કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૧૬.અવાજને ખોદી શકાતો નથી

From Ekatra Wiki
Revision as of 07:53, 17 June 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૬.અવાજને ખોદી શકાતો નથી

લાભશંકર ઠાકર

અવાજને ખોદી શકાતો નથી ને ઊંચકી શકાતું નથી મૌન. હે વિપ્લવખોર મિત્રો ! આપણી રઝળતી ખોપરીઓને આપણે દાટી શકતા નથી અને આપણી ભૂખરી ચિંતાઓને આપણે સાંધી શકતા નથી. તો સફેદ હંસ જેવાં આપણાં સપનાંઓને તરતાં મૂકવા માટે ક્યાં સુધી કાલાવાલા કરીશું આ ઊષરભૂમિની કાંટાળી વાડને ? આપણી આંખોની ઝાંખાશનો લાભ લઈ વૃક્ષોએ ઊડવા માંડ્યું છે તે ખરું પણ એય શું સાચું નથી કે આંખો આપીને આપણને છેતરવામાં આવ્યા છે ? વાગીશ્વરીના નેત્રસરોવરમાંથી ખોબોક પાણી પી ફરી કામે વળગતા થાકી ગયેલા મિત્રો ! સાચે જ અવાજને ખોદી શકાતો નથી. ને ઊંચકી શકાતું નથી મૌન. (મારા નામને દરવાજે , ૨૦11, પૃ. ૫૩)