ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આણંદપ્રમોદ

From Ekatra Wiki
Revision as of 05:50, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આણંદપ્રમોદ[ઈ.૧૫૩૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ચરણપ્રમોદની પરંપરામાં હર્ષપ્રમોદના શિષ્ય. ૬૩ ઢાળની ‘શાંતિજિનવિવાહ-પ્રબંધ/શાંતિનાથ-ધવલ/નવલરસસાગર’ (ર. ઈ.૧૫૩૫), આશરે ૬૯ કડીની ‘જિનપાલજિનરક્ષિત-પ્રબંધ/રાસ/સઝાય’ તથા ૧૪ કડીની ‘વેશ-સઝાય’ના કર્તા. પહેલી કૃતિ ક્યાંક હર્ષપ્રમોદને નામે પણ નોંધાયેલી મળે છે. સંદર્ભ : ૧ જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કુ.દે.]