી છલંગ મારી નદીનાં પાણી તરવાનો જે પ્રસંગ મામદજામ નામના મિયાણાને નામે બોલાય છે તે તો જૂનો પણ નથી, સરકારી રાજમાં બનેલો છે. અને આજ પણ ભરચોમાસે જ્યારે મચ્છુ નદી, દરિયો તથા રણ પાણીમાં એકાકાર બની જાય છે, ગાંડાંતૂર પાણી ઊમટે છે, ત્યારે માળિયાના મિયાણાઓને હાથપગ બાંધીને અંદર ફેંકી દ્યો, તો પણ એ ગાઉના ગાઉ સુધી તરી જાણે છે. એ જ મામદજામે ધીંગાણામાં પોતાનાં બહાર નીકળી પડેલાં આંતરડાં પાછાં પેટમાં નાખી, ભેટમાં બાંધી લઈ મૃત્યુને પોતાની કબર તૈયાર થતાં સુધી થંભાવી રાખ્યું હતું. પાલિતાણાના બહારવટિયા હીપા ખુમાણના દીકરા ચાંપા ખુમાણે, મધરાતે પોતાના બન્ને પડખા વીંધીને ગોળી ચાલી ગયેલી તોયે બિલકુલ સિસકારો ન કરતાં, ધીંગાણે ભંગાણ ન પડે તે ખાતર ઘોડી પર બેઠાં બેઠાં જ નેવાનું નળિયું લઈ, તેના બે ટુકડા કરી, કમ્મરની બન્ને બાજુએ ચાંપી દઈ, ઉપર પાટો કસકસાવી લોહીને રોકી રાખ્યું હતું. કોઈને જાણ પણ થવા દીધી નહોતી. ઓખામંડળના દરિયામાંથી સરકારી આગબોટ જ્યારે શંખોદ્ધાર બેટનાં મંદિરોનાં ચોગાનોમાં ગ્રુપચાટ ગોળાઓ (એટલે કે નીચે પડીને ફાટનારા ગોળાઓ) વરસાવી રહી હતી, તે વેળા વાઘેર બહારવટિયાઓ ગોદડાના ભીના ગાભા લઈને સામે દોટ મૂકી, એ ગોળાને ફાટતાં પહેલા તો દબાવી બુઝાવી નાખતા. વાલા નામોરીના સાથીઓ, ગોર્ડન સાહેબે મોકલાવેલા કેફી લાડવાનો નશો નસોમાં ચડી ગયા પછી પણ નાસીને રણમાં રેતીના ઓડા કરી યુદ્ધ લડેલા હતા. જીવલેણ જખ્મો થયા પછી પણ પડીને, સૂઈને ધૂળ ચાટતા ન મરવું, પણ બેઠાં બેઠાં, ‘નથી મર્યા, જીવતા છીએ’ એવો મોરો રાખીને શ્વાસ છોડવા, શ્વાસ નીકળી ગયા પછી પણ શબનું બેઠા રહેવું, એ તેઓનું અભિમાન હતું. મૉતની સજા પામેલા મેર બહારવટિયા હરભમ રાતડિયાએ પોરબંદરની તોપ સાથે બંધાવાની ના પાડી, પોતાની મેળે જ તોપના મુખને બાથ ભરીને ઊડી જવું પસંદ કર્યું હતું.
{{Poem2Close}}
<center>'''શત્રુતાનો પ્રકાર'''</center>
{{Poem2Open}}
રાજસત્તાની પરિભાષામાં આ સર્વ લોકોને ‘હરામખોરો’ અથવા ‘બદમાશો’ શબ્દથી ઓળખવામાં આવે છે. પરંતુ કેટલાએકનો શત્રુઓ પ્રતિનો વર્તાવ ખાનદાનીથી ભરેલો હતો. કેવળ હરામખોરો એવી ખાનદાની બતાવી શકે જ નહિ. જોગીદાસ ખુમાણ પોતાના શત્રુ ઠાકોર વજેસંગજીના પુત્ર કેસરીસંગનું મૃત્યુ થતાં ગુપ્ત વેશે સિહોરમાં લૌકિકે જાય, ઠાકોરનાં રાણી નાનીબાને વગડામાં રાત્રિએ રાધા ચાવડા નામના લૂંટારાના હાથમાંથી ઉગારી છેક ભાવનગરના સીમાડા સુધી મૂકી જાય, ઠાકોરની દીકરી — તે પણ રાણીની નહિ, રખાતની દીકરી — ના ગામ બોડકીને પાદર નીકળી, પોતાની દીકરીનું ગામ સમજી ન લૂંટે, એ બદમાશના લક્ષણ ન હોય. વાઘેર બહારવટિયા, હાથમાં ભરી બંદૂકો છે છતાં ‘લાખુંના પાળનારને ન મરાય’ એ બિરદ રાખી રાજા બહાદુર જાલમસંગને મારતા નથી. પણ ‘રાજા બહાદુર! તારી ભેટનો જમૈયો સમાલજે!’ એટલું કહીને ગોળી છોડે, જમૈયો ઉડાવી નાખે, એ શત્રુધર્મ. બીજો પ્રસંગ : સરકારી સૈન્યથી હારીને વાઘેરો દ્વારિકા છોડી નાઠા ત્યારે મકનપુર ગામને વાઘેર સૂમણા કુંભાણીએ રાત્રિના અંધારામાં રસ્તે એક આદમીને પડેલો દીઠો. પડકાર્યો કે ‘કોણ તું?’ પડેલા માણસે જવાબ દીધો : ‘હું તારો શત્રુ : તારી સવેલી સ્ત્રીને ઉપાડી જનાર’ : ‘કોણ વસઈવાળો વેરસી?’ ‘હા. અટાણે તારો વેર વાળવાનો સમો છે. મને ઝટ ટૂંકો કર.’ ‘વેર અટાણે ન વાળું. અટાણે તો તું મારો ભાઈ થા. વેર તો હું પછી વાળીશ.’ એમ કહી તે જખ્મી શત્રુને પીઠ પર ઉપાડી, વસઈ ગામે મૂકી આવ્યો. વાલો બહારવટિયો પોતાના એક મિયાણા દુશ્મનને સામે ચાલ્યો આવતો દેખે છે, ગોળી ચલાવે છે, એક પછી એક સાત ગોળી મારી પણ શત્રુને એક પણ નથી આંટતી : બંદૂક મેલીને વાલો સામો ચાલે છે : ‘આવ, બેલી, તારી બાજરી હજી બાકી છે. ખુદાની ઉપરવટ મારે નથી થાવું. આવ, કસુંબો પિયેં’ એમ કહીને આદર આપે છે. બીજા એક દુશ્મનને છેક કચ્છના દેપળા ગામ સુધી મારવા ગયેલા, એ સંધી શત્રુએ આવીને પોકાર કર્યો કે ‘એ વાલા, તારી ગા!’ વાલે કહ્યું, ‘ગા થાછ? દે ભાંભરડા!’ શત્રુએ ત્રણવાર ભાંભરડા દીધા, અને એને ગાય ગણી વલાએ છોડી દીધો. વાઘેરોને માટે તો સત્તાવાર બોલાય છે કે નાસતા શત્રુને તેઓ ‘પે મ ભજો! બાપા ન ભાગો! માનું દૂધ ન લજાવો!’ એવા શૂરાતનના પડકારા કરતા; બનતાં સુધી ભાગતા શત્રુ ઉપર ઘા ન કરતા.
ખુન્નસભર્યો કાદુ પોતાના કુળ પર વીતકો વીતાવનાર પોલિટિકલ એજન્ટ સ્કૉટને ઠાર મારવા જતાં ઘોડાગાડી ચૂકે, બીજી ગાડીમાં બેઠેલ અન્ય ગોરા જૅકસન કે સ્કૉટની મડમને ન મારે, જૅકસન સાહેબ એને નિરાશાજનક જવાબ દેવા જંગલમાં એકલો મળે ત્યારે પણ જૅકસનને બાન ન ઝાલે, એ સ્વાર્થત્યાગમાં ખરો શત્રુધર્મ રહેલો છે.
ભીમો જત બબિયારાના ડુંગર પર એક સાથીના સાથમાં ગાફેલ બનીને બેઠો છે. ઓચિંતો શત્રુની ફોજે ઘેરી લીધો. શત્રુના મીરે સામેથી પડકાર્યો કે ‘હવે ભીમો ભાગે નહિ. જણનારી લાજે!’ ભીમો ઊભો રહ્યો. શત્રુઓને હાકલ દીધી કે ‘તમે મને મારી નાખશો એમાં તો શક નથી. પણ મર્દની જેમ રમત જોવી હોય તો આડ હથિયારે આવી જાઓ!’ તરવારની રમત મંડાય, ભીમો ઠેકી ઠેકીને દુશ્મનોને વાંસાના ઘા કરે, ને પછી દગાથી એનો દેહ પડે, એ કથામાં પણ શૌર્યની ખાનદાની છે. આવો શત્રુધર્મ જે ન બતાવી શક્યો તેણે પોતાના સાથીઓની ને પ્રજાની દિલસોજી ગુમાવી હતી. બાવા વાળાએ મદાંધ બની પોતાના શત્રુ હરસૂર વાળાને સાંતી હાંકતો કર્યો; મિત્રો કહે ‘બાવા વાળા! એને બે ઝાળાં તો દે!’ બાવાની છાતીએથી ન છૂટ્યું, સાથી રિસાઈને ચાલ્યો ગયો : શત્રુધર્મ સમજવાની ના પાડનાર બાવા વાળાનો એણે થોડે દિવસે નાશ કર્યો.
{{Poem2Close}}
<center>'''બહારવટિયાઓની વીરપૂજા'''</center>
{{Poem2Open}}
સાચો બહારવટિયો પોતાનામાં જેટલું વીરત્વ પ્રકટાવી શકતો તેટલું સામે શત્રુના વીરત્વને સન્માન આપી શકતો હતો. મોવર સંધવાણી તો નર્યો લૂંટારો હોવા છતાં પેલા પારકરના બહાદુર વેપારી વાણિયાને એક તરવારે પોતાની આખી ટોળી સામે આવતો ભાળી, ‘રંગ તુંને!’ પોકારી વણલૂંટ્યે ચાલ્યો ગયો; સામન્ડ સાહેબના બોલ ઉપર ઇતબાર રાખી સરકારને શરણ થયો. વાઘેર બહારવટિયા જોધા માણેકે એકલા દ્વારકા જઈ બાર્ટન સાહેબની સાથે આંખની પણ ઓળખાણ વિના કેવળ એના સંદેશા પર વિશ્વાસ ધરી મુલાકાત લીધી, અને મૂળુ માણેક એવે જ વિશ્વાસે હથિયાર છોડવા જતાં ફસાઈ ગયો. શત્રુઓ પર આવો વિશ્વાસ મૂકવાની સાફદિલ હિંમત ભીરુ ચોરડાકુઓમાં નથી હોતી. દગાની દહેશત ન રાખે એવું વીરત્વ આ લોકોની છાતી નીચેથી અનેક વાર ડોકિયાં કરી જતું. એના સર્વોત્તમ દૃષ્ટાંતનો કિસ્સો આભપરા ડુંગર ઉપર એક આરબનો બની ગયો છે. વાઘેરોનો હલ્લો થતાં આખી ફોજ ભાગી. તેમાંથી ફક્ત એક જ યુવાન આરબ ‘હમ નહિ હટેગા! નિમક ખાયા!’ કહી ઊભો રહે, એટલે એ વીરતા પર મુગ્ધ બની વાઘેરો એને રસ્તો દઈ દે, પણ આરબ પોતાના ધણીના સરંજામ પરથી મર્યા પહેલાં ખસવાની ના પાડે, એટલે બહારવટિયો પણ એને એકને સામટા જણ થઈને મારવાની ના પાડે, આખો દાયરો બેસે, અક્કેક બહારવટિયો એ આરબ સામે લડે, છેવટે આરબ પડે, અને બહારવટિયા એની રીતસર મૈયત કાઢી દફનાવે : એ ઘટના નજરે જોનાર શત્રુ-સૈનિકને મુખેથી કહેવાતી આવી છે. <ref>થાણાદેવળી રાજ્યના મ. દરબાર લક્ષ્મણ વાળાની કચેરીમાં એક મકરાણીએ પોતે નજરે નિહાળેલ કહીને આ કિસ્સો વર્ણવ્યો હોવાનું મારા સ્નેહી સ્વ. ગઢવી ગગુભાઈ કહેતા.</ref>  સ્કૉટ કૃત ‘આઇવેનહો’ નામની નવલમાં રોબિન હૂડ વિશે પણ આવી જ કથા આલેખાઈ છે.
{{Poem2Close}}
<center>'''ઇતિહાસ કે કલ્પના?'''</center>
{{Poem2Open}}
આ બધી ઘટનાઓ વિલક્ષણ હોવાને કારણે અસંભવિત હોવાની શંકા પડે. આ કિસ્સાઓ ક્યાંયે નોંધાયા નથી. બહારવટિયાની વિરોધી સત્તાઓને દફતરે તો એને સ્થાન જ ન સંભવે. સહજ છે કે એ દફતરે બહારવટિયાઓને હરામખોરો, લૂંટારાઓ, બળવાખોરો એવા શબ્દોમાં જ વર્ણવે ને બહારવટિયાની શામળી બાજુ રજૂ કરી એને વધુ શામળી બનાવવાનો પ્રયત્ન કરે. તેમ બીજી બાજુ લોકોને પણ પોતાના સારાનરસા તમામ અનુભવો છુપાવવામાં જ પોતાની સલામતી લાગતી હોય. બહારવટિયા સાથે પડેલા પ્રસંગો પકડાઈ જતાં, વસ્તીને રાજસત્તાનો ખોફ વહોરવો પડતો તેથી તેઓ પણ ચૂપ રહ્યા હોય. ધીમે ધીમે સમય જતાં, રાજસત્તાનો ભય ઊતરી જતાં, લોકોમાં એ બહારવટિયાની ઘટનાઓ ઉખળવા લાગે છે; શિયાળુ રાત્રિઓની સગડીઓ એ કથાઓ વડે વધુ ઉષ્માવંત બની રહે છે. વાડીઓની વડઘટાઓ, ગામના ચોરાઓ અને ડેલી-દોઢીના દાયરાઓ એ જૂની છુપાવેલી વાતો વડે વધુ પ્રદીપ્ત થઈ રહે છે. અને છતાં નામઠામ સંડોવ્યા વગર જ ઘણી વાતો મોઘમ ઉચ્ચારવી પડે છે. એમાં કંઈક વીરત્વ ઉપરની માનબુદ્ધિથી પ્રેરાઈને તેમ જ કાંઈક કલ્પનાના રંગે રંગાઈને, કવિ કાવ્ય રચે તે પ્રમાણે પ્રજાય આ બહારવટિયાની આસપાસ નૂતન ઘટનાઓ ગૂંથી કાઢતી હશે. ઇંગ્લન્ડના કેટલાએક ઇતિહાસકારો પણ એ મત ધરાવે છે. <ref>“Nothing would be more natural than the gradual clustering of tales round a hearo. RobinHood himself is a good example of this. Some remarkable ballads give expression to his dallying exploits and hairbreadth escapes.”</ref>  રોબિન હૂડની ઘણી ઘટનાઓ કપોલકલ્પિત હોવાનું કહેવાય છે. અથવા ઘણી ઘણી, ભિન્નભિન્ન સ્થળો તેમ જ વ્યક્તિઓ પરત્વે બની ગયેલ બોલાતી ઘટનાઓનો સમુચ્ચય કરીને મેઘધનુષના રંગસમુચ્ચય સરીખો એક બલવાન વીર ઘડ્યો હોવાનું પણ બોલાય છે. માનવી મરી ગયા પછી અમુક સમયે એના સ્મૃતિચિત્રમાં એવાં અવનવા તેજછાયા પૂરવાની લોકપ્રકૃતિ જગજાહેર છે. દાખલા તરીકે, મોવર સંધવાણીએ એક સાહેબની મડમને ઉઠાવી જઈ પોતાની રહેઠાણમાં બહેન કરીને રાખી ને છેવટે એક હજાર રૂપિયાનું કાપડું આપી સાહેબને પાછી સુપરત કરી, એ વાત સારી પેઠે પ્રચલિત છતાં, એના જ એક સંગાથી બહારવટિયાએ (એ જીવે છે) નિર્મૂલ કહી છે. પરંતુ એથી ઊલટું, કાદુ ને જૅકસનની, કાદુ ને હંફ્રીની મડમની, વગેરે ઘટનાઓનાં સજ્જડ સાક્ષી-પુરાવા છે.
{{Poem2Close}}
<center>'''સંપાદકની મર્યાદા'''</center>
{{Poem2Open}}
આ કથાઓમાં એવું ‘પિક્ચરસ્ક’ (કલ્પનાપ્રધાન) તત્ત્વ કેટલું છે તે સત્ય કેટલું છે, તે નિર્ણય થવો મુશ્કેલ છે. કેવળ ચારણોની જ પાસેથી મળેલી આ કથાઓ નથી. પણ ચારણો, ભાટો, બહારવટિયાના સંગાથીઓ, પોલીસખાતાના જૂના અધિકારીઓ, અમુક બહારવટિયાની સામે હાથોહાથ લડેલા ગિસ્તના માણસો વગેરે પાસેથી પૂછી પૂછી, બનતી મહેનતે ચકાસી, સરખાવી એકઠી કરેલ આ ઘટનાઓ છે. બહારવટિયાના સંગાથમાં જેઓ બહારવટે નીકળેલા, તેવાઓમાંથી પણ મળ્યા તેટલાના મુખબોલ ઝીલ્યા છે. તેમ છતાં કલ્પનાના સંભારથી આ કથાઓ છેક જ મુક્ત હોવાની ખોળાધરી કોઈથી ન જ અપાય. ઐતિહાસિક સામગ્રીઓના સંપાદક તરીકેની ફરજ અદા કરવા જતાં એક પણ કલ્પિત (‘ફિક્શીશિયસ’) પાત્ર ન ઉમેરવાની ચીવટ રખાઈ છે, પરંતુ ઘટના વર્ણવવા જતાં સંપાદક લોકોક્ત વૃત્તાંતને ચાહે તેટલો વફાદાર રહ્યો હોય છતાં એમાં એ પોતે પોતાના મન પર પડેલા રંગોની મિલાવટ કર્યા વિના રહી શકતો નથી. ખુદ પાત્ર સાથે એને તદ્વૃત્તિ સાધવી જ પડે છે. પાત્રની ઐતિહાસિક પ્રકૃતિ તેમ જ અન્ય આછીઘાટી રેખાઓ પામી ગયા પછી એ વર્ણનની વિગતો પોતે જ ઘણે ઘણે ઠેકાણે પૂરી લે છે. પોતે કથારૂપે કહેવા જતાં કથાની ઐતિહાસિક મર્યાદાને માન આપતો હોય છે, તેમ છતાં ઐતિહાસિક વસ્તુનું કેવળ ‘રિપોર્ટિંગ’ કરવાનું પણ એને પાલવતું નથી. આ બધી સંકડામણ વચ્ચે ઇતિહાસ ઉપર થોડોઘણો વરખ ચડ્યા વિના રહી ન શકે. મુખપરંપરા ચાલી આવતી ઘટનાને એ રીતે અનેક કલ્પનાપુટો ને ભાવનાપુટો ચડ્યા જ હોય છે. જેમ સમય લાંબો જાય, તેમ એ પોપડાના થર વધુ જાડા થતા જાય છે.
પરંતુ આપણી આ ઘટનાઓ હજુ બહુ જૂનીપુરાણી નથી. અને હજુ કેટલાક નજરોનજરના સાક્ષીઓ હોવાનો લાભ છે. એનું આલેખન પણ નવલકથાની નવસર્જક શૈલીએ અને વિગત પાત્ર કે સ્થલનાં બંધનોથી મુક્ત બિનજવાબદારીની રીતે નથી થયું. તેટલી તેની વિશ્વસનીયતા વધે છે. દરેક ઘટનાવાર, સંપાદકને કેટલું વસ્તુ મૂળ મળેલું, અને તેમાં પોતે કેટલો ઘાટ પોતાની કલમ વડે આપ્યો છે, એ બતાવવું અત્રે ટૂંકી જગ્યામાં વિકટ બને છે. પણ સંપાદક પોતે ખાતરી આપે છે કે પાત્ર તેમ જ પ્રસંગને માત્ર ‘પ્રોપર પરસ્પેક્ટીવ’ (યથાર્થ ભૂમિકા) મૂકી શકાય તેટલી શબ્દયોજના યોજ્યા ઉપરાંત એણે લગારે છૂટ પોતાની કલ્પનાને લેવા દીધી નથી.
{{Poem2Close}}
<center>'''અંગ્રેજો પર દાઝ'''</center>
{{Poem2Open}}
બહારવટિયા માંહેના ઘણાખરા, જેને અંગ્રેજ રાજસત્તા સાથે અથડાવું પડેલું છે, તેઓની મુરાદ હંમેશા ગોરા અમલદારો સાથે મુકાબલો કરવાની રહેતી. ગોરાને મહાત કરવામાં તેઓએ પોતાનું ગૌરવ માન્યું હતું. બાવા વાળાએ ગ્રાંટને ઝાલી ચાર મહિના રાખ્યો. (અને એ ઝાલવું સહેલું નહિ થઈ પડ્યું હોય. ‘હું હથિયાર વિનાનો હતો’ એ કૅપ્ટન ગ્રાંટની વાત ન માની શકાય તેવી છે. સૌરાષ્ટ્રને કિનારે ચાંચિયાને તારાજ કરવા આવેલો લશ્કરી ગોરો, દીવ-અમરેલી વચ્ચેની ઘોર ગીરને વટાવતી વેળા, જોગીદાસ, બાવા વાળા વગેરેનાં બહારવટાં વિશે અજાણ્યો બની, હિંસક પ્રાણીઓની પણ ધાસ્તી વિના, એવા મારામારીના સમયમાં કેવળ એક કૂમચીભેર જ ઘોડેસવાર બનીને ચાલ્યો આવે, એ વાત જ અસંભવિત છે. આજે શાંતિના યુગમાં પણ ભાગ્યે જ કોઈ અંગ્રેજ-બચ્ચાની કમ્મર અથવા ગજવું રિવોલ્વર વિનાનું હશે, તો પછી તે યુગમાં શું ગોરો એટલો ગાફેલ રહે? નક્કી ગ્રાંટને છતે હથિયારે જ કાઠી લડવૈયાઓએ દબાવી દીધો હશે.) ચાંપરાજ વાળાએ ભાણિયાના ડુંગર પર એક લશ્કરી સાહેબને ફૂંક્યો. વાઘેરોએ બેટ અને દ્વારકાની લડાઈમાં સોલ્જરોને મારવા ઉપરાંત માછરડા પર હેબટ અને લાટૂશ નામના બે ગોરા પોલિટિકલ એજન્ટોને ઉડાવ્યા. વાલા નામોરીએ મરતાં મરતાં પોતાને ઝેર આપનાર ગોર્ડનને ગોળીએ વીંધ્યો. જોગીદાસ ખુમાણને ઝાલવા પોલિટિકલ એજન્ટ બાર્ટન પોતે અમરેલી આવી ફોજ ગોઠવતો હતો એ છતાં ગોરાના પડકારથી કાઠી ડર્યો નહિ. કાદુને સ્કૉટ પર દાઝ : જુમલાને સૂટર ન માર્યાનો રહી ગયેલ વસવસો : એ બધામાં વ્યક્ત થતી અંગ્રેજો પરની દાઝ આવા દુહામાં ઊતરી :
{{Poem2Close}}
<poem>
::ટોપી ને તરવાર, નર કોઈને નમે નહિ;
::સાહેબને મહિના ચાર, બાંધી રાખ્યો તેં બાવલા!
::<ref>ઘંટ = ગ્રાન્ટસાહેબ.</ref> ઘંટ ફરતો ઘણું, દળવા કજ દાણા,
::(એને) મોં બાંધીને માણા! બેસારી રાખ્યો તેં બાવલા!
::વશ કીધો વેલણનો ધણી, ગરમાં ઘંટને જે,
::(એની) વાળા! વલ્યાતે, બૂમું પૂગી, બાવલા!
::વીકે સરવૈયા વાઢિયા રણઘેલા રજપૂત,
::ભાણિયાને ડુંગર ભૂત સાહેબને સરજ્યો ચાંપરાજ!
::માણેકે સીંચોડો માંડિયો, ધધકે લોહીની ધાર,
::<ref>સોજીર = સોલ્જર.</ref> સોજીરની કીધી શેરડી, ઓર્યા ભડ ઓનાડ.
::સોજીરને સોજા કરી, વાઢે નર વંકા,
::જોધો ધીંગાણે ઝૂઝણો (એના) દલ્લી લગ ડંકાન.
::મૂળવે અંગ્રેજ મારિયા, (એના) કાગળ પૂગા ક્રાંચી,
::અંતરમાં મઢ્યમ ઉદરકે, સૈયરું વાત સાચી?
::તારી જે ટપાલું તણાં, વલ્યાતે કાગળ વંચાય,
::(ત્યાં તો) મઢમું બંગલામાંય વાળે મોઢાં, વાલિયા!
</poem>
{{Poem2Open}}
આ રીતે અંગ્રેજોની સત્તા સામે તેઓએ કશા પ્રભાવથી અંજાયા વગર મુકાબલો કરી દેખાડ્યો હતો. ગોરાને એણે કદી પોતાનાથી ઊંચો, જોરાવર અથવા સાર્વભૌમ ગણ્યો નથી. ગોરાની ખોટી પ્રતિષ્ઠા લોકોના માનસ પર ન ઠસવા દેવામાં આ ઘટનાઓનો હિસ્સો છે.
{{Poem2Close}}
<center>'''એ દાઝનાં કારણો'''</center>
{{Poem2Open}}
શા માટે તેઓએ અંગ્રેજ સત્તા તરફ આટલી ઘૃણા પ્રદર્શિત કરી? અંગ્રેજ સત્તા આંહીં બેસીને કાયદા અને વ્યવસ્થાનું સુદૃઢ શાસન ચલાવશે તો પોતાનું ગેરકાયદેસર સ્વચ્છંદી જીવન રૂંધાઈ જશે તે બીકે? કે અંગ્રેજ રાજસત્તા સૌરાષ્ટ્રના હિતને હાનિ પહોંચાડી કબજે કરી બેસશે તે ભયથી? ઇતિહાસ વાંચતાં આપણને બે કારણો સૂઝે છે. એક, અંગ્રેજ આંહીં મધ્યસ્થ સત્તા બની ન્યાય આપવા નહોતા આવ્યા, પણ ગાયકવાડ, ભાવનગર વગેરે મોટાં રાજ્યોની મદદે આવી તેણે પોતાના સૈન્યબળ વડે નાના જમીનદારોને જેર કર્યા હતા એ લોકમાન્યતા : દૃષ્ટાંતરૂપે જોગીદાસ ખુમાણ. ઇસ્ટ ઈંડિયા કંપનીનો નિંદ્ય કારોબાર આખા હિંદમાં સુપ્રસિદ્ધ હતો. બહારના તીર્થયાત્રીઓ સૌરાષ્ટ્રે ઊતરી એની વાતો ફેલાવતા. એ તિરસ્કાર અને તુચ્છકારથી જ પ્રેરાઈને વાઘેરોએ સદા મોજાં પહેરનારા અંગ્રજોને ‘ચીંથડેજા પગેવારા’ (ચીંથરાના પગવાળા) કહ્યા હતા. અને વાઘેરોની પાસેથી મૂળ ઓખામંડળ આંચકી લેવામાં મરાઠાઓને મદદ કરનાર પણ અંગ્રેજો જ હતા એ વાતનો દંશ વાઘેરોને જેવોતેવો નહોતો.<ref>કિનકેઈડ: ‘ધિ આઉટલોઝ ઑફ કાઠિયાવા’ (પાનું 35) “He (Jodha Manik) came, as his name indicates, from the Manik stock that at one time ruled Dwarka and Okha Mandal, before the Mahrattas, with British assistance, established themselves therein.’</ref>
{{Poem2Close}}
<center>'''બહારવટિયાનાં કાવ્યો'''</center>
{{Poem2Open}}
વીરતા અને દિલાવરી જ્યાં જ્યાં ગઈ ત્યાં ત્યાં લોકોની કવિતા પણ યશ ગાતી પાછળ ચાલી. બહારવટિયાનાં પ્રેમેશૌર્યે કવિતાને આકર્ષી છે : યુરોપમાં પણ પ્રો. ગમિયર લખે છે તેમ “The outlaw, now as an humble poacher and now as an ideal champion of the rights of man against church and state, is a natural favourite of the ballad muse.” એ રીતે બહારવટિયો કાવ્યનું પ્રિય પાત્ર બન્યો છે. સોરઠી બહારવટિયાનાં પ્રશસ્તિ-ગીતોના આટલા પ્રકારો છે :
1. ગ્રામ્ય નારીઓએ રચ્યા-ગાયા રાસડા : સ્ત્રી-હૃદયને મૃત્યુની કરુણતા વિશેષ સ્પર્શતી તેથી એને કંઠેથી આવા મરશિયા નીતર્યા :
{{Poem2Close}}
<poem>
::આડે ડુંગરથી ઊતર્યો નાથો, માઠાં શુકન થાય,
::ડાબી ભેરવ કળેકળે નાથા! જમણાં જાંગર જાય,
::મોઢાને મારવો નો’તો રે, ભગત તો સાગનો સોટો. <ref>‘નાથો મોઢવાડિયો’.</ref>
</poem>
{{Poem2Open}}
એવું જ બાવા વાળાનું ગીત. એવું જ ‘બાલુભા ભુજના રાજા, છેતરીને છેલને નો’તો મારવો’.
2. રાવણહથ્થાવાળા નાથબાવાઓ અથવા કાફીઓ રચીને ગાનારા ફકીરો દસ્તગીરોનાં ગીતો : પોતાનાં તંતુવાદ્યોના તાર પર ચડી શકે તેવા ઢાળો પસંદ કરીને તેઓએ રચના કરી, એમાં વૈવિધ્ય મૂક્યું. એની શબ્દરચનામાંથી સંગ્રામ-સૂરો સર્જ્યા. વધુ પડતાં વખાણો લીંપ્યાં, છતાં ઇતિહાસનું આછેરું નિરૂપણ કર્યું.
{{Poem2Close}}
<poem>
::ભુજવાળાનું ગામ ભાંગ્યું ને ફોજું ચડિયું હજાર,
::ઊંટ ઘોડાં તેં આડા દીધાં ને ધીંગાણું કીધું ધરાર,
::નામોરીનો નર છે વંકો રે, વાલા! તારો દેશમાં ડંકો. <ref>‘વાલો નામોરી’.</ref>
</poem>
{{Poem2Open}}
આ ઢાળ સરલ ને વેગીલો હોવાથી વારંવાર વપરાયો. વળી વાઘેરો વિષેની કાફીઓ એક નવો જ ચીલો પાડે છે —
{{Poem2Close}}
<poem>
::કોડીનાર મારીને જાય
::ઓખેજો રાજા કોડીનાર મારીને જાય
::ગોમતીને રાજા કોડીનાર મારીને જાય.<ref>‘જોધોમાણેક : મૂળુ માણેક’</ref>
</poem>
{{Poem2Open}}
આને માટે કિનકેઇડ કહે છે : "…is written in gay jingling metre, and affords relief to the somewhat wearisome quatrains of the Kathi bards."
એટલે કે આ કાફીઓ એકતાનતાનો કંટાળો તોડે છે, અને રણગીતની અસર બેવડી વધારે છે. વળી માત્ર પ્રશસ્તિથી જ ન અટકતાં કાફીના કવિઓએ તો અક્કેક ઘટના મૂકી છે. કોડીનાર ભાંગ્યાની ઠીકઠીક કથા એ ગીતમાં વર્ણવી દીધી છે. વાઘેરોની બીજી ત્રણ મશહૂર કાફીઓ પણ એ જ બંધારણને અનુસરે છે :
{{Poem2Close}}
<poem>
::ના રે છડિયાં હથિયાર
::::: અલા! લા! પાંજે મરણુંજો હકડી વાર, દેવોભા ચેતો,
::::: મુરૂભા વંકડા! ના છડિયાં હથિયાર. <ref>‘જોધોમાણેક : મૂળુ માણેક’</ref>
</poem>
{{Poem2Open}}
આ છે ‘બર્ડન ઑફ ધ સોંગ’ : ગીતનો ટેક : માછરડાની ધાર પર મશહૂર ધીંગાણામાં દેવાની દૃઢતા ને હથિયાર છોડવા કરતાં મરી ફીટવાની તત્પરતા બતાવતું, રણવાદ્યની માફક રોમાંચ ખડાં કરતું આ ગીત એ એક ઘટનાને આધારે વાઘેરોનાં બીજાં જાણીતા ધીંગાણાની પણ ટીપ નોંધે છે.
{{Poem2Close}}
<poem>
પેલો ધીંગાણો પીપરડીજો કિયો ઉતે
કિને ન ખાધી માર, દેવોભા ચેતો,
મુરૂભા વંકડા! ના છડિયાં તલવાર. <ref>‘જોધોમાણેક : મૂળુ માણેક’</ref>
</poem>
{{Poem2Open}}
પરંતુ રણગીતની રોમાંચક અસર છાંટનારી, ધીરવીરનું જીવન્ત સ્વરૂપ આલેખનારી અને શબ્દરચનાની ઉચ્ચ રુચિ બતાવનારી કાફી તો છે જોધા વિશેની : જોધો કેવે રૂપે બહારવટે ચડ્યો?
{{Poem2Close}}
<poem>
::મનડો મોલાસેં લગાયો
::જોધો માણક રૂપમેં આયો,
::કેસર કપડાં અલા! લા! માણકે રંગિયા ને
:::::        તરવારેસેં રમાયો — જોધો.
::જોધા માણકજી ચડી અસવારી લા! લા!
:::::        સતિયેંકે સીસ નમાયો — જોધો. <ref>‘જોધોમાણેક : મૂળુ માણેક’</ref>
</poem>
{{Poem2Open}}
ઉપલા બન્ને પ્રકારોમાં કાવ્યત્ત્વ ઓછું : રસાલંકાર નજીવા : શબ્દો છેક જ સાદા : શબ્દરચના શિથિલ : એની કર્કશતાને ઘસીને લાલિત્યના લીસા પાસા પાડવાનો યત્ન નથી : પ્રસંગોનું ઝીણું વિવરણ પણ નહિ : એટલે કેવળ રાવણહથ્થાના વાદનની સાથે જ આ ગીતો ગમતાં થાય :
“Combining narrative system with a lyric form : The verse is often crude, the tune is often coarse, but not seldom they have a genuine music.” આ શબ્દો બરાબર આ વિભાગને લાગુ પડે છે.
{{Poem2Close}}
<center>'''ચારણી પ્રશસ્તિ-પ્રકારો'''</center>
{{Poem2Open}}
3. ચારણી દુહાગીતો: આ દુહાઓ જૂની પ્રેમકથાઓમાં છે તેવા, બહારવટાંની સાંગોપાંગ ઘટનાઓના સાંકળેલા નહિ, પણ કાં કોઈ કોઈ પ્રસંગમાંથી પ્રેરિત, કાં બહારવટિયાના કોઈ ખાસ લક્ષણના દ્યોતક, કાં માત્ર શૌર્યપ્રેરક, અથવા તો કેવળ વધુ પડતી સ્તુતિના વાહક બને છે.
જુઓ પ્રસંગવર્ણન : રામ વાળાએ એક પાટીદાર ફોજદારને ઈંગોરાળામાં ઠાર કર્યો : એનો સૂચક દુહો રચાયો :
{{Poem2Close}}
<poem>
::કણબી આવ્યો’તો કાઠ્યમાં, એ લેવા ઇનામ
::ગરવાળાને ગામ, રફલે ધબ્યો તેં રામડા!
</poem>
{{Poem2Open}}
આ પ્રકારના અનેક દુહાઓમાં ઘટનાનું વર્ણન નથી, ફક્ત ઉલ્લેખ છે, રામ વાળાની પ્રશસ્તિ છે. આમ ઘટનાવર્ણનો ‘બૅલડ’ના માત્ર અંકુરો જ બનીને અટકી ગયાં. રચનારાઓનું ધ્યાન સ્તુતિ પર જ રહ્યું. જુઓ :
{{Poem2Close}}
<poem>
::જમૈયો જાલમસંગરો, ભાંજ્યો તેં ભોપાળ!
::દેવે જંજાળ્યું છોડિયું, ગો ઊડે એંધાણ.
</poem>
{{Poem2Open}}
એમાં રાજાબહાદુર જાલમસંગની કમરનો જમૈયો કેવા સંજોગોમાં વાઘેરોએ ઉડાવી મૂક્યો, તેનું બયાન નથી. એટલે આ દુહાઓ યુરોપી ‘બૅલડ’ને પદે બેસી શકે, છતાં એમાં રણગીતની નાદપ્રતિભા જામેલ છે. હવે બહારવટિયાનાં વિશિષ્ટ લક્ષણો દાખવતા દુહા વધુ બલવંત છે. જુઓ જોગીદાસના દુહા :
{{Poem2Close}}
<poem>
::પરનારી પેખી નહિ મીટે માણારા!
::શૃંગી રખ્ય ચળિયા, જુવણ જોગીદાસિયો!
</poem>
{{Poem2Open}}
એ બહારવટિયાનું ઉગ્ર શિયળવ્રત સચોટ શૈલીએ દાખવે છે. પછી
{{Poem2Close}}
<poem>
::ફૂંકે ટોપી ફેરવે, વાદી છાંડે વાદ!
::ના’વે કંડિયે નાગ, ઝાંઝડ જોગીદાસિયો!
</poem>
{{Poem2Open}}
એ એનું ટેકીલાપણું બતાવે છે. એ વાઘેરોના બહારવટાનો મુખ્ય સૂર અંગ્રેજો સામે અણનમ મસ્તકનો હોવાથી કવિઓએ એ ભાવ વધુ જોરથી પકડ્યો :
{{Poem2Close}}
<poem>
::મૂળુ મૂછે હાથ, બીજે તરવારે તવાં,
::હત જો ત્રીજો હાથ, (તો) નર અંગ્રેજ આગળ નમત.
</poem>
{{Poem2Open}}
કોઈ કોઈ વાર કવિએ કાવ્યની વિલક્ષણ ચમત્કૃતિ પણ મૂકી દીધી :
{{Poem2Close}}
<poem>
::ચાવ્યો ચવાય નહિ, રાંધયો નો રંધાય,
::મામદના મુખમાંય થિયો કાંકરો કવટાઉત.
</poem>
{{Poem2Open}}
'''[કવાટજીનો પુત્ર જેસોજી બહારવટિયો તો મામદશાહ સૂબાના મોંમાં જમતાં જમતાં કાંકરો આવી ગયો હોય તેવો જાગ્યો : મુખમાંનો કોળિયોયે બહાર કઢાવ્યા વિના રહે જ નહિ.]'''
{{Poem2Close}}
<center>'''લાંબાં ચારણી ગીતો'''</center>
{{Poem2Open}}
જે સંકલનાબદ્ધ સમગ્ર કથા ચારણ આ દુહામાં ન કહી શક્યો તે તેણે એક બીજી રચના વાટે કથવાનો યત્ન કર્યો છે : એને ગીત કહેવાય છે. ‘ગીત’ એવું નામ જ જૂઠું છે. એ ગવાતું નથી, કેવલ એકધારા સૂરે બોલાય છે. એનો લલકાર લડાયક છે. એનાં વૃત્તો જાંગડું, સપાખરું, સાવજડું, સિંહચલું, હરણફાળ આદિ નિરનિરાળાં નામે ઓળખાય છે. જુઓ જોગીદાસના કથાગીતનો નમૂનો :
{{Poem2Close}}
<poem>
::પડ ચડિયો જે દિ’ જોગડો પીઠો
:::::       આકડિયા ખાગે અરડિંગ;
::જરદ કસી મરદે અંગ જડિયાં
:::::        સમવડિયા અડિયા તરસિંગ.
::જુધ કરવા કારણ રણ ઝૂટા
:::::       સાંકળ તોડ બછૂટા સિંહ;
::માંડે બેધ ખેધ ખુમાણા,
:::::        લોહ તણે સર જાણે લીંહ.
</poem>
{{Poem2Open}}
એવી ત્રીસ કડીઓનું ગીત : પરંતુ વિષય એક જ : જોગીદાસ રણે ચડ્યો : બીજા કાઠીઓએ દગાથી એને સોંપી દીધો : ને વજેસંગજી ઠાકોરે એને માફી દીધી : બસ, બહારવટિયાના બહુરંગી જીવનપ્રસંગો ક્યાંયે ન આવ્યા. કારણ, ચારણી રચનાનો હેતુ એ વિગતો આપવાનો નહોતો, પણ એક જ ભાવના ઉઠાવી શબ્દગૂંથણી વડે સ્તુતિની, શૌર્યની, કરુણતાની અસર નિપજાવવાનો જ હતો. હવે લઈએ વાઘેરોનું ચારણી ગીત :
{{Poem2Close}}
<poem>
::<ref>મારી પાસે અપ્રકટ પડેલ સામગ્રીમાં આખું છે.</ref> મેળે ભોમિયા હેથાટ, જોધે દ્વારકા લહેવા મારે
::સલાહેક કીધી સોડ સાંગાણી સકાજ;
::ગાયકવાડકા થાણા મારી લીજેં ગઢ ગ્રાસ,
::રાહો રાણા જાણે એમ ઘરે કીજેં રાજ. [4]
</poem>
{{Poem2Open}}
'''[સંખ્યાબંધ ભોમિયા ભેળા કરી, મારીઝૂડીને દ્વારકા જીતવા માટે જોધાએ મસલતો કરી. ગાયકવાડનું થાણું નષ્ટ કરીને ગઢગરાસ લઈ લેશું, ને મોટા રાવરાણા જાણે તેમ આપણું રાજ ઘેર કરશું, એવા મનસૂબા બાંધ્યા.]'''
{{Poem2Close}}
<poem>
::જોધા એસા વીઘા મૂળુ, સમૈયા ને રવા જકે
::ભાંજણા મેંગળા-જૂથ શાદુળા ભુજાળ;
::માણેક માપહીંહરા, કોપિયા દખ્ખણી માથે
::લડન્તા ભારથે માંડે ફાળસું લાંકાળ. [8]
</poem>
{{Poem2Open}}
'''[જોધો, વીઘો, મૂળુ, સમૈયો ને રવો વગેરે હાથીનાં જૂથને ભાંગે તેવા ભુજાળા નરશાર્દુલો, માપ માણેકના વંશજો, દક્ષિણીઓ પર કોપી ઊઠ્યા.]'''
{{Poem2Close}}
<poem>
::હલકારે સેન ભારે પડક્કારે કીધી હલ્લાં,
::સીડિયાં માંડિયા કિલ્લે ચડી આયા સૂર;
::પ્રોળવાળાં ત્રોડ તાળાં, દરવાજા ખોલે પરા,
::પટાળા જોધાકા આયા લોહ વાળા પૂર. [12]
</poem>
{{Poem2Open}}
'''[ભારી સૈન્યે હલકારા પડકારા કરીને હલ્લો કર્યો, સીડીઓ માંડીને શૂરા કિલ્લે ચડી આવ્યા. પરોળનાં તાળાં તોડ્યાં, દરવાજા ખોલ્યા, પટાધર જોધાનું સૈન્ય લોઢાના રસના પૂર જેવું આવી પહોંચ્યું.]'''
પછી યુદ્ધનું નિત્યના વપરાતા શબ્દોમાં વર્ણન થયું (જે હું છોડી દઉં છું) અને ઘટના
આગળ ચાલી :
{{Poem2Close}}
<poem>
::કોટ છોડી ભાગા એમ દખણીકા કારકુન,
::સાહેબ અબૂલા આગે ફર્યાદી સુણાય;    
::અરજી સુણંતાં મુખે સાહેબ બોલિયા એમ,
::જમીં આસમાન બીચે કાબા કહાં જાય!
</poem>
{{Poem2Open}}
'''[કોટ છોડીને દક્ષિણનો કારકુન (વહીવટદાર) ભાગ્યો. સાહેબ પાસે ફરિયાદ સંભળાવી. સાંભળતા જ સાહેબ બોલ્યા કે જમીન ને આસમાનની વચ્ચે કાબાઓ (વાઘેરો) ક્યાં જશે?]'''
એ ઢબે રણગીત લંબાયું. પરંતુ વિષય રહ્યો કેવળ વિષ્ટિ અને યુદ્ધનો જ. અન્ય પ્રસંગો ન આવ્યા, લોકગીતોમાં રહેલા વિગતોના તત્ત્વને ચારણી ગીતોમાં અવકાશ ન મળ્યો. રચનારની દૃષ્ટિમાં ઝીણવટથી આખો ઇતિહાસ આલેખવાનું નિશાન નહોતું, કેવળ નાદની ને અમુક પ્રસંગની જમાવટ કરી શૂરાતન ચડાવવાનું હતું.
{{Poem2Close}}
<center>'''બહારવટિયા-કાવ્યનું પ્રેરક તત્ત્વ'''</center>
{{Poem2Open}}
પ્રશ્ન ઊઠે છે : શું કવિતા અંત:કરણની પ્રેરણામાંથી ઊઠેલી કે ફક્ત દ્રવ્યલાલસામાંથી? બહારવટિયાંનાં નિર્બલ તત્ત્વોને ન સ્પર્શતાં માત્ર શૂરાતન ને <ref>Treachery, then, the ballad-makers hated; cruelty they regretted; and to hurt a woman, to turn away from a fight, or to give in before the blood gave out, was to them dishonour. They did not think it necessary to keep the law, but then the law was not of their own making; it was either the bondage of convention or the rule of the rich. They cared little for comfort. Love and wine and gold they loved, but these are not comforts. The sleek sensual abbot with his ambling pad, his fat money-bags, was their abhorrence. The social order which the ballad-makers imagined for themselves, was a chaotic order, wild and blood-stained life, but as they saw it and sang of it, was a noble choice between two sets of evils. There are grave possibilities, no doubt, in the life of peace and comfort, and we must hope they may some day be realised, but perhaps there is something to be said yet for the ballad-life as an ideal. With all its crimes and sorrows, it was a life of the spirit. It was full of generosity, and sincerity and courage, and above all it set Death in his right place:</ref>  ટેક પર શબ્દોના વારિધિ ઢોળનારા ચારણો, રાવળો, નાથબાવાઓ કે કાફીગીરો — એ સર્વની વાસના ક્ષુદ્ર ને એની કવિતા હીન જ હોવી જોઈએ એવો મત ઘણાનો છે. ઘણી વાર અત્યુક્તિઓના ઓઘ ઠાલવીને અનેકે કવિતાઓ વેચી છે, ને આજે એ વેચાણ ચાલુ છે તે વાત સાચી. ભોજને દરબારે સંસ્કૃત કવિઓની પણ એ જ વલે થયેલી; અકબર ને શિવાજીની રાજસભા પણ એ કવિતાના વિક્રયથી મુક્ત નહોતી. છેલ્લાં સાતસો વર્ષથી મનુષ્યના ગુણગાન કરતી કવિતાએ એક જ પથ પર પગલાં દીધાં છે. એમાંથી ચારણો મુક્ત હોઈ શકે નહિ. છતાં એ મનોદશાને બીજી બાજુ છે. સર્વ ગ્રામ્ય કવિઓને એવી વૃત્તિ નહોતી. અનેક હૈયાંમાં લોકોની મરદાનગી, ટેક અને મૃત્યુંજય જિંદગી નિહાળી ઉછાળા દેતાં. એ ઉછાળનું ઝીણું પૃથક્કરણ એક અંગ્રેજ વિદ્વાન આ રીતે કરી ગયો છે :
{{Poem2Close}}
<center>'''પ્રશસ્તિકારની ભાવના'''</center>
{{Poem2Open}}
1વીરનરની મોજ મેળવવા માટે અથવા એ કશી વાંછના વિના, ગમે તે રીતે રચાયેલાં આ ગીતોના કર્તાઓએ દગલબાજીને ધિક્કાર દીધો છે; ક્રૂરતા પ્રતિ શોચ દાખવ્યો છે; સ્ત્રીને સંતાપવી, ધીંગાણેથી ભાગવું, માથું પડે તે પહેલાં માથું નમાવવું, એ તો ગીતકર્તાઓને મન બદનામી સમાન હતું. ભલે તેઓએ કાયદાનું પાલન જરૂરી ન ગણ્યું, પણ કાયદા ક્યાં તેઓના પોતાના કરેલા હતા? જે કાયદાનો ભંગ તેઓએ વખાણ્યો તે કાયદા તો શ્રીમંતોએ ને સત્તાધારીઓએ કરલા ને કાં પરાપૂર્વથી ચાલ્યા આવતા એ રૂઢિબંધો હતા. ઉપરાંત, મોજમજાને તેઓએ નથી ઉપાસી. બેશક બહારવટિયાનાં પ્રણયભુવન, સુરાપાન કે સોનાની પ્રાપ્તિ તેઓને ગમતી. પણ એ કાંઈ મોજમજા નહોતાં. કવિઓએ તો ચરબીભર્યાં શરીરવાળા મહંતોની ફાંદો તરફ અને રૂપિયાની થેલીઓ તરફ તિરસ્કાર દાખવ્યો છે, ત્યારે આ સંહારકોની સ્તુતિ કરનારા કવિઓને કેવી તરેહની સમાજવ્યવસ્થાની કલ્પનાઓ હતી? બેશક, અંધાધૂંધી અને મસ્તીખોર, લોહીથી ખરડાયેલી જીવનપ્રણાલી જ તેઓને પસંદ હતી. અને એ જીવનક્રમને જોઈ જોઈ એનાં ગાન ગાનારાઓએ એ રીતે બેમાંથી ઓછા અનિષ્ટવાળી સ્થિતિ જ પસંદ કરી લીધી હતી. શાંતિ અને આરામવાળી જીવનદશામાં અનેક ઇષ્ટ ફલો શક્ય છે, જગતના કલ્યાણની અનેક પ્રવૃત્તિઓ તેમાં ખીલી શકે તેવું છે, અને કોઈક દિવસ એ ખીલે તેવી આપણે આશા રાખીએ. પરંતુ આ યુદ્ધલીલાની જીવનદશાને પણ આદર્શ હતો એવું થોડુંક બોલી શકાય તેમ છે. એની ચાહે તેટલી ક્રૂરતા અને શોક-વેદના વચ્ચે પણ એ જીવનદશા તે આત્મા (‘સ્પિરિટ’)ની જીવનદશા હતી. એ દિલાવરી સચ્ચાઈ અને હિંમતથી ભરપૂર હતી. એથીયે વધુ આકર્ષક તો તેમાં મૃત્યુનું ઉચિત સ્થાન હતું. તેઓ માનતા કે મૃત્યુ તો એક બાજી છે. એ બાજીમાં આખરે તો સહુએ હારવું જ સરજાયું છે. રમી રમીને ભલે છેવટે હારીએ પણ પાસા તો ફેંકી લઈએ. એ હારમાં પણ મસ્તી જ છે.” (સર હેન્રી ન્યુબોલ્ટ.)
{{Poem2Close}}
<center>'''સૌથી મીઠાં મરસિયા-ગીતો'''</center>
{{Poem2Open}}
માટે જ બહારવટિયાનાં કાવ્યોની મીઠામાં મીઠી પંક્તિઓ તેઓનાં મૃત્યુ વિશેની છે. મૃત્યુ પર એ કવિતાએ સુંદર અશ્રુ સાર્યાં છે. એ રુદન-સ્વરો પશ્ચાત્તાપના નથી, નિરાશાના કે સંતાપના નથી, એમાંથી તો ગુંજે છે કોઈ અગાધ મમતાના સ્વરો. એમાંથી તો વીરતાના ઘોષ ગાજે છે :
{{Poem2Close}}
<poem>
::નારિયું નત્ય રંડાય, નર કે દી રંડાય નહિ;
::ઓખો રંડાણો આજ, માણેક મરતે મૂળવો!
::ગોમતીએ ઘૂંઘટ તાણિયા, રોયા રણછોડરાય,
::મોતી હુતું તે રોળાઈ ગિયું, માણેક ડુંગરમાંય.
::ઇંદ્રલોકથી ઊતરિયું, રંભાઉં બોળે રૂપ;
::માણેક પરણે મૂળવો, જ્યાં ભેળા થિયા ભૂપ.
</poem>
{{Poem2Open}}
એ શબ્દોમાં નુકસાનીના વિલાપ નથી, મૂળુ માણેક પાયમાલ થઈને ભૂંડે હાલે તેઓ મૂઓ તેનો કટાક્ષ નથી, એણે આમ કર્યું માટે એની આ વલે થઈ તે જાતનો ફેંસલો નથી. મૃત્યુમાં પણ મૂળુ તો ‘મોતી’ જ રહે છે. ઓખાભૂમિનો ભરથાર જ રહે છે. ગોમતીજીનો પણ પુત્ર જ રહે છે. રણછોડરાયને પણ રોવરાવે છે. એ જ ધ્વનિ આ રહ્યો :
{{Poem2Close}}
<poem>
::રામ વાળાનાં લગન આવ્યાં,
::લગનિયાંનો ઠાઠ ગોઝારો, બોરિયો ગાળો, ક્યાં રોકાણો
{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} રામ વાળો!
::અથવા તો
::ફાંસીએ ચડતાં કંથડજી બોલિયા,
::આમાંથી મુને એક વાર છૂટો મેલ્ય, બાલુભા ભુજના રાજા!
::છેતરીને છેલને નો’તો મારવો!
::ભોળવીને એનાં માથડાં નો’તાં વાઢવાં!
</poem>
<center>'''પ્રધાન સૂર'''</center>
{{Poem2Open}}
એ તમામ મૃત્યુ-ગીતોમાંથી એના એ જ સ્વરો ઊઠે છે :
1. They hated treachery. 2. It (Death) is but giving over of a game that all must lose. ફરી ફરીને એના એ સૂરો ગૂંજે છે : ફરી ફરી એનું એ ચિત્ર ઊઠે છે : મરસિયાના એ સ્વરોની અંદરથી મૃત્યુની બાજીમાં માનવજીવનની અનિવાર્ય હારના પાસા ખખડતા સંભળાય છે. સાંભળો :
{{Poem2Close}}
<poem>
::સંધાં શેત્રુંજા તણાં, ગાં’ ગરવે ગ્રીંધાણ,
::માંસનો ધ્રિવતલ મેરાણ, ગઢવી નાગ્રવડો ગિયો.
</poem>
{{Poem2Open}}
'''[શેત્રુંજા ડુંગર ઉપરથી ઊઠીને બધાં ગીધડાં ગિરનાર ચાલ્યાં ગયાં, કેમ કે આંહીં ગોહિલવાડમાં તો શત્રુઓનું માંસ ખવરાવી ધરવ કરાવનાર વીર નાગરવ મરી ગયો.]'''
{{Poem2Close}}
<poem>
::ટંક ટંક રોતી તેગ, પટાળી છૂટે પટે,
::અણનમ નાગરવ એક, ગઢવી ભ્રખ દેતલ ગિયો.
</poem>
{{Poem2Open}}
કોઈ સુંદરી પોતાનો સ્વામી મરતાં માથાના વાળની ડાબી-જમણી બન્ને પાટી છૂટી મૂકીને રડે, તેમ તારી તરવાર પણ પોતાના પટ્ટા મોકળા મેલીને ટંકે ટંકે રડે છે, કેમ કે દુશ્મનને કદી ન નમનારો સ્વામી નાગરવ ગિયડ નામે ભક્ષ દેનારો બહારવટિયો તો ગયો.
{{Poem2Close}}
<poem>
::તોળી જે કરમણ તણા! વાળા જોવાં વાટ,
::થોભા મોરાંનો થાટ, નાગ્રવડા! ભાળાં નહિ.
</poem>
{{Poem2Open}}
'''[હે કરમણના પુત્ર! તારી તો બહુ રાહ જોઉં છું પણ એ થોભા ને એ મુખમુદ્રાનો ઠાઠ હવે હું નથી ભાળતો.]'''
{{Poem2Close}}
<center>'''ક્રૂર આચરણો'''</<center>>
{{Poem2Open}}
બહારવટિયાઓનાં ઉચ્ચ તત્ત્વો બતાવી દીધા પછી આ હકીકત તો ઊભી જ રહે છે : ગામ બાળવાં, ખેડૂતોનાં માથાં વાઢી ઘીંસરાં કરવાં, વેપારીઓના ચોપડા બાળવા, નિર્દોષોને લૂંટવા, ન આપે તેને મારવા : એ બધું પ્રત્યેક બહારવટિયાના જીવનમાં વત્તાઓછા પ્રમાણમાં થયા જ કર્યું છે.
પરંતુ તેનો એક જવાબ છે. બહારવટું એટલે શું? પોતાનો ગરાસ ઝૂંટવનાર પ્રબલ રાજસત્તા સામે શત્રુતા જાહેર કરવી : લડાઈ જાહેર કરવી : અને લડાઈ એટલે શું તે આજના સંસ્કારી યુગમાં પણ આપણાથી અજાણ્યું નથી. એક સત્તા સામી સત્તા ઉપર હરકોઈ ઇલાજે એવું દબાણ લાવે કે સુલેહ કરવાની એને ફરજ પડે, એ લડાઈની નેમ છે. એ નેમને અનુસરનારાં યુદ્ધગામી રાજ્યો આજ પણ સદોષ-નિર્દોષનો વિચાર નથી કરતાં. એ તો શત્રુના સમગ્ર રાજને, એટલે કે રાજા તેમ જ પ્રજા બન્નેને શત્રુ ગણે છે. શત્રુ-રાજ્યનાં તમામ પ્રજાજનોને પોતાને ઘેર નજરકેદ રાખે છે, એની સંપત્તિ કબજે કરે છે, વગેરે બધું આજના યુગે પણ આવશ્યક ગણેલું યુદ્ધનું નીતિતત્ત્વ છે.
{{Poem2Close}}
<center>'''યુદ્ધનીતિ'''</center>
{{Poem2Open}}
હવે આપણે બહારવટિયાનાં આચરણો તપાસીએ : એમનામાં સ્વયંભૂ કામ કરી રહેલી મનોવૃત્તિને પકડીએ : એ યુદ્ધે ચડ્યા, તે પોતાના બરોબરિયાની સામે નહિ, પણ સોગણા પ્રબલ શત્રુઓની સામે પોતાની પાસે લાવ-લશ્કર તો નહોતું, છતાં શત્રુ પોતાના અન્યાયનો પ્રતિકાર કરે એવું ઉગ્ર દબાણ તો તેઓને શત્રુની ઉપર આણવું જ હતું. એમને મન કેવળ રાજ જ નહિ, પણ એ રાજશાસનમાં શામિલ રહેતી, અધીન રહેતી, એના રક્ષણ થકી આબાદાની ભોગવતી તથા એ રાજશાસનને કરવેરા ભરી નિભાવી રાખતી સમગ્ર પ્રજા સુધ્ધાં શત્રુ હતી. માટે તેના પર પણ ભીંસ લાવવી એ તેઓની યુદ્ધનીતિને મંજૂર હતું. જેમ રાજસત્તાઓ બહારવટિયાનાં સગાંવહાલાંને પરહેજ કરી તેના ગરાસ-ચાસ ખાલસા કરે, તેના મળતિયાઓને રિબાવે, તેમ બહારવટિયા પણ રાજસત્તાની જમીન વાવવા-લણવા ન દે અને બીજી હજાર રીતે સત્તાને ગૂંગળાવી મૂકે, કે જેને પરિણામે રાજને સુલેહનાં નોતરાં આપવાં સિવાય અન્ય રસ્તો જ ન રહેવો જોઈએ. જોગીદાસ ખુમાણે પોતાની જ આંચકી લેવાયેલી જમીન એ આંચકનાર રાજ્ય તરફથી ખેડૂતોને ખેતી માટે અપાતી જોઈ, ખેડાતી જોઈ એટલું જ નહિ, પણ કુંડલા ઉપર છેક રાજુલાથી દરબારી તોપખાનું ઢસડી લાવનાર પણ એ ખેડૂતોને જ દીઠા. જોગીદાસે કહ્યુ કે હું આ ખેડુને હું કેમ ખેડવા આપું? પોતાની જમીન ઉપર બહારવટિયો શત્રુ-રાજને કેમ નભવા આપે? રાણા પ્રતાપે શું કર્યું હતું? મેવાડની ધરતીમાંથી મોગલના ખજાનામાં એક પૈસો પણ ન જવા દઉં : કોઈ ખેડી તો ન શકે, પણ બકરાંયે ચારી ન શકે: એક ગોવાળે બકરાં ચાર્યાં : રાણાએ એનું માથું ઉતારી રાહદારી રસ્તા પર લટકાવ્યું : આ નીતિ તે બહારવટિયાની યુદ્ધનીતિ. ‘એવરીથીંગ ઇઝ ફેર ઇન લવ ઍન્ડ વૉર’ એ એનો સિદ્ધાંત : અધર્મ આચરનાર રાજસત્તાનું એકેએક અંગ પીંખી નાખવું એ યુદ્ધધર્મ : બેહોશ બની, તોબાહ પોકારી, ખુદ વસ્તી જ રાજા પર દબાણ લાવે, ને રાજા બહારવટિયા પ્રત્યે આચરેલો પોતાનો અનર્થ નિવારે, એ એનો અંત.
{{Poem2Close}}
<center>'''અંતિમ સાધન'''</center>
{{Poem2Open}}
આજે પણ યુદ્ધ-નીતિ તો એ જ છે. જે યુદ્ધમાં હિંસા મંજૂર છે તેની યુદ્ધનીતિ તો એ જ છે : એટલે કે સામી હિંસા ચલાવવી : ને બીજાં કેટલાંક જે યુદ્ધો અહિંસાના પાયા પર મંડાયાં છે તેની પણ યુદ્ધનીતિ તો એ જ છે : બળવે ચડેલા ખેડુની ખાલસા જમીન ખરીદ કરીને તે પર ખેડવા આવનારની સાથે ઉગ્ર અસહકાર : વિના માર્યે, વિના તરવારે એ માણસ મરે; એને મારવાની તરવારો જુદી : એટલું જ બસ નથી. એ રાજતંત્રમાં સહાય કરનાર તટસ્થ લોકોએ પણ રાજીનામાં આપી રાજસત્તા પર દબાણ લાવવાં જ જોઈએ, નહિતર તેઓના ઉપર સામાજિક બદનામી ઊતરે ને સામાજિક બદનામી એટલે ‘સિવિક ડૅથ’! બહારવટિયા આવી સંસ્કારી, અહિંસાત્મક અને સૂક્ષ્મ રીતિઓ જાણતા નહોતા. કોઈ જ તે દિવસે નહોતું જાણતું. એટલે તે દિવસ ‘ફિઝીકલ ડેથ’, ‘ફિઝીકલ ડીસએબિલીટીઝ’ (શારીરિક મૉત ને નિરાધારી ઉપજાવવાં) એ જ અંતિમ સાધન હતું. શત્રુની સાથે સહકાર દેનારા તમામ સંજોગોને રદ કર્યા વિના આરોવારો નહોતો.
{{Poem2Close}}
<center>'''વૈર વાળવાની વૃતિ'''</center>
{{Poem2Open}}
ભીમા જતે એક સંધીની દગલબાજીનો કિન્નો લેવા તમામ સંધીઓની કતલ કરી : જોગીદાસે કુંડલાની ચોરાસીમાં ખેડવા આવનાર કણબીઓનાં ઘીંસરાં કર્યાં : વાઘેરોએ પોતે પચાઉગીર માનેલા ગાયકવાડ સાથે સહકાર કરનારાં તમામ સોરઠી રાજ્યોમાં લૂંટો ચલાવી : એ બધાની પાછળ અવ્યક્તપણે આ જ યુદ્ધનિયમ ઊભો છે. અને ફ્રાંસ તથા રશિયાના વિપ્લવવાદીઓએ એનાં રાજારાણી અથવા અમુક ઉમરાવો ને પુરોહિતોના જુલમને કારણે સમગ્ર રાજકુલો, ઉમરાવકુલો તેમ જ પુરોહિત-સંઘોને કાપી નાખ્યા, તેની પાછળ પણ સિદ્ધાંત તો એ જ છે. ભેદ એટલો જ છે કે આંહીં બહારવટિયાના એકાદ ઘર અથવા એકાદ વંશ પર અધર્મ ગુજરેલો, ને ત્યાં સમસ્ત પ્રજા ઉપર. વૈર વાળવાની વૃત્તિ તો એક હતી. રાજતંત્રને અશક્ય બનાવવાની જ એ રીત હતી.
{{Poem2Close}}
<center>'''ખા અને ખાવા દે!'''</center>
{{Poem2Open}}
હવે વિચારીએ સંજોગોની વાત : લૂંટ એ અધર્મ, અમાનુષીપણું છે, એ ભાવનાનું ભાન એ યુગમાં જીવન્ત નહોતું. કોઈ મોટો વિપ્લવ આવે, અને પ્રત્યેક જણ પોતાને ભાગે વધુમાં વધુ લઈને બેસી જાય, તેવો સમય આવી ગયો હતો. કોઈ મોટું રાજ્ય પણ પોતાની ઈશ્વરદત્ત જમીન લઈને અહીં નહોતું આવ્યું. તમામે આવીઆવીને શક્તિ અનુસાર જીતી લીધું. કોઈને કળવકળ વધુ આવડ્યાં તો અન્યને ઓછાં સૂઝ્યાં. પણ વિજેતા હતો મોટો લૂંટારો, ને બહારવટિયો હતો નાનો લૂંટારો. એટલે માલિકી-હક્કની પવિત્રતા ‘સેંકટીટી ઑફ પઝેશન’ એ ભાવ અણખીલ્યો જ હતો. નહોતી કોઈ પ્રબળ ધર્મશક્તિ કે નહોતી કોઈ સામાજિક ભાવના. અહિંસાનું વાતાવરણ તો શૂન્યવત્ જ હતું. અહિંસાની લડત હોઈ શકે કે કેમ, તેની છાયાય કોઈની કલ્પનામાં નહોતી. નહોતી રાષ્ટ્રભાવના. હતાં કેવળ કુલભાવના ને કુલધર્મ. કવિ ન્હાનાલાલ કહે છે તેમ સહુ એકલવિહારી વનરાજો હતા. કોઈ રાજ્યસત્તાને પોતાના ધર્મરાજ્ય અથવા ન્યાયશાસન ચલાવવા આવેલી ચક્રવર્તી સંસ્થા તરીકે સ્વીકારવા તેઓ તૈયાર નહોતા. એટલે નિરંતર એક જ વૃત્તિ તેઓને ઉચિત તથા ધર્મ્ય લાગી કે બળિયા થવું. બેશક, બથાવી પાડવું એ વૃત્તિ હતી મોટાં રાજ્યોની. તેની સામે બહારવટિયાનો બોલ એ હતો કે તું તારું ખા, મને મારું ખાવા દે (‘લીવ ઍન્ડ લેટ લીવ!’)
{{Poem2Close}}
<center>'''ફાવ્યો માટે વિજેતા'''</center>
{{Poem2Open}}
આ બોલ જ્યાં જ્યાં ન ઝિલાયો, ત્યાં ત્યાં યુદ્ધનો અગ્નિ ઝર્યો. જે ફાવ્યો તે આજે વિજેતા ગણાયો, ન ફાવ્યો તેના લલાટમાં ‘લૂંટારો’ શબ્દ લખાયો. વિજેતાનાં વિરાટ સૈન્યોએ તેમ જ બહારવટિયાએ, બન્નેએ કરી તો કતલ જ. પણ બન્નેનાં કૃત્યો વિશે ભાષાપ્રયોગો ભિન્ન થયા. ઊલટું, લોકવાયકા બહારવટિયાનાં આચરણોનો જે ચિતાર આપે છે, તેમાં તો પેલા વિજયી સૈન્યના સંહારચિત્ર જેટલા લાલ રંગો નથી દેખાતા. બહારવટિયો પોતાની લૂંટફાટમાંથી મૂઠી ભરી ભરી બીજે હાથે દેતો જતો, પરમાર્થે વાપરતો, ગજાસંપત જ એ ઉપાડી જતો. અને અન્યના કાયદા ઉથાપતો પણ પોતે પોતાને કાજે કરેલા નેકીના નિયમો તો જીવસાટે પણ જાળવતો. બીજી બાજુ, વિજેતાનાં દળકટક જ્યાં થઈને હાલતાં ત્યાં ધરતીનું પડ ઉજ્જડ વેરાન બનાવી દેતાં; સ્ત્રીઓ, બાળકો કે ધર્મસ્થાનકો પ્રત્યેનો વિવેક ન રાખતાં.
{{Poem2Close}}
<center>'''યુગલક્ષણ'''</center>
{{Poem2Open}}
આજે યુગ બદલાયો છે. શાંતિ, સ્વસ્થતા, સત્તા, કાયદો, અહિંસા, ભ્રાતૃભાવ અને નિઃશસ્ત્ર દશા : એ તમામનું વાતાવરણ આપણી ચોપાસ ઘનિષ્ઠ બની છવાઈ ગયું છે. આજે એકાદ માણસનો એક જ જખ્મ જોતાં આપણને અરેરાટી છૂટે છે. એકાદ માણસ ધીંગાણે મરતાં આપણે કોચવાઈએ છીએ. પણ યુગેયુગની હિંસા તો ચાલુ જ છે. માત્ર ચાલુ હિંસા પ્રત્યે આપણી દૃષ્ટિ ટેવાય છે; એટલે જ ખાણોમાં ને કારખાનામાં ચાલી રહેલો લાખો નિર્દોષોનો સંહાર અત્યાર સુધી આપણી નજર પણ ખેંચતો નહોતો. આપણે એ જ ખાણના કોલસા કે સોનાં-રૂપાં, ને એ જ કારખાનાનાં કાપડ ઇત્યાદિ સેંકડો પદાર્થો પ્રેમથી પહેરીએ-ઓઢીએ છીએ. એ જ મૂડીદાર સંહારકો આ યુગના ઉદ્યોગવીરો બની આપણાં સન્માન પામે છે. બહારવટિયાઓએ આટલી કતલ કે લૂંટફાટ તો કદાપિ કરી જ નથી. ને જેટલી કરતા તેટલી પ્રકટપણે દિલનો સંકલ્પ છુપાવ્યા વગર કરતા, તેમ જ તેઓને સામે થવાનું દ્વાર પણ સહુને માટે ખુલ્લું હતું. કોઈ કાયદો એને ઓથ નહોતો દેતો. એ નિખાલસપણું અને સાફદિલી હતાં તે કારણે જ તેમાંથી અન્ય નેકીના સંસ્કારો આપોઆપ કોળ્યા હતા. લૂંટફાટ હતું એ યુગનું યુગપૂરતું લક્ષણ, અને બહારવટિયા બનનાર વ્યક્તિઓનું ચિરંજીવ લક્ષણ તો હતું ‘શિવલ્રી’ (પ્રેમ-શૌર્ય) : એ ચિરંજીવ હતું અને બલવાન હતું. વળી હતું સ્વયંભૂ. એમ ન હોત તો કોઈ ધાર્મિક સંસ્કારના અભાવે, કોઈ ઉચ્ચ રાજનીતિશાસ્ત્રના અધ્યયન વગર, અને કોઈ ધર્મનીતિશાસ્ત્રના સંસર્ગ સિવાય એ શી રીતે પ્રકટ થાત? ને પ્રકટ થયા પછી આવા વિઘાતક જીવન-પ્રવાહ વચ્ચે શી રીતે એની ડાળીઓ મહોરી હોત? પરનારી પ્રત્યેનું અદ્ભુત સન્માન, બ્રાહ્મણસાધુ પ્રત્યે દાનવૃત્તિ, શત્રુ પ્રત્યે વીરધર્મ વગેરે વસ્તુઓ પ્રકૃતિગત બદમાશીમાંથી ન નીપજે. ક્ષારભૂમિમાં સુગંધી ફૂલો ન ફૂટે.
{{Poem2Close}}
<center>'''બહારવટિયાની મનોદશા'''</center>
{{Poem2Open}}
આપણે એની મનોદશાનો વિચાર કરીએ.
1. બિનગુને પોતાની જમીન ઝૂંટવી લેનાર બળિયા રાજની અદાલતને બારણે ધક્કા ખાધા પછી પણ એને ઇન્સાફ ન મળ્યો ત્યારે એનો આત્મા ઊકળી ઊઠ્યો.
2. ચારેય દિશામાં નજર કરતાં કોઈ એને ઇન્સાફ અપાવે તેવું ન દેખાયું. ઊલટું, રાજકોટની એજન્સી સત્તાએ તો હમેશાં મોટાં રાજ્યોનો જ પક્ષ લઈ એ નાનાને પાયમાલીને છેલ્લે પાટલે મૂકી દીધો.
3. અન્યાયનો ઘૂંટડો એ ખુન્નસભર્યો, ખમીરભર્યો, સ્વમાની અને ટેકીલો ગરાસિયો કેમ કરીને ગળી જાય? ગળી જાય તો એની મર્દાનગી શા ખપની?
4. એ ઊઠ્યો : મારવાનો નિશ્ચય કરીને એ ઊઠ્યો : એણે પોતાનાં પ્યારાં બાળબચ્ચાં કોઈ પરાયાં ઘરને ભરોસે ભળાવ્યાં. એણે પોતાના વહાલા ઘર તરફ પીઠ વાળી ‘turned his back on the homestead where his families lived for centuries’. અને વેરાનમાં ઘર કર્યું.
5. એ શા કારણે? શા પરિણામની આશા કરીને? જીતવાની કે જીવવાની નહિ, પણ મૃત્યુ વડે, પોતાના શોણિતાક્ષરે અન્યાય સામે અવાજ દેવાની. યાદ કરો હીપા ખુમાણનું વચન : ‘મારે તો પાલિતાણાના દરબારગઢમાં મારો રણસગો ખોડાવવો છે!’ બહારવટિયો વૈભવ માણતો નહોતો, સાત સાત લાંઘણ સહેતો, રાત-દિવસ પહાડો ને નદીઓમાં ભાગતો ને સંતાતો, ઘાયલ થતો, પીડાતો, અસહ્ય કષ્ટ સહેતો, બાળબચ્ચાંના લાંબા વિજોગ સહેતો. અને ક્યાં ક્યાં સુધી? બાર-બાર, ચૌદ-ચૌદ વર્ષના અથવા સદાના એ વસમા દેશવટા હતા. અને છેવટે એના મિત્રો દ્વારા જ રાજસત્તાની કુટિલ દગલબાજી વિષથી, કતલથી કે આગ વડે એના જીવનનો કરુણ અંત આણતી.
6. એને પોતાને અન્યાયનો પ્રતિકાર કરવા અથવા તો બદલો લેવા માટે સૈન્યની જરૂર હતી. એની પાસે રાતી પાઈ નહોતી, લોકોએ એ સૈન્ય નભાવવું જ પડે એ એની વિચારણા હતી. શિવાજીએ પોતાની ફોજ સૂરતની લૂંટ ઉપર — એક નહિ પણ સાત-સાત વારની લૂંટ પર — નભાવી. એ છત્રપતિ, ક્રાંતિદર્શી, શાસક, નિયામક અને મરાઠી મહારાજ્યનો સ્થાપક તો લૂંટફાટમાંથી સાધનો મેળવ્યા પછી થયેલો.
7. એણે લૂંટો કરીને ધન સંઘર્યું નહિ. પોતાનાં સ્નેહી-સબંધીઓને નિહાલ કરી ન દીધાં. (રામ વાળાએ પોતાની બહેનોને કહેરાવ્યું મનાય છે કે ‘રગતનો પૈસો તમને નહિ ઝરે. માટે હું તમારા સારુ લૂંટ નહિ કરું’.) માત્ર પોતાનો ટકાવ કરી, બાકીનું ખેરાતોમાં દીધું.
8. એનાં બાળબચ્ચાં ને સગાંવહાલાં પર જુલમ અને અપમાન ગુજરતાં,એની પોતાની સામે પણ શત્રુરાજ્ય એકલું જ નહોતું, પણ અન્ય મિત્રરાજ્યો, બહારની સત્તાઓ વગેરેનાં જૂથ જામતાં. એથી બહારવટિયાની અકળામણ વધતી, ખુન્નસ વધુ તપતું, ઘાતકી મનસૂબા ઊપડતા.
9. શત્રુ પ્રત્યેની દાઝ જેમ વખતોવખત ક્ષમા અને ખેલાડીનીતિની કક્ષાએ ચડી વંદનીય બનતી, તેમ કોઈ વખત કિન્નાનું સ્વરૂપ ધરી ભીમા જતની માફક, એક જ સંધીની દગલબાજીનો બદલો લેવા આખી સંધી કોમની કતલનું કરુણાજનક સ્વરૂપ ધરતી. એ વિચિત્ર માનવીઓનું આ બધું વિલક્ષણ અને વ્યક્ગિત સારું-માઠું માનસ હતું.
{{Poem2Close}}
<center>'''વેપારીઓના ચોપડા'''</center>
{{Poem2Open}}
10. વેપારીઓના ચોપડાઓને આગ લગાડવામાં રહેલી એની વિવેકભૂલી દાઝની પાછળ ગામડાંના વેપારી-સમુદાયની મૂડીદારનીતિ ઊભી હતી. ગામડાંનો વેપારી કેવળ ‘બમણાં-ત્રમણાં નાણાં’ કરીને જ જીવતો. અજ્ઞાની અને ભોળી ગ્રામ્ય કોમોને બુદ્ધિની જળો મૂકી એ ચૂસી લેતો. ઘણીવાર રાજસત્તાની સાથે લાંચરુશ્વતની લાગવગ લગાડી વિચિત્ર સંજોગોમાં ગરાસિયા ઉપર જપ્તી લાવતો. આજ પણ ખેડુ તથા ગરાસિયાની બરબાદીની તવારીખમાં મોટો કુયશ વેપારીને નામે જમા થાય છે. એ આખો ઇતિહાસ અત્યંત ત્રાસજનક છે. એ કુટિલતાની સામે કણબી ખેડુનું ઠંડું લોહી ઊકળી શકતું નહિ, જ્યારે લડાયક સંસ્કારવાળા ગરાસિયાની અડબૂત આંખો વીફરીને આ રીતે વૈર વાળતી. ‘લાવો ચોપડા બાળી દઈએ એટલે બિચારા કંઈકને સુખ થઈ જાય!’ એ એનું બુથ્થડ સૂત્ર હતું.
{{Poem2Close}}
<center>'''વિવેકબુદ્ધિ અશક્ય'''</center>
{{Poem2Open}}
11. પરંતુ જ્યાં પ્રબલ અને પ્રમત્ત ઊર્મિઓનાં ઘમસાણ બોલતાં, જ્યાં વીરત્વનું સ્વરૂપ રૌદ્ર બની જતું, જિંદગીને બાજીમાં હારી જવાનો તૉર જાગતો, જ્યાં વેદનાના પછાડા ચાલતા, ત્યાં પ્રત્યેક પગલે જૈન વિતરાગના જેવી અહિંસાની દૃષ્ટિ જાળવવી અશક્ય હતી, ત્યાં પ્રત્યેક માનવજીવનનું મૂલ્ય આંકવા બેસવું એ અસંભવિત હતું. પગલે પગલે જો આ પુરુષો આવી કોઈ અસાધારણ વિવેકબુદ્ધિ વાપરીને જ ચાલ્યા હોય, તો આપણે એને પરિપૂર્ણ વીરત્વના આદર્શપદે સ્થાપી શકત. પરંતુ આદર્શ વીરત્વ, પરિપૂર્ણ અને પરિશુદ્ધ વીરત્વ તો આપણે નિત્ય જેને રટીએ છીએ તે રામાયણ-મહાભારતમાંયે મળવાં દુષ્કર છે, માટે જ આપણે બધી પરિમિતતા લક્ષમાં લઈ એટલું જ ઉચ્ચારી શકીએ કે બહારવટિયાઓ બહાદુરો હતા; પણ ‘હીરોઝ ઇન મેકીંગ’ હતા.
{{Poem2Close}}
<center>'''પ્રેરકો ન મળ્યા'''</center>
{{Poem2Open}}
‘હીરોઝ ઇન મેકીંગ’ : હા, શિવાજીને રામદાસ ગુરુ અને જીજાબાઈ માતા મળ્યાં, માટે એ વીર બન્યો, શાસક બન્યો. જોગીદાસને રામદાસ નહિ, પણ મુરાદશા મળ્યો. જોધા માણેકને કોઈ ન મળ્યું. જેસા-વેજાને માંગડો ભૂત મળ્યો. બાવા વાળાને દાનો ભગત મળ્યા. કોઈને રામદાસનો મણિસ્પર્શ ન થયો, નહિ તો એમાંના કોઈમાંથી પણ શિવાજીનું સ્વલ્પાંશ સોનું સૌરાષ્ટ્રને સાંપડ્યું હોત. મહાનુભાવતાની ભારેલી ચિનગારીઓ કોઈ કોઈ વાર ઝબૂકી ગઈ, પણ એની સાથે લોકસેવાની ભાવનાનાં ઇંધણનો સંપર્ક કરાવી દીક્ષાની ફૂંક દેનાર કોઈ પરમ પુરુષ નહોતો. સૌરાષ્ટ્રમાં રામદાસ નહોતા, ગુરુ ગોવિંદસિંહ નહોતા. વીરત્વની સોનાખાણના આ સુવર્ણને ઓગાળી માટીથી વિખૂટું પાડનાર કોઈ ભઠ્ઠીઓ નહોતી, એરણ ને ઘણ નહોતાં, કારીગર કે કીમિયાગર નહોતો. એની ક્રૂર બહારવટા-નીતિમાં સંસ્કાર ન આવ્યા તે માટે તો જગત-સમસ્તના વીરત્વનો ઇતિહાસ જવાબદાર છે. અને આજે નિર્મળ વિવેકદૃષ્ટિને નામે છાપરે ચડીને બોલતો યુગ પોતે શું ઓચરે છે? વાણિજ્ય, ઉદ્યોગ, રાજકારણ વગેરેનાં ષડ્યંત્રોમાં લાખો સ્ત્રી-પુરુષો અને બાળકોનો દિવસરાત સંહાર બોલાવી, એનાં શોણિતને પૈસે કલા, ધર્મ, કેળવણી, સમાજસુધારો, સ્વાતંત્ર્ય ઇત્યાદિના ધુરંધર મુરબ્બી બની, દેશવીર બની અનેક લોકો પૂજાય છે. એની લંપટતા અને રક્ત ચૂસવાની કુનેહ આજે વીરત્વમાં ખપે છે. બહારવટિયા હરગિજ એ બધું જોઈને આજે પોતાને પુણ્યશાળી માનત.
{{Poem2Close}}
<center>'''આસમાનીનો તૉર'''</center>
{{Poem2Open}}
હવે કરીએ બીજી કોટિના બહારવટિયાની વાત : એમાં આવે છે વાલો નામોરી, મોવર સંધવાણી, એકલિયો વગેરે : જેને કોઈ રાજસત્તા સામે રોષ-ફરિયાદ (‘ગ્રીવન્સ’) નહોતાં. તેઓનાં બહારવટાં અણઉશ્કેરાયેલાં (‘અનપ્રોવોક્ડ’) હતાં અથવા કુટુંબકલહમાંથી, એકાદ ગુનામાંથી કે પરસ્પરના તંતમાંથી પરિણમ્યાં હતાં. આની પાછળ શી મનોદશા હતી? એ મનોદશા માત્ર ચોરીની અથવા લૂંટફાટની નહોતી. ચોરીલૂંટથી બહારવટું જુદી જ વસ્તુ છે. બહારવટું એ જીવનસટોસટની વાત છે. એમાં મૃત્યુ સિવાય અન્ય પરિણામ નથી. એમાં દેહદમન, પીડન, વિપત્તિઓ વગેરે બહુ હોય છે. વળી જ્યારે આવો લૂંટારો પોતાના જીવનમાં નિજ-રચ્યા કેટલાક વસમા નેકી-નિયમો સ્વીકારી બેસે છે, ત્યારે તેનાં કષ્ટો દુ:સહ બને છે. છતાં સત્તાને ચરણે પડી શાંત પ્રજાજન થવા કરતાં તોફાને ચડી મૃત્યુની વાટ લેવી એને શીદ પાલવે છે? પોતે લૂંટતો છતાં બીજી બાજુ ખેરાત કરી ફકીર રહેવું શીદ પસંદ કરે છે? એનું કારણ ‘લવ ફોર રોમાન્સ’ : અદ્ભુતતાનાં તત્ત્વો સાથે ખેલવું એ એની ખુમારી હોય છે. પહાડો અને નદીઓ પર જાતવંત ઘોડાં ઠેકવવાં : ગુફાઓ અને ગાળાઓમાં નિવાસ કરવો : ગામો ભાંગીને ગાયોને કપાસિયા નીરવા, ચોરાસીઓ જમાડવી, ખેરાત ઉડાડવી : મૃત્યુના ઓછાયા આવરી રહ્યા હોય ત્યારે પણ દાંડિયારાસ, રાસડા, જીંડારી ઇત્યાદિના જલસા માણવા; સત્તાધીશોને સામેથી કહેણ મોકલવાં; પોતાના નેજા ફરકાવવા : અરણ્યોની ઝાડીમાં કે નદીની ભેખડોમાંથી ઓચિંતાં બોકાનાં બાંધી દેખાવ દેવો; કોઈ ગરીબ બાપની દીકરીને કન્યાદાન દેવા ઓચિંતા લગ્નચોરીમાં પ્રકટ થવું : કોઈ ગરીબ માણસની સવેલી કન્યાને પરણવા જનાર હરામીની જાન રોકી તે જાનમાં એ સાચા ગરીબ વરને બેસારી પરણવા લઈ જવો : કોઈ રોટલા આપવા આવનાર બાઈને બહેનદીકરી કહીને નવાજેશ દેવી : કોઈ સાહેબની મડમને અંતરિયાળ રોકી લૂંટવાને બદલે ઊલટું બહેન કહી કાપડાના રૂપિયા આપવા, શૂરવીર વાણિયો પણ સામે થાય તો તેને બહાદુર કહી જવા દેવો : બહારવટે છતાં બેધડક રાજસત્તાના ચોકીપહેરા ભેદી કરીને પોતાને ઘેર જઈ કુટુંબને મળવુ : વરજાંગ ધાંધલની માફક પોતાની વાટ જોતી સ્ત્રીને કહેણ મોકલાવ્યા મુજબ જ મળવા જવા નીકળવું : નીકળતી વેળા અપશુકન થાય તેને ન ગણકારી પાદરમાં શત્રુઓ મળ્યા તેની સાથે ધીંગાણે રમી દેહ પાડવો : શત્રુને ગોળી ન મારતાં તેના ઘોડાના ડાબલા અથવા કમરના જમૈયા પર બંદૂક આંટીને એને ચેતવવો : સરકારી દફતરો બાળી નાખવાં : આ બધું ‘રોમાન્સ’નું બળવાન તત્ત્વ છે. પુનિયો ચારણ, બસ, એકલવિહારી બહારવટિયો બનીને ચાલી નીકળ્યો. કોઈ સંગાથી જ એણે ન રાખ્યો, અને એકલવાયા ઘૂમતાં ઘૂમતાં જ એણે ધીંગાણાં કર્યાં; એ પરથી લોકોએ એને ‘એકલિયા’ની પદવી દીધી : એ બધું જીવનની મસ્તી દાખવે છે. બેશક, એમાં જંગલી તત્ત્વ ઘણું ઘણું ભર્યું હોય છે. આવા તૉરીલા, મોજીલા, વજ્ર-શી છાતીવાળા, અડબૂત છતાં ઉદાર, ઘાતકી છતાં દયાવંત, લહેરી છતાં ચારિત્ર્યવંત, એવા અનેક બહારવટિયાની જીવનકથાઓ યુરોપ-અમેરિકામાંયે લખાઈ છે, સિનેમાના ચિત્રપટ પર આકર્ષક રીતે ઊતરી છે.
સ્પેનનો ‘ગૂચો’ જાતનો લૂંટારો એનું સુરેખ દૃષ્ટાંત પૂરું પાડે છે. ‘પિકચરસ્ક બટ બેનફૂલ કેરીઅર’ : એ શબ્દો એને ભાટે સુયોગ્ય જ છે. પચરંગી, પીડનકારી જીવનને કારણે જ એ માનવ-ધૂમકેતુઓ મૃત્યુની વાટે નીકળી પડે છે. એ લૂંટારાપણું એની પ્રકૃતિ નથી. લૂંટો કરીને એ પોતાનું ઘર ભરતા નહિ. લૂંટ એની લાલસા નહોતી. એ એની પ્રકૃતિ પરના જાડાપાતળા ઢાંકણ નીચે હતું નેકીદાર હૃદય. એને ગમતા સંધ્યાના રંગો. એની વાટને અંતે અંધારી મધરાત આવે છે. ત્યાં પેસવાના એને કોડ હતા.
{{Poem2Close}}
<center>'''માનવહૃદયનો પ્રશ્ન'''</center>
{{Poem2Open}}
‘ચાઈના ઇન રિવોલ્ટ’ (બળવે ચડેલું ચીન) એ પુસ્તકનો બાહોશ લેખક બોલે છે કે “યુરોપી સંસ્કૃતિએ કુદરત પર વિજય મેળવેલ છે; કુદરત મનુષ્યની ઇચ્છાઓને ઉપયોગી થાય તે રીતે તેને કબજે કરી અંકુશમાં લીધી છે, અને તેમાં નિ:સંદેહ ફતેહ મેળવી છે. પરંતુ કુદરતની શક્તિઓ કરતાંયે વધુ ભયાનક તો મનુષ્યની ઊર્મિઓ છે, અને એ ઊર્મિઓનું જ્યાં સુધી ઉચિત નિયમન નહિ થાય, ત્યાં સુધી સંસ્કૃતિ સ્થપાઈ શકશે જ નહિ.” (“Modern European civilization has succeeded in the conquest of nature by subduing and controlling her so that she can be made to serve man’s desires, and this with unquestionable success. But more terrible than the objective forces of nature are the passions of man, and until these passions are properly regulated, there can be no civilization”.)
{{Poem2Close}}
<center>'''કિનકેઇડ ન સમજ્યો'''</center>
{{Poem2Open}}
બહારવટિયાની છણાવટમાં આ બોલ સહેજે સાંભરે છે. આ સૂત્ર આપણે સોરઠની લડાયક જાતિઓને લાગુ પાડવાની જરૂર રખે ચૂકી જઈએ. ભગવાનલાલ સંપતરામ સરખો શાણો અને ચોક્કસ ઇતિહાસકાર પોતાના સાચા અંત:કરણના નિરીક્ષણથી જે વાત સમજી શક્યો હતો તે કિનકેઇડ સાહેબ પરદેશી સત્તાધીશ હોવાને કારણે પૂરેપૂરી ન સમજી શક્યો. કિનકેઇડે વાઘેરો વિષે પોતાના ‘ધિ આઉટલૉઝ ઑફ કાઠિયાવાડ’માં લખ્યું કે૰—
Hindustani sepoys in the guise of mendicants penetrated every part of the province with strange tales of the massacre of the white garrison and of the lurid sunset of the British Empire. By none were these tales more greedily listened to, than by Jodha Manik of Okhamandal.
<center>* * *</center>
Unmolested there he again took heart, and on the early morning of the 8th October, 1860, performed the great feat of his life — the sack of Kodinar * * * and the rest of the day was spent by the Waghirs in the agreeable task of looting the Bania’s shops and houses. But Jodha Manik was no miser and when the Banias were fleeced to the bone, he spent the loot in feasting the neighbouring Brahmins, whose acknowledgment of his Kshatri descent he wished to obtain, and the low-castes whose support he desired.”
But Shortly after this exploit, and possibly as a result of his excesses on that occasion, he died of fever in the Gir.
બસ; “બાવાવેશધારી હિન્દુસ્તાની સિપાઈઓએ ’57ના બળવામાં ગોરાની કતલની ને બ્રિટિશ રાજના અસ્તની વાતો કરી. જોધો એ ગળી ગયો. કોડીનાર ભાંગ્યું. વાણિયાને નિચોવ્યા. ‘ક્ષત્રિ’નું પદ મેળવવા બ્રાહ્મણોને દાન કર્યું. બહુ ખાધું. મરી ગયો.” ફક્ત આટલા જ કટાક્ષયુક્ત શબ્દો વડે એ ઇતિહાસકારે આખી જીવનકથા પતાવી. અને મૂળુ માટે પણ આટલું જ લખ્યું :
“Mulu had escaped with a few followers, but he did not long survive his brother. He was surprised and shot the following day by the Porbander police.”
{{Poem2Close}}
<center>'''ત્રાજવાં સમતોલ નથી'''</center>
{{Poem2Open}}
આથી વિશેષ આ પરદેશીને ન દેખાયું. વાઘેરોના પૂર્વ-ઇતિહાસમાં અથવા વર્તમાન પ્રકૃતિમાં ઊતરવાનું એને મન થયું નથી. વાઘેરાને એ ‘રિબેલ્સ’ કહીને સંતોષ પામે છે. કોડીનારની લૂંટ માટે એ બે પાનાં રોકે છે. પણ શંખોદ્ધાર બેટ વાઘેરોના હાથમાંથી પડાવી અંગ્રેજ લશ્કરે સોનાના માયાવી લાટા કાઢવા મંદિરોની દીવાલો પર કેવા ગોળા ચલાવ્યા અને ટૉમીઓને દારૂ પિવાડી કેવાં ગામ લૂંટવા ત્રણ કલાકની કાયદેસર મંજૂરી આપી, ઓખામંડળ પર બલોચ લશ્કરના અત્યાચાર કેટલી હદ સુધી ચાલ્યા, મૂળુને કેવો ફસાવીને કેદ કર્યો, આભપરાના ડુંગર પર તોપોથી પણ શત્રુઓ મહાત ન થયા એટલે પાણી પીવાના તળાવમાં ઝેરી ગૅસના ગોળા ઝીંક્યા : વાલાની ટોળીને ગોર્ડન સાહેબે લાડવાની અંદર કેફી પદાર્થ ખવરાવીને મારી : એ બધી વાતો વિશે કિનકેઇડ એક ઇશારો પણ નથી કરતો.
{{Poem2Close}}
<center>'''જસ્ટીસ બીમનની વિવેકદૃષ્ટિ'''</center>
{{Poem2Open}}
એ જ કિનકેઇડના પૂર્વગામી ન્યાયમૂર્તિ સ્વ. બીમને શું લખ્યું? સૌરાષ્ટ્રના વરિષ્ઠ ન્યાયાધિકારીને પદેથી ઊતરી મુંબઈના વડા જડજ તરીકે વિખ્યાત થયેલા એ વૃદ્ધ અંગ્રેજ સૌરાષ્ટ્રના પરિચયનાં જૂનાં સ્મરણોના એક લેખ ‘રિકલેક્શન ઑફ ઑલ્ડ ડેઝ ઇન કાઠિયાવાડ’ (‘સાંજ વર્તમાન’ વાર્ષિક : 1910)માં છેલ્લી લખેલી પંક્તિઓ એક દિલસોજ, દીર્ઘદર્શી અને પ્રેમશૌર્ય પિછાનનારા આત્માની ફોરમ પ્રકટાવે છે :
આ જૂના બહારવટિયાની અંદર ઘણું ઘણું સુંદર ને સાચું પ્રેમશૌર્ય ભર્યું હતું. લગભગ એક પણ અપવાદ વિના એ બધા જુલમથી છેડાઈને જ બહારવટે નીકળનારા બહાદુરો હતા. અને તેઓના પ્રારંભિક દિવસોમાં તો ભાગ્યે જ તેઓમાંનો એક પણ બહારવટિયો સ્ત્રીઓને, બાળકોને, વૃદ્ધોને કે અશક્તોને જાણીબૂજીને પીડવાનો દોષિત બન્યો હશે. કદાચ જુમા ગંડ સિવાયનો તો એકેએક સાચો અસલી બહારવટિયો મેં કાઠિયાવાડ છોડ્યું તે પૂર્વે જ કાં તરવારથી, કાં ફાંસીથી અથવા તો કાળા પાણીની સજા વડે સાફ થઈ ચૂક્યો હતો. આમાંના અનેકની સાહસિક કારકિર્દીના આખરી તબક્કા સાથે મારે સારી પેઠે નિસ્બત હતી; અને જોકે મારે હમેશાં કાયદેસર તો કરવું જ પડતું, તે છતાં મને આ ગેરમાર્ગે ઊતરી ગયેલા ને બૂરો વર્તાવ પામેલા મરણિયા મર્દોને માટે સાચું માન થયા વિના રહેતું નહિ. મૉતને ભેટવાનું નોતરું સાંભળીને માત્ર એક બહારવટિયો થરથર્યો હતો : એ હતો રાયદે ચારણ. ખેર! આખા કાઠિયાવાડ ઉપર ત્રીસ વર્ષ પર આ બધી ઘટનાઓ રોજેરોજ બલકે કલાકે કલાકે બન્યા કરતી એ વાત અત્યારે લગભગ ન મનાય તેવી લાગે છે — નહિ? ત્યાંનું જીવન એ દિવસોમાં રસભરપૂર હતું — માત્ર બહારવટાનાં આવાં ખાસ લક્ષણો થકી જ નહિ, પણ બીજા સેંકડો રંગબેરંગી અનુભવો વડે, કે જે અનુભવો આજે છે તે કરતા વધુ સાચા લાગતા, અનેકવિધ રોમાંચક રંગભભકથી ધબકતા લાગતા. (There was a great deal of fine true chivalry in the old outlaws. They were almost without exception brave men driven into outlawry by oppression, and few of them, at least in early daya, were guilty of wanton cruelty to women and children, or the old and feeble. I believe I am right in saying that every one of the genuine old Kathiawar outlaws (with perhaps the exception of Juma Gande) was wiped out, either by sword or the gallows or transportation, before I left Kathiawar. I had much to do with the last scene in many of these adventurous careers and as a rule while I had to enforce the law I could feel a genuine respect for these misguided hardly treated desperate men, Only one ever shrivelled when called upon to face the music: Raide Charan. Well, it sounds almost incredible now, doesn’t it, that such should have been the almost hourly, daily happenings all over Kathiawar thirty years ago. Life there, in those teemed with interest not only in this special feature of outlawry but in a hundred other picturesque touches and exeperiences, which I could relate and, while rougher, seemed much more real and throbbing with variety of excitement and colour, than it commonly is today.
{{Poem2Close}}
<center>'''શ્રી ભગવાનલાલ સંપતરામની નજરે'''<center>
{{Poem2Open}}
હવે રાવસાહેબ ભગવાનલાલનું માનવતાભર્યું કથન લઈએ :
બેશક તેઓ થોડા છતાં મોટી ફોજ સામા આવી બાથ ભીડતા ને શાબાશી પડકારાથી સારા લડવૈયાનાં હાંજા નરમ કરી નાખતા હતા તેનું કારણ એ જ હતું કે તેઓ મરણિયા થયા હતાં. મરવું-મારવું એ જ નિશ્ચય કર્યો હતો. આમાંથી જીવતા રહી ઘેરે બેસશું એવી તેમને આશા જ નહોતી. તેઓ ઉપર ગાયકવાડે જુલમ કર્યો હતો અને તે જ કારણથી તેઓને પોતાનાં ઘરબાર અને બાપુકા વતન મૂકી ભાગવું પડેલું. તેઓનાં સારા સારા લોકો કપાઈ ગયા હતા. ભૂખતરસ ને ટાઢતડકા વેઠી તેઓનાં મગજ ફરી ગયાં હતાં. અને તાલુકદારોની તથા સરકારી ફોજ તેઓને એક જગે નિરાંતે બેસવા દેતી નહોતી. તેથી વેર લેવું ને મરવું એ વિચારે તેઓનાં મગજમાં મજબૂત ઘર કર્યું હતુ. વાઘેરો વિષે દેશના લોકોને પણ ઘણું તપતું હતું, તેઓ જાણતા હતા કે બિચારા ઉપર ગાયકવાડે જુલમ કર્યો છે. હવે મૂળુ એકલો રહ્યો. તે આ વખતથી નિરાશ થઈ ગયો. ઘણી ભૂખ, તરસ, થાક, ઉજાગરા, માણસો મૂઆનો અફસોસ, ભાઈ જેવા ભાઈનું મૉત, તે પણ વિયોગમાં થયું : તેથી શું એના મનને થોડું લાગતું હશે? કહે છે કે કેટલીક વાર તો મૂળુ લાંઘણો ખેંચતો હતો અને કેટલીક વાર તેને સાત-સાત દહાડા સુધી અનાજ મળ્યું નહોતું. બિચારો તે પણ ઘણા દહાડા આ રીતે રખડી છેવટ ઓચિંતો પોરબંદરની ગીસ્તને હાથે મરાયો. આહાહા! આ વખત તેના મનને શું થતું નહિ હોય? તેને આ વખતે શું જોધાભાઈની શિખામણો યાદ નહિ આવતી હોય? દ્વારકાની લડાઈ વખત જે દોઢ હજાર માણસનું ઉપરીપણું ભોગવતો હતો તે હવે ફક્ત અંગત પાંચ-સાત માણસથી રહ્યો. એટલું સારું કે તેની આ દુઃખદાયક જિંદગીનો થોડા વખતમાં જ અંત આવ્યો. બેશક એ હરામખોરનો ધંધો લઈ ફરતો. એટલે સામાન્ય રીતે જોતાં આવા મૃત્યુથી આપણે ખુશી માનવી જોઈએ, તોપણ તેને એમ કરવા ગાયકવાડ સરકારે જુલમથી ફરજ પાડેલી. જમાનાની રીત સમજવા તેનામાં પહોંચ નહિ, એટલે એ કેટલીક બદસલાહને તાબે થયેલો તોપણ તેના મહાન વિચાર, તેનું શૂરવીરપણું, ઉદારતા, અને તેના આવા પ્રકારના મરણથી તેના કુટુંબ પર ગુજરેલી અપદશા દેખી કઠણ દિલના માણસને પણ દયા આવ્યા વિના રહે જ નહિ. ખરે, દેવાનાં કામ તો ક્રૂર ને તિરસ્કારપાત્ર હતાં, પણ મૂળુનાં કામો એવાં ન હતાં કે તેને આપણે હલકી પંક્તિના બહારવટિયાની જોડે સરખાવીએ. મને બીજા કોઈ ઢેડ અને પીડાકારક વાઘેર મૂઆ તેનું કાંઈ તપતું નથી, પણ એક ઉચ્ચ, ખાનદાન આખી ટોળી માટે જ તપે છે. અરે! તે સર્વનો ઘાણ નીકળી ગયો. તેઓ સાવ અણસમજુ ન હતા, પણ તેઓને સોબતે ભૂલવ્યા, હલકા વાઘેરોએ તેઓનાં માથાં ફેરવી નાખ્યાં. અને વળી તેમાં ગાયકવાડી જુલમે વધારે અસર કરી. સિપાઈ તો ખરા જ. મરવાં-મારવાં તે તો હિસાબમાં નહિ. વાણિયા ન હતા કે ભાઈબાપ કહી, કીધેલાં અપમાન માફ કરે. વૈર લેવાના જોસમાં દૂરંદેશે ભૂંડું થશે તે સૂઝ્યું જ નહિ. જોધાના વિચાર તો આખરની ઘડી સુધી સારા હતા, પણ બીજાઓએ તેને પરાણે ફસાવ્યો. આ લોકો (વાઘેરો) ઘણા હિંમતવાન ને બહાદુર છે, અને ગમે તેવી આફત પડે તોપણ ડરે તેવા નથી. આ લોકો ટાઢતડકો, ભૂખ સહન કરી શકે છે. આ લોકો વળાવા તરીકે ઠીક ઉપયોગમાં આવે છે. કોઈ હરામખોર ગાડું લૂંટવા આવે તો જ્યાં સુધી પોતામાં જીવ હોય ત્યાં સુધી સામા થઈ બચાવ કરે છે. તેમ નહિ કરે તો પોતાની જાતમાં હીણપ દેખાય એવી તેમની સમજ છે. વળી આ લોકોનાં ગાડા તેમના માનની ખાતર બીજા કોઈ લૂંટતા નથી. અને કદાચ લૂંટે તો પોતાના જીવના જોખમે તેઓ બચાવ કરવા તૈયાર રહે છે.
{{Poem2Close}}
<center>'''રાજસત્તાનો દોષ'''</center>
{{Poem2Open}}
આ તો ઠર્યું ઐતિહાસિક સત્ય : રા. સા. ભગવાનલાલ સરકારી આદમી તરીકેનાં માનસિક દબાણો નીચે રહ્યા રહ્યા પણ આટલું સત્ય ઉચ્ચારી રહ્યા છે. જોધો ને મૂળુ આવા ખાનદાન વીરનરો હતા તો રાજસત્તાએ શા માટે એમના પૂર્વજોનું રાજ્ય પાછું ન સોંપ્યું? શા માટે તેઓના ઉપર ગોળા છોડવાને બદલે, અથવા આકરી તવાઈઓ મોકલવાને બદલે રાજકુલ તરીકે એમની સાથે વ્યવહાર ન આચર્યો? શા માટે જોધા-મૂળુને ઓખાના અને જોગા ખુમાણને કુંડલાની ચોરાશીના સૂબા ન નીમ્યા? જોગીદાસ આટલો નેકીદાર હોવા છતાં વજેસંગની વજીરાત એને કાં ન સોંપાઈ? ભાવનગર રાજ્યનો ઇતિહાસ આજે એના મૃત્યુ પછી એકસો વર્ષે પણ એને ગૌરવવંતું આસન આપે છે? વજેસંગજી ગોહિલ અથવા ખંડેરાવ ગાયકવાડ અકબરશાહ ન બની શક્યા. નહિ તો જોગીદાસ અને જોધા-મૂળુ જેવી માનવશક્તિઓ સોરઠ દેશમાં કાંઈ જુદી જ તવારીખ જન્માવત. એ તો ખેર, પણ એકપક્ષી ઇતિહાસે આવા નરશાર્દૂલોની જીવનકથાને પણ મારી મચરડી દૂષિત બનાવી દીધી છે. અને જનતા પણ આજે એવા ઇતિહાસની આપેલી વક્ર દૃષ્ટિ વાપરીને આવા વીરોને વગોવે છે.
{{Poem2Close}}
<center>'''મિયાણાની સમસ્યા'''</center>
{{Poem2Open}}
ઇતિહાસની દૃષ્ટિ કેટલી નિર્મળ ને વેધક હોવી જોઈએ! એ ઉપરછલ્લું જોઈને કેમ ચુકાદો આપી શકે? દાખલા તરીકે મિયાણા જેવી ચોર, તોફાની ને લબાડ તરીકે નામચીન કરવામાં આવેલી જાતિને તપાસીએ : એ લોકોને પોતાનાં આજ સુધીનાં પાપાચરણોના બચાવમાં ઘણું સપ્રમાણ રુદન સંભળાવવાનું છે. એ લોકોની બહાદુરી, નેકી અને ભોળપનો કેવો કેવો કુટિલ ઉપયોગ કઈ કઈ રાજસત્તાઓએ કર્યો છે, ગુનેગાર ગણાયાથી તેઓને કેટલી હલકાઈ પોતાની પ્રકૃતિમાં ધારણ કરવી પડી છે તે તો દૂર મૂકીએ, એના બોલ પર કદાચ વિશ્વાસ ન ધરીએ, પરંતુ વૉટસન જેવો વિરોધી અંગ્રેજ પોતાના ‘ગેઝેટીઅર’માં લખી ગયો છે તેની અવગણના કેવી રીતે કરીએ? એ લખે છે કે ‘તેઓ શૂરી, નીડર, પરોણાની ખાતરી કરનારી ને ઇમાની જાત છે, પણ વશ રહે તેવી નથી’. અનુભવીઓના અનુભવ બોલે છે કે તેઓ વિશ્વાસઘાત નથી કરતા, ઇમાની છે. અને આજ સરકારી-દરબારી સખત જાપતામાંથી થોડો વખત પણ બહાર નીકળી શકનાર મિયાણો કારખાનામાં પોતાની ઉદ્યમી પ્રકૃતિ અને કુશળતાનો ઠીક ઠીક પરિચય કરાવે છે. પણ એ કહે છે કે ‘ગુનેગાર કોમ’ તરીકેના કાનૂનોની ભીંસમાં પડવાથી એનું ખમીર નીચોવાઈ રહ્યું છે. ઘરઆંગણે ધરતી નિ:સત્ત્વ બની અનાજ આપવાની ના કહે છે, ને બહાર જવાની મના રાજસત્તા કરી રહી છે. એવી સંકડામણમાંથી જ ઘણાને ચોરીધાડનું શરણ લેવાની ફરજ પડે છે, વગેરે વગેરે.
આ કોમનાં ઊંડાં તત્ત્વો ઉકેલવા માટે કોઈ ઇતિહાસકાર, જાહેર સેવક કે સમાજશાસ્ત્રી ઊતર્યો નથી. રાજસત્તાની પાસે તો તાત્કાલિક જાહેર શાંતિને કાજે ‘દમન’ એ જ તરણોપાય હતો. અને એ ‘દમન’ એટલે શું? ‘કૉલ એ મેન થીફ ઍન્ડ હી વીલ સ્ટીલ’ — માતાના ઉદરમાંથી જ મિયાણો ચોર ઠરી ચૂક્યો. એનું બાળક જન્મે કે તરત જ કાયદો એને શકદાર ઠરાવી પરવાના-પત્રક પર ચડાવે છે, એટલે એ પણ પોતાને ચોર જ સરજાયેલ માનતું થાય છે.
પરંતુ વાઘેરો, મેરો કે મિયાણાઓને મન ચોરીલૂંટ અંતરાત્માનો અંશ નહોતો, ધર્મ નહોતો, ઈશ્વરદત્ત વ્યવસાય નહોતો; પણ સ્વાર્થી મનુષ્યોએ પડાવેલી ટેવ હતી. ‘મારતા મિયાંની તરવાર’વાળા યુગનો એ ચેપ હતો.
શિવાજીએ જેની સહાય થકી સામ્રાજ્યનું સ્વપ્ન ઉતાર્યું તે માવળાઓ કોણ હતા? એ કેવા હતા?
પ્રતાપ અને વનરાજે અરવલ્લી અને અણહિલપુરની અટવીઓમાંથી જેઓને એકઠા કરી ખોયેલાં રાજ પાછાં મેળવ્યાં, તે ધનુર્ધારી ભીલો કોણ હતા? કેવા હતા?
યુગનાં આંદોલનો અડકશે તો એ વાઘેર, મેર ને મિયાણાની ખાનદાની પણ મહેકી ઊઠશે. ઝેરી વાયરા જંપી ગયા છે. પ્રજાત્વના વાયુસંચાર ચાલ્યા છે. એના સ્પર્શે આ પતિત મનાયેલી જાતિઓમાંથી કદાચ સિપાહીગીરીની ને પ્રેમશૌર્યની ફોરમો છૂટશે.
પરંતુ એ પ્રેમશૌર્ય પ્રકટાવવા માટે સતત આકરા પ્રયત્નો જોઈશે.
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = નિવેદન
|next = પ્રકાશન-ઇતિહાસ
}}
<br>

Latest revision as of 13:11, 23 May 2022

બહારવટાંની મીમાંસા

[પ્રવેશક]


પોતાને અને રાજસત્તાને વાંધો પડવાથી કોઈ પણ મનુષ્ય એ રાજસત્તાની અવગણના કરી રાજ્ય બહારની વાટ (માર્ગ) પકડે એનું નામ બહારવ(વા)ટિયો. અંગ્રેજી ભાષામાં એનો પર્યાય શબ્દ છે ‘આઉટલૉ’ : એટલે કાયદાકાનૂનના પ્રદેશની બહાર નીકળી જનાર, કાયદાને અધીન રહેવા ના પાડનાર અને તેને પરિણામે કાયદાના રક્ષણથી પણ વંચિત રહેનાર ઇસમ. જૂના કાળમાં, અને આ કાળમાં, આ દેશમાં તેમ જ અન્ય દેશોમાં, શસ્ત્રધારી કે શસ્ત્રહીન, એવા અનેક બહારવટિયા નીકળેલા છે. તેઓએ રાજસત્તાનાં શાસનોને હંફાવીને પોતાને મળેલ અન્યાયનું નિવારણ મેળવવા અથવા તો પોતાના વેરનો બદલો લેવા સફળ કે નિષ્ફળ યત્નો કરેલા છે. અને અંગ્રેજ રાજ્યના ‘ધારા’ નો અમલ શરૂ થયા પછી બહારવટું એ હિન્દી પીનલ કોડની કલમ 121-અ મુજબનો, વધુમાં વધુ ફાંસીની સજાને પાત્ર ગુનો ઠર્યો છે.

વિરોધી ભાવોનું વાતાવરણ

દેશદેશના ઇતિહાસમાં બહારવટિયાઓનાં પ્રકરણો અતિ આકર્ષક થઈ પડ્યાં છે. ‘બહારવટા’નું વાતાવરણ જ વિલક્ષણ હોય છે. એમાં ઘણા ઘણા પરસ્પરવિરોધી ભાવોનો સંગમ થાય છે. રાજાની આસપાસ વિક્રમ અને વૈભવનું, ઋષિની આસપાસ તપોવનની વિશુદ્ધ શાંતિનું, વિદ્વાનની આસપાસ રસિક વિદ્વત્તાનું, એમ છૂટાં છૂટાં વાતાવરણો ગૂંથાય છે. પણ બહારવટિયાની આસપાસ તો ભિક્ષુકતાની સાથે રાજત્વ, ઘાતકીપણાની સાથે કરુણા, લૂંટારુપણાની સાથે ઔદાર્ય, સંકટોની સાથે ખુશમિજાજી અને છલકપટની સાથે નિર્ભય ખાનદાની, એવાં દ્વંદ્વો લાગી પડેલાં છે. ઘણી વાર તો પ્રજા કોઈ જગદ્વિજેતાનાં મહાન પરાક્રમો કરતાં બહારવટિયાનાં નાનાં નાનાં વીરત્વમાં વધુ રસ લે છે, એની મોજીલી પ્રકૃતિના પ્રસંગો પર હાસ્ય વરસાવે છે, એનાં ઘાતકી કૃત્યો સાંભળીને, પોતાના કોઈ માનીતા આત્મજને ભૂલો કરી હોય એવે ભાવે શોચ અને ઉત્તાપ અનુભવે છે, એની તપશ્ચર્યા પર વારી જાય છે, એની વિપદની વાત આવતાં દયા ખાય છે, એના દોષોને વીસરી જઈ એના પરમાણુ જેવડા ગુણોને પણ પર્વત જેવડા કરી માને છે, વીરત્વની ઘણી ઊંચી કલ્પિત અને અર્ધકલ્પિત ઘટનાઓ એના નામની સાથે જોડી દે છે. સૌરાષ્ટ્ર દેશ એવા બહારવટાના પચરંગી લોક-ઇતિહાસે છલોછલ ભરેલો છે. પ્રથમ આપણે બહારવટાની મીમાંસામાં યુરોપની દૃષ્ટિ સમજીએ, પછી કાઠિયાવાડની વિપુલ કથાસામગ્રીમાં ઊતરીએ.

રંગીલો રોબિન હૂડ

બારમી શતાબ્દીમાં ઇંગ્લન્ડના અરણ્યોમાં રોબિન હૂડ નામનો એક બહારવટિયો થઈ ગયાનું વૃત્તાંત લોકરચિત ગીતકથાઓમાં ને કંઠસ્થ વાતોમાં પ્રચલિત છે. ઇંગ્લન્ડનો ઇતિહાસ આવા કોઈ પણ માનવીના અસ્તિત્વને આધાર આપતો નથી. છતાં એ લૂંટારા વિશે એક-બે નહિ, પણ કુલ આડત્રીસ તો લાંબાં લોકગીતો મુખપરંપરાથી ચાલ્યાં આવે છે. ને હવે તો એ ગીતો અંગ્રેજી સાહિત્યમાં ઊંચું સ્થાન ભોગવે છે. કૌતુકપ્રધાન કથાઓના સુવિખ્યાત લેખક વૉલ્ટર સ્કૉટે આ રોબિન હૂડનું મહોજ્જ્વલ પાત્ર એમની ‘આઈવેનહો’ નામની નવલમાં આલેખ્યું છે. પીકૉક નામના ગ્રંથકારે ‘મેઈડ મેરીઅન’ નામની એક નાની પુસ્તિકામાં રૉબિનની પ્રેમકથા અને અરણ્યમાંની જીવનચર્યા આલેખી છે. આ સમગ્ર સાહિત્યનો સાર આમ છે : ઇંગ્લન્ડના રાજાઓ જંગલમાં પોતાની એકલાની જ લોલુપતા સંતોષવા માટે મૃગયા રમીને હરણાંનું મીઠું માંસ ખાતા પણ અન્ય સહુને માટે ત્યાં મૃગયાની સખત મનાઈ કરતા. એ રાજાના આવા સ્વાર્થી કાયદાનો હમેશાં બેધડક ભંગ કરનાર એક પાવરધો અમીર રાજદ્રોહનો અપરાધી ઠરી, બરાબર પોતાની લગ્નવિધિને વખતે જ પોતાને પકડવા આવનાર રાજસેનાને ઠાર કરી, પોતાના સાથીઓને લઈ અધૂરે લગ્ને બહારવટે ચડ્યો, રોબિન હૂડ નામ ધારણ કર્યું; રાજાના માનીતા મૃગ-માંસની મહેફિલો ઉડાવવા લાગ્યો, ને જંગલના માર્ગો પર ઓડા બાંધી, લૂંટ આદરી દીધી. એ સાચો વીર હતો. ખેડૂતોને અથવા કારીગરોને તે ન સંતાપતો; વિલાસમાં ચકચૂર હૃષ્ટપુષ્ટ શરીરવાળા પાદરીઓને, જુલમી અમીરોને, રાજસત્તાના હાકેમોને અને કંજૂસ શ્રીમંતોને લૂંટતો; અને એ લૂંટના દ્રવ્યને ગરીબોની સહાય અર્થે વાપરતો. એ ‘યુનિવર્સલ ડાર્લિંગ ઑફ ધ કોમન પીપલ’ — જનસમુદાયનો માનીતો’ ગણાતો. એની લૂંટવાની પદ્ધતિ પણ વિલક્ષણ હતી : પ્રથમ પ્રવાસીઓને પકડી, પોતાની સાથે પોતાના અરણ્યભવનમાં લહેરથી પેટભર જમાડતો અને પછી એમની કોથળીઓ ખોલાવતો. કોઈ સામંત સંકટમાં આવી પડી ઉછીનાં નાણાં માગે તો પણ આપતો. તે અજોડ ધનુર્ધારી હતો. ધર્નુધારીઓનું મોટું સૈન્ય એની ચાકરી કરતું. પોતે કુમારિકા મેરીમાતાનો ભક્ત હોઈ સ્ત્રીજનોને ન લૂંટતો, એટલું જ નહિ, પણ સ્ત્રીજનો જેના સંગાથમાં હોય તેવા હરકોઈ પુરુષ પ્રવાસી પર હાથ ન નાખતો. એનો જીવનમંત્ર ‘વીરત્વ અને મજમજાહ’ હતો. એ ‘મેરી આઉટલૉ’ ગણાતો. મૃત્યુકાળે પણ એ ગમગીન નહોતો. એની કરુણામાંથી વિનોદ ઝરતો. આખરે અનેક અદ્ભુત સાહસો દાખવી એ એક ધાર્મિક મઠમાં એક બહેન કરેલી બાઈને હાથે દગાથી મર્યો. લોઢાના સળિયા ધગાવી એની આંખોમાં ચાંપી દેવામાં આવ્યાં. ઇ.સ. 1247, ડિસેમ્બર, તા. 24 : અને એના મૃત્યુકાળે જ્યારે એના જીવનસાથી ‘લિટલ જ્હોને’ માગણી કરી કે ‘આ સાધુડીઓના મઠ બાળી નાખવાની મને રજા આપો!’ ત્યારે મરતો મરતો બહારવટિયો શું બોલે છે? —


‘Now nay, now nay’, quoth RobinHood,
That boon I will not grant thee;



1 But look ye do no husband harm
That tilleth with his plough.
No more ye shall no good yeoman
That walketh by Greenwood shaw,
Ne no knight ne no squire
That would be a good fellow.

2 These bishops and these archbishops
Ye shall them beat and bind,
The high sheriff no Nottingham
Him hold ye in your mind.

3 Robin loved our dear Lady,
For doubt of deadly sin
Would he never do company harm
That any woman was in.

I Never hurt a Woman in all my life,
Nor men in women’s company.
I never hurt fair maid in all my time,
Nor at mine end shall it be.

[ના ભાઈ, ના બંધુ! એ નહિ બને. મેં જીવનભર કોઈ સ્ત્રીને સંતાપી નથી, સ્ત્રીના સંગાથી કોઈ પુરુષને પણ નહિ. જીવનભર જે નથી કર્યું તે મૃત્યુટાણે હું શા સારુ કરું?]

ત્રિવિધ પ્રેમથી પ્રેરિત

આ બહારવટિયાના ગીતોમાં અંગ્રેજ વિદ્વાનોને કેવું દર્શન થયું છે? વાંચીએ : “રોબિન હૂડનાં ગીતો અંગ્રેજ પ્રજાના પ્રકૃતિપ્રેમ થકી, સ્વાતંત્ર્યપ્રેમ થકી અને નીતિન્યાયના પ્રેમ થકી પ્રેરાયેલાં છે. રોબિન હૂડ અને એના માણસોનાં પરાક્રમો વિશેની એ પ્રાસબદ્ધ, સાદી, જાડી કાવ્યકથાઓ છે, અને એ સીધેસીધી અંગ્રેજ હૃદયમાંથી ચાલી આવે છે — જે બહાદુર હૃદય સત્તાની સામે પડકાર કરે છે, અને અધર્મના વિચારે અધિક ઉગ્ર ધબકે છે.” (“The RobinHood ballads are inspired by the Norman-English love of Nature, love of freedom and love of justice. They are crude, simple stories in rhyme, of the exploits of RobinHood and his men, and they came straight from the heart of the Englishman, that bold defiant heart which always beats more fiercely at the thought of injustice.”) અજાયબી તો એ છે કે લોક-કલ્પનાના અને કંઠસ્થ સાહિત્યના આટલા જીવન્ત પાત્રની, ચૌદ વર્ષ સુધી કિલ્લાઓ તથા સાધુ-મઠોના પાયા થરથરાવનાર આ વ્યક્તિની ખુદ હસ્તીને વિશે જ ઇતિહાસકારો વચ્ચે ઉગ્ર મતભેદ છે. એને ‘મિથીકલ બીઈંગ’, ‘એક્સીડીંગલી એ ક્રિએશન ઑફ ધ બૅલડ મ્યુઝ’, ‘એ ફિક્શન’ વગેરે વિશેષણોથી વધાવવામાં આવે છે.

ત્રણ ભાઈબંધો

એવા જ બીજા ત્રણ બહારવટિયા ઉત્તરાદા ઇંગ્લન્ડમાં થયા કહેવાય છે. એનાં નામ આદમ બેલ, કલોગનો કીલ અને કલાઉડેસ્લીનો વિલિયમ : એ ત્રણેયનું કથાગીત પ્રો. ગમિયરે પોતાના ‘ધ પૉપ્યુલર બૅલડ’ નામે પુસ્તકમાં ઉતાર્યું છે. એ જણાવે છે કે “તેઓ બહારવટિયા હતા, ધનુર્વિધાની કુશલતાએ જેમ રોબિન હૂડને તથા તેના સાથીઓને મધ્યપ્રદેશમાં સુપ્રસિદ્ધ કરેલા, તેમ આ ત્રણેયને પણ ઉત્તર પ્રદેશમાં નામાંકિત કર્યા હતા. તેઓનું રહેઠાણ કારલાઈલ શહેરથી નજીક ઈંગલવૂડના જંગલમાં હતું.” (“They were the outlaws whose skill in archery made them as famous in the North England as RobinHood and his fellows were in the Midland Countries. Their home was in the forest of Englewood, not far from Carlysle.”) તેઓની કથા કહેતું લાંબું લોકગીત આ રીતે ચાલે છે :

They were outlawed for venision,
These yeomen every one,
They swore them brethren upon a day,
The Englyshe wood to gone.

[આ ત્રણેય જણાને રાજાજીના એકલાના ભોજન માટે જંગલમાં રક્ષાતાં પશુઓ (હરણાં)નું માંસ ખાવાના ગુના બદલ બહારવટિયા જાહેર કરવામાં આવેલા. એક દિવસે તેઓએ મળીને ભાઈબંધીના સોગંદ લીધા અને ઈંગલવૂડના જંગલમાં જઈ રહેવાનો નિશ્ચય કર્યો.] રહે છે. રાજાને ખાવાનાં હરણાં મારીને ખાયપીએ છે. લૂંટે છે. એ ત્રણેયની ચોપાસ ચોકીપહેરો ગોઠવાઈ ગયા હતા. એમાં વિલિયમને અડપ ચડી કે ‘ભાઈઓ, હું મારાં બાળબચ્ચાંને મળી આવું’.

If that I come not tomorrow brother
By prime to you again,
Trust you then, that I am taken,
Or else that I am slain.

[જો કાલ સવારના પહોરમાં હુ આંહીં ન આવી પહોંચું, તો જાણજો, ભાઈઓ, કે કાં તો હું પકડાયો છું ને કાં કતલ થઈ ગયો છું.] તીરકામઠું લઈને વિલિયમ ઊપડ્યો. પોતાના ગામમાં રાત્રિએ પહોંચ્યો. ઘરના દ્વાર પર ટકોરા દીધા :

Where be you fair Alice, he said,
My wife and children three?
Lightly let in thy own husband,
William of Cloudeslee.

[એણે સાદ કર્યો : “તું ક્યાં છે ઓ મારી રૂપાળી ઍલિસ? ઓ મારી સ્ત્રી અને મારાં ત્રણ બચ્ચાં! ધીરેથી કમાડ ખોલ અને તારા ધણી ક્લાઉડેસ્લીવાળા વિલિયમને અંદર લઈ લે.”] એની વહાલી સ્ત્રી ઍલિસ આવી. દ્વાર ઉઘાડ્યું. ફફડીને બોલી :

Alas! then said Alice fair,
And sighted wondrous sore;
This place has been beset for you,
This half a year and more.

[‘હાય!’ કહીને એણે ઊંડો નિ:શ્વાસ નાખ્યો : ‘છેલ્લા દોઢ વરસથી તારે માટે આ જગ્યા ઉપર ચોકીપહેરા રહે છે. જાસૂસો ફરે છે.’] ‘એની ફિકર નહિ, વહાલી ઍલિસ!’ કહીને વિલિયમ અંદર ગયો. બચ્ચાંને હેત કરીને હૈયે ચાંપ્યાં. ઍલિસે રાંધ્યું ને પોતે ઊની ઊની રસોઈ જમ્યો. બન્ને જણાં ઘણે દિવસે મળ્યાં છે અને ઘડી બે ઘડીમાં તો પતિ પાછો ચાલ્યો જશે, કાં ઝલાશે એમ સમજી બંનેએ હેત ઠાલવવા માંડ્યાં. ત્યાં તો તેઓના ઘરમાં એક આશ્રિત ડોશી હતી તે સરકીને ન્યાયકચેરીમાં બાતમી દઈ આવી. ધણી-ધણિયાણી પ્યારમાં ગુલતાન છે તે વખતે બારીએથી બહારવટિયાએ પોલિસનું ટોળું, શૅરીફ, ન્યાયાધીશ — તમામને ખડાં થઈ ગયેલાં દીઠાં. પણ એ તો મર્દ હતો. થડક્યો નહિ. એણે શું કર્યું?

He took his sword and his buckler,
His bow and his children three;
And went into his strongest chamber
Where he thought surest to be.

[એણે પોતાની તરવાર તથા પટો ઉઠાવ્યાં. પોતાનું ધનુષ્ય તથા ત્રણેય બચ્ચાંને ઉપાડી લીધાં. અને પોતાના ઘરમાં સૌથી મજબૂત ઓરડામાં, કે જ્યાં પોતે સલામત રહી શકશે એમ લાગ્યું, તેમાં જઈને ભરાયો.] અને એની શૂરી સ્ત્રીએ શું કર્યું?

Fair Alice like a lover true
Took a pollo-axe in her hand
Said, he shall die that cometh in
This door, while I may stand.

[સુંદરી ઍલિસે એક સાચી પ્રિયતમાની અદાથી હાથમાં કુહાડી ઉપાડી અને શત્રુઓને હાકલ કરી કે ‘હું આંહીં ઊભી છું ત્યાં સુધી જો કોઈ મારી ખડકીમાં આવ્યો છે તો એનું મૉત સમજજો!’] એમ ઍલિસે ગિસ્તને રોકી રાખી, એટલે બહારવટિયાએ શું કર્યું?

Cloudeslee bent a right good bow,
That was of a trusty tree;
He smote the Justice on the breast,
That his arrow burst in three.

[બહારવટિયાએ પોતાનું મજબૂત ઝાડની બનાવટનું ધનુષ ખેંચ્યું અને તીર છોડ્યું. એ તીર શત્રુસૈન્યમાં ઊભેલા ન્યાયાધીશની છાતીમાં અથડાઈને ત્રણ ટુકડા થઈ ગયું, કેમ કે ન્યાયાધીશે બખ્તર પહેરેલું હતું.]

Yield thee Cloudeslee, said the Justice
And thy bow and thy arrows the fro;
A curse on his heart, said fair Alice
That my Husband counsolleth so.

[‘ઓ કલાઉડેસ્લી! તારાં ધનુષ્યબાણ લઈને શરણે થઈ જા!’ ‘નહિ નહિ!’ સુંદરી ઍલિસે સામી હાકલ દીધી : ‘મારા ધણીને એવી શિખામણ આપનારનું પીટ્યાનું સત્યાનાશ નીકળજો! મારો મરદ મુછાળો શું હથિયાર મેલશે?’] ‘ત્યારે સળગાવી મૂકો એના ઘરને!’ ન્યાયાધીશે હુકમ દીધો અને —

They fired the house in many a place,
The fire flew up on high;
Alas! then cried fair Alice
I see we here shall die.

[ઠેકઠેકાણેથી તેઓએ ઘર સળગાવ્યું. આગના ભડકા આકાશે ઊઠ્યા. સુંદરી ઍલિસે પોકાર કર્યો કે ‘હાય! હાય! મને લાગે છે કે આપણે આંહીં જ બળી મરશું’.] પણ ત્યાં તો —

William opened a back window
That was in his chamber high,
And there with sheets he did let down
His wife and children three.

[બહારવટિયા વિલિયમે એના દીવાનખાનાની ઊંચી મેડીની પાછલી બારી ઉઘાડી અને ત્યાંથી લૂગડાં બાંધીને એણે પોતાની ઓરત તથા ત્રણ બચ્ચાંને નીચે ઉતાર્યાં.] પછી શત્રુઓને હાકલ દીધી :

Have you here my treasure, said William,
My wife and my children three.
For Christe’s love do them no harm,
But wreke you all on me.

[‘આ લ્યો આ મારો ખજાનો — મારી ઓરત અને મારાં ત્રણ બચ્ચાં. ઇસુને ખાતર તમે એને ઈજા કરશો નહિ. પણ ખુશીથી તમે તમામ મારા એકલા ઉપર તૂટી પડો!’] એમ કહીને એણે ધીંગાણું આદર્યું.

William shot wondorous well,
Till his arrows were all ago,
And the fire so fast upon him fell,
That his bow-string brent in two.

[બહારવટિયા વિલિયમે અજબ ચાલાકી અને બહાદુરી સાથે બાણ છોડ્યાં. છેવટે એનાં તમામ તીર ખૂટી ગયાં. અને બીજી બાજુ ઘરની આગે એને એવી ઝડપથી ઘેર્યો કે છેવટે એના ધનુષ્યની પણછના બે ટુકડા થઈ ગયા.] બહારવટિયાને મૉત સૂઝી આવ્યું. પણ એણે વિચાર્યું : ‘આમ ભીંત હેઠળ ભીંસાઈને શીદ મરવું? તે કરતાં ધીંગાણે ન મરું?’

He took his sword and his buckler
And among them all he ran,
Where the people were most in prece
He smote down many a man.

[તરવારપટો લઈને એણે ટોળા સામે દોટ કાઢી અને જ્યાં શત્રુઓનું જૂથ જાડું હતું ત્યાં જઈને કેટલાયને ઢાળી દીધા.]

There might no man abide his strokes
So fiercely on them he ran;
Then they threw windows and doors on him
And so took that good yeoman.

[એવો ઝનૂની બનીને એ તૂટી પડ્યો કે કોઈ પણ આદમી એના ઘા સામે ટક્કર ઝીલી શક્યો નહિ. પછી તો તેઓએ એના ઉપર બારીઓ અને બારણાં ઉપાડી ઉપાડીને ફગાવ્યાં. અને એ રીતે એ બહાદુર ધનુર્ધારીને કેદ પકડ્યો.] એને બંદીખાને નાખ્યો, ફાંસીની સજા ફરમાવી, ખાસ નવી ફાંસી ઘડાવી. એને ફાંસી દેવાને દિવસે ગામના દરવાજા બંધ કરાવ્યા. એ વખતે એક છોકરો ત્યાં ઊભો ઊભો ફાંસી ખોડાતી જોતો હતો :

A little boy among them asked
What meaned that gallow-tree?
They said, to hang a good yeoman
Called William of Cloudeslee,

[છોકરાએ પૂછ્યું, ‘અરે ભાઈ, આ કોના સારુ?’ તેઓ બોલ્યા, ‘ક્લાઉડેસ્લી ગામવાળા ભરાડી તીરંદાજ વિલિયમને લટકાવવા સારુ’,] છોકરાને ઓસાણ આવ્યું. એણે દોટ દીધી. ઈંગલવૂડના જંગલમાં જઈ પહોંચ્યો. બહારવટિયાના બન્ને ભેરુઓને જાણ કરી. “શાબાશ, દોસ્ત! ઠીક ખબર દેવા આવ્યો,” એમ કહી, ઇનામ તરીકે એને એક હરણકું મારી દીધું અને બેઉ જણા શહેર પર ચાલ્યા. આવે ત્યાં દરવાજા બંધ દીઠા. હવે શું થાય? પણ હતા હિકમતબાજ. બન્યા રાજાજીના કાસદિયા. દરવાજા ભભડાવ્યા :

Who is there now, said the porter,
That maketh all this knocking?
We be two messengers, quoth Clym of Clough
We come right from our king.

‘કોણ અત્યારે કમાડ ભભડાવે છે?’ દરવાણીએ અંદરથી પૂછ્યું. ‘અરે ભાઈ, ઉઘાડ ઝટ!’ ક્લોગ ગામવાળા ક્લીમે કહ્યું, ‘અમે રાજાજીના ખેપિયા સીધા રાજાસા’બની કનેથી જ આવીએ છીએ.’ દરવાણીએ દરવાજા ખોલ્યા, એટલે એને મારી, પાછા આવવા સારુ ચાવીઓ પડાવી લઈ, બેઉ ભેરુ ફાંસી દેવાતી હતી તે ઠેકાણે પહોંચ્યા. ઊભા ઊભા મામલો જુએ છે. શી બીના બની રહી છે?

The justice called to him a lad,
Cloudesle’s clothes he should have :
To make the measure of that yeoman
Thereafter to make his grave.

[ન્યાયાધીશ સાહેબ એક છોકરાને આજ્ઞા દઈ રહ્યા છે કે બહારવટિયા વિલિયમનાં કપડાં કાઢીને લઈ આવ. એની કબર ખોદાવવી છે તે માટે માપ લેવા જોઈશે.] એ સાંભળીને બહારવટિયો બોલ્યો :

He that maketh a grave for me
Himself may lie therein;

[બચ્ચાજી! મારે માટે કબર ખોદાવનારને જ એ કબરમાં સૂવું પડશે.] સાંભળીને ન્યાયાધીશને ગુસ્સો ચડ્યો :

Thou speakest proudly, said justice,
I will thee hang with my hand.

[તું ફાટતું બોલે છે, પણ જોજે, હું મારે હાથે જ તને લટકાવીશ.] આ વાત સાંભળતા બે ભેરુબંધ ઊભા હતા, તેઓએ મસલત કરી :

Then spake good Adam Bell,
To Clym of the Clough so free :
Brother, so you mark the Justice well
Lo, yonder you may him see.

[બેમાંથી વીર ઍડમ બેલે બહાદુર ક્લીમને કહ્યું : ‘ભાઈ, પેલા ન્યાયાધીશને જોયો? તું એને આંટજે હો કે? હું આંટું છું શેરીફને.’]

And at the Sheriff shoot I will
Strongly with an arrow keen;
A better shot in merry Carlisle
This seven year was not seen.

[બેઉ તીરંદાજોએ નિશાન તાક્યાં, તીર છોડ્યાં. બેઉ અમલદારોને વીંધી નાખ્યા. આખા કાર્લાઈલ શહેરમાં છેલ્લા સાત વર્ષમાં આ તીરંદાજોને ટપે તેવો કોઈ દેખાયો નહોતો.] અમલદારો પડ્યા કે લોકો નાઠા. ત્યાં તો વિલિયમ ફરસી લઈને ઠેક્યો. એક અમલદારને ઢાળી દીધો. ત્રણેય ભેરુઓએ રણથળ મચાવ્યું :

They fought to-gether as brethren true
Like hardy men and bold,
Many a man to the ground they threw,
and many a heart made cold.

[સગા ભાઈઓ સરખા એ ત્રણેય જણા અડીખમ બહાદુરોની માફક ધીંગાણે ઘૂમ્યા. ઘણાઓને તેઓએ ધરતી પર ઢાળી દીધા અને કેટલાયનાં કલેજાં થિજાવી દીધાં. એવે ટાણે ગામનો મેયર (નગરશેઠ) આવ્યો. સાથે મોટી ફોજ લાવ્યો. બહારવટિયા ભારી લડ્યા, પછી જંગલમાં નાસી ગયા.]

Thus be these good yeomen to the wood
As lightly as leaf on bynde (tree);
They laugh and be meery in their mood,
Their enemies were far behind.

[આ રીતે આ ભલા તીરંદાજો ઝાડનાં પાંદડાં ઊડી જાય તેવાં તરવરિયાં હળવાં પગલાં ભરતાં જંગલમાં ચાલ્યા ગયા, હસવા અને મોજ ઉડાડવા લાગ્યા. એમના દુશ્મનો તો ક્યાંયે પાછળ રહી ગયા.]

They set them down and made cheer
And ate and drank full well.

[બેઠક જમાવીને લહેરમાં ચડ્યા. પેટ ભરીને ખાધુંપીધું. ત્યાં તો વિલિયમ રસ્તા પર ઍલિસને આવતી દેખી બોલી ઊઠ્યો.]

Have here the best Alice, my wife!
Said William of Cloudesless,
Because you so boldly stood by me
When I was slain full nigh.

[ઓ મારી વહાલી ઍલિસ! આ લે, આ મીઠામાં મીઠી મદિરાની પ્યાલી પી! કેમ કે હું જે વેળા લગભગ કપાઈ જતો હતો તે વેળા તું બહાદુરીથી પડખે ઊભી રહી હતી.]

Then went they to supper,
With such meat as they had,
And thanked God their fortune,
They were both merry and glad.

[પછી તો બધાં વાળુ કરવા બેઠાં. જે કાંઈ માંસ મળેલું હતું તે જમ્યાં. પોતાના સુભાગ્ય બદલ પ્રભુનો અહેસાન ગાયો અને લહેર કરવા લાગ્યા.] રાજીખુશીથી તેઓ રાજાજીના દરબારમાં હાજર થવા લંડન ગયા.

They proceed prestly into the hall,
Of no man they dread,
The porter came after and did them call,
And with them began to chide.

[સડેડાટ તેઓ મહેલમાં ચડી ગયા. એમને કોઈનો ભય નહોતો. દરવાન બૂમો પાડીને વઢવા લાગ્યો.] રાજાજીની પાસે ખડા થઈ તેઓએ હથિયાર છોડ્યાં; પગે પડી માફી માગી; રાજાને ઓળખાણ આપી. રાજાજી રોષે ભરાયા. ત્રણેયને કેદ કર્યા. ફાંસીની સજા ફરમાવી. એ વાતની રાણીને જાણ થઈ. રાણીનું હૈયું બહારવટિયાની વીરતા પર ઢળી પડ્યું હતું. એણે રાજાજી પાસે જઈને વીનવ્યું :

Then good my lord I you beseech :
These yeomen grant ye me.

[ઓ મારા ભલા ખાવંદ! તમારી પાસે પાલવ પાથરીને માગું છું કે આ તીરંદાજો મને સુપરત કરી દો!] રાજાએ ઉત્તર દીધો :

Ye might have asked towers and towns
Parks and forests plenty.

[ઓ રાણીજી! એથી તો તમારે કોટકાંગરા ને નગરો માગવા હતાં; મન માને તેટલા બાગબગીચા માગવા હતા.] રાણી બોલ્યા :

None so pleasant to my pay, she said,
Nor none so lefe (dear) to me.

[હે ખાવિંદ! એમાનું કશુંયે મને આટલું મનગમતું નથી.] પછી તો રાજાજીને બહારવટિયાની કારકિર્દીનો બધો અહેવાલ મળે છે. રાજા બહારવટિયા પાસે જાય છે, કહે છે કે ‘તમારી તીરંદાજીનું પારખું કરવું છે. તૈયાર થાઓ’. રાજાએ મેદની ભરી. એની વચ્ચે બહારવટિયાને બોલાવ્યા ને પછી વિલિયમના વહાલા દીકરાને મેદાનમાં બેસારી તેના માથા પર રાજાએ જમરૂખ મુકાવ્યું. મુકાવીને કહ્યું કે ‘સાચો તીરંદાજ હો તો આ તારા દીકરાના માથા પરથી જમરૂખ ઉડાવી દે’. ‘ઉડાવી દઉં, નામદાર!’ કહીને વિલિયમ ઊભો થયો.

And when he made him ready to shoot
There was many a weeping eye.

[જ્યારે એણે તીર છોડવા પણછ તાણી, ત્યારે ઘણી ઘણી આંખો રડતી હતી.] બહાદુર વિલિયમે તીર છોડ્યું. પહેલે જ ઘાએ જમરૂખ ઉડાવી દીધું. દીકરાને જરીકે ઈજા ન થઈ. રાજાજી આફરીન બન્યા. બહારવટિયાઓને સારી નોકરી આપી…

Thus endeth the life these good yeomen,
God send them eternal bliss,
And all that with a hand-bow shooteth,
That of heaven may never miss.

[આ રીતે આ ભલા તીરંદાજોના આયુષ્યનો સુખી અંત આવ્યો. ઈશ્વર તેઓને અખંડ શાંતિ આપજો! એમની તીરંદાજી સ્વર્ગનું પણ નિશાન અચૂકપણે આંટજો!] પછી આપણે સ્કૉટકૃત ‘રૉબરોય’ નામની સ્કૉટિશ નવલમાં રૉબરોય નામના ઇતિહાસમાન્ય બહારવટિયાનો પરિચય પામીએ છીએ. એ લૂંટારાનો આખો વંશ, અન્ય એક શત્રુ-કુળ સાથેના ધીંગાણામાં, એક નિર્દોષ પાદરી-સંઘની કતલ કરીને ગુનેગાર ઠર્યો ને પછી બહારવટે નીકળ્યો. તેના વેરની, ઘાતકીપણાની, લુચ્ચાઈની, જોરાવરીની અને દિલાવરીની ઘટનાઓ એ નવલમાં ગૂંથી લેવાઈ છે.

સ્વ. શ્રદ્ધાનંદજીનો વીરમૂર્તિ સંગ્રામસિંહ

દેશી રાજસ્થાનો અને પહાડી પ્રદેશો હોય ત્યાં જ બહુધા બહારવટે ચડવાના સંજોગો હોય છે. તેમ છતાં આપણે સત્યવીર શ્રદ્ધાનંદની આત્મકથામાં બાળક મુનશીરામે આપેલું, સંગ્રામસિંહ નામના એક બહાદુર બહારવટિયાની સરકાર સામેની લડતનું નીચે મુજબનું રોમાંચક વર્ણન વાંચીએ છીએ : કાશીથી મારા પિતાની બદલી બાંદા થતાં મારા બાલહૃદય ઉપર બે બીનાઓએ અજબ પ્રવાહ છાંટી દીધો. એક તો બહારવટિયા સંગ્રામસિંહનું દર્શન. બનારસ જિલ્લાના એક ગામડામાં સંગ્રામસિંહ ખેતી કરી પેટગુજારો ચલાવતો હતો. એક દિવસ એ ઘેર નહોતો તે વખતે પોલીસે આવીને એના ઘરની જડતી લીધી અને એની પત્નીનું શિયળ લોપવાની કોશિશ કરી. ઘેર આવતાં રજપૂતને આ વાતની જાણ થઈ અને એ પોલિસના મોટા અધિકારીની પાસે રાવે દોડ્યો, ત્યાં એની સાથે પણ પોલીસે પિચાશી આચરણ બતાવ્યું. સંગ્રામસિંહનુ રજપૂત રક્ત ઊકળી ઉઠ્યું. ઘરમાં છુપાઈને પડેલી કાટેલી જૂની તરવાર ઉઠાવી. પહેલા પ્રથમ પોતાની નિરપરાધી અર્ધાંગિનીને સદાને માટે બદનામીમાંથી બચાવવા સારુ ઠાર કરી; ને પછી પોતે પહાડી જંગલમાં નીકળી ગયો. સાથે હાથીસિંહ નામનો એક રજપૂત જઈ ભળ્યો. હાથીસિંહની બંદૂકનું નિશાન કદી ખાલી જતું નહોતું. વીસ-પચીસ બીજા સિપાઈઓ ભેગા કરી લીધા. એ રીતે સંગ્રામસિંહ એક નાનીસરખી સેનાનો સરદાર બની ગયો. જોતજોતામાં તો અંગ્રેજી ઇતિહાસમાં અને નવલકથાઓમાં દેશભક્ત બહારવટિયાઓની જેવી વાતો આવે છે, તેવી વાતો સંગ્રામસિંહને નામે પણ લોકોમાં પ્રસરવા લાગી. સંગ્રામસિંહ તો અમીરોને લૂંટી લઈ ગરીબોને આપે છે : વનવગડામાં વારાંગનાઓને બોલાવી નાચગાનથી જંગલમાં મંગલ કરે છે : દાયરા ભરે છે : એવાં એનાં યશોગાન ગવાવા લાગ્યાં. જિલ્લાજિલ્લામાં એનાં રમખાણ બોલવા લાગ્યાં. દોઢસો હથિયારબંધ સિપાહીઓને લઈ ગોરા પોલીસ-ઉપરીએ સંગ્રામસિંહના રહેઠાણને ઘેરી લીધું. સાહેબ પોતે બે અર્દલીઓને સાથે રાખી ધીમે પગલે આગળ વધ્યા જાય છે. ઘોર અંધારું છે. એકાએક બે આદમી આવી ચઢ્યા. છલંગ મારીને બે અર્દલીઓને બાથમાં ઝકડી લીધા. ત્રીજો નીકળ્યો તેણે સાહેબબહાદુરને ઘોડા ઉપરથી નીચે પટકી, છાતી પર ચડી બેસી તમંચો બતાવ્યો. પછી બોલ્યો કે ‘આટલી વાર છે, નહિ તો કાઢો પૈસા’. સાહેબે પોતાનું સોનાનું ઘડિયાળ, અછોડો, નોટ રૂપિયા વગેરે બધો માલ બહારવટિયાને સુપરત કર્યો. બહારવટિયો ઊભો થયો. સાહેબને સલામ કરી અને કહ્યું : ‘સંગ્રામસિંહને પકડવા માટે આવી ગફલતથી હવે પછી ન આવજો, સાહેબબહાદુર!’ ઊઠીને ગોરા સાહેબે તો ઘોડાને એવો દોડાવી મૂક્યો કે વહેલો આવે પોતાનો બંગલો!

ચંદ્રગ્રહણનું ગંગાસ્નાન

પછી તો કાશીનગરી ઉપર બહારવટિયાના હુમલા થવા લાગ્યા. એમાં આલમસિંહ નામના રજપૂત કોટવાળે બડાઈ મારી કે ‘અરે ભાર શા છે સંગ્રામસિંહના! એક મહિનામાં તો એ બેટાને પકડીને માજિસ્ટ્રેટ પાસે હાજર કરીશ’. ચારપાંચ દિવસે આલમસિંહ પર જાસાચિઠી આવી પહોંચી. એમાં લખ્યું હતું કે ‘હવે અમારા ધામા કાશીનગરીમાં જ નખાઈ ગયા છે. અને ચંદ્રગ્રહણનું સ્નાન કરવા માટે પણ હું આવવાનો છું. જો ક્ષત્રીના પેટનો હો તો આવી જજે’. ચંદ્રગ્રહણની રાત આવી પહોંચી. પહાડમાંથી પોતાની માતાને ગંગામૈયામાં સ્નાન કરાવવા માટે બે સાથીઓને લઈ સંગ્રામસિંહે મણિકર્ણિકા ઘાટનો માર્ગ લીધો. માતાને નવરાવી, બન્ને સાથીઓની સાથે રવાના કરાવી, સંગ્રામસિંહ એકલો ચાલ્યો. ક્યાં ચાલ્યો? એના ઓડા બાંધીને જ્યાં આલમસિંહ ફોજ સાથે વાટ જોતો હતો ત્યાં! ચોકીપહેરા ફોકટ ગયા. કોઈ એને ઓળખી શક્યું નહિ. ફક્ત એક કામળો જ ઓઢીને એ જવાંમર્દ સડસડાટ ફોજ વચ્ચેથી પસાર થયો. આલમસિંહની લગોલગ આવી પહોંચ્યો. મોં પરથી કામળી ઉઘાડી કરીને પડકાર્યું : ‘જોઈ લે, રજપૂત! સંગ્રામસિંહ સ્નાન કરીને જાય છે’. આલમસિંહ ચમકી ઊઠ્યો. મોંમાંથી વેણ નીકળે ત્યાં તો સંગ્રામસિંહની કટાર, વીજળી-શી ઝબૂકી ઊઠી. આલમસિંહ દિગ્મૂઢ બનીને પાછો હટ્યો. સંગ્રામસિંહ અદૃશ્ય થયો. અને ‘દોડો દોડો! પકડો પકડો! ઓ જાય, ઓ જાય!’ એવા એવા હાકલા થવા લાગ્યા. પણ કોને પકડે? દાંતોમાં દઈને ગયો.

સંગ્રામસિંહને ફાંસી

આખરે પોલીસની આવજા માટેના તમામ રસ્તા ઉજ્જડ બન્યા એટલે ત્રણેય જિલ્લામાં નવી પોલીસની ભરતી થઈ. હજારો પોલીસોએ તમામ રસ્તા પર ઓડા બાંધી લીધા. મારા પિતા પણ એક સ્થળે મોટી સંખ્યા લઈને નાકું બાંધી ઊભા. પાંચ દિવસ સુધી નદીના પાણીની અંદર છુપાઈ રહ્યા પછી ખાવાને માટે સંગ્રામસિંહ પાંચ-છ સાથીઓની સાથે બહાર નીકળ્યો. એમાંથી એક આદમી પિતાજીના હાથમાં પકડાયો. એની પાસેથી પત્તો મેળવીને પોલીસ આગળ વધી. સંગ્રામસિંહ એક ચમારની ઝૂંપડીમાં પેસી ગયો. ઝૂંપડીને પોલીસે આગ લગાવી. બહાદુર રજપૂત બહાર નીકળ્યો, પણ પાણીમાં પડવાથી દારૂ નકામો થઈ ગયો હતો એટલે બંદૂક ન વછૂટી. તરવાર ખેંચવા જાય તો તરવાર મ્યાનમાંથી બહાર જ ન નીકળી. આ બાજુ પોલીસે ગોળીઓની ઝીંક બોલાવી. પાંચેય સંગાથી પટકાયા. સંગ્રામસિંહે બંદૂક ઊંધી ઝાલીને લાકડી તરીકે વીંઝી. જોતજોતામાં ત્રણ-ચાર સિપાઈને ઢાળી દીધા. પિતાજીના ઘોડાની ગરદન પર પણ એવી ચોટ લાગી કે ઘોડો પંદર કદમ પાછો હટી ગયો. પ્રથમ તો પિતાજીએ આ એકલા દુશ્મન પર ગોળી ચલાવવાની મના દીધી હતી પણ આખરે પોતે ક્ષત્રીવટ ચૂક્યા. ગોળીબારનો હુકમ દીધો. પચીસ ગોળીઓ ખાઈને સંગ્રામસિંહ પડ્યો, એને બાંધીને કાશીની ઇસ્પિતાલમાં લઈ આવ્યા. સિવિલ સર્જને જ્યારે એના શરીર પર પચીસ જખ્મો જોઈને કહ્યું, ‘કાં! પકડાઈ ગયો ને!’ ત્યારે એ વીર ક્ષત્રીએ જવાબ વાળ્યો કે ‘એમાં શી બહાદુરી કરી! એક વાર મારા હાથમાં તરવાર આપો ને પછી મારી સામે વીસ આદમી આવી જાય! જોઈ લઉં મને કોણ પકડે છે!’ સાંભળી સાહેબ તાજુબ થયા. સંગ્રામસિંહને ફાંસી મળી, પણ હિંદુસ્તાની પોલીસ અમલદારોને એ વીરના મૃત્યુથી બહુ જ દિલગીરી થઈ. ખાટલા પર સૂતેલા એ સંગ્રામસિંહનો દેખાવ મને હજુ યાદ છે. મારા જીવન પર એની ઊંડી છાપ છે.[1]

દક્ષિણના દાત્યા-મોન્યા

દક્ષિણ પ્રાંતોમાં ‘દાત્યા-મોન્યા’ નામના બે બહારવટિયા થઈ ગયા. તે એટલા બધા લોકપ્રિય હતા કે આજે પણ જે બે જણ વચ્ચે ગાઢ મૈત્રી હોય તેઓને કહે છે કે ‘તમે તો દાત્યા-મોન્યા છો’. એ ઉપરાંત વર્તમાનકાળના રાજકીય ક્ષેત્રમાં પંજાબના બબ્બર અકાલીઓ, યુ.પી. કાકોરી કેસના રામપ્રસાદ બિસ્મિલ વગેરે, અને બંગાળના રાજશાહી જિલ્લાના યુવકો જે સરકારી લશ્કરને હાથે સામી છાતીએ લડતા લડતા મરાયા, તે સહુ ‘બહારવટિયા’ નામ સાર્થક કરે છે. ભીલ બહારવટિયા ટંડ્રાની કારકિર્દી પણ મશહૂર છે. એને પકડવા માટે તો સરકારને ખાસ ટંડ્રા પોલીસની ફોજ રાખવી પડેલી. એવો જ રસિક અને રોમાંચક અહેવાલ પંજાબી કૂકાઓનો છે.

સૌરાષ્ટ્રમાં બહારવટાનાં કારણો

આઘે આઘે છેક રા’ માંડલિકના અમલ સુધી આ દેશનાં બહારવટાંના ઇતિહાસની આંખો પહોંચી શકે છે. મોટા રાજ્યનો માલેતુજાર સ્વામી કાં તો પોતાના પડોશના નાના ગરાસદારને એક સ્વતંત્ર પડોશી તરીકે જીવવા દેવામાં ભવિષ્યનું જોખમ સમજે, કાં તો પોતાના કોઈ ભાયાતને કે મૂળ ગરાસિયાને પોતાના કાયદા-કાનૂનોનો અનાદર આચરતો દેખે, અથવા તો એ રાજા પોતાની કોઈ મલિન મતલબને વશ બની પોતાના તાબાના ગરાસદાર પાસેથી કોઈ એની પ્રિય વસ્તુ કે વ્યક્તિની માગણી કરે, ત્યારે ત્યારે એ રાજા ને એ પ્રજાજન વચ્ચે વૈરની આગ ઝરે. એ એક સંજોગ. બીજો સંજોગ હતો પરદેશી સત્તાના આક્રમણનો : અમદાવાદની મુસ્લિમ સૂબાગીરીના જૂનાગઢ પર કિલ્લેબંદી : વડોદરાથી ગાયકવાડનો પગેપસારો : અને એ તમામ કરતાં અધિક ઉશ્કેરણીનું મનાયેલું તત્ત્વ એ અંગ્રેજી રાજસત્તાના દરમ્યાનગીર આગમનનું. સહુ રાજ્યોને પોતાની રિયાસતના સીમાડા પહોળા કરવા હતા. પરસ્પર એ સહુ જમીનોની ખેંચતાણ કરતા હતા, અને એ સહુને દળબળ પૂરાં પાડનારી ઇસ્ટ ઇન્ડિયા કંપની આવી પહોંચી હતી. એના પ્રતિનિધિઓની, મોટાં રાજ્યો પ્રતિની પક્ષકારનીતિ નાના ગરાસદારોના દિલમાં વધુ આક્રોશનું નિમિત્ત બનતી હતી.

કિનકેઈડે કથેલાં કારણો

શ્રી કિનકેઈડ આ મુદ્દાને વધુ સ્પષ્ટ બનાવે છે  : એ ખાસ તો કાઠી બહારવટિયા વિશે લખે છે : “At first mere robbers, they, after many struggles, established themselves at the breakup of the Mogul empire firmly in the centre of the province. They were, however, like Sikhs before the time of Ranjitsing, a loosely knit confederacy, and they were unable in the 18th century to make headway against the growingof Junagadh. Thus it was that many of the smaller landholders wrote over part of their lands to the surrounding administration in order to secure protection for the reminder. But this promised protection was not always obtained. It always happened that when the protecting state had acquired part of the Kathi’s land, it hungered for the remainder. It would then provoke quarrels, and on some pretext or other violate its agreement. It was useless for the Kathi to seek redress in the State’s own court; so, calling together his servants and relatives, and placing his wife and children in some friendly shelter, he would turn his back on the homestead where his family had lived for centuries, and making Gir his Sherwood forest proceed to rob and murder in every direction until death, treachery or redress closed his picturesque but baneful career.” [2] એ સંજોગોમાંથી ત્રણ-ચાર પ્રકારના બહારવટિયા જન્મ્યા.

પહેલો પ્રકાર : ગરાસદારો

પોતાના ગરાસ ઉપર થયેલા અન્યાયી આક્રમણ સામે મરવા-મારવાનો નિરધાર કરીને ઊઠેલા : 1. જેસોજી-વેજોજી : જૂનાગઢ-અમદાવાદની મુગલ સૂબાગીરી સામે : ઇ.સ. 1472-94 : વીસ વર્ષ : બહારવટું પાર પડ્યું. 2. ભીમો જત : ગોંડલની સામે : ઇ.સ. 1800થી 1850 સુધીમાં : બાર વર્ષે ધીંગાણે કતલ થઈ ગયો. 3. હીપો ખુમાણ : પાલિતાણા સામે : 100 વર્ષની અંદર : મરાયો. (‘સૌરાષ્ટ્રની રસધાર’.) 4. જોગીદાસ ખુમાણ : ભાવનગર સામે : 1816થી 1829 સુધી : પાર પડ્યું. 5. બાવા વાળો : જેતપુર દરબાર દેવા વાળા સામે : ઇ.સ. 1829ની આસપાસ : ધીંગાણે કતલ થયો. 6. વરજાંગ ધાધલ : જેતપુર દરબાર દેવા વાળા સામે : 1800 પછી : ધીંગાણે મર્યો : પણ બહારવટું પાર પડ્યું. (‘સૌરાષ્ટ્રની રસધાર.) 7. જોધો માણેક ને મૂળુ માણેક : ગાયકવાડની સામે : ઇ.સ. 1859થી 1867 (વૉટસન પ્રમાણે 1860) : ધીંગાણે કામ આવી ગયા. 8. કાદુ મકરાણી : જૂનાગઢ રાજ સામે : ઇ.સ. 1884-87 : ફાંસી દેવાઈ. 9. રવોજી કલોજી : ગોંડળ રાજ સામે : પાર પાડ્યું. 10. રામ વાળો : ગાયકવાડ સરકાર સામે : ઇ.સ. 1816થી 1917 : ધીંગાણે ઠાર થયો. તે સિવાય નાના નાના જેનો ઇતિહાસ જનસમુદાયમાં નીતર્યો નથી તેવા ઘણા હોવા જોઈએ.

બીજો પ્રકાર : પરોપકારપ્રેરિત

પરોપકાર કરવા જતાં, અન્યને ખાતર મારફાડ કરીને પછી બહારવટે નીકળેલા : 1. સંઘજી કાવેઠિયો : સાણંદ રાજ સામે : સફળ થયો. (‘સૌરાષ્ટ્રની રસધાર’). 2. અભો સોરઠિયો : ભાવનગર રાજ સામે : ઇ. સ. 1800 લગભગ : ધીંગાણે કતલ થયો. (‘સૌરાષ્ટ્રની રસધાર’.) 3. ચાંપરાજ વાળો : ગાયકવાડ તેમ જ એજન્સીની સામે : ઇ.સ. 1835 : કેદની શિક્ષા પામ્યો ને પછી છૂટ્યો. 4. નાથો મોઢવાડિયો મેર : જામનગર સામે : આશરે ઇ.સ. 1830 : કામ આવ્યો.

ત્રીજો પ્રકાર : અંગત વેર

અંગત વેરને કારણે બહાર નીકળી જઈ કાયદા વિરુદ્ધ પરંતુ બહારવટાના નિયમો મુજબ જીવન ગાળનારા : 1. ગીગો મહિયો : જૂનાગઢ સામે ઇ.સ. 1855-60 : કતલ થયો. 2. મિયાણો વાલો નામોરી : 1890 : કતલ થયો : 3. સાલોલીનો ચારણ નાગરવ ગિયડ. 4. રાયદે બુચડ ચારણ : જામનગર સામે : મરાયો.

ચોથો પ્રકાર : ચોર-લૂંટારા

કેવળ ચોરીલૂંટને જ માટે નીકળેલા : પણ બહારવટાના નિયમો પાળનારા : 1. મોવર સંધવાણી : માળિયાનો મિયાણો : ઇ.સ. 1880-86 : વર્ષ છ : બહારવટું પાર પડ્યું. 2. એકલિયો (પુનરવ) : મોવર સંધવાણીનો સમકાલીન. એનું વૃત્તાંત અપ્રકટ છે.

સૌરાષ્ટ્રના રોબિન હૂડ

પ્રથમ કોટિના બહારવટિયા વિશે કિનકેઈડ યથાર્થ લખે છે કે [3] “પહેલા વિભાગના બહારવટિયા વધુમાં વધુ રસભરપૂર છે, અને તેઓ ઇંગ્લન્ડના વહેલા કાળના બહારવટિયાને સારી પેઠે મળતા આવે છે. એ તો યાદ હશે કે જ્યારે હન્ટિંગ્ડનના અમીરની જાગીર રાજા જ્હોનના સગીર-કારોબારમાં ઝૂંટવી લેવામાં આવી, ત્યારે એ અમીર પોતાનાં માણસો એકઠાં કરીને શેરવૂડ વનમાં ચાલ્યો ગયો. અને આજ સુધી પણ ‘રોબિન હૂડ’ નામથી એ ઘરોઘર સુપ્રસિદ્ધ છે. એનો મુખ્ય હેતુ ગુના કરવાનો નહોતો, જોકે સાચોસાચ તો એણે એ જ કામ કર્યા કર્યું હતું. એની ઇચ્છા એ રાજ્યનું શાસન અટકાવી પાડવાની હતી. એ ફાવ્યો અને મધ્યસ્થ સત્તા પાસેથી પોતાની જાગીર તથા પદવી એણે પાછાં મેળવ્યાં. સૌરાષ્ટ્રના ગરાસિયા બહારવટિયા પણ અચૂક એ જ ધોરણે વર્તન ચલાવતા. તેઓમાંના ઘણાખરા તો કાઠી જાગીરદારો જ હતા, કે જેનાં માલમિલકત વધુ બળિયા પડોશીઓએ ઝુંટવી લીધેલાં. (બધા જ કાઠી નહોતા, કેમ કે હજુ 1902માં જ જ્યુડિશિયલ આસિસ્ટંટે જૂનાગઢ ઉપર બહારવટે નીકળનાર એક મુસલમાન ટોળીને ગુનેગાર ઠરાવેલી). આ રીતે રઝળી પડેલા કાઠીઓ પોતાના નોકરો ને સંબંધીઓને એકઠા કરી લૂંટફાટ તથા ખૂનખરાબી ચલાવતા કે જેથી છેવટે કાં તો તેઓ નાબૂદ થઈ જતા, અથવા તો અન્યાય કરનારને એમ સમજાતું કે પોતાના તાલુકાનું શાસન ચલાવવા ચાહે તે ભોગે સુલેહ કરવી એ જ એક માર્ગ છે, અને તેથી તે બહારવટિયાને એની જાગીર પાછી સુપરત કરતો. આ દ્વીપકલ્પમાં સંખ્યાબંધ જુદાં જુદાં રાજ્યો હતાં અને એ દરેક રાજ્ય હમેશાં પોતાના તાબાના જાગીરદારને ઓહિયાં કરી જવાનો ડર દેખાડતું હોવાને કારણે આ બહારવટિયાને ઘણી સગવડ પડતી. એને લીધે તમામ જાગીરદારો પોતાના પડોશીને એના ન્યાય મેળવવાના પ્રયાસમાં સહાયભૂત થવા વધુ આતુર રહેતા. ઉપરાંત, તેઓનાં કૃત્યો ગુનારૂપ તેમ જ ક્રૂર હોવા છતાં પણ તેઓની નેમ તો દેશની ચાલુ સ્થિતિ વચ્ચે પોતાના અન્યાય સામે વાજબી દાદ મેળવવાની જ બતી. એ વાતને લીધે પ્રજામત ઘણે ભાગે તેઓના પક્ષમાં ઢળતો અને પ્રજા એ લોકોની માગણી સંતોષાતી જોવા રાજી હતી.”

સંતાવાનાં સ્થાન


આમાંનાં કોઈ બહારવટાં બાર-બાર વરસ સુધી ટક્યાં, તો કોઈનો એક જ વર્ષે અંત આવ્યો. બહારવટાં ટકવાની અનુકૂળતા પૂરી પાડનાર એક તો સૌરાષ્ટ્રની ભૌગોલિક સ્થિતિ છે : ગીરનાં ડુંગરા અને ઝાડી એટલાં વિશાળ તેમ જ વિકટ છે કે ‘ગીર તો માનું પેટ છે’ એવી કહેતી ચાલે છે. પોરબંદર ને જામનગર રાજ્યોમાં બરડો ને આભપરો ડુંગર પણ એવા જ વંકા છે. પાંચાળમાં ઠાંગાની ખીણો તેમ જ માંડવની ભયાનક ખોપો પડી છે. ઊંડી ઊંડી ભાદર, ઓઝત જેવી નદીઓનાં કોતરો પણ બહારવટિયાના અભેદ્ય કિલ્લા જેવાં બની રહેલાં. ઓખામંડળની કાંટ્ય પણ આજથી પચીસ વર્ષ પર ધોળે દિવસે ડરાવે તેવી કારમી હતી. એ બધી જગ્યાઓમાં દીપડા-ઝર, વેજલકોઠો, ભાણગાળો, સાણો ડુંગર, પોલોપાણો, બોરિયો ગાળો વગેરે નિવાસસ્થાનો તો કાવ્યમાં પણ ઊતરી ગયાં છે. જુઓ :

રામ વાળાનાં લગન આવ્યાં;
લગનિયાંનો ઠાઠ ગોઝારો, બોરિયો ગાળો,
ક્યાં રોકાણો રામ વાળો!

બીજો આશરો નાનામોટા તાલુકદારોનો હતો. અનેક દ્રવ્યલાલચુઓ, અંગત અદાવતની તૃપ્તિ શોધનારાઓ, ને કેટલાક શુદ્ધ દિલે દિલસોજી ધરાવનારાઓ બહારવટિયાને સંઘરતા હતા.

ઇષ્ટદેવતાની પ્રતિષ્ઠા

બહારવટિયો એટલે — બેશક એની વિલક્ષણ રીતે — વ્રતધારી ને વહેમી : કોઈક દેવસ્થાનને આરાધે : લગભગ તમામ બહારવટિયા પોતાના ઇષ્ટદેવની પ્રતિષ્ઠા કરીને જ બહાર નીકળતા અને અમુક જાતની શારીરિક પવિત્રતાના લોપમાંથી એ ઇષ્ટદેવતાનો કોપ નીપજવાનું સમજતા. ભીમો જત રોજ સવાર-સાંજ જમિયલશા પીરની દરગાહ પર લોબાન પ્રગટાવી તસબી ફેરવી પોતાની તરવારને પણ ધૂપ દેતો. બાવો વાળો રોજ સૂર્યોદય અને સૂર્યાસ્ત વેળા, ઘીનો દીવો પેટાવીને સૂરજ સન્મુખ માળા ફેરવતો : ચાહે તેવે સ્થળે હોય, પાછળ શત્રુની ફોજ ચાલી આવતી હોય છતાં આ નિત્યનિયમ ન ચૂકે. કહેવાય છે કે એની પૂજાની જ્યોત આપોઆપ પ્રકટ થતી. પરંતુ આખરે જ્યારે એ બહારવટિયો પાપ ને અન્યાયમાં ડૂબી ગયો ત્યારે એનો કાળ આવ્યાની સાક્ષીરૂપે જિંદગીના છેલ્લા ત્રણ દિવસ સુધી એ ‘રેઢી જ્યોત’ પ્રગટ નહોતી થઈ. વાલો નામોરી પોતાની સાથે પીરનો કિનખાબી વાવટો ફેરવતો અને રામ વાળો કાઠીના પરમ તીર્થધામ સૂરજદેવનો પંજો રાખતો. વાઘેરો દ્વારિકાનાથના સેવકો હોઈ ‘જે રણછોડ!’ એ એમની રણહાક હતી; જોધા વાઘેરનો ભત્રીજો મૂળુ માણેક પણ એવો જ વહેમી અને વિચિત્ર પ્રકારનો પ્રભુભક્ત હતો. એણે તો માધવપુર લૂંટવાની મધરાતે જ, મંદિરના પૂજારીને પકડી મંગાવી, મંદિર ઉઘડાવી, માધવરાયની પ્રતિમાને બાઝી પડી ચોધાર આંસુડે રુદન કર્યું હતું. અને મોવર સંધવાણી સરખા ચોરને પણ ‘કોઠાવાળો પીર’ સ્વપ્ને આવી સંદેશા દેતો હોવાની માન્યતા હતી. પ્રાચીન બહારવટિયા જેસા-વેજા તો ઘોડાને બદલે દેવી માતાએ આપેલાં બે ધોળાં રોઝ પર સવારી કરી વિષમ નદીઓ ઠેકી જતા હોવાનું બોલાય છે. બહારવટિયા એટલે શુકન-અપશુકનના મોટા વહેમી : જૂના કાળમાં સંગાથે અક્કેક શુકનાવળી રાખે : ગધેડાનું ભૂંકણ, ભૈરવ પક્ષીની બોલી, સામે પવને ધજાનું ઊડવું વગેરે ચિહ્નોમાંથી આ શુકન જોનારા શુભાશુભ પરિણામ ઉકેલતા. ગામ ભાંગતાં પહેલાં કોઈ બહારવટિયો સીમાડે સૂઈને અમુક સ્ફુરણા અનુભવતો તેને ઇષ્ટદેવની અનુમતિ સમજી લેતો, તો કોઈ રામ વાળા જેવો પોતાની ટોળીની સંખ્યા-ગણતી કરીને નવ જણને બદલે દસ દેખાય તો ‘દસમો સૂરજ ભેરે છે’ એમ ગણી ચાલતો. સંખ્યા ન વધે તો પાછો વળી જતો. ઇષ્ટદેવની આરાધનામાં બેશક આત્મરક્ષાનો જ આશય ઊભો હતો.

દેહદમન

આવી રીતે દેવદેવીઓની સહાય મેળવવી એટલે પવિત્રતાનાં, દેહદમનનાં, એવાં બિરદોનું પણ પાલન કરવું. ઘણીવાર તો એ પાલન અજબ બની જતું. એક બાજુ મનુષ્યનો સંહાર, અને બીજી બાજુ નાનાં જંતુની પણ જીવનરક્ષા! જેસો-વેજો તો પોતાના અંગ પરની જૂ પણ ન નાખી દેતાં ડગલામાં જ સાચવી જિવાડતા. કહેવાય છે કે એ ડગલાઓમાં એટલી તો જૂઓ ખદબદતી કે પોતે બાન પકડેલા માણસ પાસેથી પૈસા કઢાવવા માટે તેઓ તેને એ ડગલા પહેરાવી જૂઓના ચટકાથી તોબાહ પોકારાવતા. છતાં એટલી બધી જૂઓ એ જોગી જેવા ભાઈઓ કાયમ પોતાના શરીર પર ધારણ કરી રહેતા, એટલું જ બસ નથી. એમના કાકા ગંગદાસને તો પીઠ પર પાઠું પડેલું : પાઠામાં કીડા ખદબદતા, એ પાઠામાં ગંગદાસજી લોટનો પિંડો ભરીને કીડાને એ ખવરાવી જિવાડતા. કીડા નીચે પડી જાય તો ઉપાડી પાછા પાઠામાં નાખતા.

યતિધર્મ

સારા બહારવટિયા તો ગૃહસ્થાશ્રમને પણ ત્યજી દેતા હતા. જોગીદાસનાં સ્ત્રી-બાળકો ભાવનગર ઠાકોરના દરબારગઢમાં અટકાયતે પડ્યાં હોવાથી એણે કંઈ કંઈ વર્ષો સુધી ગૃહસ્થાશ્રમનાં દર્શન પણ નહોતાં લીધાં. જેસોજી-વેજાજીનાં બાળબચ્ચાં પણ વિખૂટાં પડીને ગુપ્ત વેશે નટોના પંખા (ટોળા) સાથે ભમતાં હતાં. એથીયે વધુ રોમાંચકારી કથા તો છે ચાંપા ખુમાણ નામના જુવાન કાઠીની. પાલિતાણા રાજ્ય સામે બહારવટે નીકળનાર કાઠી હીપા ખુમાણનો એ નાનેરો દીકરો પિતાની આજ્ઞા થતાં એક રાત્રિએ પોતાને ગામ માતાને ખરચી આપવા જાય છે : મા રાત રહેવા વીનવે છે, પણ એને તો બહારવટું પાર પાડ્યા પહેલાં ઘરનું પાણી પીવુંયે હરામ છે : માતાએ માન્યું કે ઓરડામાં ઊભેલી એની સ્ત્રી સાથે ચાર આંખો એક થશે તો દીકરો રોકાઈ જશે. એટલે બહાનું બતાવીને અંદર મોકલ્યો : ચાંપો અંદર ચાલ્યો : આશાભરી કાઠિયાણીએ ઢોલિયો ઢાળ્યો : જુવાન ચાંપાની આંખ બદલી : બોલ્યો : ‘કાઠિયાણી છો? અટાણે ઢોલિયો! હું બહારવટે છું એટલીયે ખબર ન રહી?’ એમ કહી ચાંપો ગયો અને બીજી જ રાતે ગારિયાધારના દરબારગઢને ઉંબરે મેરજી સંધીની ગોળીથી વીંધાઈ મરણ પામ્યો. બાકી, રંગીલી ભૂમિકાના મોવર સંધવાણી જેવા બહારવટિયા છૂપીચોરીથી પોતાને ઘેર જતા અને રાત્રિઓ ગાળી આવતા.

દયાદાન

વાલો ઠૂંઠિયો જે વેળા રણમાં ઊંટનું કૂંડાળું કરીને સામે આવતા શત્રુઓ સાથે યુદ્ધ કરી રહ્યો હતો ત્યારે કહેવાય છે કે શત્રુઓએ ગાયોનું ધણ આડું ઊભું રાખ્યું, અને વાલાએ પોતે મુસલમાન હોવા છતાં પણ ગાયો ઉપર ગોળીબાર ન કરવાની આજ્ઞા દઈ, કેવળ ગાયોને નસાડવા પૂરતા જ પગ તરફ ભડાકા કરી પોતાનો બચાવ કરેલો. જોધા માણેકે કોડીનાર લૂંટીને ત્રણ દિવસ સુધી કોડીનાર પર રીતસર રાજ કરી, ન્યાય ચુકાવી, ગોંદરે ગાયોને કપાસિયા નીર્યા હતા અને બ્રાહ્મણોની ચોરાસી જમાડી હતી. બ્રાહ્મણો, બાવા, સાધુઓ વગેરે ખવરાવવાનો આગ્રહ તો લગભગ દરેક બહારવટિયાએ બતાવ્યો હતો. અલબત્ત, એમાં તો ધર્માદાની રૂઢિગત ભાવના જ હતી, પરંતુ બહારવટિયાના મનમાં એની ભાવના તો હતી જ. (શિવાજીએ પણ પોતાનું શરીર ભારોભારનું સુવર્ણ બ્રાહ્મણોને જ વહેંચ્યું હતું.)

સ્ત્રીજાતિનું સન્માન

લોકસમૂહ તો સર્વથી ઊંચા — અતિ ઊંચા — એવા એક યતિધર્મ ઉપર ફિદા થાય છે : એ હતો સ્ત્રીજાતિ પ્રત્યેનો સન્માનનો બહારવટાધર્મ. જોગીદાસ ખુમાણે અને કાદુ મકરાણી પોતાના પર મુગ્ધ બની પરણવા આવનારી સુંદરીઓનો તિરસ્કાર કરેલો. જોગીદાસે તો પોતે સ્ત્રીજાતિ પ્રતિના સન્માનરૂપે જીવ્યો ત્યાં સુધી હમેશાં હાલચાલના રસ્તા તરફ પોતાની પીઠ દઈને જ બેસતો હતો. કોઈ દિવસ રસ્તા સન્મુખ મોં રાખીને તે નથી બેઠો. સ્ત્રીને દેખતાંની વાર જ એ પોતાના મોં પર પછેડીનો ઘૂમટો તાણી જતો. એટલું જ બસ નથી, એણે તો પોતાના માનમાં ભાવનગરની કચેરીની અંદર અધમ વારાંગનાને પણ નૃત્ય કરતી અટકાવીને ‘મારી મા-બેન્યું’ કહેલી. બહારવટિયાની એ સ્ત્રીસન્માનની ભાવનાએ બીજી સર્વ ભાવનાઓ કરતાં વધુ સચોટ અસર જનતા ઉપર છાંટેલી છે, અને તે કારણે જ ચારણોએ પણ સહુથી વધુ મૂલ્યવતી કવિતાનાં અર્ઘ્ય એ શિયળને જ ચડાવ્યાં છે. એના જ દુહાસોરઠા વધુ જોરદાર, વધુ પ્રચલિત ને વધુ વંકા છે :

ઠણકો નાર થિયે, ચત ખૂમા! ચળિયું નહિ,
ભાખર ભીલડીએ, જડધર મોયો જોગડા!

[ઓ ખુમાણ! નારીના પગનો ઠમકારો થવાથી તારું ચિત્ત કદી ન ચળ્યું : જ્યારે બીજી બાજુ તો, ઓ જોગીદાસ! મોટા જટાધારી શંકર પણ ક્ષુદ્ર એક ભીલડી ઉપર મોહી પડેલા!]

પરનારી પેખી નહિ, મીટે માણારા!
શીંગી રખ ચળિયા, જુવણ જોગીદાસિયા!

[ઓ માણા (કાઠી)ના પુત્ર! ઓ જુવાન જોગીદાસ! તેં તો પરનારી તરફ આંખની મીટ પણ નથી માંડી; જ્યારે પેલા શૃંગી ઋૃષિ જેવા પણ ચલાયમાન થઈ ગયા હતા.]

કાદુનો કિસ્સો

કાદુ મકરાણી પણ કાછનો એવો જ સાબૂત : ઘરની ઓરતને તો એણે મકરાણમાં મોકલી દીધેલી : બે ભાઈઓને લઈને ગામડાં ભાંગે છે. એક દિવસ મોડી રાતે લોઢવા ગામના એક કારડિયા રજપૂતના ઘરમાં પેસતાં એ ઘરની સૂતેલી સ્ત્રી અર્ધનગ્નાવસ્થામાં જ ઊઠીને નાઠી : કાદુ પીઠ દઈ ઊભો રહ્યો : કહ્યું કે બેન! તારાં કપડાં સંભાળી લે : પણ અબળા ધાકની મારી હલી-ચલી ન શકી : ‘બેન, તારી ખડકી દઈ દે!’ એટલું કહીને કાદુ નીકળી ગયો. એ ઘર ન લૂટ્યું. લાલસાને ખાતર તો શું, ચોખ્ખી લૂંટને ખાતર પણ સ્ત્રીના શરીર પર હાથ નાખવાનું ઘણાખરા બહારવટિયાઓની નીતિમાં નામંજૂર હતું. વાઘેરો લૂંટતી વેળા દૂર ઊભા રહી સ્ત્રીઓને આટલું જ સંબોધન કરતા કે ‘ઘરેણાં ઉતારી દે, બેન! તારી ભોજાયુંને પહેરવા લૂગડાં નથી, ખબર છે ને?’ મોવર સંધવાણીએ પણ એ જ વર્તાવ રાખેલો.

અંગ્રેજ શત્રુ-પત્નીની અદબ

એથીયે અધિક સ્ત્રીસન્માન કાદુએ પોતાના જ કટ્ટા શત્રુ કર્નલ હંક્રીની ઓરત તરફ બતાવેલું હોવાની સાક્ષી સ્વ. જસ્ટીસ બીમને સુધ્ધાં આપેલ છે. અંતરિયાળ એ જૂનાગઢના નવા અંગ્રેજ પોલીસ ઉપરીની ઓરત અને બાળકનો ટપ્પો મળે છે. જો, એને ઝાલીને બાન તરીકે રાખે તોપણ એની આખી બાજી સુધરી જાય તેવા સંજોગો છે. પણ કાદરબક્ષે સાથીઓની એ વાત કબૂલ ન જ કરી. એના મોંમાં એક જ વેણ હતું કે ‘તો તો આપણી ઓરતો આપણા ઉપર થૂ થૂ કરશે’.

વાલિયાની પાકદિલી

મોવરે પણ ડીસા અને પાલનપુર વચ્ચે મુસાફરી કરતી એક મડમ પ્રત્યે, તેમજ બીજી અનેક સ્ત્રીઓ પ્રત્યે સંપૂર્ણ સન્માન સાચવ્યું હતું. છેલ્લા બહારવટિયા રામ વાળા એ ભરયૌવન છતાં અને સાથીઓ સહજમાં લપટી પડે તેવા હોવા છતાં સ્ત્રીજાતિ પ્રતિ જે સંપૂર્ણ અદબ જાળવી છે તેના સાચેસાચા પ્રસંગો એની કથામાં નોંધાયા છે. બહારવટિયા વાલાએ તો અમુક બાઈની સાથે પરણવાનું સાથીઓ તરફનું સૂચન થતાંની વાર તુરત જ કહેલું કે ‘એ બાઈની ઈચ્છા જાણ્યા વિના આવી વાત પણ ન કરો, કેમ કે કદાચ એ બાઈના મનમાં એમ હોય કે વાલો મારો ભાઈ છે, તો પછી હું દોષે ભરાઉં ને!’ તદ્દન ‘કન્વેન્શનલ’ (રૂઢિગત) સ્ત્રીસન્માન આટલી હદે ન ચડી શકે.

ભવિષ્યવાણી

ધૂમકેતુએ પોતાની ‘તારણહાર’ નામની ટૂંકી વાર્તામાં સામત ખાચર નામનો એક સોરઠી બહારવટિયો કલ્પેલો. એક ચારણ કન્યાના શરીર પર લાલસાથી હુમલો કરનાર પોતાના સગા દીકરાને એ બહારવટિયાએ તત્કાળ બંદૂકથી વીંધી નાખ્યો એવું સુંદર ચિત્ર એમણે આલેખ્યું છે. આ કલ્પનાને વાસ્તવિકતાનો આધાર બહારવટિયાની કથાઓમાંથી સાંપડે છે. વાલા નામોરીનો જ એક પ્રસંગ છે. કકલ બોદલા નામના એક સાથીએ મોરબી તાબાના ઝીકિયાળી ગામની કોઈ કણબણ પર નીચતા ગુજારી; એ વાતની જાણ થતાંની વાર જ વાલાએ કકલ બોદલા ઉપર બંદૂક છોડી; પરંતુ પાસે બેઠેલા કોઈ બીજા સાથીએ બંદૂકની નાળી લગાર જ ઊંચી કરી નાખી, ગોળી ગુનેગારના શિર પર થઈને ચાલી ગઈ; વાલાએ બીજો ઘા ન કર્યો, પણ ભવિષ્ય ભાખ્યું કે ‘બેલીઓ! આની નીચતા આપણને નહિ છોડે. આપણું બહારવટું ખતમ થયું! આજથી આઠમે દિવસે આપણને હડકવા હાલશે’. બરાબર આઠમે દિવસે બહારવટિયાની આખી મંડળીને એજન્સી પોલીસ-ઉપરી ગોર્ડન સાહેબે પેથા પગી નામના, બહારવટિયાના કોળી આશ્રયદાતાની મારફત ફેફી લાડવા મોકલી ખવરાવ્યા અને બેશુદ્ધ બહારવટિયા મરાયા. લોકો માને છે કે વાલાની ઘોર ભવિષ્યવાણી સાચી પડી.

બહારવટિયાનાં જિગર

વિકટ ડુંગરાઓ ઉપર અને નદીઓનાં પૂરમાં પણ એ લોકો પોતાનાં જોરાવર ઘોડાંને દોટાવી જતા, એની સાક્ષી એમનાં સંતાવાનાં સ્થળો આપશે. પગપાળા, બંદૂકો તથા દારૂગોળો વગેરે ત્રણ ત્રણ મણનો બોજો શરીર પર લગાવી તેઓ રાતોરાત ત્રીસ ગાઉ નીકળી જતા. પોતાના સાથીઓનાં શબને ઉઠાવી લઈને નાસી જતા. પાણીમાં તરવું ને પૂર વીંધવા એ એમને સહજ હતું. અધરાતે, બી.બી.સી.આઈ.ની દોડતી ગાડીમાંથી પોલીસને મારી, હાથમાં હથિયાર ને પગમાં બેડીઓ સહિત નર્મદાના પુલ પરથી છલંગ મારી નદીનાં પાણી તરવાનો જે પ્રસંગ મામદજામ નામના મિયાણાને નામે બોલાય છે તે તો જૂનો પણ નથી, સરકારી રાજમાં બનેલો છે. અને આજ પણ ભરચોમાસે જ્યારે મચ્છુ નદી, દરિયો તથા રણ પાણીમાં એકાકાર બની જાય છે, ગાંડાંતૂર પાણી ઊમટે છે, ત્યારે માળિયાના મિયાણાઓને હાથપગ બાંધીને અંદર ફેંકી દ્યો, તો પણ એ ગાઉના ગાઉ સુધી તરી જાણે છે. એ જ મામદજામે ધીંગાણામાં પોતાનાં બહાર નીકળી પડેલાં આંતરડાં પાછાં પેટમાં નાખી, ભેટમાં બાંધી લઈ મૃત્યુને પોતાની કબર તૈયાર થતાં સુધી થંભાવી રાખ્યું હતું. પાલિતાણાના બહારવટિયા હીપા ખુમાણના દીકરા ચાંપા ખુમાણે, મધરાતે પોતાના બન્ને પડખા વીંધીને ગોળી ચાલી ગયેલી તોયે બિલકુલ સિસકારો ન કરતાં, ધીંગાણે ભંગાણ ન પડે તે ખાતર ઘોડી પર બેઠાં બેઠાં જ નેવાનું નળિયું લઈ, તેના બે ટુકડા કરી, કમ્મરની બન્ને બાજુએ ચાંપી દઈ, ઉપર પાટો કસકસાવી લોહીને રોકી રાખ્યું હતું. કોઈને જાણ પણ થવા દીધી નહોતી. ઓખામંડળના દરિયામાંથી સરકારી આગબોટ જ્યારે શંખોદ્ધાર બેટનાં મંદિરોનાં ચોગાનોમાં ગ્રુપચાટ ગોળાઓ (એટલે કે નીચે પડીને ફાટનારા ગોળાઓ) વરસાવી રહી હતી, તે વેળા વાઘેર બહારવટિયાઓ ગોદડાના ભીના ગાભા લઈને સામે દોટ મૂકી, એ ગોળાને ફાટતાં પહેલા તો દબાવી બુઝાવી નાખતા. વાલા નામોરીના સાથીઓ, ગોર્ડન સાહેબે મોકલાવેલા કેફી લાડવાનો નશો નસોમાં ચડી ગયા પછી પણ નાસીને રણમાં રેતીના ઓડા કરી યુદ્ધ લડેલા હતા. જીવલેણ જખ્મો થયા પછી પણ પડીને, સૂઈને ધૂળ ચાટતા ન મરવું, પણ બેઠાં બેઠાં, ‘નથી મર્યા, જીવતા છીએ’ એવો મોરો રાખીને શ્વાસ છોડવા, શ્વાસ નીકળી ગયા પછી પણ શબનું બેઠા રહેવું, એ તેઓનું અભિમાન હતું. મૉતની સજા પામેલા મેર બહારવટિયા હરભમ રાતડિયાએ પોરબંદરની તોપ સાથે બંધાવાની ના પાડી, પોતાની મેળે જ તોપના મુખને બાથ ભરીને ઊડી જવું પસંદ કર્યું હતું.

શત્રુતાનો પ્રકાર

રાજસત્તાની પરિભાષામાં આ સર્વ લોકોને ‘હરામખોરો’ અથવા ‘બદમાશો’ શબ્દથી ઓળખવામાં આવે છે. પરંતુ કેટલાએકનો શત્રુઓ પ્રતિનો વર્તાવ ખાનદાનીથી ભરેલો હતો. કેવળ હરામખોરો એવી ખાનદાની બતાવી શકે જ નહિ. જોગીદાસ ખુમાણ પોતાના શત્રુ ઠાકોર વજેસંગજીના પુત્ર કેસરીસંગનું મૃત્યુ થતાં ગુપ્ત વેશે સિહોરમાં લૌકિકે જાય, ઠાકોરનાં રાણી નાનીબાને વગડામાં રાત્રિએ રાધા ચાવડા નામના લૂંટારાના હાથમાંથી ઉગારી છેક ભાવનગરના સીમાડા સુધી મૂકી જાય, ઠાકોરની દીકરી — તે પણ રાણીની નહિ, રખાતની દીકરી — ના ગામ બોડકીને પાદર નીકળી, પોતાની દીકરીનું ગામ સમજી ન લૂંટે, એ બદમાશના લક્ષણ ન હોય. વાઘેર બહારવટિયા, હાથમાં ભરી બંદૂકો છે છતાં ‘લાખુંના પાળનારને ન મરાય’ એ બિરદ રાખી રાજા બહાદુર જાલમસંગને મારતા નથી. પણ ‘રાજા બહાદુર! તારી ભેટનો જમૈયો સમાલજે!’ એટલું કહીને ગોળી છોડે, જમૈયો ઉડાવી નાખે, એ શત્રુધર્મ. બીજો પ્રસંગ : સરકારી સૈન્યથી હારીને વાઘેરો દ્વારિકા છોડી નાઠા ત્યારે મકનપુર ગામને વાઘેર સૂમણા કુંભાણીએ રાત્રિના અંધારામાં રસ્તે એક આદમીને પડેલો દીઠો. પડકાર્યો કે ‘કોણ તું?’ પડેલા માણસે જવાબ દીધો : ‘હું તારો શત્રુ : તારી સવેલી સ્ત્રીને ઉપાડી જનાર’ : ‘કોણ વસઈવાળો વેરસી?’ ‘હા. અટાણે તારો વેર વાળવાનો સમો છે. મને ઝટ ટૂંકો કર.’ ‘વેર અટાણે ન વાળું. અટાણે તો તું મારો ભાઈ થા. વેર તો હું પછી વાળીશ.’ એમ કહી તે જખ્મી શત્રુને પીઠ પર ઉપાડી, વસઈ ગામે મૂકી આવ્યો. વાલો બહારવટિયો પોતાના એક મિયાણા દુશ્મનને સામે ચાલ્યો આવતો દેખે છે, ગોળી ચલાવે છે, એક પછી એક સાત ગોળી મારી પણ શત્રુને એક પણ નથી આંટતી : બંદૂક મેલીને વાલો સામો ચાલે છે : ‘આવ, બેલી, તારી બાજરી હજી બાકી છે. ખુદાની ઉપરવટ મારે નથી થાવું. આવ, કસુંબો પિયેં’ એમ કહીને આદર આપે છે. બીજા એક દુશ્મનને છેક કચ્છના દેપળા ગામ સુધી મારવા ગયેલા, એ સંધી શત્રુએ આવીને પોકાર કર્યો કે ‘એ વાલા, તારી ગા!’ વાલે કહ્યું, ‘ગા થાછ? દે ભાંભરડા!’ શત્રુએ ત્રણવાર ભાંભરડા દીધા, અને એને ગાય ગણી વલાએ છોડી દીધો. વાઘેરોને માટે તો સત્તાવાર બોલાય છે કે નાસતા શત્રુને તેઓ ‘પે મ ભજો! બાપા ન ભાગો! માનું દૂધ ન લજાવો!’ એવા શૂરાતનના પડકારા કરતા; બનતાં સુધી ભાગતા શત્રુ ઉપર ઘા ન કરતા. ખુન્નસભર્યો કાદુ પોતાના કુળ પર વીતકો વીતાવનાર પોલિટિકલ એજન્ટ સ્કૉટને ઠાર મારવા જતાં ઘોડાગાડી ચૂકે, બીજી ગાડીમાં બેઠેલ અન્ય ગોરા જૅકસન કે સ્કૉટની મડમને ન મારે, જૅકસન સાહેબ એને નિરાશાજનક જવાબ દેવા જંગલમાં એકલો મળે ત્યારે પણ જૅકસનને બાન ન ઝાલે, એ સ્વાર્થત્યાગમાં ખરો શત્રુધર્મ રહેલો છે. ભીમો જત બબિયારાના ડુંગર પર એક સાથીના સાથમાં ગાફેલ બનીને બેઠો છે. ઓચિંતો શત્રુની ફોજે ઘેરી લીધો. શત્રુના મીરે સામેથી પડકાર્યો કે ‘હવે ભીમો ભાગે નહિ. જણનારી લાજે!’ ભીમો ઊભો રહ્યો. શત્રુઓને હાકલ દીધી કે ‘તમે મને મારી નાખશો એમાં તો શક નથી. પણ મર્દની જેમ રમત જોવી હોય તો આડ હથિયારે આવી જાઓ!’ તરવારની રમત મંડાય, ભીમો ઠેકી ઠેકીને દુશ્મનોને વાંસાના ઘા કરે, ને પછી દગાથી એનો દેહ પડે, એ કથામાં પણ શૌર્યની ખાનદાની છે. આવો શત્રુધર્મ જે ન બતાવી શક્યો તેણે પોતાના સાથીઓની ને પ્રજાની દિલસોજી ગુમાવી હતી. બાવા વાળાએ મદાંધ બની પોતાના શત્રુ હરસૂર વાળાને સાંતી હાંકતો કર્યો; મિત્રો કહે ‘બાવા વાળા! એને બે ઝાળાં તો દે!’ બાવાની છાતીએથી ન છૂટ્યું, સાથી રિસાઈને ચાલ્યો ગયો : શત્રુધર્મ સમજવાની ના પાડનાર બાવા વાળાનો એણે થોડે દિવસે નાશ કર્યો.

બહારવટિયાઓની વીરપૂજા

સાચો બહારવટિયો પોતાનામાં જેટલું વીરત્વ પ્રકટાવી શકતો તેટલું સામે શત્રુના વીરત્વને સન્માન આપી શકતો હતો. મોવર સંધવાણી તો નર્યો લૂંટારો હોવા છતાં પેલા પારકરના બહાદુર વેપારી વાણિયાને એક તરવારે પોતાની આખી ટોળી સામે આવતો ભાળી, ‘રંગ તુંને!’ પોકારી વણલૂંટ્યે ચાલ્યો ગયો; સામન્ડ સાહેબના બોલ ઉપર ઇતબાર રાખી સરકારને શરણ થયો. વાઘેર બહારવટિયા જોધા માણેકે એકલા દ્વારકા જઈ બાર્ટન સાહેબની સાથે આંખની પણ ઓળખાણ વિના કેવળ એના સંદેશા પર વિશ્વાસ ધરી મુલાકાત લીધી, અને મૂળુ માણેક એવે જ વિશ્વાસે હથિયાર છોડવા જતાં ફસાઈ ગયો. શત્રુઓ પર આવો વિશ્વાસ મૂકવાની સાફદિલ હિંમત ભીરુ ચોરડાકુઓમાં નથી હોતી. દગાની દહેશત ન રાખે એવું વીરત્વ આ લોકોની છાતી નીચેથી અનેક વાર ડોકિયાં કરી જતું. એના સર્વોત્તમ દૃષ્ટાંતનો કિસ્સો આભપરા ડુંગર ઉપર એક આરબનો બની ગયો છે. વાઘેરોનો હલ્લો થતાં આખી ફોજ ભાગી. તેમાંથી ફક્ત એક જ યુવાન આરબ ‘હમ નહિ હટેગા! નિમક ખાયા!’ કહી ઊભો રહે, એટલે એ વીરતા પર મુગ્ધ બની વાઘેરો એને રસ્તો દઈ દે, પણ આરબ પોતાના ધણીના સરંજામ પરથી મર્યા પહેલાં ખસવાની ના પાડે, એટલે બહારવટિયો પણ એને એકને સામટા જણ થઈને મારવાની ના પાડે, આખો દાયરો બેસે, અક્કેક બહારવટિયો એ આરબ સામે લડે, છેવટે આરબ પડે, અને બહારવટિયા એની રીતસર મૈયત કાઢી દફનાવે : એ ઘટના નજરે જોનાર શત્રુ-સૈનિકને મુખેથી કહેવાતી આવી છે. [4] સ્કૉટ કૃત ‘આઇવેનહો’ નામની નવલમાં રોબિન હૂડ વિશે પણ આવી જ કથા આલેખાઈ છે.

ઇતિહાસ કે કલ્પના?

આ બધી ઘટનાઓ વિલક્ષણ હોવાને કારણે અસંભવિત હોવાની શંકા પડે. આ કિસ્સાઓ ક્યાંયે નોંધાયા નથી. બહારવટિયાની વિરોધી સત્તાઓને દફતરે તો એને સ્થાન જ ન સંભવે. સહજ છે કે એ દફતરે બહારવટિયાઓને હરામખોરો, લૂંટારાઓ, બળવાખોરો એવા શબ્દોમાં જ વર્ણવે ને બહારવટિયાની શામળી બાજુ રજૂ કરી એને વધુ શામળી બનાવવાનો પ્રયત્ન કરે. તેમ બીજી બાજુ લોકોને પણ પોતાના સારાનરસા તમામ અનુભવો છુપાવવામાં જ પોતાની સલામતી લાગતી હોય. બહારવટિયા સાથે પડેલા પ્રસંગો પકડાઈ જતાં, વસ્તીને રાજસત્તાનો ખોફ વહોરવો પડતો તેથી તેઓ પણ ચૂપ રહ્યા હોય. ધીમે ધીમે સમય જતાં, રાજસત્તાનો ભય ઊતરી જતાં, લોકોમાં એ બહારવટિયાની ઘટનાઓ ઉખળવા લાગે છે; શિયાળુ રાત્રિઓની સગડીઓ એ કથાઓ વડે વધુ ઉષ્માવંત બની રહે છે. વાડીઓની વડઘટાઓ, ગામના ચોરાઓ અને ડેલી-દોઢીના દાયરાઓ એ જૂની છુપાવેલી વાતો વડે વધુ પ્રદીપ્ત થઈ રહે છે. અને છતાં નામઠામ સંડોવ્યા વગર જ ઘણી વાતો મોઘમ ઉચ્ચારવી પડે છે. એમાં કંઈક વીરત્વ ઉપરની માનબુદ્ધિથી પ્રેરાઈને તેમ જ કાંઈક કલ્પનાના રંગે રંગાઈને, કવિ કાવ્ય રચે તે પ્રમાણે પ્રજાય આ બહારવટિયાની આસપાસ નૂતન ઘટનાઓ ગૂંથી કાઢતી હશે. ઇંગ્લન્ડના કેટલાએક ઇતિહાસકારો પણ એ મત ધરાવે છે. [5] રોબિન હૂડની ઘણી ઘટનાઓ કપોલકલ્પિત હોવાનું કહેવાય છે. અથવા ઘણી ઘણી, ભિન્નભિન્ન સ્થળો તેમ જ વ્યક્તિઓ પરત્વે બની ગયેલ બોલાતી ઘટનાઓનો સમુચ્ચય કરીને મેઘધનુષના રંગસમુચ્ચય સરીખો એક બલવાન વીર ઘડ્યો હોવાનું પણ બોલાય છે. માનવી મરી ગયા પછી અમુક સમયે એના સ્મૃતિચિત્રમાં એવાં અવનવા તેજછાયા પૂરવાની લોકપ્રકૃતિ જગજાહેર છે. દાખલા તરીકે, મોવર સંધવાણીએ એક સાહેબની મડમને ઉઠાવી જઈ પોતાની રહેઠાણમાં બહેન કરીને રાખી ને છેવટે એક હજાર રૂપિયાનું કાપડું આપી સાહેબને પાછી સુપરત કરી, એ વાત સારી પેઠે પ્રચલિત છતાં, એના જ એક સંગાથી બહારવટિયાએ (એ જીવે છે) નિર્મૂલ કહી છે. પરંતુ એથી ઊલટું, કાદુ ને જૅકસનની, કાદુ ને હંફ્રીની મડમની, વગેરે ઘટનાઓનાં સજ્જડ સાક્ષી-પુરાવા છે.

સંપાદકની મર્યાદા

આ કથાઓમાં એવું ‘પિક્ચરસ્ક’ (કલ્પનાપ્રધાન) તત્ત્વ કેટલું છે તે સત્ય કેટલું છે, તે નિર્ણય થવો મુશ્કેલ છે. કેવળ ચારણોની જ પાસેથી મળેલી આ કથાઓ નથી. પણ ચારણો, ભાટો, બહારવટિયાના સંગાથીઓ, પોલીસખાતાના જૂના અધિકારીઓ, અમુક બહારવટિયાની સામે હાથોહાથ લડેલા ગિસ્તના માણસો વગેરે પાસેથી પૂછી પૂછી, બનતી મહેનતે ચકાસી, સરખાવી એકઠી કરેલ આ ઘટનાઓ છે. બહારવટિયાના સંગાથમાં જેઓ બહારવટે નીકળેલા, તેવાઓમાંથી પણ મળ્યા તેટલાના મુખબોલ ઝીલ્યા છે. તેમ છતાં કલ્પનાના સંભારથી આ કથાઓ છેક જ મુક્ત હોવાની ખોળાધરી કોઈથી ન જ અપાય. ઐતિહાસિક સામગ્રીઓના સંપાદક તરીકેની ફરજ અદા કરવા જતાં એક પણ કલ્પિત (‘ફિક્શીશિયસ’) પાત્ર ન ઉમેરવાની ચીવટ રખાઈ છે, પરંતુ ઘટના વર્ણવવા જતાં સંપાદક લોકોક્ત વૃત્તાંતને ચાહે તેટલો વફાદાર રહ્યો હોય છતાં એમાં એ પોતે પોતાના મન પર પડેલા રંગોની મિલાવટ કર્યા વિના રહી શકતો નથી. ખુદ પાત્ર સાથે એને તદ્વૃત્તિ સાધવી જ પડે છે. પાત્રની ઐતિહાસિક પ્રકૃતિ તેમ જ અન્ય આછીઘાટી રેખાઓ પામી ગયા પછી એ વર્ણનની વિગતો પોતે જ ઘણે ઘણે ઠેકાણે પૂરી લે છે. પોતે કથારૂપે કહેવા જતાં કથાની ઐતિહાસિક મર્યાદાને માન આપતો હોય છે, તેમ છતાં ઐતિહાસિક વસ્તુનું કેવળ ‘રિપોર્ટિંગ’ કરવાનું પણ એને પાલવતું નથી. આ બધી સંકડામણ વચ્ચે ઇતિહાસ ઉપર થોડોઘણો વરખ ચડ્યા વિના રહી ન શકે. મુખપરંપરા ચાલી આવતી ઘટનાને એ રીતે અનેક કલ્પનાપુટો ને ભાવનાપુટો ચડ્યા જ હોય છે. જેમ સમય લાંબો જાય, તેમ એ પોપડાના થર વધુ જાડા થતા જાય છે. પરંતુ આપણી આ ઘટનાઓ હજુ બહુ જૂનીપુરાણી નથી. અને હજુ કેટલાક નજરોનજરના સાક્ષીઓ હોવાનો લાભ છે. એનું આલેખન પણ નવલકથાની નવસર્જક શૈલીએ અને વિગત પાત્ર કે સ્થલનાં બંધનોથી મુક્ત બિનજવાબદારીની રીતે નથી થયું. તેટલી તેની વિશ્વસનીયતા વધે છે. દરેક ઘટનાવાર, સંપાદકને કેટલું વસ્તુ મૂળ મળેલું, અને તેમાં પોતે કેટલો ઘાટ પોતાની કલમ વડે આપ્યો છે, એ બતાવવું અત્રે ટૂંકી જગ્યામાં વિકટ બને છે. પણ સંપાદક પોતે ખાતરી આપે છે કે પાત્ર તેમ જ પ્રસંગને માત્ર ‘પ્રોપર પરસ્પેક્ટીવ’ (યથાર્થ ભૂમિકા) મૂકી શકાય તેટલી શબ્દયોજના યોજ્યા ઉપરાંત એણે લગારે છૂટ પોતાની કલ્પનાને લેવા દીધી નથી.

અંગ્રેજો પર દાઝ

બહારવટિયા માંહેના ઘણાખરા, જેને અંગ્રેજ રાજસત્તા સાથે અથડાવું પડેલું છે, તેઓની મુરાદ હંમેશા ગોરા અમલદારો સાથે મુકાબલો કરવાની રહેતી. ગોરાને મહાત કરવામાં તેઓએ પોતાનું ગૌરવ માન્યું હતું. બાવા વાળાએ ગ્રાંટને ઝાલી ચાર મહિના રાખ્યો. (અને એ ઝાલવું સહેલું નહિ થઈ પડ્યું હોય. ‘હું હથિયાર વિનાનો હતો’ એ કૅપ્ટન ગ્રાંટની વાત ન માની શકાય તેવી છે. સૌરાષ્ટ્રને કિનારે ચાંચિયાને તારાજ કરવા આવેલો લશ્કરી ગોરો, દીવ-અમરેલી વચ્ચેની ઘોર ગીરને વટાવતી વેળા, જોગીદાસ, બાવા વાળા વગેરેનાં બહારવટાં વિશે અજાણ્યો બની, હિંસક પ્રાણીઓની પણ ધાસ્તી વિના, એવા મારામારીના સમયમાં કેવળ એક કૂમચીભેર જ ઘોડેસવાર બનીને ચાલ્યો આવે, એ વાત જ અસંભવિત છે. આજે શાંતિના યુગમાં પણ ભાગ્યે જ કોઈ અંગ્રેજ-બચ્ચાની કમ્મર અથવા ગજવું રિવોલ્વર વિનાનું હશે, તો પછી તે યુગમાં શું ગોરો એટલો ગાફેલ રહે? નક્કી ગ્રાંટને છતે હથિયારે જ કાઠી લડવૈયાઓએ દબાવી દીધો હશે.) ચાંપરાજ વાળાએ ભાણિયાના ડુંગર પર એક લશ્કરી સાહેબને ફૂંક્યો. વાઘેરોએ બેટ અને દ્વારકાની લડાઈમાં સોલ્જરોને મારવા ઉપરાંત માછરડા પર હેબટ અને લાટૂશ નામના બે ગોરા પોલિટિકલ એજન્ટોને ઉડાવ્યા. વાલા નામોરીએ મરતાં મરતાં પોતાને ઝેર આપનાર ગોર્ડનને ગોળીએ વીંધ્યો. જોગીદાસ ખુમાણને ઝાલવા પોલિટિકલ એજન્ટ બાર્ટન પોતે અમરેલી આવી ફોજ ગોઠવતો હતો એ છતાં ગોરાના પડકારથી કાઠી ડર્યો નહિ. કાદુને સ્કૉટ પર દાઝ : જુમલાને સૂટર ન માર્યાનો રહી ગયેલ વસવસો : એ બધામાં વ્યક્ત થતી અંગ્રેજો પરની દાઝ આવા દુહામાં ઊતરી :

ટોપી ને તરવાર, નર કોઈને નમે નહિ;
સાહેબને મહિના ચાર, બાંધી રાખ્યો તેં બાવલા!
[6] ઘંટ ફરતો ઘણું, દળવા કજ દાણા,
(એને) મોં બાંધીને માણા! બેસારી રાખ્યો તેં બાવલા!
વશ કીધો વેલણનો ધણી, ગરમાં ઘંટને જે,
(એની) વાળા! વલ્યાતે, બૂમું પૂગી, બાવલા!
વીકે સરવૈયા વાઢિયા રણઘેલા રજપૂત,
ભાણિયાને ડુંગર ભૂત સાહેબને સરજ્યો ચાંપરાજ!
માણેકે સીંચોડો માંડિયો, ધધકે લોહીની ધાર,
[7] સોજીરની કીધી શેરડી, ઓર્યા ભડ ઓનાડ.
સોજીરને સોજા કરી, વાઢે નર વંકા,
જોધો ધીંગાણે ઝૂઝણો (એના) દલ્લી લગ ડંકાન.
મૂળવે અંગ્રેજ મારિયા, (એના) કાગળ પૂગા ક્રાંચી,
અંતરમાં મઢ્યમ ઉદરકે, સૈયરું વાત સાચી?
તારી જે ટપાલું તણાં, વલ્યાતે કાગળ વંચાય,
(ત્યાં તો) મઢમું બંગલામાંય વાળે મોઢાં, વાલિયા!

આ રીતે અંગ્રેજોની સત્તા સામે તેઓએ કશા પ્રભાવથી અંજાયા વગર મુકાબલો કરી દેખાડ્યો હતો. ગોરાને એણે કદી પોતાનાથી ઊંચો, જોરાવર અથવા સાર્વભૌમ ગણ્યો નથી. ગોરાની ખોટી પ્રતિષ્ઠા લોકોના માનસ પર ન ઠસવા દેવામાં આ ઘટનાઓનો હિસ્સો છે.

એ દાઝનાં કારણો

શા માટે તેઓએ અંગ્રેજ સત્તા તરફ આટલી ઘૃણા પ્રદર્શિત કરી? અંગ્રેજ સત્તા આંહીં બેસીને કાયદા અને વ્યવસ્થાનું સુદૃઢ શાસન ચલાવશે તો પોતાનું ગેરકાયદેસર સ્વચ્છંદી જીવન રૂંધાઈ જશે તે બીકે? કે અંગ્રેજ રાજસત્તા સૌરાષ્ટ્રના હિતને હાનિ પહોંચાડી કબજે કરી બેસશે તે ભયથી? ઇતિહાસ વાંચતાં આપણને બે કારણો સૂઝે છે. એક, અંગ્રેજ આંહીં મધ્યસ્થ સત્તા બની ન્યાય આપવા નહોતા આવ્યા, પણ ગાયકવાડ, ભાવનગર વગેરે મોટાં રાજ્યોની મદદે આવી તેણે પોતાના સૈન્યબળ વડે નાના જમીનદારોને જેર કર્યા હતા એ લોકમાન્યતા : દૃષ્ટાંતરૂપે જોગીદાસ ખુમાણ. ઇસ્ટ ઈંડિયા કંપનીનો નિંદ્ય કારોબાર આખા હિંદમાં સુપ્રસિદ્ધ હતો. બહારના તીર્થયાત્રીઓ સૌરાષ્ટ્રે ઊતરી એની વાતો ફેલાવતા. એ તિરસ્કાર અને તુચ્છકારથી જ પ્રેરાઈને વાઘેરોએ સદા મોજાં પહેરનારા અંગ્રજોને ‘ચીંથડેજા પગેવારા’ (ચીંથરાના પગવાળા) કહ્યા હતા. અને વાઘેરોની પાસેથી મૂળ ઓખામંડળ આંચકી લેવામાં મરાઠાઓને મદદ કરનાર પણ અંગ્રેજો જ હતા એ વાતનો દંશ વાઘેરોને જેવોતેવો નહોતો.[8]

બહારવટિયાનાં કાવ્યો

વીરતા અને દિલાવરી જ્યાં જ્યાં ગઈ ત્યાં ત્યાં લોકોની કવિતા પણ યશ ગાતી પાછળ ચાલી. બહારવટિયાનાં પ્રેમેશૌર્યે કવિતાને આકર્ષી છે : યુરોપમાં પણ પ્રો. ગમિયર લખે છે તેમ “The outlaw, now as an humble poacher and now as an ideal champion of the rights of man against church and state, is a natural favourite of the ballad muse.” એ રીતે બહારવટિયો કાવ્યનું પ્રિય પાત્ર બન્યો છે. સોરઠી બહારવટિયાનાં પ્રશસ્તિ-ગીતોના આટલા પ્રકારો છે : 1. ગ્રામ્ય નારીઓએ રચ્યા-ગાયા રાસડા : સ્ત્રી-હૃદયને મૃત્યુની કરુણતા વિશેષ સ્પર્શતી તેથી એને કંઠેથી આવા મરશિયા નીતર્યા :

આડે ડુંગરથી ઊતર્યો નાથો, માઠાં શુકન થાય,
ડાબી ભેરવ કળેકળે નાથા! જમણાં જાંગર જાય,
મોઢાને મારવો નો’તો રે, ભગત તો સાગનો સોટો. [9]

એવું જ બાવા વાળાનું ગીત. એવું જ ‘બાલુભા ભુજના રાજા, છેતરીને છેલને નો’તો મારવો’. 2. રાવણહથ્થાવાળા નાથબાવાઓ અથવા કાફીઓ રચીને ગાનારા ફકીરો દસ્તગીરોનાં ગીતો : પોતાનાં તંતુવાદ્યોના તાર પર ચડી શકે તેવા ઢાળો પસંદ કરીને તેઓએ રચના કરી, એમાં વૈવિધ્ય મૂક્યું. એની શબ્દરચનામાંથી સંગ્રામ-સૂરો સર્જ્યા. વધુ પડતાં વખાણો લીંપ્યાં, છતાં ઇતિહાસનું આછેરું નિરૂપણ કર્યું.

ભુજવાળાનું ગામ ભાંગ્યું ને ફોજું ચડિયું હજાર,
ઊંટ ઘોડાં તેં આડા દીધાં ને ધીંગાણું કીધું ધરાર,
નામોરીનો નર છે વંકો રે, વાલા! તારો દેશમાં ડંકો. [10]

આ ઢાળ સરલ ને વેગીલો હોવાથી વારંવાર વપરાયો. વળી વાઘેરો વિષેની કાફીઓ એક નવો જ ચીલો પાડે છે —

કોડીનાર મારીને જાય
ઓખેજો રાજા કોડીનાર મારીને જાય
ગોમતીને રાજા કોડીનાર મારીને જાય.[11]

આને માટે કિનકેઇડ કહે છે : "…is written in gay jingling metre, and affords relief to the somewhat wearisome quatrains of the Kathi bards." એટલે કે આ કાફીઓ એકતાનતાનો કંટાળો તોડે છે, અને રણગીતની અસર બેવડી વધારે છે. વળી માત્ર પ્રશસ્તિથી જ ન અટકતાં કાફીના કવિઓએ તો અક્કેક ઘટના મૂકી છે. કોડીનાર ભાંગ્યાની ઠીકઠીક કથા એ ગીતમાં વર્ણવી દીધી છે. વાઘેરોની બીજી ત્રણ મશહૂર કાફીઓ પણ એ જ બંધારણને અનુસરે છે :

ના રે છડિયાં હથિયાર
અલા! લા! પાંજે મરણુંજો હકડી વાર, દેવોભા ચેતો,
મુરૂભા વંકડા! ના છડિયાં હથિયાર. [12]

આ છે ‘બર્ડન ઑફ ધ સોંગ’ : ગીતનો ટેક : માછરડાની ધાર પર મશહૂર ધીંગાણામાં દેવાની દૃઢતા ને હથિયાર છોડવા કરતાં મરી ફીટવાની તત્પરતા બતાવતું, રણવાદ્યની માફક રોમાંચ ખડાં કરતું આ ગીત એ એક ઘટનાને આધારે વાઘેરોનાં બીજાં જાણીતા ધીંગાણાની પણ ટીપ નોંધે છે.

પેલો ધીંગાણો પીપરડીજો કિયો ઉતે
કિને ન ખાધી માર, દેવોભા ચેતો,
મુરૂભા વંકડા! ના છડિયાં તલવાર. [13]

પરંતુ રણગીતની રોમાંચક અસર છાંટનારી, ધીરવીરનું જીવન્ત સ્વરૂપ આલેખનારી અને શબ્દરચનાની ઉચ્ચ રુચિ બતાવનારી કાફી તો છે જોધા વિશેની : જોધો કેવે રૂપે બહારવટે ચડ્યો?

મનડો મોલાસેં લગાયો
જોધો માણક રૂપમેં આયો,
કેસર કપડાં અલા! લા! માણકે રંગિયા ને
        તરવારેસેં રમાયો — જોધો.
જોધા માણકજી ચડી અસવારી લા! લા!
        સતિયેંકે સીસ નમાયો — જોધો. [14]

ઉપલા બન્ને પ્રકારોમાં કાવ્યત્ત્વ ઓછું : રસાલંકાર નજીવા : શબ્દો છેક જ સાદા : શબ્દરચના શિથિલ : એની કર્કશતાને ઘસીને લાલિત્યના લીસા પાસા પાડવાનો યત્ન નથી : પ્રસંગોનું ઝીણું વિવરણ પણ નહિ : એટલે કેવળ રાવણહથ્થાના વાદનની સાથે જ આ ગીતો ગમતાં થાય : “Combining narrative system with a lyric form : The verse is often crude, the tune is often coarse, but not seldom they have a genuine music.” આ શબ્દો બરાબર આ વિભાગને લાગુ પડે છે.

ચારણી પ્રશસ્તિ-પ્રકારો

3. ચારણી દુહાગીતો: આ દુહાઓ જૂની પ્રેમકથાઓમાં છે તેવા, બહારવટાંની સાંગોપાંગ ઘટનાઓના સાંકળેલા નહિ, પણ કાં કોઈ કોઈ પ્રસંગમાંથી પ્રેરિત, કાં બહારવટિયાના કોઈ ખાસ લક્ષણના દ્યોતક, કાં માત્ર શૌર્યપ્રેરક, અથવા તો કેવળ વધુ પડતી સ્તુતિના વાહક બને છે. જુઓ પ્રસંગવર્ણન : રામ વાળાએ એક પાટીદાર ફોજદારને ઈંગોરાળામાં ઠાર કર્યો : એનો સૂચક દુહો રચાયો :

કણબી આવ્યો’તો કાઠ્યમાં, એ લેવા ઇનામ
ગરવાળાને ગામ, રફલે ધબ્યો તેં રામડા!

આ પ્રકારના અનેક દુહાઓમાં ઘટનાનું વર્ણન નથી, ફક્ત ઉલ્લેખ છે, રામ વાળાની પ્રશસ્તિ છે. આમ ઘટનાવર્ણનો ‘બૅલડ’ના માત્ર અંકુરો જ બનીને અટકી ગયાં. રચનારાઓનું ધ્યાન સ્તુતિ પર જ રહ્યું. જુઓ :

જમૈયો જાલમસંગરો, ભાંજ્યો તેં ભોપાળ!
દેવે જંજાળ્યું છોડિયું, ગો ઊડે એંધાણ.

એમાં રાજાબહાદુર જાલમસંગની કમરનો જમૈયો કેવા સંજોગોમાં વાઘેરોએ ઉડાવી મૂક્યો, તેનું બયાન નથી. એટલે આ દુહાઓ યુરોપી ‘બૅલડ’ને પદે બેસી શકે, છતાં એમાં રણગીતની નાદપ્રતિભા જામેલ છે. હવે બહારવટિયાનાં વિશિષ્ટ લક્ષણો દાખવતા દુહા વધુ બલવંત છે. જુઓ જોગીદાસના દુહા :

પરનારી પેખી નહિ મીટે માણારા!
શૃંગી રખ્ય ચળિયા, જુવણ જોગીદાસિયો!

એ બહારવટિયાનું ઉગ્ર શિયળવ્રત સચોટ શૈલીએ દાખવે છે. પછી

ફૂંકે ટોપી ફેરવે, વાદી છાંડે વાદ!
ના’વે કંડિયે નાગ, ઝાંઝડ જોગીદાસિયો!

એ એનું ટેકીલાપણું બતાવે છે. એ વાઘેરોના બહારવટાનો મુખ્ય સૂર અંગ્રેજો સામે અણનમ મસ્તકનો હોવાથી કવિઓએ એ ભાવ વધુ જોરથી પકડ્યો :

મૂળુ મૂછે હાથ, બીજે તરવારે તવાં,
હત જો ત્રીજો હાથ, (તો) નર અંગ્રેજ આગળ નમત.

કોઈ કોઈ વાર કવિએ કાવ્યની વિલક્ષણ ચમત્કૃતિ પણ મૂકી દીધી :

ચાવ્યો ચવાય નહિ, રાંધયો નો રંધાય,
મામદના મુખમાંય થિયો કાંકરો કવટાઉત.

[કવાટજીનો પુત્ર જેસોજી બહારવટિયો તો મામદશાહ સૂબાના મોંમાં જમતાં જમતાં કાંકરો આવી ગયો હોય તેવો જાગ્યો : મુખમાંનો કોળિયોયે બહાર કઢાવ્યા વિના રહે જ નહિ.]

લાંબાં ચારણી ગીતો

જે સંકલનાબદ્ધ સમગ્ર કથા ચારણ આ દુહામાં ન કહી શક્યો તે તેણે એક બીજી રચના વાટે કથવાનો યત્ન કર્યો છે : એને ગીત કહેવાય છે. ‘ગીત’ એવું નામ જ જૂઠું છે. એ ગવાતું નથી, કેવલ એકધારા સૂરે બોલાય છે. એનો લલકાર લડાયક છે. એનાં વૃત્તો જાંગડું, સપાખરું, સાવજડું, સિંહચલું, હરણફાળ આદિ નિરનિરાળાં નામે ઓળખાય છે. જુઓ જોગીદાસના કથાગીતનો નમૂનો :

પડ ચડિયો જે દિ’ જોગડો પીઠો
       આકડિયા ખાગે અરડિંગ;
જરદ કસી મરદે અંગ જડિયાં
        સમવડિયા અડિયા તરસિંગ.
જુધ કરવા કારણ રણ ઝૂટા
       સાંકળ તોડ બછૂટા સિંહ;
માંડે બેધ ખેધ ખુમાણા,
        લોહ તણે સર જાણે લીંહ.

એવી ત્રીસ કડીઓનું ગીત : પરંતુ વિષય એક જ : જોગીદાસ રણે ચડ્યો : બીજા કાઠીઓએ દગાથી એને સોંપી દીધો : ને વજેસંગજી ઠાકોરે એને માફી દીધી : બસ, બહારવટિયાના બહુરંગી જીવનપ્રસંગો ક્યાંયે ન આવ્યા. કારણ, ચારણી રચનાનો હેતુ એ વિગતો આપવાનો નહોતો, પણ એક જ ભાવના ઉઠાવી શબ્દગૂંથણી વડે સ્તુતિની, શૌર્યની, કરુણતાની અસર નિપજાવવાનો જ હતો. હવે લઈએ વાઘેરોનું ચારણી ગીત :

[15] મેળે ભોમિયા હેથાટ, જોધે દ્વારકા લહેવા મારે
સલાહેક કીધી સોડ સાંગાણી સકાજ;
ગાયકવાડકા થાણા મારી લીજેં ગઢ ગ્રાસ,
રાહો રાણા જાણે એમ ઘરે કીજેં રાજ. [4]

[સંખ્યાબંધ ભોમિયા ભેળા કરી, મારીઝૂડીને દ્વારકા જીતવા માટે જોધાએ મસલતો કરી. ગાયકવાડનું થાણું નષ્ટ કરીને ગઢગરાસ લઈ લેશું, ને મોટા રાવરાણા જાણે તેમ આપણું રાજ ઘેર કરશું, એવા મનસૂબા બાંધ્યા.]

જોધા એસા વીઘા મૂળુ, સમૈયા ને રવા જકે
ભાંજણા મેંગળા-જૂથ શાદુળા ભુજાળ;
માણેક માપહીંહરા, કોપિયા દખ્ખણી માથે
લડન્તા ભારથે માંડે ફાળસું લાંકાળ. [8]

[જોધો, વીઘો, મૂળુ, સમૈયો ને રવો વગેરે હાથીનાં જૂથને ભાંગે તેવા ભુજાળા નરશાર્દુલો, માપ માણેકના વંશજો, દક્ષિણીઓ પર કોપી ઊઠ્યા.]

હલકારે સેન ભારે પડક્કારે કીધી હલ્લાં,
સીડિયાં માંડિયા કિલ્લે ચડી આયા સૂર;
પ્રોળવાળાં ત્રોડ તાળાં, દરવાજા ખોલે પરા,
પટાળા જોધાકા આયા લોહ વાળા પૂર. [12]

[ભારી સૈન્યે હલકારા પડકારા કરીને હલ્લો કર્યો, સીડીઓ માંડીને શૂરા કિલ્લે ચડી આવ્યા. પરોળનાં તાળાં તોડ્યાં, દરવાજા ખોલ્યા, પટાધર જોધાનું સૈન્ય લોઢાના રસના પૂર જેવું આવી પહોંચ્યું.] પછી યુદ્ધનું નિત્યના વપરાતા શબ્દોમાં વર્ણન થયું (જે હું છોડી દઉં છું) અને ઘટના આગળ ચાલી :

કોટ છોડી ભાગા એમ દખણીકા કારકુન,
સાહેબ અબૂલા આગે ફર્યાદી સુણાય;    
અરજી સુણંતાં મુખે સાહેબ બોલિયા એમ,
જમીં આસમાન બીચે કાબા કહાં જાય!

[કોટ છોડીને દક્ષિણનો કારકુન (વહીવટદાર) ભાગ્યો. સાહેબ પાસે ફરિયાદ સંભળાવી. સાંભળતા જ સાહેબ બોલ્યા કે જમીન ને આસમાનની વચ્ચે કાબાઓ (વાઘેરો) ક્યાં જશે?] એ ઢબે રણગીત લંબાયું. પરંતુ વિષય રહ્યો કેવળ વિષ્ટિ અને યુદ્ધનો જ. અન્ય પ્રસંગો ન આવ્યા, લોકગીતોમાં રહેલા વિગતોના તત્ત્વને ચારણી ગીતોમાં અવકાશ ન મળ્યો. રચનારની દૃષ્ટિમાં ઝીણવટથી આખો ઇતિહાસ આલેખવાનું નિશાન નહોતું, કેવળ નાદની ને અમુક પ્રસંગની જમાવટ કરી શૂરાતન ચડાવવાનું હતું.

બહારવટિયા-કાવ્યનું પ્રેરક તત્ત્વ

પ્રશ્ન ઊઠે છે : શું કવિતા અંત:કરણની પ્રેરણામાંથી ઊઠેલી કે ફક્ત દ્રવ્યલાલસામાંથી? બહારવટિયાંનાં નિર્બલ તત્ત્વોને ન સ્પર્શતાં માત્ર શૂરાતન ને [16] ટેક પર શબ્દોના વારિધિ ઢોળનારા ચારણો, રાવળો, નાથબાવાઓ કે કાફીગીરો — એ સર્વની વાસના ક્ષુદ્ર ને એની કવિતા હીન જ હોવી જોઈએ એવો મત ઘણાનો છે. ઘણી વાર અત્યુક્તિઓના ઓઘ ઠાલવીને અનેકે કવિતાઓ વેચી છે, ને આજે એ વેચાણ ચાલુ છે તે વાત સાચી. ભોજને દરબારે સંસ્કૃત કવિઓની પણ એ જ વલે થયેલી; અકબર ને શિવાજીની રાજસભા પણ એ કવિતાના વિક્રયથી મુક્ત નહોતી. છેલ્લાં સાતસો વર્ષથી મનુષ્યના ગુણગાન કરતી કવિતાએ એક જ પથ પર પગલાં દીધાં છે. એમાંથી ચારણો મુક્ત હોઈ શકે નહિ. છતાં એ મનોદશાને બીજી બાજુ છે. સર્વ ગ્રામ્ય કવિઓને એવી વૃત્તિ નહોતી. અનેક હૈયાંમાં લોકોની મરદાનગી, ટેક અને મૃત્યુંજય જિંદગી નિહાળી ઉછાળા દેતાં. એ ઉછાળનું ઝીણું પૃથક્કરણ એક અંગ્રેજ વિદ્વાન આ રીતે કરી ગયો છે :

પ્રશસ્તિકારની ભાવના

1વીરનરની મોજ મેળવવા માટે અથવા એ કશી વાંછના વિના, ગમે તે રીતે રચાયેલાં આ ગીતોના કર્તાઓએ દગલબાજીને ધિક્કાર દીધો છે; ક્રૂરતા પ્રતિ શોચ દાખવ્યો છે; સ્ત્રીને સંતાપવી, ધીંગાણેથી ભાગવું, માથું પડે તે પહેલાં માથું નમાવવું, એ તો ગીતકર્તાઓને મન બદનામી સમાન હતું. ભલે તેઓએ કાયદાનું પાલન જરૂરી ન ગણ્યું, પણ કાયદા ક્યાં તેઓના પોતાના કરેલા હતા? જે કાયદાનો ભંગ તેઓએ વખાણ્યો તે કાયદા તો શ્રીમંતોએ ને સત્તાધારીઓએ કરલા ને કાં પરાપૂર્વથી ચાલ્યા આવતા એ રૂઢિબંધો હતા. ઉપરાંત, મોજમજાને તેઓએ નથી ઉપાસી. બેશક બહારવટિયાનાં પ્રણયભુવન, સુરાપાન કે સોનાની પ્રાપ્તિ તેઓને ગમતી. પણ એ કાંઈ મોજમજા નહોતાં. કવિઓએ તો ચરબીભર્યાં શરીરવાળા મહંતોની ફાંદો તરફ અને રૂપિયાની થેલીઓ તરફ તિરસ્કાર દાખવ્યો છે, ત્યારે આ સંહારકોની સ્તુતિ કરનારા કવિઓને કેવી તરેહની સમાજવ્યવસ્થાની કલ્પનાઓ હતી? બેશક, અંધાધૂંધી અને મસ્તીખોર, લોહીથી ખરડાયેલી જીવનપ્રણાલી જ તેઓને પસંદ હતી. અને એ જીવનક્રમને જોઈ જોઈ એનાં ગાન ગાનારાઓએ એ રીતે બેમાંથી ઓછા અનિષ્ટવાળી સ્થિતિ જ પસંદ કરી લીધી હતી. શાંતિ અને આરામવાળી જીવનદશામાં અનેક ઇષ્ટ ફલો શક્ય છે, જગતના કલ્યાણની અનેક પ્રવૃત્તિઓ તેમાં ખીલી શકે તેવું છે, અને કોઈક દિવસ એ ખીલે તેવી આપણે આશા રાખીએ. પરંતુ આ યુદ્ધલીલાની જીવનદશાને પણ આદર્શ હતો એવું થોડુંક બોલી શકાય તેમ છે. એની ચાહે તેટલી ક્રૂરતા અને શોક-વેદના વચ્ચે પણ એ જીવનદશા તે આત્મા (‘સ્પિરિટ’)ની જીવનદશા હતી. એ દિલાવરી સચ્ચાઈ અને હિંમતથી ભરપૂર હતી. એથીયે વધુ આકર્ષક તો તેમાં મૃત્યુનું ઉચિત સ્થાન હતું. તેઓ માનતા કે મૃત્યુ તો એક બાજી છે. એ બાજીમાં આખરે તો સહુએ હારવું જ સરજાયું છે. રમી રમીને ભલે છેવટે હારીએ પણ પાસા તો ફેંકી લઈએ. એ હારમાં પણ મસ્તી જ છે.” (સર હેન્રી ન્યુબોલ્ટ.)

સૌથી મીઠાં મરસિયા-ગીતો

માટે જ બહારવટિયાનાં કાવ્યોની મીઠામાં મીઠી પંક્તિઓ તેઓનાં મૃત્યુ વિશેની છે. મૃત્યુ પર એ કવિતાએ સુંદર અશ્રુ સાર્યાં છે. એ રુદન-સ્વરો પશ્ચાત્તાપના નથી, નિરાશાના કે સંતાપના નથી, એમાંથી તો ગુંજે છે કોઈ અગાધ મમતાના સ્વરો. એમાંથી તો વીરતાના ઘોષ ગાજે છે :

નારિયું નત્ય રંડાય, નર કે દી રંડાય નહિ;
ઓખો રંડાણો આજ, માણેક મરતે મૂળવો!
ગોમતીએ ઘૂંઘટ તાણિયા, રોયા રણછોડરાય,
મોતી હુતું તે રોળાઈ ગિયું, માણેક ડુંગરમાંય.
ઇંદ્રલોકથી ઊતરિયું, રંભાઉં બોળે રૂપ;
માણેક પરણે મૂળવો, જ્યાં ભેળા થિયા ભૂપ.

એ શબ્દોમાં નુકસાનીના વિલાપ નથી, મૂળુ માણેક પાયમાલ થઈને ભૂંડે હાલે તેઓ મૂઓ તેનો કટાક્ષ નથી, એણે આમ કર્યું માટે એની આ વલે થઈ તે જાતનો ફેંસલો નથી. મૃત્યુમાં પણ મૂળુ તો ‘મોતી’ જ રહે છે. ઓખાભૂમિનો ભરથાર જ રહે છે. ગોમતીજીનો પણ પુત્ર જ રહે છે. રણછોડરાયને પણ રોવરાવે છે. એ જ ધ્વનિ આ રહ્યો :

રામ વાળાનાં લગન આવ્યાં,
લગનિયાંનો ઠાઠ ગોઝારો, બોરિયો ગાળો, ક્યાં રોકાણો
                                                       રામ વાળો!
અથવા તો
ફાંસીએ ચડતાં કંથડજી બોલિયા,
આમાંથી મુને એક વાર છૂટો મેલ્ય, બાલુભા ભુજના રાજા!
છેતરીને છેલને નો’તો મારવો!
ભોળવીને એનાં માથડાં નો’તાં વાઢવાં!

પ્રધાન સૂર

એ તમામ મૃત્યુ-ગીતોમાંથી એના એ જ સ્વરો ઊઠે છે : 1. They hated treachery. 2. It (Death) is but giving over of a game that all must lose. ફરી ફરીને એના એ સૂરો ગૂંજે છે : ફરી ફરી એનું એ ચિત્ર ઊઠે છે : મરસિયાના એ સ્વરોની અંદરથી મૃત્યુની બાજીમાં માનવજીવનની અનિવાર્ય હારના પાસા ખખડતા સંભળાય છે. સાંભળો :

સંધાં શેત્રુંજા તણાં, ગાં’ ગરવે ગ્રીંધાણ,
માંસનો ધ્રિવતલ મેરાણ, ગઢવી નાગ્રવડો ગિયો.

[શેત્રુંજા ડુંગર ઉપરથી ઊઠીને બધાં ગીધડાં ગિરનાર ચાલ્યાં ગયાં, કેમ કે આંહીં ગોહિલવાડમાં તો શત્રુઓનું માંસ ખવરાવી ધરવ કરાવનાર વીર નાગરવ મરી ગયો.]

ટંક ટંક રોતી તેગ, પટાળી છૂટે પટે,
અણનમ નાગરવ એક, ગઢવી ભ્રખ દેતલ ગિયો.

કોઈ સુંદરી પોતાનો સ્વામી મરતાં માથાના વાળની ડાબી-જમણી બન્ને પાટી છૂટી મૂકીને રડે, તેમ તારી તરવાર પણ પોતાના પટ્ટા મોકળા મેલીને ટંકે ટંકે રડે છે, કેમ કે દુશ્મનને કદી ન નમનારો સ્વામી નાગરવ ગિયડ નામે ભક્ષ દેનારો બહારવટિયો તો ગયો.

તોળી જે કરમણ તણા! વાળા જોવાં વાટ,
થોભા મોરાંનો થાટ, નાગ્રવડા! ભાળાં નહિ.

[હે કરમણના પુત્ર! તારી તો બહુ રાહ જોઉં છું પણ એ થોભા ને એ મુખમુદ્રાનો ઠાઠ હવે હું નથી ભાળતો.]

ક્રૂર આચરણો</
>

બહારવટિયાઓનાં ઉચ્ચ તત્ત્વો બતાવી દીધા પછી આ હકીકત તો ઊભી જ રહે છે : ગામ બાળવાં, ખેડૂતોનાં માથાં વાઢી ઘીંસરાં કરવાં, વેપારીઓના ચોપડા બાળવા, નિર્દોષોને લૂંટવા, ન આપે તેને મારવા : એ બધું પ્રત્યેક બહારવટિયાના જીવનમાં વત્તાઓછા પ્રમાણમાં થયા જ કર્યું છે. પરંતુ તેનો એક જવાબ છે. બહારવટું એટલે શું? પોતાનો ગરાસ ઝૂંટવનાર પ્રબલ રાજસત્તા સામે શત્રુતા જાહેર કરવી : લડાઈ જાહેર કરવી : અને લડાઈ એટલે શું તે આજના સંસ્કારી યુગમાં પણ આપણાથી અજાણ્યું નથી. એક સત્તા સામી સત્તા ઉપર હરકોઈ ઇલાજે એવું દબાણ લાવે કે સુલેહ કરવાની એને ફરજ પડે, એ લડાઈની નેમ છે. એ નેમને અનુસરનારાં યુદ્ધગામી રાજ્યો આજ પણ સદોષ-નિર્દોષનો વિચાર નથી કરતાં. એ તો શત્રુના સમગ્ર રાજને, એટલે કે રાજા તેમ જ પ્રજા બન્નેને શત્રુ ગણે છે. શત્રુ-રાજ્યનાં તમામ પ્રજાજનોને પોતાને ઘેર નજરકેદ રાખે છે, એની સંપત્તિ કબજે કરે છે, વગેરે બધું આજના યુગે પણ આવશ્યક ગણેલું યુદ્ધનું નીતિતત્ત્વ છે.

યુદ્ધનીતિ

હવે આપણે બહારવટિયાનાં આચરણો તપાસીએ : એમનામાં સ્વયંભૂ કામ કરી રહેલી મનોવૃત્તિને પકડીએ : એ યુદ્ધે ચડ્યા, તે પોતાના બરોબરિયાની સામે નહિ, પણ સોગણા પ્રબલ શત્રુઓની સામે પોતાની પાસે લાવ-લશ્કર તો નહોતું, છતાં શત્રુ પોતાના અન્યાયનો પ્રતિકાર કરે એવું ઉગ્ર દબાણ તો તેઓને શત્રુની ઉપર આણવું જ હતું. એમને મન કેવળ રાજ જ નહિ, પણ એ રાજશાસનમાં શામિલ રહેતી, અધીન રહેતી, એના રક્ષણ થકી આબાદાની ભોગવતી તથા એ રાજશાસનને કરવેરા ભરી નિભાવી રાખતી સમગ્ર પ્રજા સુધ્ધાં શત્રુ હતી. માટે તેના પર પણ ભીંસ લાવવી એ તેઓની યુદ્ધનીતિને મંજૂર હતું. જેમ રાજસત્તાઓ બહારવટિયાનાં સગાંવહાલાંને પરહેજ કરી તેના ગરાસ-ચાસ ખાલસા કરે, તેના મળતિયાઓને રિબાવે, તેમ બહારવટિયા પણ રાજસત્તાની જમીન વાવવા-લણવા ન દે અને બીજી હજાર રીતે સત્તાને ગૂંગળાવી મૂકે, કે જેને પરિણામે રાજને સુલેહનાં નોતરાં આપવાં સિવાય અન્ય રસ્તો જ ન રહેવો જોઈએ. જોગીદાસ ખુમાણે પોતાની જ આંચકી લેવાયેલી જમીન એ આંચકનાર રાજ્ય તરફથી ખેડૂતોને ખેતી માટે અપાતી જોઈ, ખેડાતી જોઈ એટલું જ નહિ, પણ કુંડલા ઉપર છેક રાજુલાથી દરબારી તોપખાનું ઢસડી લાવનાર પણ એ ખેડૂતોને જ દીઠા. જોગીદાસે કહ્યુ કે હું આ ખેડુને હું કેમ ખેડવા આપું? પોતાની જમીન ઉપર બહારવટિયો શત્રુ-રાજને કેમ નભવા આપે? રાણા પ્રતાપે શું કર્યું હતું? મેવાડની ધરતીમાંથી મોગલના ખજાનામાં એક પૈસો પણ ન જવા દઉં : કોઈ ખેડી તો ન શકે, પણ બકરાંયે ચારી ન શકે: એક ગોવાળે બકરાં ચાર્યાં : રાણાએ એનું માથું ઉતારી રાહદારી રસ્તા પર લટકાવ્યું : આ નીતિ તે બહારવટિયાની યુદ્ધનીતિ. ‘એવરીથીંગ ઇઝ ફેર ઇન લવ ઍન્ડ વૉર’ એ એનો સિદ્ધાંત : અધર્મ આચરનાર રાજસત્તાનું એકેએક અંગ પીંખી નાખવું એ યુદ્ધધર્મ : બેહોશ બની, તોબાહ પોકારી, ખુદ વસ્તી જ રાજા પર દબાણ લાવે, ને રાજા બહારવટિયા પ્રત્યે આચરેલો પોતાનો અનર્થ નિવારે, એ એનો અંત.

અંતિમ સાધન

આજે પણ યુદ્ધ-નીતિ તો એ જ છે. જે યુદ્ધમાં હિંસા મંજૂર છે તેની યુદ્ધનીતિ તો એ જ છે : એટલે કે સામી હિંસા ચલાવવી : ને બીજાં કેટલાંક જે યુદ્ધો અહિંસાના પાયા પર મંડાયાં છે તેની પણ યુદ્ધનીતિ તો એ જ છે : બળવે ચડેલા ખેડુની ખાલસા જમીન ખરીદ કરીને તે પર ખેડવા આવનારની સાથે ઉગ્ર અસહકાર : વિના માર્યે, વિના તરવારે એ માણસ મરે; એને મારવાની તરવારો જુદી : એટલું જ બસ નથી. એ રાજતંત્રમાં સહાય કરનાર તટસ્થ લોકોએ પણ રાજીનામાં આપી રાજસત્તા પર દબાણ લાવવાં જ જોઈએ, નહિતર તેઓના ઉપર સામાજિક બદનામી ઊતરે ને સામાજિક બદનામી એટલે ‘સિવિક ડૅથ’! બહારવટિયા આવી સંસ્કારી, અહિંસાત્મક અને સૂક્ષ્મ રીતિઓ જાણતા નહોતા. કોઈ જ તે દિવસે નહોતું જાણતું. એટલે તે દિવસ ‘ફિઝીકલ ડેથ’, ‘ફિઝીકલ ડીસએબિલીટીઝ’ (શારીરિક મૉત ને નિરાધારી ઉપજાવવાં) એ જ અંતિમ સાધન હતું. શત્રુની સાથે સહકાર દેનારા તમામ સંજોગોને રદ કર્યા વિના આરોવારો નહોતો.

વૈર વાળવાની વૃતિ

ભીમા જતે એક સંધીની દગલબાજીનો કિન્નો લેવા તમામ સંધીઓની કતલ કરી : જોગીદાસે કુંડલાની ચોરાસીમાં ખેડવા આવનાર કણબીઓનાં ઘીંસરાં કર્યાં : વાઘેરોએ પોતે પચાઉગીર માનેલા ગાયકવાડ સાથે સહકાર કરનારાં તમામ સોરઠી રાજ્યોમાં લૂંટો ચલાવી : એ બધાની પાછળ અવ્યક્તપણે આ જ યુદ્ધનિયમ ઊભો છે. અને ફ્રાંસ તથા રશિયાના વિપ્લવવાદીઓએ એનાં રાજારાણી અથવા અમુક ઉમરાવો ને પુરોહિતોના જુલમને કારણે સમગ્ર રાજકુલો, ઉમરાવકુલો તેમ જ પુરોહિત-સંઘોને કાપી નાખ્યા, તેની પાછળ પણ સિદ્ધાંત તો એ જ છે. ભેદ એટલો જ છે કે આંહીં બહારવટિયાના એકાદ ઘર અથવા એકાદ વંશ પર અધર્મ ગુજરેલો, ને ત્યાં સમસ્ત પ્રજા ઉપર. વૈર વાળવાની વૃત્તિ તો એક હતી. રાજતંત્રને અશક્ય બનાવવાની જ એ રીત હતી.

ખા અને ખાવા દે!

હવે વિચારીએ સંજોગોની વાત : લૂંટ એ અધર્મ, અમાનુષીપણું છે, એ ભાવનાનું ભાન એ યુગમાં જીવન્ત નહોતું. કોઈ મોટો વિપ્લવ આવે, અને પ્રત્યેક જણ પોતાને ભાગે વધુમાં વધુ લઈને બેસી જાય, તેવો સમય આવી ગયો હતો. કોઈ મોટું રાજ્ય પણ પોતાની ઈશ્વરદત્ત જમીન લઈને અહીં નહોતું આવ્યું. તમામે આવીઆવીને શક્તિ અનુસાર જીતી લીધું. કોઈને કળવકળ વધુ આવડ્યાં તો અન્યને ઓછાં સૂઝ્યાં. પણ વિજેતા હતો મોટો લૂંટારો, ને બહારવટિયો હતો નાનો લૂંટારો. એટલે માલિકી-હક્કની પવિત્રતા ‘સેંકટીટી ઑફ પઝેશન’ એ ભાવ અણખીલ્યો જ હતો. નહોતી કોઈ પ્રબળ ધર્મશક્તિ કે નહોતી કોઈ સામાજિક ભાવના. અહિંસાનું વાતાવરણ તો શૂન્યવત્ જ હતું. અહિંસાની લડત હોઈ શકે કે કેમ, તેની છાયાય કોઈની કલ્પનામાં નહોતી. નહોતી રાષ્ટ્રભાવના. હતાં કેવળ કુલભાવના ને કુલધર્મ. કવિ ન્હાનાલાલ કહે છે તેમ સહુ એકલવિહારી વનરાજો હતા. કોઈ રાજ્યસત્તાને પોતાના ધર્મરાજ્ય અથવા ન્યાયશાસન ચલાવવા આવેલી ચક્રવર્તી સંસ્થા તરીકે સ્વીકારવા તેઓ તૈયાર નહોતા. એટલે નિરંતર એક જ વૃત્તિ તેઓને ઉચિત તથા ધર્મ્ય લાગી કે બળિયા થવું. બેશક, બથાવી પાડવું એ વૃત્તિ હતી મોટાં રાજ્યોની. તેની સામે બહારવટિયાનો બોલ એ હતો કે તું તારું ખા, મને મારું ખાવા દે (‘લીવ ઍન્ડ લેટ લીવ!’)

ફાવ્યો માટે વિજેતા

આ બોલ જ્યાં જ્યાં ન ઝિલાયો, ત્યાં ત્યાં યુદ્ધનો અગ્નિ ઝર્યો. જે ફાવ્યો તે આજે વિજેતા ગણાયો, ન ફાવ્યો તેના લલાટમાં ‘લૂંટારો’ શબ્દ લખાયો. વિજેતાનાં વિરાટ સૈન્યોએ તેમ જ બહારવટિયાએ, બન્નેએ કરી તો કતલ જ. પણ બન્નેનાં કૃત્યો વિશે ભાષાપ્રયોગો ભિન્ન થયા. ઊલટું, લોકવાયકા બહારવટિયાનાં આચરણોનો જે ચિતાર આપે છે, તેમાં તો પેલા વિજયી સૈન્યના સંહારચિત્ર જેટલા લાલ રંગો નથી દેખાતા. બહારવટિયો પોતાની લૂંટફાટમાંથી મૂઠી ભરી ભરી બીજે હાથે દેતો જતો, પરમાર્થે વાપરતો, ગજાસંપત જ એ ઉપાડી જતો. અને અન્યના કાયદા ઉથાપતો પણ પોતે પોતાને કાજે કરેલા નેકીના નિયમો તો જીવસાટે પણ જાળવતો. બીજી બાજુ, વિજેતાનાં દળકટક જ્યાં થઈને હાલતાં ત્યાં ધરતીનું પડ ઉજ્જડ વેરાન બનાવી દેતાં; સ્ત્રીઓ, બાળકો કે ધર્મસ્થાનકો પ્રત્યેનો વિવેક ન રાખતાં.

યુગલક્ષણ

આજે યુગ બદલાયો છે. શાંતિ, સ્વસ્થતા, સત્તા, કાયદો, અહિંસા, ભ્રાતૃભાવ અને નિઃશસ્ત્ર દશા : એ તમામનું વાતાવરણ આપણી ચોપાસ ઘનિષ્ઠ બની છવાઈ ગયું છે. આજે એકાદ માણસનો એક જ જખ્મ જોતાં આપણને અરેરાટી છૂટે છે. એકાદ માણસ ધીંગાણે મરતાં આપણે કોચવાઈએ છીએ. પણ યુગેયુગની હિંસા તો ચાલુ જ છે. માત્ર ચાલુ હિંસા પ્રત્યે આપણી દૃષ્ટિ ટેવાય છે; એટલે જ ખાણોમાં ને કારખાનામાં ચાલી રહેલો લાખો નિર્દોષોનો સંહાર અત્યાર સુધી આપણી નજર પણ ખેંચતો નહોતો. આપણે એ જ ખાણના કોલસા કે સોનાં-રૂપાં, ને એ જ કારખાનાનાં કાપડ ઇત્યાદિ સેંકડો પદાર્થો પ્રેમથી પહેરીએ-ઓઢીએ છીએ. એ જ મૂડીદાર સંહારકો આ યુગના ઉદ્યોગવીરો બની આપણાં સન્માન પામે છે. બહારવટિયાઓએ આટલી કતલ કે લૂંટફાટ તો કદાપિ કરી જ નથી. ને જેટલી કરતા તેટલી પ્રકટપણે દિલનો સંકલ્પ છુપાવ્યા વગર કરતા, તેમ જ તેઓને સામે થવાનું દ્વાર પણ સહુને માટે ખુલ્લું હતું. કોઈ કાયદો એને ઓથ નહોતો દેતો. એ નિખાલસપણું અને સાફદિલી હતાં તે કારણે જ તેમાંથી અન્ય નેકીના સંસ્કારો આપોઆપ કોળ્યા હતા. લૂંટફાટ હતું એ યુગનું યુગપૂરતું લક્ષણ, અને બહારવટિયા બનનાર વ્યક્તિઓનું ચિરંજીવ લક્ષણ તો હતું ‘શિવલ્રી’ (પ્રેમ-શૌર્ય) : એ ચિરંજીવ હતું અને બલવાન હતું. વળી હતું સ્વયંભૂ. એમ ન હોત તો કોઈ ધાર્મિક સંસ્કારના અભાવે, કોઈ ઉચ્ચ રાજનીતિશાસ્ત્રના અધ્યયન વગર, અને કોઈ ધર્મનીતિશાસ્ત્રના સંસર્ગ સિવાય એ શી રીતે પ્રકટ થાત? ને પ્રકટ થયા પછી આવા વિઘાતક જીવન-પ્રવાહ વચ્ચે શી રીતે એની ડાળીઓ મહોરી હોત? પરનારી પ્રત્યેનું અદ્ભુત સન્માન, બ્રાહ્મણસાધુ પ્રત્યે દાનવૃત્તિ, શત્રુ પ્રત્યે વીરધર્મ વગેરે વસ્તુઓ પ્રકૃતિગત બદમાશીમાંથી ન નીપજે. ક્ષારભૂમિમાં સુગંધી ફૂલો ન ફૂટે.

બહારવટિયાની મનોદશા

આપણે એની મનોદશાનો વિચાર કરીએ. 1. બિનગુને પોતાની જમીન ઝૂંટવી લેનાર બળિયા રાજની અદાલતને બારણે ધક્કા ખાધા પછી પણ એને ઇન્સાફ ન મળ્યો ત્યારે એનો આત્મા ઊકળી ઊઠ્યો. 2. ચારેય દિશામાં નજર કરતાં કોઈ એને ઇન્સાફ અપાવે તેવું ન દેખાયું. ઊલટું, રાજકોટની એજન્સી સત્તાએ તો હમેશાં મોટાં રાજ્યોનો જ પક્ષ લઈ એ નાનાને પાયમાલીને છેલ્લે પાટલે મૂકી દીધો. 3. અન્યાયનો ઘૂંટડો એ ખુન્નસભર્યો, ખમીરભર્યો, સ્વમાની અને ટેકીલો ગરાસિયો કેમ કરીને ગળી જાય? ગળી જાય તો એની મર્દાનગી શા ખપની? 4. એ ઊઠ્યો : મારવાનો નિશ્ચય કરીને એ ઊઠ્યો : એણે પોતાનાં પ્યારાં બાળબચ્ચાં કોઈ પરાયાં ઘરને ભરોસે ભળાવ્યાં. એણે પોતાના વહાલા ઘર તરફ પીઠ વાળી ‘turned his back on the homestead where his families lived for centuries’. અને વેરાનમાં ઘર કર્યું. 5. એ શા કારણે? શા પરિણામની આશા કરીને? જીતવાની કે જીવવાની નહિ, પણ મૃત્યુ વડે, પોતાના શોણિતાક્ષરે અન્યાય સામે અવાજ દેવાની. યાદ કરો હીપા ખુમાણનું વચન : ‘મારે તો પાલિતાણાના દરબારગઢમાં મારો રણસગો ખોડાવવો છે!’ બહારવટિયો વૈભવ માણતો નહોતો, સાત સાત લાંઘણ સહેતો, રાત-દિવસ પહાડો ને નદીઓમાં ભાગતો ને સંતાતો, ઘાયલ થતો, પીડાતો, અસહ્ય કષ્ટ સહેતો, બાળબચ્ચાંના લાંબા વિજોગ સહેતો. અને ક્યાં ક્યાં સુધી? બાર-બાર, ચૌદ-ચૌદ વર્ષના અથવા સદાના એ વસમા દેશવટા હતા. અને છેવટે એના મિત્રો દ્વારા જ રાજસત્તાની કુટિલ દગલબાજી વિષથી, કતલથી કે આગ વડે એના જીવનનો કરુણ અંત આણતી. 6. એને પોતાને અન્યાયનો પ્રતિકાર કરવા અથવા તો બદલો લેવા માટે સૈન્યની જરૂર હતી. એની પાસે રાતી પાઈ નહોતી, લોકોએ એ સૈન્ય નભાવવું જ પડે એ એની વિચારણા હતી. શિવાજીએ પોતાની ફોજ સૂરતની લૂંટ ઉપર — એક નહિ પણ સાત-સાત વારની લૂંટ પર — નભાવી. એ છત્રપતિ, ક્રાંતિદર્શી, શાસક, નિયામક અને મરાઠી મહારાજ્યનો સ્થાપક તો લૂંટફાટમાંથી સાધનો મેળવ્યા પછી થયેલો. 7. એણે લૂંટો કરીને ધન સંઘર્યું નહિ. પોતાનાં સ્નેહી-સબંધીઓને નિહાલ કરી ન દીધાં. (રામ વાળાએ પોતાની બહેનોને કહેરાવ્યું મનાય છે કે ‘રગતનો પૈસો તમને નહિ ઝરે. માટે હું તમારા સારુ લૂંટ નહિ કરું’.) માત્ર પોતાનો ટકાવ કરી, બાકીનું ખેરાતોમાં દીધું. 8. એનાં બાળબચ્ચાં ને સગાંવહાલાં પર જુલમ અને અપમાન ગુજરતાં,એની પોતાની સામે પણ શત્રુરાજ્ય એકલું જ નહોતું, પણ અન્ય મિત્રરાજ્યો, બહારની સત્તાઓ વગેરેનાં જૂથ જામતાં. એથી બહારવટિયાની અકળામણ વધતી, ખુન્નસ વધુ તપતું, ઘાતકી મનસૂબા ઊપડતા. 9. શત્રુ પ્રત્યેની દાઝ જેમ વખતોવખત ક્ષમા અને ખેલાડીનીતિની કક્ષાએ ચડી વંદનીય બનતી, તેમ કોઈ વખત કિન્નાનું સ્વરૂપ ધરી ભીમા જતની માફક, એક જ સંધીની દગલબાજીનો બદલો લેવા આખી સંધી કોમની કતલનું કરુણાજનક સ્વરૂપ ધરતી. એ વિચિત્ર માનવીઓનું આ બધું વિલક્ષણ અને વ્યક્ગિત સારું-માઠું માનસ હતું.

વેપારીઓના ચોપડા

10. વેપારીઓના ચોપડાઓને આગ લગાડવામાં રહેલી એની વિવેકભૂલી દાઝની પાછળ ગામડાંના વેપારી-સમુદાયની મૂડીદારનીતિ ઊભી હતી. ગામડાંનો વેપારી કેવળ ‘બમણાં-ત્રમણાં નાણાં’ કરીને જ જીવતો. અજ્ઞાની અને ભોળી ગ્રામ્ય કોમોને બુદ્ધિની જળો મૂકી એ ચૂસી લેતો. ઘણીવાર રાજસત્તાની સાથે લાંચરુશ્વતની લાગવગ લગાડી વિચિત્ર સંજોગોમાં ગરાસિયા ઉપર જપ્તી લાવતો. આજ પણ ખેડુ તથા ગરાસિયાની બરબાદીની તવારીખમાં મોટો કુયશ વેપારીને નામે જમા થાય છે. એ આખો ઇતિહાસ અત્યંત ત્રાસજનક છે. એ કુટિલતાની સામે કણબી ખેડુનું ઠંડું લોહી ઊકળી શકતું નહિ, જ્યારે લડાયક સંસ્કારવાળા ગરાસિયાની અડબૂત આંખો વીફરીને આ રીતે વૈર વાળતી. ‘લાવો ચોપડા બાળી દઈએ એટલે બિચારા કંઈકને સુખ થઈ જાય!’ એ એનું બુથ્થડ સૂત્ર હતું.

વિવેકબુદ્ધિ અશક્ય

11. પરંતુ જ્યાં પ્રબલ અને પ્રમત્ત ઊર્મિઓનાં ઘમસાણ બોલતાં, જ્યાં વીરત્વનું સ્વરૂપ રૌદ્ર બની જતું, જિંદગીને બાજીમાં હારી જવાનો તૉર જાગતો, જ્યાં વેદનાના પછાડા ચાલતા, ત્યાં પ્રત્યેક પગલે જૈન વિતરાગના જેવી અહિંસાની દૃષ્ટિ જાળવવી અશક્ય હતી, ત્યાં પ્રત્યેક માનવજીવનનું મૂલ્ય આંકવા બેસવું એ અસંભવિત હતું. પગલે પગલે જો આ પુરુષો આવી કોઈ અસાધારણ વિવેકબુદ્ધિ વાપરીને જ ચાલ્યા હોય, તો આપણે એને પરિપૂર્ણ વીરત્વના આદર્શપદે સ્થાપી શકત. પરંતુ આદર્શ વીરત્વ, પરિપૂર્ણ અને પરિશુદ્ધ વીરત્વ તો આપણે નિત્ય જેને રટીએ છીએ તે રામાયણ-મહાભારતમાંયે મળવાં દુષ્કર છે, માટે જ આપણે બધી પરિમિતતા લક્ષમાં લઈ એટલું જ ઉચ્ચારી શકીએ કે બહારવટિયાઓ બહાદુરો હતા; પણ ‘હીરોઝ ઇન મેકીંગ’ હતા.

પ્રેરકો ન મળ્યા

‘હીરોઝ ઇન મેકીંગ’ : હા, શિવાજીને રામદાસ ગુરુ અને જીજાબાઈ માતા મળ્યાં, માટે એ વીર બન્યો, શાસક બન્યો. જોગીદાસને રામદાસ નહિ, પણ મુરાદશા મળ્યો. જોધા માણેકને કોઈ ન મળ્યું. જેસા-વેજાને માંગડો ભૂત મળ્યો. બાવા વાળાને દાનો ભગત મળ્યા. કોઈને રામદાસનો મણિસ્પર્શ ન થયો, નહિ તો એમાંના કોઈમાંથી પણ શિવાજીનું સ્વલ્પાંશ સોનું સૌરાષ્ટ્રને સાંપડ્યું હોત. મહાનુભાવતાની ભારેલી ચિનગારીઓ કોઈ કોઈ વાર ઝબૂકી ગઈ, પણ એની સાથે લોકસેવાની ભાવનાનાં ઇંધણનો સંપર્ક કરાવી દીક્ષાની ફૂંક દેનાર કોઈ પરમ પુરુષ નહોતો. સૌરાષ્ટ્રમાં રામદાસ નહોતા, ગુરુ ગોવિંદસિંહ નહોતા. વીરત્વની સોનાખાણના આ સુવર્ણને ઓગાળી માટીથી વિખૂટું પાડનાર કોઈ ભઠ્ઠીઓ નહોતી, એરણ ને ઘણ નહોતાં, કારીગર કે કીમિયાગર નહોતો. એની ક્રૂર બહારવટા-નીતિમાં સંસ્કાર ન આવ્યા તે માટે તો જગત-સમસ્તના વીરત્વનો ઇતિહાસ જવાબદાર છે. અને આજે નિર્મળ વિવેકદૃષ્ટિને નામે છાપરે ચડીને બોલતો યુગ પોતે શું ઓચરે છે? વાણિજ્ય, ઉદ્યોગ, રાજકારણ વગેરેનાં ષડ્યંત્રોમાં લાખો સ્ત્રી-પુરુષો અને બાળકોનો દિવસરાત સંહાર બોલાવી, એનાં શોણિતને પૈસે કલા, ધર્મ, કેળવણી, સમાજસુધારો, સ્વાતંત્ર્ય ઇત્યાદિના ધુરંધર મુરબ્બી બની, દેશવીર બની અનેક લોકો પૂજાય છે. એની લંપટતા અને રક્ત ચૂસવાની કુનેહ આજે વીરત્વમાં ખપે છે. બહારવટિયા હરગિજ એ બધું જોઈને આજે પોતાને પુણ્યશાળી માનત.

આસમાનીનો તૉર

હવે કરીએ બીજી કોટિના બહારવટિયાની વાત : એમાં આવે છે વાલો નામોરી, મોવર સંધવાણી, એકલિયો વગેરે : જેને કોઈ રાજસત્તા સામે રોષ-ફરિયાદ (‘ગ્રીવન્સ’) નહોતાં. તેઓનાં બહારવટાં અણઉશ્કેરાયેલાં (‘અનપ્રોવોક્ડ’) હતાં અથવા કુટુંબકલહમાંથી, એકાદ ગુનામાંથી કે પરસ્પરના તંતમાંથી પરિણમ્યાં હતાં. આની પાછળ શી મનોદશા હતી? એ મનોદશા માત્ર ચોરીની અથવા લૂંટફાટની નહોતી. ચોરીલૂંટથી બહારવટું જુદી જ વસ્તુ છે. બહારવટું એ જીવનસટોસટની વાત છે. એમાં મૃત્યુ સિવાય અન્ય પરિણામ નથી. એમાં દેહદમન, પીડન, વિપત્તિઓ વગેરે બહુ હોય છે. વળી જ્યારે આવો લૂંટારો પોતાના જીવનમાં નિજ-રચ્યા કેટલાક વસમા નેકી-નિયમો સ્વીકારી બેસે છે, ત્યારે તેનાં કષ્ટો દુ:સહ બને છે. છતાં સત્તાને ચરણે પડી શાંત પ્રજાજન થવા કરતાં તોફાને ચડી મૃત્યુની વાટ લેવી એને શીદ પાલવે છે? પોતે લૂંટતો છતાં બીજી બાજુ ખેરાત કરી ફકીર રહેવું શીદ પસંદ કરે છે? એનું કારણ ‘લવ ફોર રોમાન્સ’ : અદ્ભુતતાનાં તત્ત્વો સાથે ખેલવું એ એની ખુમારી હોય છે. પહાડો અને નદીઓ પર જાતવંત ઘોડાં ઠેકવવાં : ગુફાઓ અને ગાળાઓમાં નિવાસ કરવો : ગામો ભાંગીને ગાયોને કપાસિયા નીરવા, ચોરાસીઓ જમાડવી, ખેરાત ઉડાડવી : મૃત્યુના ઓછાયા આવરી રહ્યા હોય ત્યારે પણ દાંડિયારાસ, રાસડા, જીંડારી ઇત્યાદિના જલસા માણવા; સત્તાધીશોને સામેથી કહેણ મોકલવાં; પોતાના નેજા ફરકાવવા : અરણ્યોની ઝાડીમાં કે નદીની ભેખડોમાંથી ઓચિંતાં બોકાનાં બાંધી દેખાવ દેવો; કોઈ ગરીબ બાપની દીકરીને કન્યાદાન દેવા ઓચિંતા લગ્નચોરીમાં પ્રકટ થવું : કોઈ ગરીબ માણસની સવેલી કન્યાને પરણવા જનાર હરામીની જાન રોકી તે જાનમાં એ સાચા ગરીબ વરને બેસારી પરણવા લઈ જવો : કોઈ રોટલા આપવા આવનાર બાઈને બહેનદીકરી કહીને નવાજેશ દેવી : કોઈ સાહેબની મડમને અંતરિયાળ રોકી લૂંટવાને બદલે ઊલટું બહેન કહી કાપડાના રૂપિયા આપવા, શૂરવીર વાણિયો પણ સામે થાય તો તેને બહાદુર કહી જવા દેવો : બહારવટે છતાં બેધડક રાજસત્તાના ચોકીપહેરા ભેદી કરીને પોતાને ઘેર જઈ કુટુંબને મળવુ : વરજાંગ ધાંધલની માફક પોતાની વાટ જોતી સ્ત્રીને કહેણ મોકલાવ્યા મુજબ જ મળવા જવા નીકળવું : નીકળતી વેળા અપશુકન થાય તેને ન ગણકારી પાદરમાં શત્રુઓ મળ્યા તેની સાથે ધીંગાણે રમી દેહ પાડવો : શત્રુને ગોળી ન મારતાં તેના ઘોડાના ડાબલા અથવા કમરના જમૈયા પર બંદૂક આંટીને એને ચેતવવો : સરકારી દફતરો બાળી નાખવાં : આ બધું ‘રોમાન્સ’નું બળવાન તત્ત્વ છે. પુનિયો ચારણ, બસ, એકલવિહારી બહારવટિયો બનીને ચાલી નીકળ્યો. કોઈ સંગાથી જ એણે ન રાખ્યો, અને એકલવાયા ઘૂમતાં ઘૂમતાં જ એણે ધીંગાણાં કર્યાં; એ પરથી લોકોએ એને ‘એકલિયા’ની પદવી દીધી : એ બધું જીવનની મસ્તી દાખવે છે. બેશક, એમાં જંગલી તત્ત્વ ઘણું ઘણું ભર્યું હોય છે. આવા તૉરીલા, મોજીલા, વજ્ર-શી છાતીવાળા, અડબૂત છતાં ઉદાર, ઘાતકી છતાં દયાવંત, લહેરી છતાં ચારિત્ર્યવંત, એવા અનેક બહારવટિયાની જીવનકથાઓ યુરોપ-અમેરિકામાંયે લખાઈ છે, સિનેમાના ચિત્રપટ પર આકર્ષક રીતે ઊતરી છે. સ્પેનનો ‘ગૂચો’ જાતનો લૂંટારો એનું સુરેખ દૃષ્ટાંત પૂરું પાડે છે. ‘પિકચરસ્ક બટ બેનફૂલ કેરીઅર’ : એ શબ્દો એને ભાટે સુયોગ્ય જ છે. પચરંગી, પીડનકારી જીવનને કારણે જ એ માનવ-ધૂમકેતુઓ મૃત્યુની વાટે નીકળી પડે છે. એ લૂંટારાપણું એની પ્રકૃતિ નથી. લૂંટો કરીને એ પોતાનું ઘર ભરતા નહિ. લૂંટ એની લાલસા નહોતી. એ એની પ્રકૃતિ પરના જાડાપાતળા ઢાંકણ નીચે હતું નેકીદાર હૃદય. એને ગમતા સંધ્યાના રંગો. એની વાટને અંતે અંધારી મધરાત આવે છે. ત્યાં પેસવાના એને કોડ હતા.

માનવહૃદયનો પ્રશ્ન

‘ચાઈના ઇન રિવોલ્ટ’ (બળવે ચડેલું ચીન) એ પુસ્તકનો બાહોશ લેખક બોલે છે કે “યુરોપી સંસ્કૃતિએ કુદરત પર વિજય મેળવેલ છે; કુદરત મનુષ્યની ઇચ્છાઓને ઉપયોગી થાય તે રીતે તેને કબજે કરી અંકુશમાં લીધી છે, અને તેમાં નિ:સંદેહ ફતેહ મેળવી છે. પરંતુ કુદરતની શક્તિઓ કરતાંયે વધુ ભયાનક તો મનુષ્યની ઊર્મિઓ છે, અને એ ઊર્મિઓનું જ્યાં સુધી ઉચિત નિયમન નહિ થાય, ત્યાં સુધી સંસ્કૃતિ સ્થપાઈ શકશે જ નહિ.” (“Modern European civilization has succeeded in the conquest of nature by subduing and controlling her so that she can be made to serve man’s desires, and this with unquestionable success. But more terrible than the objective forces of nature are the passions of man, and until these passions are properly regulated, there can be no civilization”.)

કિનકેઇડ ન સમજ્યો

બહારવટિયાની છણાવટમાં આ બોલ સહેજે સાંભરે છે. આ સૂત્ર આપણે સોરઠની લડાયક જાતિઓને લાગુ પાડવાની જરૂર રખે ચૂકી જઈએ. ભગવાનલાલ સંપતરામ સરખો શાણો અને ચોક્કસ ઇતિહાસકાર પોતાના સાચા અંત:કરણના નિરીક્ષણથી જે વાત સમજી શક્યો હતો તે કિનકેઇડ સાહેબ પરદેશી સત્તાધીશ હોવાને કારણે પૂરેપૂરી ન સમજી શક્યો. કિનકેઇડે વાઘેરો વિષે પોતાના ‘ધિ આઉટલૉઝ ઑફ કાઠિયાવાડ’માં લખ્યું કે૰— Hindustani sepoys in the guise of mendicants penetrated every part of the province with strange tales of the massacre of the white garrison and of the lurid sunset of the British Empire. By none were these tales more greedily listened to, than by Jodha Manik of Okhamandal.

* * *

Unmolested there he again took heart, and on the early morning of the 8th October, 1860, performed the great feat of his life — the sack of Kodinar * * * and the rest of the day was spent by the Waghirs in the agreeable task of looting the Bania’s shops and houses. But Jodha Manik was no miser and when the Banias were fleeced to the bone, he spent the loot in feasting the neighbouring Brahmins, whose acknowledgment of his Kshatri descent he wished to obtain, and the low-castes whose support he desired.” But Shortly after this exploit, and possibly as a result of his excesses on that occasion, he died of fever in the Gir. બસ; “બાવાવેશધારી હિન્દુસ્તાની સિપાઈઓએ ’57ના બળવામાં ગોરાની કતલની ને બ્રિટિશ રાજના અસ્તની વાતો કરી. જોધો એ ગળી ગયો. કોડીનાર ભાંગ્યું. વાણિયાને નિચોવ્યા. ‘ક્ષત્રિ’નું પદ મેળવવા બ્રાહ્મણોને દાન કર્યું. બહુ ખાધું. મરી ગયો.” ફક્ત આટલા જ કટાક્ષયુક્ત શબ્દો વડે એ ઇતિહાસકારે આખી જીવનકથા પતાવી. અને મૂળુ માટે પણ આટલું જ લખ્યું : “Mulu had escaped with a few followers, but he did not long survive his brother. He was surprised and shot the following day by the Porbander police.”

ત્રાજવાં સમતોલ નથી

આથી વિશેષ આ પરદેશીને ન દેખાયું. વાઘેરોના પૂર્વ-ઇતિહાસમાં અથવા વર્તમાન પ્રકૃતિમાં ઊતરવાનું એને મન થયું નથી. વાઘેરાને એ ‘રિબેલ્સ’ કહીને સંતોષ પામે છે. કોડીનારની લૂંટ માટે એ બે પાનાં રોકે છે. પણ શંખોદ્ધાર બેટ વાઘેરોના હાથમાંથી પડાવી અંગ્રેજ લશ્કરે સોનાના માયાવી લાટા કાઢવા મંદિરોની દીવાલો પર કેવા ગોળા ચલાવ્યા અને ટૉમીઓને દારૂ પિવાડી કેવાં ગામ લૂંટવા ત્રણ કલાકની કાયદેસર મંજૂરી આપી, ઓખામંડળ પર બલોચ લશ્કરના અત્યાચાર કેટલી હદ સુધી ચાલ્યા, મૂળુને કેવો ફસાવીને કેદ કર્યો, આભપરાના ડુંગર પર તોપોથી પણ શત્રુઓ મહાત ન થયા એટલે પાણી પીવાના તળાવમાં ઝેરી ગૅસના ગોળા ઝીંક્યા : વાલાની ટોળીને ગોર્ડન સાહેબે લાડવાની અંદર કેફી પદાર્થ ખવરાવીને મારી : એ બધી વાતો વિશે કિનકેઇડ એક ઇશારો પણ નથી કરતો.

જસ્ટીસ બીમનની વિવેકદૃષ્ટિ

એ જ કિનકેઇડના પૂર્વગામી ન્યાયમૂર્તિ સ્વ. બીમને શું લખ્યું? સૌરાષ્ટ્રના વરિષ્ઠ ન્યાયાધિકારીને પદેથી ઊતરી મુંબઈના વડા જડજ તરીકે વિખ્યાત થયેલા એ વૃદ્ધ અંગ્રેજ સૌરાષ્ટ્રના પરિચયનાં જૂનાં સ્મરણોના એક લેખ ‘રિકલેક્શન ઑફ ઑલ્ડ ડેઝ ઇન કાઠિયાવાડ’ (‘સાંજ વર્તમાન’ વાર્ષિક : 1910)માં છેલ્લી લખેલી પંક્તિઓ એક દિલસોજ, દીર્ઘદર્શી અને પ્રેમશૌર્ય પિછાનનારા આત્માની ફોરમ પ્રકટાવે છે : આ જૂના બહારવટિયાની અંદર ઘણું ઘણું સુંદર ને સાચું પ્રેમશૌર્ય ભર્યું હતું. લગભગ એક પણ અપવાદ વિના એ બધા જુલમથી છેડાઈને જ બહારવટે નીકળનારા બહાદુરો હતા. અને તેઓના પ્રારંભિક દિવસોમાં તો ભાગ્યે જ તેઓમાંનો એક પણ બહારવટિયો સ્ત્રીઓને, બાળકોને, વૃદ્ધોને કે અશક્તોને જાણીબૂજીને પીડવાનો દોષિત બન્યો હશે. કદાચ જુમા ગંડ સિવાયનો તો એકેએક સાચો અસલી બહારવટિયો મેં કાઠિયાવાડ છોડ્યું તે પૂર્વે જ કાં તરવારથી, કાં ફાંસીથી અથવા તો કાળા પાણીની સજા વડે સાફ થઈ ચૂક્યો હતો. આમાંના અનેકની સાહસિક કારકિર્દીના આખરી તબક્કા સાથે મારે સારી પેઠે નિસ્બત હતી; અને જોકે મારે હમેશાં કાયદેસર તો કરવું જ પડતું, તે છતાં મને આ ગેરમાર્ગે ઊતરી ગયેલા ને બૂરો વર્તાવ પામેલા મરણિયા મર્દોને માટે સાચું માન થયા વિના રહેતું નહિ. મૉતને ભેટવાનું નોતરું સાંભળીને માત્ર એક બહારવટિયો થરથર્યો હતો : એ હતો રાયદે ચારણ. ખેર! આખા કાઠિયાવાડ ઉપર ત્રીસ વર્ષ પર આ બધી ઘટનાઓ રોજેરોજ બલકે કલાકે કલાકે બન્યા કરતી એ વાત અત્યારે લગભગ ન મનાય તેવી લાગે છે — નહિ? ત્યાંનું જીવન એ દિવસોમાં રસભરપૂર હતું — માત્ર બહારવટાનાં આવાં ખાસ લક્ષણો થકી જ નહિ, પણ બીજા સેંકડો રંગબેરંગી અનુભવો વડે, કે જે અનુભવો આજે છે તે કરતા વધુ સાચા લાગતા, અનેકવિધ રોમાંચક રંગભભકથી ધબકતા લાગતા. (There was a great deal of fine true chivalry in the old outlaws. They were almost without exception brave men driven into outlawry by oppression, and few of them, at least in early daya, were guilty of wanton cruelty to women and children, or the old and feeble. I believe I am right in saying that every one of the genuine old Kathiawar outlaws (with perhaps the exception of Juma Gande) was wiped out, either by sword or the gallows or transportation, before I left Kathiawar. I had much to do with the last scene in many of these adventurous careers and as a rule while I had to enforce the law I could feel a genuine respect for these misguided hardly treated desperate men, Only one ever shrivelled when called upon to face the music: Raide Charan. Well, it sounds almost incredible now, doesn’t it, that such should have been the almost hourly, daily happenings all over Kathiawar thirty years ago. Life there, in those teemed with interest not only in this special feature of outlawry but in a hundred other picturesque touches and exeperiences, which I could relate and, while rougher, seemed much more real and throbbing with variety of excitement and colour, than it commonly is today.

શ્રી ભગવાનલાલ સંપતરામની નજરે

હવે રાવસાહેબ ભગવાનલાલનું માનવતાભર્યું કથન લઈએ : બેશક તેઓ થોડા છતાં મોટી ફોજ સામા આવી બાથ ભીડતા ને શાબાશી પડકારાથી સારા લડવૈયાનાં હાંજા નરમ કરી નાખતા હતા તેનું કારણ એ જ હતું કે તેઓ મરણિયા થયા હતાં. મરવું-મારવું એ જ નિશ્ચય કર્યો હતો. આમાંથી જીવતા રહી ઘેરે બેસશું એવી તેમને આશા જ નહોતી. તેઓ ઉપર ગાયકવાડે જુલમ કર્યો હતો અને તે જ કારણથી તેઓને પોતાનાં ઘરબાર અને બાપુકા વતન મૂકી ભાગવું પડેલું. તેઓનાં સારા સારા લોકો કપાઈ ગયા હતા. ભૂખતરસ ને ટાઢતડકા વેઠી તેઓનાં મગજ ફરી ગયાં હતાં. અને તાલુકદારોની તથા સરકારી ફોજ તેઓને એક જગે નિરાંતે બેસવા દેતી નહોતી. તેથી વેર લેવું ને મરવું એ વિચારે તેઓનાં મગજમાં મજબૂત ઘર કર્યું હતુ. વાઘેરો વિષે દેશના લોકોને પણ ઘણું તપતું હતું, તેઓ જાણતા હતા કે બિચારા ઉપર ગાયકવાડે જુલમ કર્યો છે. હવે મૂળુ એકલો રહ્યો. તે આ વખતથી નિરાશ થઈ ગયો. ઘણી ભૂખ, તરસ, થાક, ઉજાગરા, માણસો મૂઆનો અફસોસ, ભાઈ જેવા ભાઈનું મૉત, તે પણ વિયોગમાં થયું : તેથી શું એના મનને થોડું લાગતું હશે? કહે છે કે કેટલીક વાર તો મૂળુ લાંઘણો ખેંચતો હતો અને કેટલીક વાર તેને સાત-સાત દહાડા સુધી અનાજ મળ્યું નહોતું. બિચારો તે પણ ઘણા દહાડા આ રીતે રખડી છેવટ ઓચિંતો પોરબંદરની ગીસ્તને હાથે મરાયો. આહાહા! આ વખત તેના મનને શું થતું નહિ હોય? તેને આ વખતે શું જોધાભાઈની શિખામણો યાદ નહિ આવતી હોય? દ્વારકાની લડાઈ વખત જે દોઢ હજાર માણસનું ઉપરીપણું ભોગવતો હતો તે હવે ફક્ત અંગત પાંચ-સાત માણસથી રહ્યો. એટલું સારું કે તેની આ દુઃખદાયક જિંદગીનો થોડા વખતમાં જ અંત આવ્યો. બેશક એ હરામખોરનો ધંધો લઈ ફરતો. એટલે સામાન્ય રીતે જોતાં આવા મૃત્યુથી આપણે ખુશી માનવી જોઈએ, તોપણ તેને એમ કરવા ગાયકવાડ સરકારે જુલમથી ફરજ પાડેલી. જમાનાની રીત સમજવા તેનામાં પહોંચ નહિ, એટલે એ કેટલીક બદસલાહને તાબે થયેલો તોપણ તેના મહાન વિચાર, તેનું શૂરવીરપણું, ઉદારતા, અને તેના આવા પ્રકારના મરણથી તેના કુટુંબ પર ગુજરેલી અપદશા દેખી કઠણ દિલના માણસને પણ દયા આવ્યા વિના રહે જ નહિ. ખરે, દેવાનાં કામ તો ક્રૂર ને તિરસ્કારપાત્ર હતાં, પણ મૂળુનાં કામો એવાં ન હતાં કે તેને આપણે હલકી પંક્તિના બહારવટિયાની જોડે સરખાવીએ. મને બીજા કોઈ ઢેડ અને પીડાકારક વાઘેર મૂઆ તેનું કાંઈ તપતું નથી, પણ એક ઉચ્ચ, ખાનદાન આખી ટોળી માટે જ તપે છે. અરે! તે સર્વનો ઘાણ નીકળી ગયો. તેઓ સાવ અણસમજુ ન હતા, પણ તેઓને સોબતે ભૂલવ્યા, હલકા વાઘેરોએ તેઓનાં માથાં ફેરવી નાખ્યાં. અને વળી તેમાં ગાયકવાડી જુલમે વધારે અસર કરી. સિપાઈ તો ખરા જ. મરવાં-મારવાં તે તો હિસાબમાં નહિ. વાણિયા ન હતા કે ભાઈબાપ કહી, કીધેલાં અપમાન માફ કરે. વૈર લેવાના જોસમાં દૂરંદેશે ભૂંડું થશે તે સૂઝ્યું જ નહિ. જોધાના વિચાર તો આખરની ઘડી સુધી સારા હતા, પણ બીજાઓએ તેને પરાણે ફસાવ્યો. આ લોકો (વાઘેરો) ઘણા હિંમતવાન ને બહાદુર છે, અને ગમે તેવી આફત પડે તોપણ ડરે તેવા નથી. આ લોકો ટાઢતડકો, ભૂખ સહન કરી શકે છે. આ લોકો વળાવા તરીકે ઠીક ઉપયોગમાં આવે છે. કોઈ હરામખોર ગાડું લૂંટવા આવે તો જ્યાં સુધી પોતામાં જીવ હોય ત્યાં સુધી સામા થઈ બચાવ કરે છે. તેમ નહિ કરે તો પોતાની જાતમાં હીણપ દેખાય એવી તેમની સમજ છે. વળી આ લોકોનાં ગાડા તેમના માનની ખાતર બીજા કોઈ લૂંટતા નથી. અને કદાચ લૂંટે તો પોતાના જીવના જોખમે તેઓ બચાવ કરવા તૈયાર રહે છે.

રાજસત્તાનો દોષ

આ તો ઠર્યું ઐતિહાસિક સત્ય : રા. સા. ભગવાનલાલ સરકારી આદમી તરીકેનાં માનસિક દબાણો નીચે રહ્યા રહ્યા પણ આટલું સત્ય ઉચ્ચારી રહ્યા છે. જોધો ને મૂળુ આવા ખાનદાન વીરનરો હતા તો રાજસત્તાએ શા માટે એમના પૂર્વજોનું રાજ્ય પાછું ન સોંપ્યું? શા માટે તેઓના ઉપર ગોળા છોડવાને બદલે, અથવા આકરી તવાઈઓ મોકલવાને બદલે રાજકુલ તરીકે એમની સાથે વ્યવહાર ન આચર્યો? શા માટે જોધા-મૂળુને ઓખાના અને જોગા ખુમાણને કુંડલાની ચોરાશીના સૂબા ન નીમ્યા? જોગીદાસ આટલો નેકીદાર હોવા છતાં વજેસંગની વજીરાત એને કાં ન સોંપાઈ? ભાવનગર રાજ્યનો ઇતિહાસ આજે એના મૃત્યુ પછી એકસો વર્ષે પણ એને ગૌરવવંતું આસન આપે છે? વજેસંગજી ગોહિલ અથવા ખંડેરાવ ગાયકવાડ અકબરશાહ ન બની શક્યા. નહિ તો જોગીદાસ અને જોધા-મૂળુ જેવી માનવશક્તિઓ સોરઠ દેશમાં કાંઈ જુદી જ તવારીખ જન્માવત. એ તો ખેર, પણ એકપક્ષી ઇતિહાસે આવા નરશાર્દૂલોની જીવનકથાને પણ મારી મચરડી દૂષિત બનાવી દીધી છે. અને જનતા પણ આજે એવા ઇતિહાસની આપેલી વક્ર દૃષ્ટિ વાપરીને આવા વીરોને વગોવે છે.

મિયાણાની સમસ્યા

ઇતિહાસની દૃષ્ટિ કેટલી નિર્મળ ને વેધક હોવી જોઈએ! એ ઉપરછલ્લું જોઈને કેમ ચુકાદો આપી શકે? દાખલા તરીકે મિયાણા જેવી ચોર, તોફાની ને લબાડ તરીકે નામચીન કરવામાં આવેલી જાતિને તપાસીએ : એ લોકોને પોતાનાં આજ સુધીનાં પાપાચરણોના બચાવમાં ઘણું સપ્રમાણ રુદન સંભળાવવાનું છે. એ લોકોની બહાદુરી, નેકી અને ભોળપનો કેવો કેવો કુટિલ ઉપયોગ કઈ કઈ રાજસત્તાઓએ કર્યો છે, ગુનેગાર ગણાયાથી તેઓને કેટલી હલકાઈ પોતાની પ્રકૃતિમાં ધારણ કરવી પડી છે તે તો દૂર મૂકીએ, એના બોલ પર કદાચ વિશ્વાસ ન ધરીએ, પરંતુ વૉટસન જેવો વિરોધી અંગ્રેજ પોતાના ‘ગેઝેટીઅર’માં લખી ગયો છે તેની અવગણના કેવી રીતે કરીએ? એ લખે છે કે ‘તેઓ શૂરી, નીડર, પરોણાની ખાતરી કરનારી ને ઇમાની જાત છે, પણ વશ રહે તેવી નથી’. અનુભવીઓના અનુભવ બોલે છે કે તેઓ વિશ્વાસઘાત નથી કરતા, ઇમાની છે. અને આજ સરકારી-દરબારી સખત જાપતામાંથી થોડો વખત પણ બહાર નીકળી શકનાર મિયાણો કારખાનામાં પોતાની ઉદ્યમી પ્રકૃતિ અને કુશળતાનો ઠીક ઠીક પરિચય કરાવે છે. પણ એ કહે છે કે ‘ગુનેગાર કોમ’ તરીકેના કાનૂનોની ભીંસમાં પડવાથી એનું ખમીર નીચોવાઈ રહ્યું છે. ઘરઆંગણે ધરતી નિ:સત્ત્વ બની અનાજ આપવાની ના કહે છે, ને બહાર જવાની મના રાજસત્તા કરી રહી છે. એવી સંકડામણમાંથી જ ઘણાને ચોરીધાડનું શરણ લેવાની ફરજ પડે છે, વગેરે વગેરે. આ કોમનાં ઊંડાં તત્ત્વો ઉકેલવા માટે કોઈ ઇતિહાસકાર, જાહેર સેવક કે સમાજશાસ્ત્રી ઊતર્યો નથી. રાજસત્તાની પાસે તો તાત્કાલિક જાહેર શાંતિને કાજે ‘દમન’ એ જ તરણોપાય હતો. અને એ ‘દમન’ એટલે શું? ‘કૉલ એ મેન થીફ ઍન્ડ હી વીલ સ્ટીલ’ — માતાના ઉદરમાંથી જ મિયાણો ચોર ઠરી ચૂક્યો. એનું બાળક જન્મે કે તરત જ કાયદો એને શકદાર ઠરાવી પરવાના-પત્રક પર ચડાવે છે, એટલે એ પણ પોતાને ચોર જ સરજાયેલ માનતું થાય છે. પરંતુ વાઘેરો, મેરો કે મિયાણાઓને મન ચોરીલૂંટ અંતરાત્માનો અંશ નહોતો, ધર્મ નહોતો, ઈશ્વરદત્ત વ્યવસાય નહોતો; પણ સ્વાર્થી મનુષ્યોએ પડાવેલી ટેવ હતી. ‘મારતા મિયાંની તરવાર’વાળા યુગનો એ ચેપ હતો. શિવાજીએ જેની સહાય થકી સામ્રાજ્યનું સ્વપ્ન ઉતાર્યું તે માવળાઓ કોણ હતા? એ કેવા હતા? પ્રતાપ અને વનરાજે અરવલ્લી અને અણહિલપુરની અટવીઓમાંથી જેઓને એકઠા કરી ખોયેલાં રાજ પાછાં મેળવ્યાં, તે ધનુર્ધારી ભીલો કોણ હતા? કેવા હતા? યુગનાં આંદોલનો અડકશે તો એ વાઘેર, મેર ને મિયાણાની ખાનદાની પણ મહેકી ઊઠશે. ઝેરી વાયરા જંપી ગયા છે. પ્રજાત્વના વાયુસંચાર ચાલ્યા છે. એના સ્પર્શે આ પતિત મનાયેલી જાતિઓમાંથી કદાચ સિપાહીગીરીની ને પ્રેમશૌર્યની ફોરમો છૂટશે. પરંતુ એ પ્રેમશૌર્ય પ્રકટાવવા માટે સતત આકરા પ્રયત્નો જોઈશે.



  1. જુઓ આ લેખકનું પુસ્તક ‘બે દેશદીપક’
  2. The Outlaws of Kathiawar (1905)
  3. ‘ધિ આઉટલૉઝ ઑફ કાઠિયાવાડ’.
  4. થાણાદેવળી રાજ્યના મ. દરબાર લક્ષ્મણ વાળાની કચેરીમાં એક મકરાણીએ પોતે નજરે નિહાળેલ કહીને આ કિસ્સો વર્ણવ્યો હોવાનું મારા સ્નેહી સ્વ. ગઢવી ગગુભાઈ કહેતા.
  5. “Nothing would be more natural than the gradual clustering of tales round a hearo. RobinHood himself is a good example of this. Some remarkable ballads give expression to his dallying exploits and hairbreadth escapes.”
  6. ઘંટ = ગ્રાન્ટસાહેબ.
  7. સોજીર = સોલ્જર.
  8. કિનકેઈડ: ‘ધિ આઉટલોઝ ઑફ કાઠિયાવા’ (પાનું 35) “He (Jodha Manik) came, as his name indicates, from the Manik stock that at one time ruled Dwarka and Okha Mandal, before the Mahrattas, with British assistance, established themselves therein.’
  9. ‘નાથો મોઢવાડિયો’.
  10. ‘વાલો નામોરી’.
  11. ‘જોધોમાણેક : મૂળુ માણેક’
  12. ‘જોધોમાણેક : મૂળુ માણેક’
  13. ‘જોધોમાણેક : મૂળુ માણેક’
  14. ‘જોધોમાણેક : મૂળુ માણેક’
  15. મારી પાસે અપ્રકટ પડેલ સામગ્રીમાં આખું છે.
  16. Treachery, then, the ballad-makers hated; cruelty they regretted; and to hurt a woman, to turn away from a fight, or to give in before the blood gave out, was to them dishonour. They did not think it necessary to keep the law, but then the law was not of their own making; it was either the bondage of convention or the rule of the rich. They cared little for comfort. Love and wine and gold they loved, but these are not comforts. The sleek sensual abbot with his ambling pad, his fat money-bags, was their abhorrence. The social order which the ballad-makers imagined for themselves, was a chaotic order, wild and blood-stained life, but as they saw it and sang of it, was a noble choice between two sets of evils. There are grave possibilities, no doubt, in the life of peace and comfort, and we must hope they may some day be realised, but perhaps there is something to be said yet for the ballad-life as an ideal. With all its crimes and sorrows, it was a life of the spirit. It was full of generosity, and sincerity and courage, and above all it set Death in his right place: