કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૪૯. હું તાે મારા હુંને કહું છું
Revision as of 09:34, 30 July 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૯. હું તાે મારા હુંને કહું છું| ચંદ્રકાન્ત શેઠ}} <poem> હું તો મ...")
૪૯. હું તાે મારા હુંને કહું છું
ચંદ્રકાન્ત શેઠ
હું તો મારા હુંને કહું છું : ‘બ્હાર નીકળ, તું બ્હાર!’
હું તો મારા મનને કહું છું : ‘માર મમતને, માર!’ –
પાંખ ભીડી બેસી ર્હેનારો
કદી થાય શું ખગ?
તેલ-વાટ વિણ કેમ કોડિયે
પ્રગટ થાય કો શગ?
ભીંતો વચ્ચે ઘરમાં ક્યાંથી ગગન કરે સંચાર?
ખોલવાં પડે બંધ સૌ દ્વાર! –
અંદર જેથી ખવાણ ચાલે
એ સાકર શું ખપની?
ભીતર ભૂખી ભમે ભુતાવળ,
એ ભાખર શું અપની?
હું-ને કહું છું : ‘ઉતાર તારો દશમાથાળો ભાર!
આપણે જવું પંડની પાર!’ –
૨૪-૧૧-૨૦૧૩
૩-૧૨-૨૦૧૩
૨૭-૦૨-૨૦૧૪
(હદમાં અનહદ, ૨૦૧૭, પૃ. ૫૯)