ગુજરાતી ગઝલસંપદા/ કરસનદાસ લુહાર

From Ekatra Wiki
Revision as of 11:12, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| કરસનદાસ લુહાર |}} <poem> ભરું કેમ ખોબો અરીસાળ જળમાં? કે, નભની તરસનું તરે આળ જળમાં.<br> લઈ હુંપણું હું જ ડૂબી ગયો પણ, તરંગો ન ઊઠ્યા આ પથરાળ – જળમાં.<br> મને ઝાંઝવાંમાં જડ્યાં ઝાંઝવાંઓ, પરં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કરસનદાસ લુહાર

ભરું કેમ ખોબો અરીસાળ જળમાં?
કે, નભની તરસનું તરે આળ જળમાં.

લઈ હુંપણું હું જ ડૂબી ગયો પણ,
તરંગો ન ઊઠ્યા આ પથરાળ – જળમાં.

મને ઝાંઝવાંમાં જડ્યાં ઝાંઝવાંઓ,
પરંતુ ન જળની મળી ભાળ જળમાં.

હકીકતની હોડીઓ ઊંધી વળી ગઈ,
આ અફવાના ઊંડા નરાતાળ જળમાં.

ચલો મત્સ્ય મારાં! હવે જળવટો લો,
જુઓ જળ સ્વયં પાથરે જાળ જળમાં.