ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક્ષ/ક્ષમાલાભ

From Ekatra Wiki
Revision as of 09:55, 4 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ક્ષમાલાભ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. ઉપાધ્યાય મુક્તિલાભના શિષ્ય. ‘સ્નાત્રપૂજા’(મુ.), ગચ્છનાયક મુક્તિસાગરસૂરિ સાથે પાવાગઢની યાત્રા કરી તે પ્રસંગે રચાયેલ ‘મહાકાલી માતાનો છંદ’ (ર.ઈ.૧૮૩૭/સં. ૧૮૯૩, ચૈત્ર વદ ૧૨), નવપદજીનાં સ્તવનો (ર.ઈ.૧૮૪૧/સં. ૧૮૯૭, આસો સુદ ૧૫, શનિવાર) તથા સવૈયા-સ્તવનો(ર.ઈ.૧૮૪૩)ના કર્તા. કૃતિ : ૧. અંચલગચ્છે સ્નાત્ર પૂજાદિ તપસંગ્રહ, પ્ર. કુંવરબાઈ, ઈ.૧૮૯૭; ૨. વિવિધ પૂજા સંગ્રહ : ૧-૧૧, પ્ર. જશવંતલાલ ગિ. શાહ, -. સંદર્ભ : ૧ અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્શ્વ’, ઈ.૧૯૬૮. [ર.સો.][શ્ર.ત્રિ.]