ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/'ગંગવિજય

Revision as of 09:56, 8 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


'ગંગવિજય [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : પદ્યવાર્તાકાર. તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં નિત્યવિજયના શિષ્ય. એમનો, ૫૪ ઢાળ અને ૧૨૫૬ કડીમાં કુસુમશ્રી અને વીરસેનનું અદ્ભુતરસિક વૃત્તાંત વર્ણવતો ‘કુસુમશ્રી-રાસ’ (ર.ઈ.૧૭૨૧/સં. ૧૭૭૭, કારતક સુદ ૧૩, શનિવાર; મુ.) તેની રસપ્રદ કથનશૈલી તથા ચતુરાઈપૂર્વક પોતાની શીલરક્ષા કરતી ધનવતીની, ૧૫ ઢાળ જેટલો વિસ્તાર ધરાવતી, દૃષ્ટાંતકથાને કારણે નોંધપાત્ર બને છે. આ કવિએ ૩ ખંડનો ‘ગજસિંહકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૧૬ કે ૧૭૨૬/સં. ૧૭૭૨ કે ૧૭૮૨, કારતક વદ ૧૦, ગુરુવાર) પણ રચ્યો છે. કૃતિ : આકામહોદધિ :૧(+સં.). સંદર્ભ : ૧. ગુલિટરેચર;  ૨. જૈગૂકવિઓ:૨,૩(૨); ૩. લીંહસૂચી. [ર.સો.]