અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નંદકુમાર પાઠક/મારે આંગણિયે મંજરીઓ મહોરી ના…

From Ekatra Wiki
Revision as of 08:43, 21 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મારે આંગણિયે મંજરીઓ મહોરી ના…

નંદકુમાર પાઠક

મારે આંગણિયે મંજરીઓ મહોરી ના મહોરી ના.
         રૂપનો દરબાર ભરી બેઠો વસન્તરાજ
         નાચી રહી લહેરીઓ રીઝવતી રંગરાજ
એ તો જોતી'તી તોય જરી ડોલી ના ડોલી ના…મારે.

         ફૂલ ફૂલની વાત સુણી ડોલે વસન્તરાજ
         રમવાને રંગ ફાગ તેડે એ રંગરાજ
એણે હૈયાની વાત જરી ખોલી ના ખોલી ના…મારે.

         રેલાયો રંગ ચઢ્યો ધરતીને અંગ રે
         લહેરાતાં રૂપને ભીંજવતો જાય એ
હો એણે ઘૂંઘટની પાળ જરી તોડી ના તોડી ના…મારે.

(લહેરાતાં રૂપ, ૧૯૭૮, પૃ. ૬૫)