ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કેસરીચંદ

From Ekatra Wiki
Revision as of 12:59, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કેસરીચંદ [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. હિન્દી-રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં ૨૧ કડીના ‘વીસસ્થાનકતપ-સ્તવન’ (૨.ઈ.૧૮૪૨/સં.૧૮૯૮, ચૈત્ર-; મુ.) અને ૭ ઢાળના ‘જ્ઞાનપંચમીમહિમા-સ્તવન’ (૨.ઈ.૧૮૫૦/સં.૧૯૦૬, કારતક સુદ ૫, રવિવાર)ના કર્તા. કૃતિ : અરત્નસાર. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧).[શ્ર.ત્રિ.]