કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૨૯. ઝરૂખે

From Ekatra Wiki
Revision as of 08:26, 21 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨૯. ઝરૂખે

પ્રિયકાન્ત મણિયાર

કોક મદીલી લોચનબાળા શીદ ઝરૂખે ઝૂકે?
સાંજને સમે આંખડી એને કેમ જોવાનું ચૂકે?

આવતાં-જતાં લોકની વચે પથમાં જાઉં મૂંઝાઈ,
પલમાં એની પાંપણ અડ્યે હૃદય જાય રુઝાઈ;
મેઘધનુના રંગમાં મારા મનને રમતું મૂકે...
કોક મદીલીo

અમીર ઘરની છોરી એ તો દાદરો ઊતરી દેખી
આજ લગી ના, એમ તો એને ક્યારેય પૂરી પેખી;
વાંસળી કેટલી દૂર અને તે વાગતી કોની ફૂંકે?
કોક મદીલીo
(આ નભ ઝૂક્યું, પૃ. ૭૮)