કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૧.કારણ

From Ekatra Wiki
Revision as of 11:12, 17 June 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧.કારણ

ચિનુ મોદી

કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો
એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો.

કોઈનામાં પણ મને શ્રદ્ધા નથી,
કોઈની શ્રદ્ધાનું હું કારણ ન હો.
 
ઝાંઝવાં હરણાં થઈ દોડી ગયાં,
ને હરણને દોડવાને રણ ન હો.

આંધળો વાયુ થઈ ભટક્યા કરું,
જો ફૂલોને એની અકળામણ ન હો.

આપમેળે બંધ દરવાજા થશે,
મોત માટે કોઈ પણ કારણ ન હો.
(ક્ષણોના મહેલમાં, ૧૯૭૨, પૃ. ૬)