ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખીમાવિજય-૧

Revision as of 07:01, 5 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ખીમાવિજય-૧/ક્ષેમવિજય [ઈ.૧૬૫૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. દેવવિજયની પરંપરામાં શાંતિવિજયના શિષ્ય. ભદ્રબાહુસ્વામીના પ્રાકૃત કલ્પસૂત્ર પરના બાલાવબોધ (ર.ઈ.૧૬૫૧/સં. ૧૭૦૭, વૈશાખ સુદ-, ગુરુવાર) તથા ૩૫ કડીના ‘સૂક્તમાલા’ પરના સ્તબકના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૨); ૨. મુપુગૂહસૂચી. [ર.સો.]