કંકાવટી મંડળ 2/નિર્જળ માસ

Revision as of 05:11, 19 October 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
નિર્જળ માસ

જેઠ મહિનો છે. તરસે તો ઘડી ઘડી શોષ પડે છે. છતાં બા તો નિર્જળું વ્રત રહી છે.
નિર્જળું વ્રત એટલે?
એટલે કે પોતાની જાણે બા કશુંય ન ખાય પીએ. કોઈ જો કહે કે —
દાતણ પાણી મોકળાં,
તો જ બાથી દાતણ કરાય. પછી કોઈ કહે કે —
નાવણ પાણી મોકળાં,
તો જ બા નાહી શકે. કોઈ કહે કે —
અન્ન પાણી મોકળાં
તો જ બાથી જમી શકાય.