૩૩ કાવ્યો/રિલ્કેનું મૃત્યુ

From Ekatra Wiki
Revision as of 00:24, 28 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
રિલ્કેનું મૃત્યુ

ગુલાબ અર્પ્યું નિજ પ્રેમપાત્રને
ને શૂળ કૈં કંટકની સહીને,
વાંછ્યું’તું જે મૃત્યુ મનુષ્યમાત્રને
તને મળ્યું ઈપ્સિત, એ લહીને
તેં હોંસથી દર્દ હશે જ માણ્યું!
તારે મુખે જે ગયું’તું ગવાઈ
તે સર્વનું સત્ય હશે પ્રમાણ્યું
શું આમ આ કંટકથી ઘવાઈ?
તારી સખી પાસ ગુલાબ જે રહ્યું
સુવાસ એમાં તવ પ્રેમની ભળી
(અસ્તિત્વનું શ્રેષ્ઠ પ્રતીક તેં કહ્યું!)
ને મૃત્યુનીયે સુરખી વળી ઢળી;
મ્હેકી રહ્યો જીવનનો જ અર્થ  :
ના મૃત્યુ કોઈ કદી ક્યાંય વ્યર્થ!

૨૭–૧૨–૧૯૫૬