કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૧૫.તોરણ

From Ekatra Wiki
Revision as of 11:24, 17 June 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૫.તોરણ

ચિનુ મોદી

પાણી વચ્ચે નાનું અમથું રણ હશે,
આંસુનું આ કેવું બંધારણ હશે !

ખેસવી લીધા બધા આધાર ને
શ્વાસને ટકવાનું કૈં કારણ હશે.

બંધ દરવાજા ઉઘાડો તો ખરા,
ભીંત છે તો ભીંતનું મારણ હશે.

આવી આવીને બધાં દર્પણ થયાં,
કેટલામું મારું આ પ્રકરણ હશે ?

પી જશું સાકી, હળાહળ ઝંખના,
એનું જો તુજ હાથથી વિતરણ હશે.

નર્કથી છૂટ્યાં તો આ વરદાન છે –
જાવ, ધરતી પર હવે વિચરણ હશે.

શોધી શકશો ઘર તમે મારું તરત,
સાત સપનાનું સૂકું તોરણ હશે.

૨૦, ૨૪-૬-૭૪
(દર્પણની ગલીમાં, પૃ.૩૭)