અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/મન ઉમંગ આજ ન માયો

From Ekatra Wiki
Revision as of 10:49, 22 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મન ઉમંગ આજ ન માયો

નલિન રાવળ

મન ઉમંગ આજ ન માયો
કે
ઝરમર ઝરતો શ્રાવણ થઈ એ ધરતી મહીં સમાયો,
મન ઉમંગ આજ ન માયો
કે
નીલ નભે જઈ ઇન્દ્રધનુ બની છાયો.
મન ઉમંગ આજ ન માયો
કે
ફૂલફૂલના સાગર પર શો વસંત થઈ લહેરાયો!
મન ઉમંગ આજ ન માયો
કે
પંખીગણના કલરવ મહીં ગવાયો
મન ઉમંગ આજ ન માયો
કે
અપરિમેય લાવણ્યમયીના હિયમહીં
મધુર રાગ થઈ વાયો.
મન ઉમંગ આજ ન માયો
કે
કોઈ કવિના ગિરા-પદ્મની
શત શત લય પાંદડીએ સૌરભ બની છવાયો.