The Prophet

Revision as of 07:08, 5 November 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "frameless|center <center> <span style="color:#ff0000"> {{fine|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}<br> </span> </center> <hr> {{BookCover |cover_image = File:The Prophet-title.jpg |title = The Prophet <center> Khalil Gibran<br> <center>{{color|red|<big><big><big>'''ધ પ્રોફેટ '''</big></big></big>}} <...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ


The Prophet-title.jpg


The Prophet

Khalil Gibran

ધ પ્રોફેટ


ખલિલ જીબ્રાન
Prose Poetry Fables on the Beauty of Life and the Human Condition


વિદાય વેળાએ પયગંબરનો જીવન-સંદેશ


જીવનના સૌંદર્ય અને માનવીય પરિસ્થિતિ અંગે ગદ્ય-પદ્યાત્મક પયગંબરી બોધકથાઓ.


‘વિચારનું સૌંદર્ય, આકૃતિના સૌંદર્ય કરતાં વધારે જાદુઈ અસર ઉપજાવે છે’ (સોક્રેટીસ) સ્પષ્ટપણે સમજવું હોય તો વાંચો ‘ધ પ્રોફેટ’!


‘ગીતાંજલિ’ પછી પૂર્વમાંથી ઊગેલો એક ઉત્કૃષ્ટ ધ્વનિ તે ‘ધ પ્રોફેટ’! -જ્યોર્જ રસલ.


ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: ચૈતન્ય દેસાઈ


લેખક પરિચય:

ખલિલ જીબ્રાન એક લેબનિઝ-અમેરિકન લેખક, કવિ અને કલાકાર છે. એમનો જન્મ ૧૮૮૩માં તે વખતના ઓટોમન સામ્રાજ્ય(હાલનું લેબેનોન)માં થયેલો. ૧૨ વર્ષની ઉંમરે માતા સાથે તેઓ અમેરિકા આવી ગયા. બાળક તરીકે ઉંમરના પ્રમાણમાં ઘણી વધારે કલાસૂઝ ધરાવતા જીબ્રાને મોટા થઈનેBroken Wings અને The Madman જેવી બે પ્રખ્યાત કૃતિની રચના કરી છે.

વિષય પ્રવેશ :

The Prophet (૧૯૨૩)

પૂરાં ૧૦૦ વર્ષ પૂર્વે પ્રકશિત આ પુસ્તક જીવન અને માનવીય પરિસ્થિતિના સૌંદર્યાત્મક અને આધ્યાત્મિક ચિંતનાત્મક પાસા ઉપર એક પયગમ્બરી સંદેશ જેવું છે. પયગંબર અલમુસ્તફા એમના કાલ્પનિક શહેર ઓર્ફેલીયસથી વિદાય લે છે ત્યારે એમના નગરજનો અને અનુયાયીઓ તેમને બંદર સુધી વિદાય આપવા જાય છે અને હાથ જોડી પ્રાર્થે છે કે, ‘પ્રભુ, આપના અગાધ જ્ઞાન અને પ્રજ્ઞાના સાગરમાંથી અમને થોડાં જીવનોપયોગી વિચાર-મોતી આપો.’ અને પછી એમના શ્રીમુખે જે જીવન-જગત અને માનવીય પરિસ્થિતિ વિશે ઊંડી આંતરદૃષ્ટિપૂર્ણ વિચારયાત્રા વહી તે આ પુસ્તક-પયગંબરનો વિદાય સંદેશ !

પ્રસ્તાવના :

આમાં મારે માટે છે - માનવજાતના સત્યનું દર્શન.

આપને નવાઈ તો એ વાતની લાગશે કે આજના અત્યાધુનિક જગત અને ઝડપથી બદલાઈ રહેલી દુનિયામાં, આજથી એક સદી પહેલાં પ્રગટેલા, જીવનવિષયક ચિંતનાત્મક વિચારો હજી આજે પણ અર્થપૂર્ણ અને પ્રસ્તુત કેવી રીતે હોઈ શકે? તો શું ખલિલ જિબ્રાનની આધ્યાત્મિક માર્ગદર્શક સલાહોની પોકેટબુક વર્તમાનમાં બિનમહત્ત્વની અને અપ્રસ્તુત, અસંગત માની લેવાની?

સત્ય તો એ છે, વાચક મિત્રો, કે The Prophet માત્ર સુસંગત જ નહિ, આપણા મનની ભૂમિભંજક પણ છે. આ(વું) પુસ્તક કયારેય ‘અપ્રાપ્ય’ ‘out of print’ના દાયરામાં નથી આવ્યું. ઉલટાનું, વરસોવરસ એનું વેચાણ અને પ્રસાર વધતાં જ ગયાં છે. એમાં એક પ્રકારની એવી પરિવર્તનકારી ઉર્જા છે જે તમે કોઈ યુવાન-યુવતીને તેના જન્મદિન, લગ્નદિન, વિવાહદિને આ પુસ્તક સ્વરૂપે પાઠવી શકો... જીવનના કોઈ ચાવીરૂપ વળાંકે આ પ્રજ્ઞાનભર્યું બ્રોશર એક સુંદર યાદગાર વિચારભેટ બની રહે તેવું છે. આવી વિચારબક્ષિસ કાલાતીત અને સદા બહાર, સર્વસુસંગત હોય છે. એમાંથી—પ્રેમ, લગ્ન, બાળપણ, દર્દ, સુખ, મૈત્રી, કાર્ય, મૃત્યુ જેવા વિષયો ઉપર ઊંડું ચિંતનાત્મક તત્ત્વજ્ઞાન સાંપડે છે. આથી જ એ આજે તો શું, આવનારી સદીઓ સુધી તાજું, સુસંગત અને પ્રસ્તુત જ રહેશે.

કાવ્યાત્મક લાવણ્ય, શાણપણસભર આ Timeless master piece પુસ્તક મૂળે તો ૧૯૨૩માં પ્રકાશિત થયેલું, ત્યારથી માંડી આજ સુધી એના પદ્યાત્મક નિબંધોએ દુનિયાભરના લોકોનાં દિલોદિમાગ કબજે કરી લીધાં છે. માનવ-અસ્તિત્વની સંકુલતાઓનું ઊંડાણ એ ઉદ્દઘાટિત કરીને, સ્નેહ, પ્રસન્નતા, સ્વાતંત્ર્ય, આધ્યાત્મિકતા, પીડા ઈત્યાદિ જીવનનાં વિવિધ પાસાંઓ ઉપર પોતાની આગવી આંતરદૃષ્ટિ આપણને આપે છે.

આ પુસ્તક આકાર લે છે-એક કાલ્પનિક શહેર ઓર્ફેલિયસમાં, જ્યાં પયગંબર અલમુસ્તફા ૧૨ વર્ષ રહ્યા હતા અને હવે તેમની વતનભૂમિ જવા માટે જહાજની રાહ જોઈ રહ્યા છે. એમણે વિદાયની તૈયારી કરવા માંડી, ત્યારે નગરજનો, પરિજનો એમનો છેલ્લો જ્ઞાન-ઉપદેશ સાંભળવા ભેગા થયા. અલમુસ્તફાએ પણ પ્રસન્નવદને એમને માનવીય લાગણીઓ અને જીવન અનુભવોનાં વિવિધ પાસાંઓ અંગે સુંદર સંબોધન કર્યું, જે દરેકનું અલગ અલગ પ્રકરણ આ પુસ્તક રજૂ કરે છે.

The Prophet પુસ્તકનું હાર્દ જગતમાં માનવીય પરિસ્થિતિ અંગે ઊંડા ચિંતનમાં છે, જે વાચકોને આત્મખોજ અને આંતરદર્શન માટે આવકારે છે. જિબ્રાનના શબ્દોમાં આત્માના અવાજનું ગુંજન, વિચારોનું તળેટીસમું ઊંડાણ અને શાંત ઝરણા જેવો પ્રવાહ માણવા મળે છે. પ્રેમ, લગ્ન, બાળકો, કાર્ય, મૃત્યુ જેવાં માનવજીવનનાં મૂળભૂત પાસાંઓનું સુરેખ કલ્પનચિત્ર, લેખક પદ્યાત્મક પંક્તિઓ અને રૂપકાત્મક વાર્તાકથન દ્વારા પ્રસ્તુત કરે છે.

પ્રેમ ઉપરના વાર્તાલાપમાં જીબ્રાન આ તીવ્ર લાગણીના સત્ત્વ અને મર્મને ઊંડાણથી તપાસતાં સ્નેહના આશ્લેષમાં સ્વાતંત્ર્યની અનિવાર્યતા ઉપર ભાર મૂકે છે. એમની સુંદર દલીલ રહી છે કે પ્રેમનાં મૂળ આત્મામાં ઊંડાં હોય છે(આત્મા પોતે જ પ્રેમપ્રસન્નતા અને શાંતિસ્વરૂપ છે) જેને મુક્ત રીતે વિકસવા દેવાં જોઈએ, એને બંધન કે નિયંત્રણમાં રાખી ન શકાય. એને એની અંતિમ પૂર્ણતામાં પામવા સમર્પણ અને બલિદાન-ત્યાગ ખૂબ મહત્વનાં છે.

લગ્ન અંગેની સૂરાવલિમાં પયગંબર પ્રાર્થે છે કે પોતપોતાની અદ્વિતીય સ્વ-ઓળખ બરકરાર રાખીને બે આત્માઓએ નિકટ આવી એક સુદઢ સંવાદિત જોડાણ સંયોજવાનું રહે છે. જીવનમાં લગ્નની ભૂમિકા, “પરસ્પરના વિકાસ-સાથી તરીકેની હજો, એકમેકની જીવનયાત્રામાં સહાયક બનજો અને અરસપરસના સંગાથમાં શાંતિ, આશ્વાસન અને સૌહાર્દની અનુભૂતિ પામજો...” આ પ્રકારની વાત આશીર્વાદમૂલક-પ્રાર્થના સ્વરૂપ હોવાનું પયગંબર સમજાવે છે.

આગળ વધતાં જીબ્રાનવાણી, આનંદ અને દુઃખના ખ્યાલને સ્પષ્ટ કરતાં વદે છે કે ‘કભી ખુશી કભી ગમ’ વચ્ચે એક પ્રકારનો આંતરસંબંધ છે, અનુભૂતિનું પરસ્પરાવલંબન છે. આનંદના ઊંડાણને માણવા દુઃખ કે યાતનાની કસોટીઓમાંથી પસાર થવું આવશ્યક છે. જીવનમાર્ગમાં આવનારી આપત્તિઓ કે વિપરીતતાઓ આંતરપ્રકાશ અને આત્મવિકાસની કેડી બની શકે છે, તે રીતે એને જોવી જોઈએ.

જીવનમાં કવન, કાર્ય વિશે પોતાની આંતરદૃષ્ટિ શેર કરતાં તેઓ કહે છે કે મહેનત, પોતાને સોંપાયેલું કે ભાગ્યદત્ત કાર્ય, શ્રમ એ દૈવી પ્રસાદ છે, એને પૂરા પ્રયત્નથી દિલપૂર્વક કરવું જોઈએ...એ ઢસરડો કે કંટાળાજનક-વેઠઉતાર કામ નથી પણ આપણા આત્માને આકાર આપનારી કળા છે જે વ્યક્તિગત પેશનને પૂર્ણરૂપે પોષનારો સામૂહિક માનવીય પ્રયાસ બનવો જોઈએ... કેવું સરસ અર્થઘટન –આપણા રોજિંદા બોજરૂપ લાગતા કાર્યનું !

આ જીવનના અંતિમ પડાવ સમા મૃત્યુને અલમુસ્તફા અંતિમ પ્રકરણમાં સ્પર્શતાં એનાં શાંત-સ્વસ્થ-સહજ સ્વીકાર ઉપર ભાર મૂકે છે. આ ઐહિક જીવન અને મર્ત્ય અસ્તિત્વની મર્યાદાઓને ઓળંગીને, આત્માને શાશ્વત શાંતિમાં પ્રવેશવાનો અને તેને અનંત બ્રહ્માંડમાં વિહરવા માટે વિદાય આપવાનો આધ્યાત્મિક અવસર એટલે અવસાન ! મૃત્યુના સૌંદર્યનું અદ્ભુત ઉદ્ઘાટન જીબ્રાનની જબાન અહીં કરે છે.

સમગ્ર ‘પયગંબરી વિદાય-વચન’ દરમ્યાન જીબ્રાનની વાણી, સમય-સંસ્કૃતિ-સંપ્રદાયની સીમાઓ ઓળંગીને, આપણને સૌને સમાન રીતે સાંકળનારાં વૈશ્વિક સત્યો સાથે સાંત્વનમૂલક અને જ્ઞાનમૂલક અનુસંધાન સાધનારી બની રહે છે. જ્ઞાનપિપાસુ નગરજનો અને સાધકો પયગંબર અલમુસ્તફાનાં વચનોમાંથી પ્રજ્ઞા-પ્રકાશ પામે છે તેમ વાચક વર્ગને પણ ઊંડું ચિંતનાત્મક આત્મપોષક જ્ઞાન અને સુક્ષ્મ આતંરદૃષ્ટિ લાધે છે. આ શ્રેષ્ઠ સાહિત્યકૃતિ, માનવીની રહસ્યમય જીવનયાત્રાનો અર્થ, હેતુ અને સમજૂતી શોધનારા સાધકોને સતત માર્ગદર્શક પ્રકાશ આપતી રહી છે.

‘પ્રેમ’ ઉપરના પ્રકરણમાંથી લીધેલો આ સૌથી પ્રખ્યાત અને પ્રેરક પેરેગ્રાફ વાંચો :

“જયારે પ્રેમનો પોકાર સંભળાય તમને, સાંભળો અને અનુસરો એને... જોકે પ્રેમપંથ એ કપરાં ચઢાણ તો છે જ, તોયે તમારા ઉપર એ કૃપાની પાંખ પ્રસારે છે ત્યારે એની શરણમાં જવા વિલંબ ન કરશો... કદાચ પ્રેમપંખમાં છૂપાયેલી પ્રેમ કટારી તમને ઘાયલ કરી શકે.. આવો પ્રેમ તમને કંઈક કહી રહ્યો હોય તો એને માનવાનું વલણ રાખજો, પછી ભલે એની વાણી તમારાં સ્વપ્નોને, પાનખરમાં પડેલાં પર્ણોને પવનમાં ઉડાડી જનારી કેમ ન લાગે ! પ્રેમ તમારા શિરનો તાજ પણ બની શકે, તે જ રીતે ખભા પર લટકાવેલો/ઊઠાવેલો વધસ્થંભ પણ બની શકે... તમારા વિકાસવૃક્ષની ડાળીઓને એ વિસ્તારનારો પોષક બની શકે છે તો વળી એ ડાળીઓની છટણી-કાપણી કરનારો પણ બની શકે છે. જીવનતાપમાં ઝૂલસી જતી તમારી કોમળતમ અંકુરિત ડાળીઓને એ હેતે ઝૂલાવશે, વહાલથી એનો વૃદ્ધિ-સહાયક બનશે.. તો એ જ પ્રેમ. એ જ ડાળીઓ ને થડથી ઊતરી જમીનને જકડતાં એનાં મૂળને હચમચાવી, ઊખેડીને ફેંકી પણ દઈ શકે તેવો હોય છે... મકાઈ કે જુવારના છોડના ભારાની જેમ કાપણી પછી ખળામાં એ પહોંચે ત્યાં સુધી, તમને એકસૂત્રે બાંધી પણ રાખશે, ડૂંડામાંથી અન્ન દાણો કાઢવા એ તમને અનાવૃત-ફોતરાંમુકત-પણ કરશે અને ચાળણીમાં ચાળીને તમારા શુદ્ધ સ્વરૂપને પ્રગટાવશે, દળીને સફેદી બહાર લાવશે, લોટના કે માટીના લોંદાની જેમ ગૂંદશે, મસળશે.. અને પછી એને ભઠ્ઠીમાં કે તવા ઉપર અગ્નિને હવાલે કરશે જેથી તમારામાંથી સુંદર, પાવક-પાવન(અગ્નિમાં તપી પવિત્ર શુદ્ધ થયેલી ) રોટી, બ્રેડ તૈયાર થશે જેને પ્રભુચરણે પ્રસાદ માટે ધરી શકાશે...”

આ બધું જ પ્રેમ કરી શકે છે, બસ તમે તમારા હૃદયનાં ભીતરી સત્યોથી કેટલા અવગત અને જ્ઞાત છો એના ઉપર આધાર રાખે છે. અથવા પ્રેમ તમને તમારી ભીતર સુધી લઈ જઈ શકે છે. એ સ્વ-પ્રજ્ઞાની સભાનતામાં જ જીવનમર્મનો એકઅંશ છૂંપાયેલો હોય છે. પરંતુ જો તમે ડરના માર્યા પ્રેમમાં (ઈંદ્રિય)આનંદ અને શાંતિ-સંતોષ શોધશો તો તમારે માટે પ્રેમના ખળામાં (ખોળામાં નહિ) તમારી નગ્નતા ઢાંકીને પસાર થઈ જવાનું જ સારું રહેશે. આ ઋતુવિહીન(સંવેદનહીન) વિશ્વમાં તમે હસશો તો ખરા, પણ તમારા પૂર્ણ હાસ્ય-લાસ્યનું પ્રગટીકરણ નહિ કરી શકો. તમે રડી શકશો, પણ તમારા રુદનની પૂર્ણ દિલગીરી, શોકાતુરતા વ્યક્ત ન કરી શકશો. પ્રેમ પોતા સિવાય કશું આપતો નથી, પણ પોતે જ સમર્પિત થઈ જાય છે. અને પ્રેમ પોતા સિવાય બીજા કશામાંથી કશું લેતો નથી, કારણ કે પોતાનામાં જ સ્વતઃપૂર્ણ હોય છે. પ્રેમ કોઈના ઉપર માલિકીભાવ લાદતો નથી, કોઈનો તાબેદાર થતો નથી કે કોઈને તાબેદાર બનાવતો નથી, કોઈના દ્વારા માલિકીભાવના દાયરામાં આવતો પણ નથી. પ્રેમ, પ્રેમમાં જ સ્વયંપર્યાપ્ત, સ્વયંપૂર્ણ હોય છે.

આ સુખ્યાત સત્વશીલ ગદ્યખંડ પ્રેમની પરિવર્તનકારી લાક્ષણિકતા અને સંકુલતાઓને બખૂબી ઘનીભૂત કરીને, વાચકોને, સ્વ વિકાસ અને આત્મખોજ માટે જરૂરી એવા, પ્રેમજન્ય આનંદ અને આઘાત, ઉત્કટતા અને અવસાદ, પ્રસન્નતા અને પીડા જેવાં પરસ્પર વિરોધી ભાસતાં તત્ત્વોને આશ્લેષમાં લેવા પ્રેરિત કરે છે. આવી સૂક્ષ્મ આંતરદૃષ્ટિસભર આ પુસ્તક સાહિત્યનું કાલાતીત અને પ્રિયકર વાચન બની પેઢીઓ સુધી વાચકોનાં દિલોદિમાગમાં ગૂંજી રહ્યું છે.


મુખ્ય મુદ્દાઓ:

(૧) પ્રેમ, લગ્ન, અને બાળપણ :

પયગંબરની વિદાય વેળાએ બંદર ઉપર એકત્ર થયેલા ઉત્સુક નગરજનોએ એમને પ્રાર્થના કરી કે, ‘અમારાં તિમિર દ્વાર ઉઘાડો અને જન્મ અને મૃત્યુ વચ્ચે અમે જે જોઈએ, અનુભવીએ છીએ તેમાં આપનું પ્રજ્ઞાદર્શન પાથરો.’ અને અલમુસ્તફાએ પહેલો વિષય પસંદ કર્યો-પ્રેમ ! એમને મન, આ ધરીરૂપ વિષય, તેઓ જે બધા વિષયો ઉપર બોલ્યા તે બધાને સ્પર્શનારો હતો. તેઓ કહે છે, પ્રેમનો આધાર મુક્તિ ઉપર છે. પ્રેમને નિરપેક્ષ રીતે મુક્ત રીતે વહાવવો રહ્યો. આથી એનું સ્વરૂપ શુદ્ધતમ રહેશે. એ કોઈને જકડવાનું કે કોઈના ઉપર મલિકીભાવ રાખવાનું કહેતો નથી, કે તેમ માલિકીભાવમાં એ બંધાતો કે જકડાતો નથી.

ત્યાર પછી એક નાગરિકે લગ્ન અંગે એમના વિચારો જાણવાની જિજ્ઞાસા દર્શાવતાં પયગંબરે કહ્યું કે લગ્ન એ તો અનંતકાળ માટે બે આત્માઓનો અનુબંધ અને અનુસંધાન છે. સાથે જ તેમણે ચેતવણીનો પણ સૂર છેડ્યો કે એ અનુબંધ જલોભેદ્ય ન રહેતાં બંનેની વચ્ચે શ્વાસ લેવા જેટલી અને વિકસવા જેટલી જગ્યા-space-મોકળાશ પણ રહેવી જોઈએ. યાદ રહે કે પ્રેમ એ અધિકારીક –માલિકીભાવવાળો, બંધક નથી. પયગંબરે પરિણીત યુગલોને સરસ સંદેશ આપ્યો કે ‘તમારા બેની વચ્ચે સ્વર્ગની સૂરાવલિઓ સાથે વાયરાને નૃત્ય કરવાની તક આપો.’ વધુમાં જણાવ્યું કે બે વૃક્ષો (ઓક ટ્રી અને સાયપ્રૅસ) એકમેકના પડછાયા-છાયામાં વિકસી શકતાં નથી. પ્રેમ, લગ્ન, પછી આવે છે બાળપણ. એમાં પણ માલિકીભાવ ન ચાલે. ‘બાળકો, એમનાં માતા-પિતાની (માલિકીની)પ્રોપર્ટી નથી. વાસ્તવમાં તો તેઓ ‘તેમનાં’ બાળકો પણ નથી. એના બદલે, તો પુત્રો કે પુત્રીઓ તો ભવિષ્યે ભેગા થનારા આત્માઓનાં સંતાનો છે. વર્તમાન માતાપિતા તો એમને એ રસ્તો બતાવનાર અને ઉછેરનાર વાલી - guardian, caretaker છે.

(૨) આનંદ, અવસાદ, અને યાતના :

આનંદ અને અવસાદને, pleasure અને painને બે જુદી લાગણીઓ ન માનતાં એકમેકની પૂરક અને અવિભાજ્ય, પરસ્પર સંલગ્ન માનવાનું અલમુસ્તફા જણાવે છે. સુખ અને દુઃખ વિનાની જીંદગી જોઈ છે, ભલા? એ તો લાઇફમાં હોય જ ને? એ બે એકબીજા વિના પણ હોતા/રહેતા નથી. નરસિંહ મહેતા યાદ આવ્યા વિના રહે?—

‘સુખ-દુઃખ મનમાં ન આણીયે,
ઘટ સાથે રે ઘડિયાં,
ટાળ્યાં તે કોઈનાં નવ ટળે,
રઘુનાથનાં જડિયાં!’

પયગંબર વદે છે- ‘તમારાં અંતરમાં દુખની ખીણ જેટલી ઊંડી કોતરાશે, એટલો જ સુખનો પર્વતીય સૂર્યોદય તમને પ્યારો લાગશે.’ આ રીતે દુઃખ, પીડા, શોકનો તીવ્ર અનુભવ જેટલો તમને વધુ હશે, તેટલો તમે સાચા સુખનો અનુભવ સમજીને માણી શકશો. ત્યાર પછી ઓર્ફેલિયસવાસીએ પયગંબરને પીડા-pain વિશે પૂછ્યું. તેઓ બોલ્યા : ‘કોચલું તૂટવાથી પીડા પ્રગટે છે, એ કોચલામાં એક ગુપ્ત, ગર્ભિત કે અવગણાયેલું આધ્યાત્મિક સત્ય રહેલું હતું. બીજા શબ્દોમાં કહું તો, પ્રગટીકરણની, પ્રસૂતિની કે પ્રગતિની (જ) પીડા હોય છે. કોચલાનું તૂટવું પીડાકર જરૂર હોય, પરંતુ એ આત્માને અજવાળતો સૂર્યપ્રકાશ પાથરી દે છે (ત્યારે પીડાનો પડછાયો પડદા પાછળ પોઢી જાય છે ને?) પ્રસૂતાની બદનતોડ પીડા, બાળકના સ્વસ્થ પ્રસવ થતાં જ ઓસરી જાય છે. આ કોચલાંતોડ અનુભવ આપણને વધુ જ્ઞાનવાન, પરિપક્વ અને પ્રજ્ઞાવાન બનાવે છે. તો પછી પીડાની હાય...હાય ન કરતાં એનો સ્વસ્થ સ્વીકાર અને શાંતચિત્તે અનુભવ કરવો જ શ્રેયસ્કર છે. એ તો જીવનનો જાદુ છે, ચેતનાનો ચમત્કાર છે. પીડા જેટલું હંફાવે, આનંદ પછી એટલો જ ફાવે... પયગંબર ઉવાચ— ‘જો તમે પીડાને આ દૃષ્ટિથી જોશો, અનુભવશો તો પીડાની પાનખર તમને પ્રજાડશે નહિ, અસુખનો શિયાળો ઠારશે નહિ. તમે શાંત, સ્વસ્થ, અવિચલિત રહી શકશો, ભલે પીડામાંથી પસાર થતા હો.

૩. હોમો સેપિયન્સમાં જટિલ ભાષાની ક્ષમતા વિકસી તેનો ફાયદો એ થયો કે તેઓ અન્ય પ્રદેશોમાં ફેલાઈ ગયા અને સમૃદ્ધ થયાં.

એ યાદ રાખવા જેવું છે કે ભાષાનો ઉપયોગ કરનારા આપણે એકલા જ જીવ નથી. મધમાખીઓ ગણગણાટ કરીને તેમના સાથીઓને માહિતી આપે છે કે ખાવાનું ક્યાં છે. ચિમ્પાન્ઝીઓમાં “જો, જો! ત્યાં બાજ છે!” અને “જો, જો! ત્યાં સિંહ છે!” એવું કહેવા માટે ભિન્ન ભિન્ન અવાજ કરે છે. નિયન્ડરથલ્સમાં પણ ખાલી ગણગણાટ કરતાં કોઈક પ્રકારની વધુ ભાવવાહક ભાષા હતી એવું મનાય છે. જો કે, ભાષાની આપણી ક્ષમતા જુદી છે. બોલચાલની અન્ય પ્રજાતિઓની રીતોની સરખામણીમાં માનવીય ભાષા અવિશ્વસનીય રીતે જટિલ અને ગૂઢ છે. એટલા માટે જ સેપિયન્સનું દુનિયામાં રાજ છે - મધમાખીઓ લુપ્તપ્રાય: છે, ચિમ્પાન્ઝીઓ પ્રાણી સંગ્રહાલયમાં પુરાયે લા છે અને નિયન્ડરથલ્સ તો ક્યારના રવાના થઈ ગયાં છે. હોમો સેપિયન્સ સામાજિક પ્રાણી છે; આપણે સમુદાયોમાં રહીએ છીએ. એ સમુદાયોમાં ભાષાના માધ્યમથી માણસો વચ્ચે માહિતીઓનું મુક્ત આદાનપ્રદાન થાય છે. જેનો અર્થ એ થયો કે ખોરાક, પરભક્ષીઓ, જોખમો અને સમુદાયમાં બિનભરોસાપાત્ર વ્યક્તિઓ અંગેની જાણકારી તેઓ અન્ય પ્રાણીઓ કરતાં વધુ વિગતવાર રીતે અંદરોઅંદર આપલે કરે છે. દાખલા તરીકે, કોઈ એક વ્યક્તિને ફળોથી લથબથ ઝાડ દેખાય, તો તે ભાષાની મદદથી બીજા લોકોને સટીક રીતે તે ઝાડની જગ્યા બતાવી શકે. કોઈને પરભક્ષી જાનવરની છુપાવાની જગ્યા નજરે ચઢે, તો તે તેના સમૂહના બાકીના લોકોને સાવધ કરી શકે, જેથી તેઓ એ વિસ્તારમાં ન ફરકે. આ બંને કિસ્સામાં, ગૂઢ ભાષાને કારણે સમુદાયને દેખીતી સરસાઈ મળે છે. જો કે, ભાષાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી સમૂહના સભ્યો વચ્ચે સમાન સમજણનો વિકાસ થાય છે અને એટલે જ મનુષ્યોને એક વિશિષ્ઠ પ્રાધાન્ય મળે છે. આપણે ફરીથી મધમાખીઓ અને ચિમ્પાન્ઝીઓનું ઉદાહરણ લઈએ. મધમાખીઓ પણ વિશાળ સંખ્યામાં ભેગી થઈને મહેનત કરી શકે છે, પરંતુ તેમનો સહકાર અક્કડ હોય છે. તેમના વાતાવરણમાં નવાં જોખમો કે નવા અવસરો જેવાં પરિવર્તન આવે, તો તે પ્રમાણે તેમની સામાજિક વ્યવસ્થામાં તે અનુકૂલન સાધતી નથી. ચિમ્પાન્ઝીઓ વધુ મુક્ત રીતે સહકાર સાધતા હોય છે, અને જે પરિવર્તન સમજમાં આવે તેને તેઓ અનુકૂળ થઈ જાય છે, પરંતુ તેમનો સહયોગ પ્રમાણમાં નાની સંખ્યામાં હોય છે, કારણ કે સહયોગ સાધવા માટે તેમણે બીજા પક્ષને ઘનિષ્ઠ રીતે જાણવો પડે. એ જો સાથે ઉછર્યા ન હોય, તો તેઓ ભેગા થઈને લડાઈ નથી કરતા અને સાથીદારના વાળમાંથી જૂ કાઢવાના તેમના ગમતા કામમાં ઘણો સમય જતો હોવાથી, મોટા સમૂહમાં આ પ્રકારનો ઘનિષ્ઠ વિશ્વાસ પેદા કરવાનું શક્ય બનતું નથી. એટલા માટે જ ચિમ્પાન્ઝીઓ પચાસ સભ્યોના સમૂહમાં જ રહે છે. મોટી સંખ્યામાં મુક્ત રીતે સહયોગ કરી શકવા માટે સક્ષમ એક માત્ર પ્રાણી હોમો સેપિયન્સ છે, અને તેનું કારણ એ છે કે, ભાષાની આવડતના કારણે એ ભૌતિક જગતની માહિતીનું આદાનપ્રદાન કરી શકે છે એટલું જ નહીં, એ ઈશ્વર, માનવ સંસ્કૃતિ અને માનવ અધિકાર જેવા અમૂર્ત, એટલે કે કાલ્પનિક, વિચારો અંગે પણ માહિતીની આપલે કરી શકે છે. આ વિચારોને હરારી સહિયારી મિથ કહે છે - એ માનવ મનની કાલ્પનિક પેદાશ છે, અને તે અત્યાર સુધીનું આપણું સૌથી શાનદાર સર્જન છે. તે માનવ સંસ્કૃતિની આધારશિલા છે, અને તેના કારણે જ આપણે અસરકારક રીતે સહયોગ સાધી શકીએ છીએ. આપણે તેને થોડું વધુ સમજીએ, કારણ કે લેખકનો આ કેન્દ્રીય વિચાર છે. હરારીનો તર્ક છે કે, હોમો સેપિયન્સ પૃથ્વીના માલિક બની શક્યા છે તેનું કારણ એ છે કે તેઓ એક માત્ર એવું પ્રાણી છે જે પૈસા, ઈશ્વર અને રાજ્ય જેવી કલ્પનામાં અસ્તિત્વ ધરાવતી ચીજોના કિસ્સા-કહાનીઓનું આદાનપ્રદાન કરી શકે છે. આપણે જો સમાન કલ્પનાઓમાં માનતા હોઈએ તો, આપણે વિશાળ સંખ્યામાં સહયોગ સાધીને સમાન લક્ષ્યોની પ્રાપ્તિ માટે કામ કરી શકીએ છીએ. એટલે, એવું કહી શકાય કે એમને કલ્પનાઓમાં વિશ્વાસ રાખવાની આદત છે એટલા માટે તેઓ આટલા બધા શક્તિશાળી છે. પૈસાનો જ દાખલો લો. પૈસાનું કોઈ ભૌતિક મૂલ્ય નથી. છતાં, આગળ વિગતે વાત કરીશું તેમ, એકવાર આપણે સામુહિક રીતે પૈસાની કલ્પનામાં માનતા થઈ જઈએ, તે પછી આપણે તેના વિનિમયની એકદમ પેચીદી વ્યવસ્થા ઊભી કરી શકીએ છીએ. અથવા બીજી રીતે વિચારો. કલ્પના કરો કે, અમુક લાખ માનવો અસલમાં અસ્તિત્વ ધરાવતી ચીજોની બાબતમાં જ વાતો કરી શકતા હોત, તો તેમને એક લક્ષ્ય માટે ભેગા કરવાનું કેટલું અઘરું હોત! લોકો જો તેમના રાષ્ટ્રના કાનૂનોમાં માનતા ન હોય, તો કોઈ ટેક્ષ ન ભરે અને આ કાનૂન અને રાષ્ટ્ર સુદ્ધાં, વાસ્તવમાં કલ્પના જ છે! શરૂઆતના હોમો સેપિયન્સ અંદાજે 150 સભ્યોની નાનકડી ટોળકીમાં રહેતા હતાં, પરંતુ આપણી ભાષા અને મિથ્સનો વિકાસ થઈને ફેલાવો થયો, આપણા સમુદાયોના કદમાં ધરખમ વધારો થયો: ગામડાંથી લઈને શહેરો, શહેરોથી લઈને રાજ્યો, રાજ્યોથી લઈને રાષ્ટ્રો અને રાષ્ટ્રોથી લઈને વૈશ્વિક સ્તરે પરસ્પર જોડાયેલા આધુનિક સમાજો અસ્તિત્વમાં આવ્યા.

૪. કૃષિ ક્રાંતિ દરમિયાન, માનવો શિકારીઓમાંથી ખેડૂતો બન્યા, જેનાથી તેમનો તેજીથી વસ્તી વધારો થયો.

આપણે હવે 4થી ઝલક જોઈશું, જેમાં કૃષિ ક્રાંતિની અને આપણે કેવી રીતે શિકારીઓમાંથી ખેડૂતો બન્યા તેની વાત છે. આપણા મોટાભાગના ઇતિહાસમાં, હોમો સેપિયન્સનું રખડું જીવન રહ્યું છે. આપણા બહુમતી પૂર્વજોએ શિકાર કરીને અને વનસ્પતિ એકઠી કરીને જીવન પસાર કર્યું હતું. જ્યાં આહાર પુષ્કળ હોય ત્યાં તેઓ જતાં હતાં. 12,000 વર્ષ આગાઉ, આ બધું બદલાઈ ગયું. આપણે જેને કૃષિ ક્રાંતિ કહીએ છીએ, તે સમયગાળા દરમિયાન જ હોમો સેપિયન્સે શિકાર કરવાનું અને સંઘરવાનું બંધ કર્યું હતું અને તેના બદલે ખેતી કરવાનું અને પશુઓ પાળવાનું શરુ કર્યું હતું. દશેક હજાર વર્ષની અંદર, લગભગ પૂરી માનવજાત ખેતી કરતી થઈ ગઈ હતી - એ એક અસલી ક્રાંતિકારી બદલાવ હતો. એ થોડો કોયડો પણ છે. આજે ભલે ખેતીને આપણે સામાન્ય ગણતા હોઈએ, પણ એ સમજવું થોડું અઘરું છે કે આપણા પૂર્વજોએ કેમ શિકારી-સંગ્રહખોરની જીવનશૈલી છોડીને ખેતીકામનું જીવન અપનાવ્યું હતું. એક કારણ તો શ્રમનું હતું. ખેતીમાં સમય ઘણો જાય છે અને એમાં હાડકાં તૂટે છે. એક શિકારી-સંગ્રહખોર જ્યાં ચાર કલાકમાં પૂરતો આહાર એકઠો કરી શકે છે, એક ખેડૂતને સવારથી લઈને સાંજ સુધી ખેતરોમાં કામ કરવું પડે. બીજો પ્રશ્ન આહારની ગુણવત્તાનો છે. શરૂઆતની ખેતીમાં આપણા પૂર્વજો મર્યાદિત પ્રકારનાં ધાન્ય મેળવતા હતાં, જેમ કે ઘઉં, જે પચવામાંય અઘરા હતાં અને તેમાં પૌષ્ટિક તત્ત્વો તેમજ વિટામીન્સ બંનેની ગેરહાજરી હતી. હવે તેની સરખામણી વિવિધ પ્રકારનાં માંસ, સૂકા મેવા, ફળ અને માછલી, જે શિકારી-સંગ્રહખોરનો પ્રિય ખોરાક હતો. એટલે એવું તે શું થયું કે આપણે હલકી કોટિના ખોરાક માટે લાંબા કલાકો સુધી કામ કરતાં થયાં? બે કારણો છે. એક, કૃષિ તરફનો બદલાવ ધીમો અને ક્રમશ: હતો; પેઢી દર પેઢી એ બદલાવ જડ ઘાલતો ગયો, અને આપણને જયારે એ સમજાયું કે આ તો ઘણી માથાકૂટવાળું કામ છે, ત્યારે પાછા ફરવાનું મોડું થઇ ગયું હતું. બીજું, તેની અનેક ત્રુટીઓ હોવા છતાં, ખેતીનો સૌથી મોટો ફાયદો એ હતો કે એક ક્ષેત્રમાંથી ઘણો વધુ આહાર મળતો હતો. ખેડૂતો જમીનના એક નાનકડા ટુકડામાં મોટી સંખ્યામાં આહારયુક્ત છોડવાઓ ઉછેરી શકતા હતાં. આહારના પૂરવઠામાં વધારો થવાથી માનવ સમાજો મોટા પ્રમાણમાં વસ્તીને પોષણ આપવા સક્ષમ બન્યા. આના પરિણામે હોમો સેપિયન્સની વસ્તીનો વિસ્ફોટ થયો. કૃષિ ક્રાંતિના કારણે આપણે વધુને વધુ માણસોને, જો કે બદતર અવસ્થામાં, જીવતા રાખી શક્યા. વસ્તી વધારાએ પણ સમસ્યા ઊભી કરી. સંખ્યામાં આવેલા આવા ઊછાળાનો સમાજ કેવી રીતે સામનો કરે? આપણી સામે આજે પણ એ સંકટ છે, અને હવે પછી આપણે તે વિશે માહિતી મેળવીશું.

૫. મોટા સમુદાયોમાં વેપારને આસાન બનાવવા માટે, માણસોએ પૈસા અને લેખન પદ્ધતિની શોધ કરી.

કૃષિ ક્રાંતિ પહેલાંનું જીવન એકંદરે સાદું હતું. તમારી પાસે માંસ ઓછું હોય, તો તમે પાડોશીઓ પાસેથી માંગી શકતા હતાં. મોટાભાગે એ તમને મદદ કરતા કારણ કે તેમને પણ ભરોસો રહેતો કે ભવિષ્યમાં તેમને સમસ્યા આવશે તો તમારા તરફ હાથ લાંબો કરી શકશે. પરંતુ કૃષિનો વિકાસ થવાથી, એકબીજા પર ઉપકાર કરવાની ગોઠવણ સાટા પદ્ધતિમાં બદલાઈ ગઈ. કેમ? કારણ કે કૃષિમાં એટલી ક્ષમતા હતી કે તે આખા સમુદાય માટે પૂરતો આહાર પેદા કરતી હતી. આહારની શોધમાં ભટકવાની પળોજણમાંથી છૂટેલા અમુક માનવોએ લોહકામ અને વણાટકામ જેવા નવા વ્યવસાય વિકસાવ્યા. આહારના બદલામાં તેમણે ચાકૂ કે પાવડા જેવાં તૈયાર ઓજારો બીજા જરૂરતમંદ ખેડૂતોને આપવાનું શરુ કર્યું. જો કે, થોડા જ સમયમાં આ સાટા પદ્ધતિ પણ અપર્યાપ્ત સાબિત થઈ. માનવોનો વ્યાપાર કારોબાર વધ્યો એટલે એવા માણસોને શોધવાનું પણ અઘરું થવા લાગ્યું, જેને તમારો માલ જોઈતો હોય અને તમને એનો માલ જોઇતો હોય. દાખલા તરીકે, કોઈને ચાકૂ આપીને બદલામાં સુવ્વરનું માંસ લેવું હોય, અને પેલા પાસે પૂરતાં ચાકૂ હોય તો શું કરવાનું? અથવા ચાકૂ જોઈતું હોય, પણ તેની પાસે સુવ્વર ન હોય તો? કદાચ એ એવું વચન આપે કે તું મને અત્યારે ચાકૂ આપ, હું તને ભવિષ્યમાં માંસ આપીશ પણ તેની શી ખાતરી કે તે વચન પાળશે? આવી સમસ્યાઓના ઊકેલના ભાગરૂપે, ઈ.સ.પૂર્વે 3,000 વર્ષ પહેલાં, હોમો સેપિયન્સે લેખન પદ્ધતિ અને પૈસાની શોધ કરી હતી. આવું કરવાવાળા મેસોપોટેમિયાના સુમેરિયન લોકો પહેલા હત. અટપટા વ્યાપાર કારોબારની માહિતીને યાદ રાખવા માટે તેમણે માટીની તકતીઓ પર લેવડદેવડની નોંધ કરવાનું શરુ કર્યું હતું. તેના માટે તેઓ સરળ આર્થિક ચિન્હોનો ઉપયોગ કરતાં હતાં. એ જ સમયની આસપાસ, તેમણે જવના ધાન્યનો પૈસા તરીકે ઉપયોગ શરુ કર્યો હતો. મતલબ કે, સુવ્વરનો ઉછેર કરતો ખેડૂત સુવ્વરના બદલામાં જવ મેળવે અને એ જવ બીજા કોઈને આપીને તેને જે જરૂર હોય તે ચીજ મેળવે. અથવા તેણે જો ભવિષ્યમાં સુવ્વર આપવાનું વચન આપ્યું હોય, તો તમે તેને લખી રાખો.

૬. સામ્રાજ્યો અને ધર્મના ઉદયથી માનવો વૈશ્વિક એકીકરણ તરફ પ્રેરાયા.

આપણે હમણાં જોયું તે પ્રમાણે, લેખન અને પૈસાની શોધથી આર્થિક વ્યવહારો કરવાનું સરળ બન્યું અને આર્થિક છેતરપીંડી પણ અટકી. એનો અર્થ એવો પણ નથી કે અર્થતંત્રો સરળ અને સક્ષમ બની ગયાં. વાસ્તવમાં, સમાજો અને અર્થતંત્રો જેમ જેમ વિકસ્યાં, તેમ તેમ તેનું નિયંત્રણ અને નિયમન કરવાનું અઘરું થવા લાગ્યું. એટલે માનવ સમાજોએ શું કર્યું? તેમણે માણસોએ કેવી રીતે વ્યવહાર કરવો તે સૂચિત કરતા નિયમો બનાવ્યા, અને સત્તાની એવી વ્યવસ્થાઓ ઊભી કરી, જે સુનિશ્ચિત કરે કે માણસો એ નિયમોનું પાલન કરે. આ રીતે ચડતા-ઊતરતા દરજ્જાવાળા એવા સમાજો અસ્તિત્વમાં આવ્યા, જેમાં સૌથી ઉપર રાજા કે સમ્રાટ હોય, જે બીજા બધા પર શાસન કરે. આજકાલ આપણે ભૂતકાળની રાજાશાહીઓ અને સામ્રાજ્યોને ભલે આપખુદ અને ક્રૂર ગણતા હોઈએ, પણ એ યાદ રાખવું જરૂરી છે કે રાજકીય, સામાજિક અને આર્થિક સ્થિરતા લાવવામાં તેમની બહુ મોટી ભૂમિકા હતી. તેમણે એક અસરકારક વહીવટીતંત્ર ઊભું કર્યું હતું, જેણે નિયમો અને પ્રથાને એકરૂપ કર્યા હતાં. એક જ દાખલો લઈએ. ઈ.સ. 1776માં, 10 લાખ જેટલા નિવાસીઓ સાથે બેબીલોન દુનિયાનું સૌથી મોટું સામ્રાજ્ય હતું. તેને સુચારુરૂપે ચલાવવા માટે અને એક સમાન વ્યવસ્થા પ્રદાન કરવા માટે, બેબીલોનિયન રાજા હમ્મુરાબીએ અમુક કાયદાઓ બહાર પાડ્યા હતાં, જે ‘હમ્મુરાબી સંહિતા’ તરીકે ઓળખાય છે. આ કાનૂની સંહિતાના માધ્યમથી આખા સામ્રાજ્યમાં લોકોને સમજણ આપવામાં આવી હતી કે શેની અનુમતિ છે અને શેની નથી. તેમાં ચોરી, હત્યા અને કરવેરા જેવા વિષયો આવરવામાં આવ્યા હતા. સામ્રાજ્યની સીમાઓમાં લોકો જ્યાં પણ અવરજવર કરે, તેમને એ ખબર જ હતી કે કયા કાયદા અને પ્રથાને અનુસરવું. કાયદાઓની ખબર હોય એનો અર્થ એ નથી કે તેનું પાલન પણ થતું હોય. કાયદાઓને લાગુ કરવા માટે સમ્રાટો અને રાજાઓ માટે જરૂરી હતું કે લોકો તેમની સત્તાને સ્વીકારે- અને તે કરવાનો શ્રેષ્ઠ રસ્તો ધર્મનો હતો. રાજા હમ્મુરાબીને આની બરાબર ખબર હતી, અને તેણે તેના શાસનને કાયદેસર પૂરવાર કરવા માટે ઘોષણા કરી કે મેસોપોટેમિયાની પ્રજા પર શાસન કરવા માટે ઈશ્વરે તેની નિયુક્તિ કરી છે. લોકો જો એવું માને કે તેમના શાસકની પસંદગી દિવ્ય શક્તિ દ્વારા થઈ છે, તો તેમનામાં સામ્રાજ્યવાદી શાસનની સ્વીકૃતિ વધુ હશે. અહીં આપણને ફરી એકવાર જોવા મળે છે કે સહિયારી મિથ 10 લાખ લોકોના સામ્રાજ્યને જોડી રાખવામાં કામ આવી હતી. સામ્રાજ્યોનો વિસ્તાર જેમ જેમ વધ્યો, તેમ તેમ તેમાં જે ધર્મોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, તેનાં વ્યાપ અને શક્તિ બંને વધ્યાં. ક્યારેક જોર-જબરદસ્તીથી, ક્યારેક ઉત્તરોત્તર આત્મસાત કરવાની પ્રક્રિયાથી, સામ્રાજ્યવાદી શાસને વિભિન્ન વંશીય અને ધાર્મિક જૂથોને એક વિશાળ સંસ્કૃતિના વાડામાં પૂર્યાં.

૭. વૈજ્ઞાનિક ક્રાંતિએ માનવજાતને આધુનિક બનાવી અને નવી ટેક્નોલોજી એ, સામ્રાજ્યવાદ અને આર્થિક પ્રગતિનો રસ્તો ખોલ્યો

સોળમી અને સત્તરમી સદીમાં, માનવજાતિ મહત્વપૂર્ણ પરિવર્તનમાંથી પસાર થઈ. સમગ્ર યુરોપમાં એક વૈજ્ઞાનિક ક્રાંતિ ફૂંકાઈ, અને પ્રગતિ માટે માત્ર ઈશ્વર પર નિર્ભર રહેવાને બદલે, માણસોએ એ વિચારવાનું શરુ કર્યું કે સમાજને જાતે જ બહેતર બનાવવા માટે વિજ્ઞાનનો ઉપયોગ કેવી રીતે થઈ શકે. સંશોધન, પ્રયોગો અને નિરીક્ષણના વૈજ્ઞાનિક સિદ્ધાંતોને લાગુ કરીને, લોકોએ દવા, ખગોળશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર જે વાંક્ષેત્રોમાં એવી નોંધપાત્ર છલાંગ લગાવી કે એ દરેક પ્રગતિ પછી સમાજ રહેવા માટે વધુ સારો બનતો ગયો. બાળ મૃત્યુદરનો દાખલો જ લો. ભૂતકાળમાં, સમાજના સૌથી ધનાઢ્ય સભ્યો માટે પણ બે કે ત્રણ બાળકો અકાળે મૃત્યુ પામવાનું સામાન્ય હતું. વિજ્ઞાનના કારણે આજકાલ, સૌના માટે શિશુ મૃત્યુદર પ્રત્યેક 1,000 લોકોમાંથી માત્ર એકનો છે. વિજ્ઞાનની શોધથી માત્ર માનવ સ્વાસ્થ્યને જ ફાયદો થયો એવું નથી, યુરોપીયન સરકારોને ઝડપથી ખ્યાલ આવી ગયો હતો કે અર્થતંત્રો માટે પણ તે ફાયદાકારક છે. રાજાઓ અને સમ્રાટોએ નવા વિચારો અને સંસાધનોને શોધવા માટે વૈજ્ઞાનિકો અને શોધકો પર નાણાંનો વરસાદ કર્યો. સોળમી સદીમાં, ક્રિસ્ટોફર કોલંબસની એટલાન્ટિક પારની બહુ જાણીતી યાત્રાએ, યુરોપીયનોના મનમાં વૈજ્ઞાનિક પદ્ધતિનું મૂલ્ય જેટલું અંકિત કરી દીધું હતું, તેટલું બીજી કોઈ ઘટનાએ નથી કર્યું. તેના સંશોધનને ટેકો આપવાના બદલામાં રાજાને સોના અને ચાંદી જેવાં મૂલ્યવાન સંસાધનોથી ભરપૂર વિશાળ સામ્રાજ્ય મેળવ્યું – અને યુરોપીયન સત્તાઓમાં તેમના નકશાઓમાં ખાલી પડેલી અન્ય જગ્યાઓ ભરવાની તેજ દોડ શરૂ થઈ. શાસકોને સમજાયું કે જો તેઓ નવા વિશાળ પ્રદેશોને જીતવા અને નિયંત્રિત કરવા માંગતા હોય, તો ખ્રિસ્તી ધર્મગ્રંથ અને પ્રાચીન મૌખિક પરંપરાઓને આગળ કરવાની જૂની પદ્ધતિઓ ખાસ ઉપયોગી થશે નહીં. તેના બદલે, તેમણે ભૂગોળ, સંસ્કૃતિઓ, ભાષાઓ, આબોહવા, વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ અને નવા પ્રદેશોના ઇતિહાસ ઢગલાબંધ વૈજ્ઞાનિક માહિતીઓ મેળવવી પડશે. યુરોપીયન અર્થતંત્રોનો વિકાસ અન્વેષણ અને વૈજ્ઞાનિક શોધોના કારણે થયો હતો. અને આ સામ્રાજ્યવાદી વિસ્તરણે, જીવન જીવવાની ઘણી દેશી શૈલીઓને ખતમ કરવાની સાથોસાથ, વૈશ્વિક સામ્રાજ્યો અને વેપારનાં તંત્રોની સ્થાપના કરીને છુટાછવાયા વિશ્વને ઘનિષ્ઠ રીતે ગૂંથાયેલા સમાજોમાં જોડ્યું હતુ.

૮. મૂડીવાદમાં તેના કેન્દ્રવર્તી વિશ્વાસ સાથે, આજનો વૈશ્વિક સમાજ યુરોપીયન સામ્રાજ્યવાદનો વારસો છે.

આપણે હવે 8મી ઝલક પર આવ્યા છીએ. આપણી સફરના આ પડાવ પર, આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે મૂડીવાદમાં આપણા વૈશ્વિક સમાજનો કેન્દ્રવર્તી વિશ્વાસ કેવી રીતે યુરોપીયન સામ્રાજ્યવાદની દેન છે. તો, આપણે એ જોયું કે ઘણી યુરોપીયન સરકારોએ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ તેમના સામ્રાજ્યમાં અને નફામાં વધારો કરવા કર્યો હતો- અને તેમાં તે સફળ રહી હતી.ઓગણીસમી સદી સુધીમાં, એકલા બ્રિટિશ સામ્રાજ્યએ એક ચતુર્થાંશ કરતાં વધુ વિશ્વને આવરી લીધું હતું. આવી વિશાળ પહોંચ સાથે, યુરોપીયન દેશોએ તેમના વિચારો વિશ્વના દરેક ખૂણામાં ફેલાવ્યા હતા.પરિણામે, સ્થાનિક પ્રથાઓ, સંસ્કૃતિઓ અને નિયમો પર પશ્ચિમી ધર્મો, લોકતંત્ર કે વિજ્ઞાન જેવાં યુરોપિયન ધોરણો આધારિત વિશાળ-સંસ્કૃતિઓ હાવી થઈ ગઈ હતી. યુરોપિયન સામ્રાજ્યો તો ઘણા સમયથી નષ્ટ થઇ ગયેલાં છે, પણ ઘણાં રાષ્ટ્રો હજુ પણ તેમના સાંસ્કૃતિક વારસા સાથે જીવી રહ્યાં છે. આમાંથી સૌથી મોટું વૈશ્વિક સાંસ્કૃતિક ધોરણ મૂડીવાદ છે. યુરોપીયન સામ્રાજ્યોના પ્રતાપે, વિશ્વભરમાં લોકો પૈસાનાં મહત્વ અને શક્તિમાં માને છે. આજકાલ મોટાભાગના લોકોનું જીવન, પછી ભલે તે બ્રાઝિલ અથવા ભૂતાન, કેનેડા અથવા કંબોડિયાના હોય, પૈસા અને ભૌતિક સંપત્તિની આસપાસ ફરે છે; આપણે સૌ આપણી આવકને મહત્તમ કરવા માંગીએ છીએ અથવા કપડાં અને ગેજેટ્સમાં આપણી સંપત્તિને પ્રદર્શિત કરીએ છીએ. વાસ્તવમાં, વિજ્ઞાનની મદદથી, વૈશ્વિક મૂડીવાદની શક્તિ અને પહોંચ અન્ય ઘણી વૈશ્વિક સંસ્કૃતિઓને નષ્ટ કરી રહી છે ખાસ કરીને ધર્મને. આધુનિક વિજ્ઞાને ઘણા ધાર્મિક સિદ્ધાંતોને ખોટા ઠેરવ્યા છે. મોટાભાગના લોકો હવે માનતા નથી કે ભગવાને સાત દિવસમાં વિશ્વની રચના કરી હતી; આપણે હવે કુદરતી પસંદગી (natural selection) દ્વારા ઉત્ક્રાંતિના ડાર્વિનના સિદ્ધાંતમાં માનીએ છીએ. જેમ જેમ ધર્મની સત્યતા સામે પ્રશ્ન થાય છે, મૂડીવાદી વિચારધારા રંગમાં આવી જાય છે. એટલે, પરલોકમાં સુખની રાહ જોવાની પરંપરાગત માન્યતાના સ્થાને, હવે આપણે પૃથ્વી પર જ વધુને વધુ આનંદ લૂંટવા પર ધ્યાન આપીએ છીએ. એટલા માટે જ, આપણને ખુશ કરે તેવાં ઉત્પાદનો અને સેવાઓની આપણે વધુને વધુ ખરીદી અને વપરાશ કરીએ છીએ.

૯. માનવજાતિ આપણા વૈશ્વિક સમયમાં આટલી બધી સુખી ક્યારેય નહોતી.

વૈશ્વિકરણ નિશ્ચિતપણે કૂચ કરી રહ્યું છે, પરંતુ તેનાથી દરેક જણ ખુશ નથી. વૈશ્વિકરણના ટીકાકારો દાવો કરે છે કે, અન્ય બાબતો ઉપરાંત, તે સાંસ્કૃતિક વિવિધતાને ક્ષીણ કરે છે અને સમગ્ર વિશ્વને એક નીરસ, એકસરખી એકતામાં ફેરવે છે. આ પ્રકારની ટીકાઓ હોવા છતાં, વૈશ્વિકરણનો એક મુખ્ય ફાયદો છે: તે વિશ્વને વધુ શાંતિપૂર્ણ બનાવવા માટે મદદ કરી રહ્યું છે. આધુનિક રાષ્ટ્રો તેમની સમૃદ્ધિ માટે એકબીજા પર આધાર રાખે છે. વૈશ્વિકરણની દુનિયામાં, વેપાર અને રોકાણોનું તંત્ર વિવિધ દેશોમાં ફેલાયેલું હોવાથી, એક ક્ષેત્રમાં યુદ્ધ થાય અથવા અસ્થિરતા આવે, તો સૌને તેની આર્થિક અસરો નડે છે. પરિણામે, લગભગ તમામ અમેરિકન, યુરોપિયન અને એશિયન નેતાઓને વિશ્વ શાંતિ જાળવી રાખવામાં રસ છે. 1945 પછી, કોઈ પણ માન્યતાપ્રાપ્ત સ્વતંત્ર રાષ્ટ્ર પર આક્રમણ કરીને તેને પચાવી પાડવામાં આવ્યું નથી. જો તમે એ વિચાર કરો કે બીજા વિશ્વયુદ્ધના અંત પહેલાં દુનિયા કેટલી અવિશ્વસનીય રીતે હિંસક હતી, તો એ સ્પષ્ટ થઈ જાય છે કે આજે આપણી વૈશ્વિક દુનિયા કેટલી શાંતિપૂર્ણ છે. તો એવું કહી શકાય કે, વીસમી સદી સૌથી શાંતિપૂર્ણ સદી છે. આ કદાચ આશ્ચર્યજનક લાગે છે, પરંતુ ઇતિહાસની સરાસરી સમીક્ષા દર્શાવે છે કે માનવ સમાજ, કૃષિ ક્રાંતિ પછી, હિંસા તરફ લગાતાર પીઠ ફેરવી રહ્યો છે. એવો અંદાજ છે કે, ખેતી કરતાં પહેલાં, શિકારીઓના સમયમાં, 30 ટકા પુખ્ત નર હત્યા અથવા માનવવધનો ભોગ બનતા હતા. આજના વિશ્વ સાથે આની સરખામણી કરો, તો માત્ર એક ટકા પુખ્ત પુરુષોનાં મૃત્યુ હિંસક છે. દેખીતું જ છે કે આપણે કેટલા આગળ વધ્યા છીએ. આવું કેમ? તે એટલા માટે કે કૃષિ ક્રાંતિ પછી વિકસિત થયેલા ચડતા-ઊતરતા દરજ્જાના, માળખાગત સમાજોએ લોકોને હત્યા અને હિંસાને પ્રતિબંધિત કરતા કાયદાઓનું પાલન કરવા ફરજ પાડી હતી. તેમાંથી સ્થિર, કાર્યરત સમાજો અને અર્થતંત્રોનું નિર્માણ થયું હતું. આપણે સૌથી વધુ શાંતિપૂર્ણ સમયમાં જીવીએ છીએ તે સાચું, પરંતુ એના ગૌરવમાં વહી જવા જેવું નથી. આપણે લડાઈઓના સંભવિત સ્ત્રોતો પર બારીક નજર રાખવી પડશે, કારણ કે આજે જો મોટા પાયે આંતરરાષ્ટ્રીય યુદ્ધ ફાટી નીકળ્યું, તો માનવતાને અભૂતપૂર્વ રીતે ભોગવવું પડશે. આપણે શાંતિનો આનંદ ચોક્કસ માણવો જોઈએ, પરંતુ એ ક્યારેય ન ભૂલવું જોઈએ કે એ શાંતિને જાળવી રાખવા માટે આપણે સક્રિય પ્રયાસ કરવો પડશે.

૧૦. ઇતિહાસ ન તો સારો છે કે ન તો ખરાબ, તેના ઉતાર-ચડાવ આપણા વ્યક્તિગત સુખ માટે મહદ્ અંશે અસંગત છે.

હોમો સેપિયન્સના 300,000 વર્ષના ઇતિહાસની આપણી સફર લગભગ પૂર્ણ થઈ ગઈ છે. વધતા ઓછા અંશે, આપણને હવે માનવ ઇતિહાસ પાછળનાં સામાન્ય વલણોની ખબર છે, પરંતુ એક વ્યક્તિ તરીકે આપણી પર તેની શું અસર પડી છે તેની આપણે વાત કરી નથી. આ પ્રગતિથી આપણાં સ્વાસ્થ્ય, સંપત્તિ અને જ્ઞાનમાં ઘણો સુધારો થયો છે પરંતુ શું આપણે વધુ સુખી છીએ? નિરાશાજનક રીતે, વ્યક્તિગત સ્તરે, તેનો જવાબ ઘણીવાર ના છે. એવું કેમ? મનોવૈજ્ઞાનિકો દ્વારા જારી કરાયેલી અને સમીક્ષા કરાયેલી આત્મપરક સુખાકારીની પ્રશ્નાવલિઓ દર્શાવે છે કે મનુષ્યો સુખ અથવા દુઃખમાં ટૂંકા ગાળા માટે વધારો અનુભવતા રહે છે, પરંતુ લાંબા ગાળામાં, સુખનો આપણો અહેસાસ સમાન સ્તરની આસપાસ ફરે છે. ધારો કે તમે નોકરી ગુમાવો છો અને સુખમાં તીવ્ર ઘટાડો અનુભવો છો. તે સમયે, તમને લાગશે કષ્ટની આ લાગણી કાયમ રહેશે. તેમ છતાં, આ મોટી ઘટનાના થોડા મહિનાની અંદર જ, સુખનો ભાવ પાછો ‘સામાન્ય’ સ્તર પર આવશે. એક ઐતિહાસિક ઉદાહરણ લો: ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન, ફ્રાન્સના ખેડૂતોએ સ્વતંત્રતા મેળવવામાં ભારે સુખ અનુભવ્યું હશે, પરંતુ આ વિશાળ ઘટનાના થોડા સમય પછી સરેરાશ ખેડૂત તેના નાલાયક પુત્ર માટે અથવા તો આગામી પાક માટે ચિંતા કરવા લાગી ગયો હશે. હોમો સેપિઅન્સ સામાન્ય રીતે આત્મસંતોષ અને નિરાશાની લાગણી વચ્ચે ક્યાંક હોય છે, અને તે સુનિશ્ચિત કરે છે કે આપણે ન તો કોઈ આઘાતજનક ઘટનાથી તૂટી જઈએ કે ન તો એટલા આત્મસંતુષ્ટ થઈ જઈએ કે મોટી અને બહેતર ચીજોની આશા કરવાનું બંધ કરી દઈએ. એટલે, વ્યક્તિગત સ્તરે આપણે કદાચ એટલા ખુશ નથી, પરંતુ સામાજિક સ્તરનું શું? આપણા જીવનની ગુણવત્તામાં તમામ સુધારાઓ સાથે, આપણે અગાઉની પેઢીઓ કરતાં વધુ ખુશ છીએ? તેના જવાબનો આધાર આપણે કોણ છીએ તેના પર છે; માનવ વિકાસમાંથી પેદા થયેલી મોટાભાગની સમૃદ્ધિ અમુક ગોરા લોકોના ખિસ્સામાં પગ કરી ગઈ છે. આ સમૂહની બહારના લોકો માટે, પછી ભલે તે મૂળ નિવાસી જાતિઓ, સ્ત્રીઓ, અથવા અશ્વેત લોકો હોય, જીવનસ્તર સુધી સુધર્યું નથી. તે લોકો સામ્રાજ્યવાદ અને મૂડીવાદની ઐતિહાસિક શક્તિઓ દ્વારા શોષણનો વારંવાર ભોગ બને છે. એ તો છેક હવે તેમને સમાનતા મળવાનું શરુ કર્યું છે.

૧૧. ભવિષ્યમાં, હોમો સેપિયન્સ શારીરિક મર્યાદાઓ પાર કરી જશે, અને ખુદને તદ્દન નવી જ પ્રજાતિઓમાં બદલી નાખશે

આપણે હવે અંતિમ ઝલક પર છીએ, અને આપણે આપણા ભૂતકાળ વિશે ઘણું શીખ્યા છીએ... પણ આપણા ભવિષ્ય વિશે શું? વિજ્ઞાન અને સમૃદ્ધિની પ્રગતિ આગામી દાયકાઓમાં આપણને ક્યાં લઈ જશે? બાયોનિક ટેકનોલોજી અને એન્ટી-એજિંગ જેવાં ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરીને, વૈજ્ઞાનિકો આ પ્રશ્નોના જવાબ આપવા માટે પહેલેથી જ મથી રહ્યા છે. મશીન સાથે માનવનું વિલીનીકરણ કરતા બાયોનિક્સ ક્ષેત્રની અંદર વૈજ્ઞાનિકોએ પ્રભાવશાળી પ્રગતિ કરી છે. ઉદાહરણ તરીકે, જેસી સુલિવન નામના એક અમેરિકન ઇલેક્ટ્રિશિયને જયારે તેના બંને હાથ ગુમાવ્યા, ત્યારે વૈજ્ઞાનિકો તેને નવા બાયોનિક હાથ આપી શક્યા હતા. એ હાથ વિચાર માત્રથી સંચાલિત થતા હતા! એન્ટી-એજિંગના ક્ષેત્રમાં પણ વૈજ્ઞાનિકો ઝડપથી આગળ વધી રહ્યા છે. તેઓએ તાજેતરમાં જ તેની આનુવંશિકતા (genetics)માં ફેરફાર કરીને ચોક્કસ કૃમિઓનું આયુષ્ય બમણું કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે, અને તેઓ ઉંદરો સાથે પણ તેવું જ કરવાની નજીકમાં છે. વૈજ્ઞાનિકો માણસમાંથી વૃદ્ધત્વનાં જનીન કાઢી નાખે તેને હવે બહુ વાર નથી. વૃદ્ધત્વને રોકવાની અને બાયોનિક ટેકનોલોજી વિકસાવવાની બંને યોજનાઓ એક એવા ગિલગામેશ પ્રોજેક્ટનો એક ભાગ છે, જે અમરત્વ માટેની એક વિશાળ વૈજ્ઞાનિક શોધ છે. તો, આપણને કોણ અટકાવે છે? આ ક્ષણે તો નૈતિક ચિંતાઓના કારણે આ ક્ષેત્રોમાં વૈજ્ઞાનિક અભ્યાસ કરવા પર વિવિધ કાયદાકીય પ્રતિબંધ છે. પરંતુ આ અવરોધો કાયમ ટકી શકવાના નથી. જો માનવજાતને અનિશ્ચિત સમય સુધી જીવવાની થોડી પણ તક મળશે, તો નિશ્ચિતપણે ત્યાં પહોંચવાની આપણી ઇચ્છા તમામ અવરોધોને ઠોકરો મારીને દૂર કરશે. એવું શક્ય છે કે, નજીકના ભવિષ્યમાં, આપણે હોમો સેપિઅન્સ વિજ્ઞાનની મદદથી આપણા શરીરને એટલી નાટ્યાત્મક રીતે બદલી નાખીશું કે ટેકનિકલી આપણને હોમો સેપિયન્સ તરીકે ગણવામાં નહીં આવે. તેના બદલે, આપણે એક સંપૂર્ણપણે નવી પ્રજાતિઓ બની જઈશું- અડધી ઑર્ગનિક, અડધી મશીન.

સારાંશ

300,000 વર્ષ પહેલાં, ઘણી બધી પ્રજાતિઓમાંથી હોમો સેપિઅન્સ એક પ્રજાતિ બનવા તરફ વિકસ્યા જેણે પૃથ્વી પર વર્ચસ્વ જમાવ્યું. સામાજિક તાણાવાણાને બાંધી રાખે તેવી ભાષા અને સમાન મિથના વિકાસથી શરુ કરીને માનવ સભ્યતા વધુને વધુ અદ્યતન બની રહી છે જે આજે આપણને એકબીજા સાથે જોડાયેલા એક ગ્લોબલ વિલેજ તરફ દોરી ગઈ છે. સેપિયન્સ: "માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ" એ યુવલ નોહ હરારી દ્વારા લખાયેલું એક પુસ્તક છે, જે 2014માં પ્રકાશિત થયું હતું. તે આપણી પ્રજાતિઓ, હોમો સેપિયન્સના પ્રારંભિક મૂળથી આજના દિવસ સુધીના ઇતિહાસની ઝાંખી પૂરી પાડે છે. અહીં "સેપિયન્સ" માં ચર્ચાયેલા મુખ્ય વિષયોનો સારાંશ છે: 1. જ્ઞાનાત્મક ક્રાંતિ: હરારી એક એવી જ્ઞાનાત્મક ક્ષમતાઓની ચર્ચા કરે છે જે હોમો સેપિયન્સને અન્ય પ્રજાતિઓથી અલગ પાડે છે અને જેણે આપણી સફળતામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. તે એ પણ તપાસે છે કે કેવી રીતે ભાષા અને વાર્તાઓ ઘડવાની આપણી ક્ષમતાએ આપણને જટિલ સામાજિક માળખું બનાવવા અને મોટાં જૂથોમાં સહકાર આપવા માટે સક્ષમ બનાવ્યા. 2. કૃષિ ક્રાંતિ: આ પુસ્તકમાં જંગલની શિકારી-સંગ્રાહક જીવનશૈલી તરફથી સ્થાયી કૃષિ સમાજ તરફના બદલાવની છણાવટ કરવામાં આવી છે, અને તેમાં એ પણ ચર્ચા કરવામાં આવી છે કે કેવી રીતે આપ ણાં સમાજો, અર્થતંત્રો અને પર્યાવરણ પર આ બદલાવની અસરો પડી છે. હરારી વસ્તી વૃદ્ધિ, સામાજિક ઊંચ-નીચ ક્રમ, અને સભ્યતાઓના ઉદય પર કૃષિની અસરને સમજાવે છે. 3. માનવજાતનું એકીકરણ: હરારી એ તપાસે છે કે કેવી રીતે મનુષ્યોએ ધર્મો, વિચારધારાઓ અને નાણાં જેવી માન્યતાની સિસ્ટમ્સ બનાવી હતી જેનાથી આપસી સહકાર અને મોટા પાયે સમાજની રચનામાં મદદ કરી હતી. તેઓ સામૂહિક પૌરાણિક કથાઓની તાકાત અને માનવ વર્તનને આકાર આપતી કલ્પિત વાસ્તવિકતાઓની રચનામાં ઊંડા ઊતરે છે. 4. વૈજ્ઞાનિક ક્રાંતિ: આ પુસ્તક વિશ્વને સમજવાની એક પ્રભાવશાળી રીત તરીકે ઉદ્ભવેલા વિજ્ઞાનને સમજાવે છે. હરારી એ સમજાવે છે કે કેવી રીતે વૈજ્ઞાનિક પ્રગતિએ પરંપરાગત માન્યતાઓને પડકારી હતી અને કેવી રીતે તે નવા જ્ઞાન, ટેકનોલોજી અને વૈશ્વિક ખોજ તરફ દોરી ગઈ હતી. 5. આધુનિક યુગ: હરારી ઔદ્યોગિક ક્રાંતિની અસર અને તત્પશ્ચાત મૂડીવાદ, રાષ્ટ્રવાદ તેમજ સામ્રાજ્યવાદના ઉદયની વાત કરે છે. તેઓ આ પ્રગતિઓનાં પરિણામોની ચર્ચા કરે છે, જેમાં સંસાધનોનું શોષણ, ગ્રાહકવાદનો ફેલાવો અને વૈશ્વિક અસમાનતાના પડકારોનો સમાવેશ થાય છે. 6. હોમો સેપિયન્સનું ભાવી: લેખક આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ જેનેટિક એન્જિનીયરિંગ જેવી ઉભરતી તકનિકોની સંભવિત અસરની ચર્ચા કરીને, આપણી પ્રજાતિઓના ભાવિ માર્ગનું અનુમાન કરે છે. તેઓ આ પ્રગતિની નૈતિક અને સામાજિક અસરો વિશે મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવે છે. સમગ્ર પુસ્તક દરમિયાન, હરારી આપણી પ્રજાતિઓને આકાર આપતી મુખ્ય ઘટનાઓ અને પરિબળોનું વિચારોત્તેજક સંશોધન પૂરું પાડે છે. તેમાં તેઓ સામૂહિક કલ્પના, સાંસ્કૃતિક કહાનીઓ, તેમજ જીવવિજ્ઞાન અને સંસ્કૃતિ વચ્ચે જટિલ ક્રિયા-પ્રતિક્રિયાના મહત્વ પર પ્રકાશ ફેંકે છે. આ પુસ્તક વાચકોને હોમો સેપિયન્સ માટે આવનારા પડકારો અને વિકલ્પોને સમજવા માટે ભૂતકાળ પર ચિંતન પ્રોત્સાહિત કરે છે.

અવતરણો:

અહીં યુવલ નોઆ હરારી લેખિત ’સેપિયન્સ: માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ’ પુસ્તકનાં કેટલાંક નોંધપાત્ર અવતરણો છે: 1. “આપણે ઇતિહાસનો અભ્યાસ ભવિષ્ય જાણવા માટે નહીં, પરંતુ આપણી ક્ષિતિજોને વિસ્તૃત કરવા માટે અને તે સમજવા માટે કરીએ છીએ કે આપણી વર્તમાન પરિસ્થિતિ ન તો કુદરતી છે કે ન તો અનિવાર્ય અને પરિણામે આપણી પાસે કલ્પના કરતાં ઘણી વધુ સંભાવનાઓ છે.” 2. “મોટી સંખ્યામાં અજાણ્યા લોકો સહિયારી પૌરાણિક કથાઓમાં વિશ્વાસ કરીને સફળતાપૂર્વક સહકાર આપી શકે છે.” 3. “ઇતિહાસના થોડા સખત કાયદાઓ પૈકીનો એક એ છે કે વૈભવો જરૂરિયાતો બની જાય છે અને નવી જવાબદારીઓ પેદા કરે છે.” 4. “સંસ્કૃતિનો તર્ક એવો હોય છે કે તે માત્ર તેનો જ નિષેધ કરે છે જે અકુદરતી છે, પરંતુ બાયોલોજીકલ દૃષ્ટિકોણથી, કશું પણ અકુદરતી નથી.” 5. “જીવનને સરળ બનાવવાના નીત-નવા પ્રયત્નો ઘણી મુશ્કેલીઓ પેદા કરે છે.” 6. “પ્રાગૈતિહાસિક મનુષ્યો વિશે જાણવા જેવી સૌથી મહત્વની બાબત એ છે કે તેઓ એટલાં તુચ્છ પ્રાણીઓ હતાં કે પર્યાવરણ પર તેમની અસર ગોરિલા, આગિયા અથવા જેલીફિશ કરતાં વધુ નહોતી.” 7. “ઔદ્યોગિક ક્રાંતિ સારી કે ખરાબ નહોતી. લોકોએ એમાં શું કર્યું તે મહત્વનું હતું.” 8. “ પૈસા પારસ્પરિક વિશ્વાસ આધારિત અત્યાર સુધીની સૌથી સાર્વત્રિક અને કાર્યક્ષમ સિસ્ટમ છે.” 9. “મૂડીવાદી અને ગ્રાહકવાદી નીતિશાસ્ત્ર એક જ સિક્કાની બે બાજુઓ છે, બે નિર્દેશોનું વિલીનીકરણ છે.” 10. “ઉત્ક્રાંતિએ, અન્ય સામાજિક સસ્તન પ્રાણીઓની, જેમ હોમો સેપિયન્સને ઝેનોફોબિક (અજ્ઞાતજણ ભીરુ) પ્રાણી બનાવ્યું છે.” 11. “આપણે અભૂતપૂર્વ વિપુલતા સાથે મશીનીકરણ પશ્ચાતનું જંગલ બનાવ્યું છે, પરંતુ તેમાં રહેવું કેવી રીતે તે આપણે હજુ શીખ્યા નથી.” 12. “પ્રાચીન ઇજીપ્તના ભદ્ર લોકોની જેમ, આપણે પણ એક એવી સત્તાની પૂજા કરીએ છીએ જે માત્ર આપણા મનમાં જ વસે છે.” 13. શિકારી-સંગ્રાહકો આપણને બતાવે એ છે કે જીવનમાં ખોરાક કરતાં પણ વધુ કંઈક છે, અને જરૂરી નથી કે સમૃદ્ધ ખોરાકનો અર્થ સમૃદ્ધ જીવન થાય છે.” 14. “આપણે ઘઉંની ટેવ પાડી હતી એવું નહીં. ઘઉંએ આપણી ટેવ પાડી હતી.” 15. “કૃષિ ક્રાંતિ ઇતિહાસની સૌથી મોટી છેતરપિંડી હતી.” આ અવતરણો "સેપિયન્સ" માં પ્રસ્તુત વિચારોત્તેજક અને ઘેરી ધારણાઓની ઝાંખી આપે છે, અને વાચકોને માનવ ઇતિહાસ, સંસ્કૃતિ અને આપણી જાતિને આકાર આપનારા વિકલ્પોની તેમની સમજ પર પુનર્વિચાર કરવા પ્રેરે છે.