ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કમલવિજય-૩

Revision as of 08:43, 2 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કમલવિજય-૩ [ઈ.૧૭૪૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં લાભવિજયના શિષ્ય. ચોપાઈબદ્ધ ૨૨ ઢાલના ‘ચંદ્રલેખા-રાસ’ (ર.ઈ.૧૭૪૬/સં.૧૮૦૨, કારતક સુદ ૫)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [ચ.શે.; કી.જો.]