કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૧૬. જલધિમોજ શો

From Ekatra Wiki
Revision as of 08:58, 24 June 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૬. જલધિમોજ શો

પ્રહ્લાદ પારેખ

તૂટો, નવ તૂટો, પહાડ; કણ વા ખરો, ના ખરો :
નહીં જલધિમોજ એ કદીય ચિત્ત ચિંતા ધરે.
પ્રફુલ્લ સુખ, – ઉરગીત સહુ અંગથી નાચતાં, –
વહી સતત કાંઠડે ભીષણ પર્વતે આથડે.

હું યે જલધિમોજ શો, ક્યમ કદીય ચિંતા ધરું :
‘તૂટે મનુજદુઃખનો અડગ શે ઊભો પ્હાડ આ ?’
ઉરે હું લઈ ગીત, ને સ્મિત તણી ધરી દીવડી,
યુગોયુગ તણા પહાડ પર જૈ પડું આથડી !
(બારી બહાર, પૃ. ૯૨)