ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયમંદિર

Revision as of 06:21, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ઉદયમંદિર [ઈ.૧૬૧૯માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિની પરંપરામાં પુણ્યમંદિરના શિષ્ય. ‘ધ્વજભુજંગ-આખ્યાન’ (૨. ઈ.૧૬૧૯/સં. ૧૬૭૫, કારતક સુદ ૧૩, સોમવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [હ.યા.]