સોરઠી બહારવટિયા ભાગ-1/3. બાવા વાળો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 324: Line 324:
{{Poem2Open}}
{{Poem2Open}}
'''[અને મતિહીન માનવી! તેં છાનામાના આવીને બાવા વાળાને માર્યો! એ મરતાં તો જો ગિરનારનું શિખર તૂટી પડ્યાું હોય એવું દુઃખ થાય છે.]'''
'''[અને મતિહીન માનવી! તેં છાનામાના આવીને બાવા વાળાને માર્યો! એ મરતાં તો જો ગિરનારનું શિખર તૂટી પડ્યાું હોય એવું દુઃખ થાય છે.]'''
{{Poem2Close}}
<center>'''<big>કૅપ્ટન ગ્રાંટે પોતાના હાથે લખેલું વૃત્તાંત</big>'''</center>
{{Poem2Open}}
<big>હિ</big>ન્દુસ્તાન અને અરબસ્તાનના ચાંચિયા લોકો જે કાઠિયાવાડ અને કચ્છના કિનારા ઉપર ઉપદ્રવ કરતા હતા તેને દાબી દેવા માટે સે. ખા. ખે. ગાયકવાડ સરકારે દરિયાઈ લશ્કર સ્થાપ્યું હતું. એનું આધિપત્ય ધારણ કરવાને વડોદરાના રેસિડેન્ટ કૅપ્ટન કારનોકની માગણી ઉપરથી મુંબઈ સરકારે ઈ. સ. 1802માં મને નીમ્યો. અમે કેટલાકને પકડી મારી નાખ્યા, અને ઈ. સ. 1813માં તેઓ એટલા તો નિર્બળ થઈ ગયા કે ગાયકવાડને આ ખાતું નહિ રાખવાની જરૂર જણાયાથી તેને કાઢી નાખ્યું, ત્યારે મને એવો હુકમ લખી મોકલ્યો કે ‘તમારે વેલણ બંદર અથવા દીવ ભૂશિરનું સ્થાનક છોડી જમીનરસ્તે અમરેલી જવું અને ત્યાં ગાયકવાડના તથા કાઠિયાવાડના સરસૂબાને તમારા વહાણનો ચાર્જ સોંપવો.
રસ્તામાં મારા ઉપર એક કાઠી બહારવટિયો, નામે બાવા વાળો, એણે પાંત્રીસ ઘોડેસવારો સાથે હુમલો કર્યો. મારા ખાસદારને જીવથી માર્યો. મારી પાસે ફક્ત કૂમચી હતી. તેથી હું પોતે સામે થઈ શક્યો નહિ. પ્રથમ જ્યારે અમારે ભેટંભેટા થયા ત્યારે બાવા વાળાએ મને કહ્યું કે ‘મારા કામમાં તમારી સલાહ લેવાની છે’. આ બહાનું બતાવીને તેણે મને ઘોડેથી ઉતરાવ્યો. મારા માણસોને પરાધીન કર્યા, એટલે ઘોડા ઉપર બેસીને તેની ટોળી સાથે મારે જવું પડ્યું. તેઓ ગીર નામના મોટા જંગલમાં લઈ ગયા, જ્યાં તેઓએ મને બે માસ અને સત્તર દિવસ એક પહાડની ટોચ પર કેદી કરી રાખ્યો. આ સઘળો સમય બે હથિયારબંધ માણસો મારા ઉપર નાગી તરવાર લઈને ચોકી કરતા હતા. દિવસ-રાત વરસાદથી ભીંજાયેલી ભેખડમાં હું સૂતો, તેમાં અપવાદ માત્ર બે રાત્રિ હતી. આ બે રાત્રિ અમોએ દોસ્તીવાળા ગામમાં ગુજારી. ત્યાં મને તે ટોળી ફરજ પાડીને લઈ ગઈ. આ ફેરામાં પ્રસંગોપાત્ત મને ઘોડા ઉપર સવાર થવા દેતા પણ હરવખત એક જોરાવર ટોળી મને વીંટી વળતી, તેથી નાસી જવાની કોઈ પણ કોશિશ કરવી એ મારે માટે અશક્ય હતું.
બાવા વાળાને અનુકૂળ એક ગામમાં સ્ત્રીઓએ મારો પક્ષ ખેંચ્યો અને મારી સાથે ઘાતકી વર્તણૂક ચલાવવા માટે તેને તથા તેના માણસોને ઠપકો આપ્યો. પ્રતિકૂળ ગામડાં પ્રત્યે તે ટોળીનો એવો રિવાજ હતો કે દરવાજા સુધી ઘોડે બેસીને જવું અને નાનાં બાળકો રમતાં હોય તેનાં માથાં કાપી લેવાં. અને પછી પોતાના એ શાપિત પરાક્રમ માટે હરખાતા ને હસતા ચાલ્યા જવું. દિવસનો ખૂનનો ફેરો કરી પોતાના મુકામ પર આવતા ત્યારે ‘મેં આટલાને માર્યા’ એમ જુવાન કાઠીઓ મગરૂબી કરતા અને એક દિવસ તો મેં ઘરડા કાઠીઓને તેમને એમ ચોકસાઈથી સવાલ કરતા સાંભળ્યા કે ‘શું તમારી ખાતરી છે કે તમારા ભોગ થયેલાને તમે માર્યા જ છે?’ એનો એવો જવાબ મળ્યો કે ‘હા, અમે અમારી બરછીને તેમના શરીર સોંસરવી નીકળેલી જોઈ અને અમને ખાતરી થઈ છે કે તેઓ મરી ગયા.’ એક વૃદ્ધ કાઠીએ ટીકા કરી કે ‘ભાઈ, બીજા કોઈ પ્રાણી કરતાં માણસને જીવથી મારવું વધારે વિકટ છે. જ્યાં સુધી રસ્તાની એક બાજુએ ધડ અને બીજી બાજુએ માથું ન જુઓ, ત્યાં સુધી એ મરી ગયો એમ ખાતરી ન રાખવી.’
કેટલીક વખત રાજા બાવા વાળો અફીણની બેભાન હાલતમાં મારી પાસે આવીને બેસતો અને મારા ઉપર પોતાનો જમૈયો ઉગામીને એ પૂછતો કે ‘કેટલી વખત આ જમૈયો હુલાવ્યો હોય તો તમારું મૃત્યુ નીપજે?’ હું જવાબ આપતો કે ‘હું ધારું છું, એક જ ઘાએ તમારું કામ પતી જાય. માટે હું આશા રાખું છું કે તેમ કરીને તમે મારા દુઃખનો અંત આણશો.’ તે જવાબ આપતો કે ‘તમે એમ ધારતા હશો કે હું તમને નહિ મારું! પણ માછી જેટલાં માછલાં મારે છે તેટલાં મેં માણસો માર્યાં છે. તમારો અંત આણતાં હું જરાયે વિચાર નહિ કરું. પરંતુ તમારી સરકાર મને મારો ગિરાસ પાછો અપાવે કે નહિ એ હું જોઉં છું. જો થોડા વખતમાં પાછો અપાવશે તો હું તમને છૂટા કરીશ.’
ટોળી લૂંટ કરવા બહાર નીકળતી ત્યારે ઘણો વખત ઊંઘ્યા કરતી. રાત્રિએ દરેક ઘોડાની સરક તેના સવારના કાંડા સાથે બાંધતા. જ્યારે ઘોડા કંઈક અવાજ સાંભળે ત્યારે તાણખેંચ કરે કે તરત તેઓ ઊભા થઈ જતા. ખોરાકમાં બાજરાનો રોટલો અને મરચાં, ને મળી શકે ત્યારે તેની સાથે દૂધ. મને પણ એ જ ખોરાક આપતા.
તેઓમાં બે જુવાન પુરુષો હતા, કે જેઓ મારા માટે કાંઈક લાગણી બતાવતા.** મારા છુટકારા માટે તેઓ પ્રયત્ન કરતા અને મને હિમ્મત આપતા. પ્રસંગોપાત્ત જ્યારે તક મળતી ત્યારે પોતે કેટલાં માણસ માર્યાં તે વિશે, અને જ્યારે પૈસાદાર મુસાફરો માગેલી રકમ આપવાની ના પાડે ત્યારે કયા ઉપાયો પોતે યોજતા તે વિશે તેઓ મને જાણ કરતા. આ ઉપાય એ હતો કે બાપડા કમનસીબ મનુષ્યોને પગે દોરડાં બાંધી, તેઓને ઊંધે માથે ગરેડીએથી કૂવામાં પાણીની સપાટી સુધી ઉતારતા ને ઉપર ખેંચતા. માગેલી રકમ આપવાની કબૂલાત ન કરે ત્યાં સુધી આ પ્રમાણે સીંચ્યા કરતા. કબૂલ થાય ત્યારે છૂટા કરીને કોઈ આડતિયા ઉપર હૂંડી અથવા કાગળ લખાવી લેતા ને જ્યાં સુધી રકમ પહોંચતી ન થાય ત્યાં સુધી કેદ રાખતા.* * *
એક તોફાની રાત્રિ મારાથી નહિ વીસરાય. એ બધા મોટું તાપણું કરીને ફરતા બેઠા હતા. સિંહ અને બીજાં હિંસક પશુઓ ગર્જના કરતાં હતાં. છતાં પણ મારું શું કરવું તે વિશે તેઓ ચર્ચા કરતા હતા. હું એ સાંભળી શકતો હતો. માણસો ફરિયાદ કરતા હતા કે ‘સાહેબને કારણે અમે બબ્બે મહિનાથી જંગલમાં છીએ, બાયડી છોકરાં દાણા વગર ગામડામાં હેરાનહેરાન છે. તેથી અમે હવે રોકાવાના નથી.’ તેના સરદારે જવાબ દીધો કે ‘ચાલો, એને મારી નાખી બીજે ક્યાંક નાસી જઈએ’, પણ માણસોએ વાંધો બતાવ્યો કે ‘અંગ્રેજો લશ્કર મોકલીને અમારાં બાળબચ્ચાંને કેદ કરે ને દુઃખ આપે’. તેથી છેવટે એમ ઠર્યું કે હમણાં તો મને જીવતો રાખવો. છેવટે મારો છુટકારો પોલિટિકલ એજન્ટ કપ્તાન બેલેન્ટાઇન મારફત આ પ્રમાણે થયો : તેણે નવાબસાહેબને સમજાવ્યા કે ‘જે કાઠીઓએ બાવા વાળાનું પરગણું જોરજુલમથી લઈ લીધું છે તેની પાસેથી તમારી વગ ચલાવીને બાવા વાળાને તેનો ગરાસ પાછો સોંપવો’. બાવા વાળાની ધારેલી મુરાદ બર આવી એટલે તેણે મને છોડ્યો.
મારી કેદ દરમિયાન મારા ઉપર જે દુઃખો પડ્યાં તે લગભગ અસહ્ય છે. રોજ સાંજરે હું પ્રાર્થના કરતો હતો કે હે પ્રભુ! મને વળતું સવાર દેખાડીશ નહિ! એક માસ સુધી તો શરદીને લીધે મારાથી બૂટ કાઢી શકાયાં નહિ. છેવટે મંદવાડથી નબળો થઈ ગયો ત્યારે જ બૂટ નીકળ્યાં. સખત ટાઢિયો તાવ આવવા લાગ્યો. તેની સાથે પિત્તાશયનો સોજો આવ્યો. આ સ્થિતિમાં ખુલ્લી હવામાં ઉઘાડા પડ્યા રહેવાનું, એથી મને સન્નિપાત થઈ આવ્યો. જ્યારે મને છૂટો કરવામાં આવ્યો ત્યારે પગથી માથા સુધી ઊધઈ ચોંટેલી. તેવી સ્થિતિમાં રાત્રિએ ખેતરમાં રઝળતો પડેલો હું હાથ લાગ્યો. * * *
આ ઉદ્ગારોના ઉત્તરમાં મિ. સી. એ. કીનકેઈડ, આઈ. સી. એસ., પોતાના ‘આઉટલૉઝ ઑફ કાઠિયાવાડ’ નામના પુસ્તકમાં લખે છે કે :
અલબત્ત, આપણે બધા જો એવી કેદમાં પડ્યા હોત, તો આપણે કૅપ્ટન ગ્રાંટ કરતાં પણ વધુ સખત ભાષા વાપરત, તેમ છતાં બાવા વાળાના પક્ષમાં પણ થોડું કહી શકાય તેવું છે. બેશક, બહારવટામાં નાનાં બચ્ચાંની ગરદનો કાપવાની પ્રથાનો બચાવ કરવાનું તો મુશ્કેલ છે, છતાં લડાઈની માફક બહારવટું પણ સુંવાળે હાથે તો નથી જ થઈ શકતું. કદાચ દુશ્મનોનાં ગામડાંવાળાઓએ પોલીસને બાતમી પહોંચાડી હશે. તે કારણસર બહારવટિયાઓએ તેઓને પાઠ શીખવવાનું ઇચ્છેલ હશે. પણ પકડાઈ જવાની બીકે ગઢમાં તો પેસી ન શકાય તેથી પાદરમાં જ એક-બે છોકરાંને દીઠાં, તેઓને મારી નાખી ચાલ્યા જતા હશે. બેશક, મુકામ પર જઈને તેઓ પોતાનાં પરાક્રમોની બડીબડી વાતો તો કરતા હશે જ. તે સિવાય કૅપ્ટન ગ્રાંટના સંબંધમાં તો બાવા વાળો મૂંઝવણમાં જ હતો. હેમિલ્કારે પોતાના પુત્ર હેનીબાલ ઉપર જેવી ફરજ નાખી હતી તેવી જ પવિત્ર ફરજ બાવા વાળાના પિતાએ પણ તેના ઉપર નાખેલી : ને ગ્રાંટને કેદી રાખ્યા સિવાય એ ફરજ કદી પણ અદા થઈ શકે તેમ નહોતું. યુરોપી લોકોનો પોતે અજાણ હોવાથી તે નહોતો સમજી શક્યો કે પોતે અને પોતાના સાથીઓ જે સંકટો બેપરવાઈથી ભોગવતા હતા, તે જ સંકટો અંગ્રેજને માટે તો અસહ્ય હતાં, ને જ્યારે એને સમજ પડી ત્યારે એને આ કેદી ઉપદ્રવરૂપ જ લાગ્યો. એની બીમારી આ ટોળીને નાસભાગ કરવામાં વિઘ્ન નાખતી અને ભળતાં ગામડાંની કાઠિયાણીઓના ઠપકા ખવરાવતી.
<center>''''''</center>
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits