૮૬મે

From Ekatra Wiki
Revision as of 07:10, 9 August 2022 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


86me123.jpg


૮૬મે

નિરંજન ભગત


અર્પણ:
ભોલાભાઈ ની સ્મૃતિ

વર્ષો પૂર્વે ‘પ્રવાલદ્વીપ’ અને ‘વિદિશા’થી આપણો પરિચય, ને એ ક્ષણથી જ આપણે સહપાન્થ, સમાનધર્મા, સહૃદય; તમારા આયુષ્યના અંતિમ દિવસ લગી સદા આપણે મિત્રો,

અભિસારિકા-૧

પુરુષ": તમે શું અંધકારની અભિસારિકા છો?
          તમે શું મેઘાચ્છાદિત અમાવાસ્યાની એકાકી તારિકા છો?
          તમને પૂર્ણિમાના પ્રકાશની એવી તે આ શી લજ્જા?
          તમે પ્રદીપશૂન્ય શયનખંડની વાસકસજ્જા?
          તમે શું અકલ્પ્ય કો એકાન્તની કારિકા છો?

          તમે શું કોઈ મનુષ્યના હૃદયનો પ્રેમ જાણ્યો છે?
          તમે શું કદી પૃથ્વીના સૌંદર્યનો આનંદ માણ્યો છે?
          તમે શું તમિસ્રલોકના પૌરજનોની પરિચારિકા છો?

૨૦૦૯