કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૪૩. કાંઈ શું વળે?

From Ekatra Wiki
Revision as of 12:00, 11 November 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૪૩. કાંઈ શું વળે?


મનમાં મિતાઈ, ઝીણું ઝીણું બળે,
આમ ન કર્યું હોત તો!
હવે કાંઈ કર્યે શું વળે?

આપણું કર્યું કાંઈ ન ચાલે,
જાણી લીધું, ભાઈ!
સાત પતાળે માછલી પોઢી
આવે તીર તણાઈ.

માધવ સાથે મમતા મારી,
માધવ માથે રોષ,
દોષ દઈને છૂટવા ચાહું,
કોનો કાઢું દોષ?
(સંગતિ, પૃ. ૧૨૫)